July 23rd 2009

દુઃખથી મુક્તિ

                      દુઃખથી મુક્તિ

તાઃ૨૨/૭/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામનુ જ્યાં રટણ થાય ત્યાં કામદામ દુરરહે
સંગે ચાલે સ્નેહ પ્રેમ ને  ઉજ્વળ જીવન બની રહે
                             ……..રામનામનુ જ્યાં રટણ.

પરોઢીયે નીત પુંજનઅર્ચન ને ધુપદીપ સદા કરે
સુર્યોદયના પહેલા કિરણે પૃથ્વીને ભઇ નમન કરે
માગણી મહેનતની કરતા સાચા દીલથીમળી રહે
પ્રેમ પ્રભુનો મળી રહે ના માગણી કદી કરવી પડે
                              ……. રામનામનુ જ્યાં રટણ.

કુદરતની આરીત નિરાળી કદી મનના માની શકે
આવી અવનીએ માનવ જીવન ભક્તિમાં પ્રીતકરે
પરમકૃપાળુ છે દયાળુ ના કદી જીવનમાં બાકી રહે
માગણીનાકરીયેમનથીતોય દુઃખથીમુક્તિ મળીજશે
                               …….. રામનામનુ જ્યાં રટણ.

+++++++++++++++++++++++++++++++

July 22nd 2009

ગુજરાત

                  ગુજરાત

તાઃ૨૧/૭/૨૦૦૯           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુણલાં ગાતા ભક્તોના ભઇ મન સદા હરખાય
   પ્રેમનીપાવક જ્વાળામળતા મનડાં છે મલકાય
   ઉજ્વળતાનોસહવાસ મળેને જીવનપણ મહેંકાય
   માનવતાની મહેંક મળે ત્યાં ગુજરાતી મળીજાય

ગતમાં ઉજળાનામરાખી કરતાં પ્રેમે સૌનાકામ
   એકમેકના હાથ મેળવી સફળતા સુધી લઇ જાય
   કદીક માયાવળગે કાયાને તુરત દુર ભાગી જાય
   એવા અમે ગુજરાતી જગમાંઉત્તમ જીવીજ જાય

રાત દિવસનો નાભેદરહે ને પ્રેમ સદા વહીજાય
    આંગણે આવેલ જીવને સદા મહેંક દેખાઇ જાય
    ના ના કરતાં પ્રેમમળે નાજેની અપેક્ષા રખાય
    પાવનઆંગણાંગુજરાતીઓના ભક્તિએથઇજાય

ન અને મનનો મેળસદા જીવનમાં સાથેરાખે
   કોણ કેટલુ દઇ જાય ના સમજ કોઇને કંઇ આવે
   પ્રાણી માત્રની ભાવનામીઠી જીવને જીતી જાય
   મળી જાય માનવતાજ્યાં ગુજરાતી દેખાઇજાય.

==============================

July 21st 2009

શ્રધ્ધાની સાંકળ

                   શ્રધ્ધાની સાંકળ

તાઃ૨૦/૭/૨૦૦૯             પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા મારી સાંકળ જેવી,ના કદી એ તુટે
રાખુ હૈયે હંમેશા  સાથે, કેવી રીતે એ છુટે
                               ……..શ્રધ્ધા મારી સાંકળ.
ભક્તિની એક કડી મળીછે,સાથે જોડી મેં દીધી
અંત ન આવે તેનોક્યારે,જ્યાં પ્રેમેભક્તિ લીધી
મન અને માનવનો છેડો,ભક્તિએ આવી રહેતો
                                ……..શ્રધ્ધા મારી સાંકળ.
જલાસાંઇની પ્રેમનીસાંકળ,મેં મનથીરાખીલીધી
પ્રેમને રાખી પરમાત્માથી,જેછોડે જીવની ઝંઝટ
મળતીજાય અવનીપરઆવી,નારહે કોઇ ખટપટ
                                       ……..શ્રધ્ધા મારી સાંકળ.
મધુરપ્રેમની આલીલા છે,જગતજીવની આ પીડા
વળગી ચાલે વ્યવહારો ,જે સાંકળથી ના અળગા
મુક્તિમાગતાં મળે જીવને,જ્યાંછેશ્રધ્ધાની સાંકળ
                               ……..શ્રધ્ધા મારી સાંકળ.

