September 21st 2011

જાગૃત જીવન

.                  .જાગૃત જીવન

તાઃ૨૧/૯/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

આશા એ સાગર જીવનનો,ના કોઇથી તરી જવાય
એક પુરી થતાં જીવનમાં,બીજી સામે આવી દેખાય
.                  ……………આશા એ સાગર જીવનનો.
દેહ જગતપર કોઇપણ મળે,એકૃપા પ્રભુની કહેવાય
મનની વૃત્તી દરેક જીવની જગે,જે વર્તનથી દેખાય
સમજણ મનની સાચી રાહે,સાચી ભક્તિથી લેવાય
ઉજ્વળ જીવનની કેડી મળે,જ્યાં જીવ જાગૃત થાય
.                  ……………આશા એ સાગર જીવનનો.
મળેલ દેહ છે કર્મની કેડી,ગત જન્મથીજ મેળવાય
મુક્તિ મળે જીવને જન્મથી,સંતની દ્રષ્ટિ પડી જાય
મોહમાયાને પડતીમુકતાં,ભક્તિનોસાથ મળીજાય
ઉજ્વળ જીવન જીવીજતાં,જીવને મુક્તિ મળી જાય
.                   ……………આશા એ સાગર જીવનનો.

+++++++++++++++++++++++++++++++

September 20th 2011

સંઘર્ષ

.                       .  સંઘર્ષ

તાઃ૨૦/૯/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ જીવના બંધન જગમાં,કરેલ કર્મથી બંધાઇ જાય
મહેનત મનથી સાચી કરતાં,સંઘર્ષથીએ તરી જવાય
.                      …………..જન્મ જીવના બંધન જગમાં.
મળતાં પ્રેમ જગતમાં દેહને,જીવન  આ હરખાઇ જાય
જીવ તણી  નિર્બળતા ભાગે,ત્યાં કર્મ સબળ થઈ જાય
મળતાં એક ટકોર જીવને,પાવન રાહ પણ મળી જાય
સાચી સમજણ મેળવીલેતાં,ના આધીવ્યાધી અથડાય
.                       ……………જન્મ જીવના બંધન જગમાં.
આડી અવળી જીવનની કેડી,સમજણે સરળ થઈ જાય
માન સન્માનને દુર મુકતાં,જગે સૌ સંગાથી બની જાય
એકડગલાંની મહેંકમળતાં,બીજુ ડગલુ પાવન થઇજાય
સંઘર્ષનીકેડી દુરભાગતાં,જીવને સરળજીવન મળીજાય
.                         …………જન્મ જીવના બંધન જગમાં.
લાગણી દ્વેષ ને ઇર્ષા છે વાંકી,જ્યાં દેખાવ ભટકાઇ જાય
ઉજ્વળતાના સોપાને જીવનમાં,નમ્રતા જ વણાઇ જાય
મારું તારુંનો  છુટતાં મોહ,ત્યાં કૃપા કુદરતની મળી જાય
નિરાધારનો આધારપ્રભુનો,જે મળેલજન્મ મહેંકાવી જાય
.                        ……………જન્મ જીવના બંધન જગમાં.