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

July 20th 2009

પાર્વતીપતિ નંદેશ્વર

                  પાર્વતીપતિ નંદેશ્વર

તાઃ૮/૬/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નંદીની સવારીએ આવી રહ્યાછે ત્રિલોકીઅવીનાશી
શંખચક્રને ત્રિશુલધારી,ત્રિપુરારી છો જગત આધારી
ઓ ભોલેનાથ ઓ વિષધારી ઓ ભક્તોના ભગવાન
કરજો કરુણા અપરંપાર,આપના ચરણે અમારા જીવ
                               ……. નંદીની સવારીએ આવી.
માયાના તો અનોખા બંધન,ના અળગા જગમાં રહે
પ્રેમ પામવા અંતરથી,ૐ નમઃશિવાયનુ સ્મરણકરુ
દ્વાર મુક્તિના ખુલશે ત્યારે,જ્યાં જીવ જગતથી જાશે
આવશે ત્રિશુલ ધારી ત્યારે, દ્વારે ભક્તને લેવા કાજે
                               ……. નંદીની સવારીએ આવી.
માનો પ્રેમ મને સદામળે,જ્યાં ભક્તિ પ્રેમથી હું કરુ
આશીશ માની જ્યાં મળે,ત્યાં ગજાનંદની કૃપા મળે
સૃષ્ટિ નિયંતા જગતવિહારી,કરુણા મુજપર વરસીરહે
અંત જીવનનો સાર્થક સાથે,જીવને મુક્તિ મળી જશે
                               ……. નંદીની સવારીએ આવી.

+++++++++++++++++++++++++++++++++

July 20th 2009

છેલ્લો દિવસ

                                                છેલ્લો દિવસ

તાઃ૨૭/૧૦/૨૦૦૮                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

                  જીવને જગત પર દેહનુ અસ્તિત્વ મળે ત્યારથી છેલ્લા દિવસનો સંબંધ જાણે અજાણે પણ  તેની સાથે બંધાયેલ  છે,ચાહે તે મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી કે જળચર હોય. પરમાત્માની  અસીમ લીલા છે, જેને મનુષ્ય કોઇપણ રીતે પારખી શકતો નથી. માનવી પોતાની બુધ્ધિના આધારે પર્વત, આકાશ કે પાતાળમાં પહોંચી જાય તો પણ પોતાનું અસ્તિત્વ પોતે શોધી શકતો નથી.

                     છેલ્લો દીવસ ………….. ક્યાં નથી આવતો

#  લગ્ન થતાં દીકરીનો માબાપને ત્યાં દીકરી તરીકે નો છેલ્લો દીવસ આવે કારણ હવે તે પત્ની થઇ,પારકાની  થાપણ થઇ.

પ્રસુતીની પીડાનો છેલ્લો દીવસ એટલે બાળકનો જન્મ જે જન્મદાતાને માનુ સ્થાન મળે.

શીશુવિહારમાંથી પાસ થતાં શીશુવિહારમાં છેલ્લો દીવસ.

#  હાઇસ્કુલમાંથી પાસ થતાં હાઇસ્કુલમાં છેલ્લો દીવસ.

શરીરમાંથી જ્યારે જીવ નીકળી જાય એટલે કે અવસાન થાય તો તે શરીરમાં જીવનો છેલ્લો દીવસ.