==================================

September 19th 2011

ચિંતા મુક્ત

.                     ચિંતા મુક્ત

તાઃ૧૯/૯/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન જીવતા જ્યાં માન મળે,ત્યાં જીવને શાંન્તિ થઈ જાય
અદભુત કૃપા પ્રભુની મળતા,આ જીવ ચિંતા મુક્ત થઈ જાય
.                        ………….. જીવન જીવતા જ્યાં માન મળે.
મોહ માયાને સ્વાર્થ છુટતાં,મનને  શાંન્તિ માર્ગ મળી જાય
કેડી પકડી પ્રેમનીચાલતાં,જલાસાંઇનીકૃપા દ્રષ્ટિ થઈ જાય
ભક્તિ ભાવની જ્યોત ઝળકતાં,આ જન્મ પાવન થઈ જાય
મળીજાયપ્રેમની દ્રષ્ટિપ્રભુની,ત્યાં દેહનુ પગલુ પાવન થાય
.                       …………… જીવન જીવતા જ્યાં માન મળે.
અંધકાર મળે જીવને જગતમાં,આદેહનુ જીવન વેડફાઇ જાય
ઉજ્વળતાનું એક કીરણ પડે તો,જીવન સદ માર્ગે ચાલી જાય
આફતની પકડેલી કેડીને  છુટતાં,જીવ મોક્ષ માર્ગે દોરાઇ જાય
ખુલે સ્વર્ગના દ્વાર મૃત્યુએ,ને જીવને અનંત શાંન્તિ મળી જાય
.                            ………….જીવન જીવતા જ્યાં માન મળે.

===================================

September 18th 2011

સ્મરણ

.                         સ્મરણ

તાઃ૧૮/૯/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્મરણ થાય જ્યાં સાચા સંતનુ,ત્યાં પાવન ભક્તિ મળી જાય
નિર્મળ જીવન રાહ મળે દેહને,જે જીવનો જન્મ સફળ કરીજાય
.                             …………..સ્મરણ થાય જ્યાં સાચા સંતનુ.
પાવનકર્મના મળે બંધન દેહને,જીવનો ભક્તિ ભાવ વ ધીજાય
મુક્તિ માર્ગના દ્વાર ખોલવા જીવને,સાચી શ્રધ્ધા રાહ મળીજાય
માળા મણકા મુકતા બાજુએ,જીવથી સતત સ્મરણ પ્રભુનુ થાય
આજ કાલની વ્યાધી છે જીવની જે, જીવને રાહ જોવડાવી જાય
.                                …………સ્મરણ થાય જ્યાં સાચા સંતનુ.
ભક્તિનોસંગાથ  સરળ રાખતાં,જીવથી સવારસાંજ ના પરખાય
સમયની કેડી સરળ બનતાં,દેહથી જીવને મોક્ષ તરફ લઈ જાય
ના દેખાવ કે ના માય મોહ લાગે,જે છે કળીયુગના જ હથીયાર
મળતીકૃપા સંતજલાસાંઇથી,સ્મરણથી જીવનેશાંન્તિ મળી જાય
.                           ……………..સ્મરણ થાય જ્યાં સાચા સંતનુ.

++++++++++++++++++++++++++++++++++++++++

September 17th 2011

પાણી પ્રેમ

.                     પાણી પ્રેમ

તાઃ૧૭/૯/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાણી પીતા તો ભાગે દુઃખ,મળીજાય દેહને સૌ સુખ
દવા દારૂને કરશે દુર,મળશે શાંન્તિ જીવને અદભુત
.                        ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
સવાર પડે ને આંખ  ખુલે,ઉઠીને પહેલુ પાણી એ જુએ
૧ ગ્લાસથી ૪ ગ્લાસ પાણીપીવે,બ્રશ દાંતને પછી કરે
.                        ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
પચો અપચો ના પેટમાં રહે,સાદુ પાણી તેનેજ દુર કરે
રોગ દેહથી દુર જ રહે,શુધ્ધ જેનુ લોહી દેહમાં વહી રહે
.                        ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
આંખને આપે સારુ તેજ,ના ચશ્મા કે ના બીજી કોઇ ટેવ
શુધ્ધ આંખો થાય છાલકથી,સૌ તકલીફ જાય આંખથી
.                         ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
પાણી પીતા સવારમાં શીખ્યો,લોહ દબાણ ત્યાં ભાગ્યુ
નાકોઇ ટેન્શન શરીરને રહે,ને આવી શાંન્તિ દેહને મળે
.                         ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
મીઠોપેશાબ પણ બંધ થાય,ને દેહ શાંન્તિ મેળવી જાય
કેન્સર  જેવા રોગને ભગાડી,જીંદગી માનવીની સુધારી
.                          ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
ગેસનીતકલીફ કે કબજીયાત,પીતા પાણી મળીસફળતા
ટીબી જેવા રોગનેય ભગાડી,જીંદગી માનવીની સુધારી
.                         …………..પાણી પીતા તો ભાગે દુઃખ.