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++

July 20th 2009

સાહિત્ય સરીતા

                    સાહિત્ય સરીતા

તાઃ૧૯/૭/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મીઠીવાણી ને ઉજ્વળપ્રેમ,વહે સદા સાગરનીજેમ
મળતી અનેક પળ મીઠી,જ્યાં પ્રીત હૈયે થી દીઠી
પ્રેમ ભાવના ફરતી જ્યાં સાહિત્ય સરીતા મળતી

ના ભેદભાવની દ્રષ્ટિ કે ના કોઇ તિરસ્કારની સૃષ્ટિ
ઉભરે હેત હૈયેથી એવુ ના શબ્દેથી કંઇ કહેવા જેવું
પવિત્ર ભાવનાને નિરખી ભક્ત જલાસાંઇ હરખાય

મળી જાય જ્યાં મહારથી ત્યાં સુંદર ભાવનાફરતી
જીવ જગતમાં માનવપ્રેમ મળી રહે સદા હેમખેમ 
સ્નેહ મને સ્નેહાળોનો છે મા સરસ્વતી ના સંતાન

હ્યુસ્ટનથી નીકળી સરીતા દે શબ્દ જગતને શાંન્તિ
અભિમાનના વાદળ ઘેરે મને,છે સાચી મારીભક્તિ
સૌનો જ્યાં સહકાર રહે ત્યાં કાયમ મળે પ્રેમ દ્રષ્ટિ 

મને મળ્યો અહીં સાચોપ્રેમ શોધે મને ના જગેમળે
હૈયાના સ્પંદનને પારખી લાવ્યા મને અહીં હ્યુસ્ટન
મુક્તિના પણ દ્વાર ખુલ્યા,ને અખંડ મળીમને પ્રીત

===========================

July 19th 2009

ફોન આવ્યો

                        ફોન આવ્યો

તાઃ૧૮/૭/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મેધરાજાનો  મને ફોન આવ્યો, હું અષાઢમાં આવું છું
ગરમી તેંતો સહન કરી,૧૮મીએ હું ઠંડકલઇને આવુંછું
                                  ……..મેધરાજાનો મને ફોન.
મળવાનો મને મોહ થયો, ને એકલો હું બહુ કંટાળુ છું
મળીશ મારા સંતાનને હું,ને ખુશીને સાથે જ માણીશું
વાદળ સૌ ધોળા ફરતા તા,હવે કાળા થઇને આવે છે
વિજ કહે હું સાથે આવું, મળવાનો લઉ સાથે હુ લ્હાવો
                                    …….મેધરાજાનો મને ફોન.
૧૮મીની સંધ્યા ટાણે આવીશ,પ્રેમે રાહ જોજે તું મારી
ના પ્લેન કે સ્ટીમરમાં આવીશ,હું પવનસાથે આવીશ
ઠંડક તો સાથે લેતો આવીશ, સૌ જનને પ્રેમથી કહેજે
ખેડુતોને  હૈયે હામ તુ દે જે,ને વડીલોને દેજે અણસાર
                                   …….મેધરાજાનો મને ફોન.
સંધ્યાકાળે ઘેર તુ રહેજે,ને તોય સાથે રાખજે છત્રી
કદાચ પ્રેમનો ઉભરો ના રોકુ તો પાણી જાય વકરી
ટાઢક મારી સાથે આવશે, તોય શર્ટ પહેરી રાખજે
આવુ ત્યારે વિજળી ચમકશે, ને કડાકા સાથે રહેશે
                                  ……..મેધરાજાનો મને ફોન.

 (((((((((())))))))))))))(((((((((((())))))))))))(((((((((((()))

July 19th 2009

વરસાદી વેળા

                  વરસાદી વેળા

તાઃ૧૮/૭/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મધુર પવનની મીઠી લહેર,
                          માનવ જીવનમાં લાવે મહેર;
કુદરતની કૃપાના આવે વાદળ,
                      દીસે કાળા ભમ્મર વરસવા કાજે.
                                            …….મધુર પવનની મીઠી.
ઉમંગ આવે માનવ મનને,ખેડુતને ખેતરમાં જઇને
વરસે તેની રાહએજોતા,સદા મેધને વિનવી લેતા
ફળફુલને અનાજ કાજે,વરસે જગમાં અષાઢ આવે
કુદરતની આકૃપા અનેરી,શ્રધ્ધામાં એ ઉમંગ લાવે
                                             …….મધુર પવનની મીઠી.
વાદળનો ગગળાટ સાંભળી,વિજળીના ચમકાટ નીરખે
મંદ પવનની મીઠી લહેર,જીવ જગતમાં આનંદ આવે
મળતી માયા મેઘરાજની, ને પવન દેવનો પ્રેમ મળે
લીલોતરીની લહેર મળે,જ્યાં વરસાદી વેળા મળી રહે
                                               …….મધુર પવનની મીઠી.