+++++++++++++++++++++++++++++++++++

September 16th 2011

કુદરત કેવી

.                કુદરત કેવી

તાઃ૧૬/૯/૨૦૧૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના સોટી રાખે કદી હાથમાં,કે ના કદી કોઇજ દે ઠપકાર
માનવતાની જ્યાં છુટે કેડી,ત્યાં કુદરત નારાજ જણાય
.                         …………….ના સોટી રાખે કદી હાથમાં.
કૃપા કુદરતની સૃષ્ટિ પર છે,સૌ  જીવોને મળતી જ જાય
અભિમાનની  આડી કેડીએતો,સઘળુ વ્યર્થ થતુય દેખાય
વાણી વર્તન વિચાર બદલાતાં,જગે માનવી વકરી જાય
અંત લાવવા અણ સમજનો,ત્યાં કુદરત પણ રૂઠીજ જાય
.                              …………ના સોટી રાખે કદી હાથમાં.
અધીક વર્ષા કે અધિક વાયુ,એ પરમાત્માની સરળ સોટી
અતિ તાપથી કળતી કાયા,ના માનવ મોહમાયાને જોતી
શીતળતાની લહેર લઈલેતાં,દેહને અતુટ તકલીફો મળતી
પ્રભુ ભક્તિનો એક આશરો,જીવને ક્યારેક એ શાંન્તિ દેતી
.                            …………..ના સોટી રાખે કદી હાથમાં.

+++++++++++++++++++++++++++++++++++=

September 15th 2011

મતિની શોધ

.               મતિની શોધ

તાઃ૧૫/૯/૨૦૧૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવી મનને નારહે ક્ષોભ,જ્યાં મળે જીવને મતિની શોધ
રાહ જીવનની સાચીજ છે એક,મળે જીવનમાં ભક્તિની ટેક
.                            …………..માનવી મનને ના રહે ક્ષોભ.
ઉદય અસ્ત એ છે કુદરતનો ક્રમ,ના જગતમાં તેનો છે ભ્રમ
સમજદારના સરળજીવનમાં,નાઆધી વ્યાધી રહે અંતરમાં
લાગણી શોક ને મોહમાયાથી,મુક્ત થશેઆ મળેલ કાયાથી
પ્રભુ પ્રેમનીવર્ષા વરસી આજે,મુક્તિ રહેશે એ જીવની સાથે
.                             …………..માનવી મનને ના રહે ક્ષોભ.
જન્મ મરણ તો જીવને જ વળગે,ના જીવ કોઇ તેનાથી છટકે
ભક્તિ કેરી દોર પકડતાં જન્મે,પ્રભુ કૃપા લાવે ભક્તિ જ સંગે
મતિની શોધ જીવનમાં ન્યારી, જીવને એ છે શાંન્તિ દેનારી
સંત જલાસાંઇની રાહ નિરાળી,ભક્તિ માર્ગ સાચો આપનારી
.                             …………..માનવી મનને ના રહે ક્ષોભ.

======================================

September 14th 2011

આનંદની વર્ષા

.                   આનંદની વર્ષા

તાઃ૧૪/૯/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરમાં ખુબજ આનંદ થાય,ને મન પણ મલકાઇ જાય
કુદરતની ન્યારી કેડી મળતાં,જીવે આનંદની વર્ષા થાય
.                       ………….અંતરમાં ખુબજ આનંદ થાય.
મોહ માયાને જીવનથી તગેડતાં,સાચી રાહ મળી જાય
પ્રેમની નાની સીડી મેળવતાં,ધીરજના ફળ મળી જાય
પામરદેહને માર્ગ મળે મુક્તિનો,ને જીવને શાંન્તિ થાય
જન્મ સફળ ને પાવન કર્મ,દેહને અવનીએ મળી જાય
.                      …………..અંતરમાં ખુબજ આનંદ થાય.
માન અપેક્ષા એ માનવ દેહની,ના જીવને સ્પર્શી જાય
ભક્તિ મળે જ્યાં સાચી રાહે,ત્યાં સંત કૃપા વરસી જાય
માનવતાનીમહેંક પ્રસરે જીવનમાં,ને જલાસાંઇ ભજાય
આનંદની વર્ષા થતાં દેહ પર,જીવ પર કૃપા વર્ષી જાય
.                    ……………અંતરમાં ખુબજ આનંદ થાય.