=============================

July 18th 2009

માયાની મોંકાણ

                    માયાની મોંકાણ

તાઃ૧૮/૭/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા મારી ઘરવાળી ને હું છું  માયાનો ભરથાર
સંસારનીગાડીચાલેસીધી,ત્યાં આનંદથાય અપાર
ડગમગ ચાલતી થઇ શરુ, ને થયાં ત્યાં રમખાણ
એક સાચવૂ બગડે બીજુ,થઇ શરુ માયાની મોંકાણ
                             …….માયા મારી ઘરવાળી ને.
નરનારીના ભેદ હતા જ્યાં,સન્માન સચવાઇને ચાલે
માબાપની મમતા સંતાનને,ભક્તિ ઉજ્વળ સંગે હાલે
આવે પ્રેમ સગાં સ્નેહીઓનો, ને જીવન આનંદી લાગે
મધુર મોહ ને સંગ પ્રેમનો, ભક્તિનો લઇને આવે રંગ
                               …….માયા મારી ઘરવાળી ને.
ઉંચી એડી ને છુટીસાડી,વાંકી ચાલતીથઇ ઘરની લાડી
નર અને નારીના ભેદછુટ્યા,આદરમાન છોડે ઘરવાળી
હાય હાય હર પળે મળે,ને હવે પતિ ના રહે પરમેશ્વર
ઘરનીનારીને વાડીમાંદીઠી,ફુલછાબ હાથમાંલઇઘુમતી
                                …….માયા મારી ઘરવાળી ને.
મનમાં ભાવના હતી મોટી,રાખી લગામ મેં જ્યાં મીઠી
ઉછળી ગાડી જીવનની,જ્યાં સંતાન પણ અળગા થાય
માયાના રહી માતાની અહીં,કે ના પિતાનો  રહ્યો પ્રેમ
મોંકાણ જ્યાં માયાની થઇ, મળી ગઇ ઉપાધીઓ અહીં.
                               …….માયા મારી ઘરવાળી ને.

(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)(#)

July 18th 2009

કુદરતની કરામત

                       કુદરતની કરામત

તાઃ૧૮/૭/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના સમજે જન્મ ધારી, કેવી છે કુદરતની કરામત.
ક્યારેઆવે જીવનેતેડુ,ને ક્યારે અવનીએઅવતરણ
મળશે માયા સાથે મોહ, જીવ માત્ર જોશે જ્યાં દેહ
સંબંધતણી સાંકળ જોડીને,કરશે જીવનીએમરામત
                              ………ના સમજે જન્મધારી.
મારી મમતા કાયાની,વળગીજાય જીવનેએ માયાથી
કોણ ક્યારે અહીં મળી જશે,ને કોણ જીવને તારી જશે
ના અણસાર જીવ મેળવી શકે,ના જગે કોઇ રોકી શકે
ઉજ્વળજીવનપ્રભુભક્તિથી,જીવજગતપર રહેસલામત
                                ………ના સમજે જન્મધારી.
આધી આવે ને વ્યાધી જાય,ના કોઇથી ક્યારે કળાય
મળશેમાયા જન્મેકાયાને,નેમળશે પ્રીતપ્રભુ ભક્તિથી 
સાચીસમજણ નાશોધવી,જ્યાંદોરીમળે શીવશક્તિની
તુટીજાય લેણદેણની જેલ,આવે જગતપરપ્રેમનાવ્હેણ
                               ………ના સમજે જન્મધારી.

###################################

« Previous PageNext Page »