=================================

September 13th 2011

ગઈકાલ

.                 ..ગઈકાલ..

તાઃ૧૩/૯/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલની અજબલીલા સમજતાં,ઉજ્વળ થાયછે આજ
ગઈકાલની વિદાયને ભુલતાં,આવીને  ઉમંગ આપી જાય
.                   …………આજકાલની અજબલીલા સમજતાં.
કામકાજની ભઈ કામણ લીલા,વર્તનથી જ ઉભરાઇ જાય
પરોપકારની પાવન કેડી લેતા,માનવી પણ હરખાઇ જાય
ડગલુ ભરતાં એક વિચારીએ,ત્યાંજ બીજુ સમજાઇ જ જાય
સંભાળીલેતાં વર્તન આજનું,ભઈ આવતીકાલ સુધરીજાય
.                    …………આજકાલની અજબલીલા સમજતાં.
વાણી નીકળે જીભથી જ્યાંરે,ત્યારે વિચાર પણ મળી જાય
ના આફત આવે દોડી ઘેર,ને માનવતાય સચવાઇજ જાય
મળે પ્રેમ સંબંધીઓને જગતમાં,ને જીવન સરળ થઈ જાય
કુદરતની આ લીલા ન્યારી,સાર્થક જીવનને એ છે કરનારી
.                     ………….આજકાલની અજબલીલા સમજતાં.
વિચાર વર્તનનો સંગાથ પણ મળે,જ્યાં શુધ્ધ ભાવના હોય
દુઃખનીદુનીયા દુરભાગે,ને જીવનમાં નિર્મળસુખ મળી જાય
મારું તારું બંધન છે અવનીનું,સાચી ભક્તિએ ભાગીજ જાય
સાચા સંતની સેવાનિરાળી,પાવનકર્મ ડગલેપગલે થઈજાય
.                     ………….આજકાલની અજબલીલા સમજતાં.

========================================

September 12th 2011

રામદુત હનુમાન

.

.

.

.

.

.

.

.                                       રામદુત હનુમાન

તાઃ૧૨/૯/૨૦૧૧                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો સહવાસ લઈ બોલતા,રામદુત રાજી થાય
આવી ઉભાછે રામકથાએ પ્રેમે,ના દેહ કોઇ બદલાય
.                   ………..ભક્તિનો સહવાસ લઈ બોલતા.
સંતની સાચી ભાવનાને  જોતાં,પ્રભુ દ્રષ્ટિ થઇ જાય
દુત આવતા અણસાર મળે,આજે કથા પાવન થાય
શબ્દસ્પર્શ મળે ભક્તોને,આવી બેઠાએ સંતની પાસ
ઉજ્વળ જીવન મળે શ્રધ્ધાએ,જે કથાએ દોરણ થાય
.                   ………..ભક્તિનો સહવાસ લઈ બોલતા.
રામ કથાએ માર્ગ સુચક છે,જે પાવન કર્મ દોરી જાય
મૃત્યુનીનાકોઇ ચિંતા જીવને,જ્યાં રામદુત મળી જાય
આશીર્વાદની એક જ ટપલી,ભવસાગર તરાવી જાય
ધન્ય અવસર મળ્યો જીવને,જે આકથાએ મળી જાય
.                   …………ભક્તિનો સહવાસ લઈ બોલતા.

******************************************

« Previous PageNext Page »