October 5th 2012

સ્નેહાળ પ્રેમ

.                      .સ્નેહાળ પ્રેમ

તાઃ૫/૧૦/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતાં પ્રેમ માબાપનો,સંતાનને હૈયે આનંદ થાય
સ્નેહની મળતીસાંકળ,જીવનમાં શાંન્તિ આપીજાય
.                           ………………..મળતાં પ્રેમ માબાપનો.
નિર્મળતાની પ્રીત નિરાળી,માતાના પ્રેમે મળી જાય
બાળકની  કેડીને જોતાં,હૈયામાં ટાઠક એ આપી જાય
સરળતાની સ્નેહાળ સાંકળ,જીવનેરાહ બતાવી જાય
મમતાની એકલહેરથી,સંતાનનુંજીવન ઉજ્વળ થાય
.                           ………………….મળતાં પ્રેમ માબાપનો.
પિતાના પ્રેમનીજ્યોતે જીવનના,સોપાન સરળ થાય
મહેનતના સંગાથી બનતા,સિધ્ધીઓજ મળતી જાય
કર્મનીકેડી સરળ બને,જ્યાં પિતાનાપ્રેમની વર્ષાથાય
અંતરમાં આનંદ માબાપને,સ્નેહાળજીવન આપીજાય
.                           …………………..મળતાં પ્રેમ માબાપનો.

+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+

October 4th 2012

મળેલ ટકોર

.                   મળેલ ટકોર

તાઃ૪/૧૦/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઝરમર ઝરમર સ્નેહ વરસતા,જીવને એ શાંન્તિ આપી જાય
ઉજ્વળ જીવનમાં રાહમળે,જ્યાં મળેલ ટકોર સમજાઇ જાય
.                     ………………….ઝરમર ઝરમર સ્નેહ વરસતા.
મળતાં માનવદેહ અવનીએ,જીવને કર્મના બંધન સમજાય
મળે સ્નેહપ્રેમની હેલીજીવને,જ્યાંસાચી નિર્મળતા વહેંચાય
લાગણી મનને સ્પર્શી લેતાં,જીવનમાં કર્મપાવન થઈ જાય
આદરમાનને મનથી કરતાં,જીવનમાંરાહ સાચી મળી જાય
.                    …………………..ઝરમર ઝરમર સ્નેહ વરસતા.
ભક્તિભાવની અનોખીકેડી,જલાસાંઇની ભક્તિએ મેળવાય
કર્મનીકેડી શીતળ બને જ્યાં,જીવને અનંતશાંન્તિમળીજાય
માગે નામળતી માયા જીવને,મળેલ એક ટકોરથી સમજાય
આવીઆંગણે પ્રેમમળે,જ્યાં જીવને નિર્મળસ્નેહ સ્પર્શી જાય
.                  ……………………ઝરમર ઝરમર સ્નેહ વરસતા.

===========================================

October 4th 2012

શુભેચ્છાનો સંગ

.                 .શુભેચ્છાનો સંગ

તાઃ૪/૧૦/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરતા કામ જીવનમાં મનથી,સફળતા મળતી જાય
આશીર્વાદ સંગે રહેતા,ધણી શુભેચ્છાઓ મળી જાય
.                     …………………કરતા કામ જીવનમાં મનથી.
આજકાલને સમજી ચાલતાં,ના માનવીમન લબદાય
મનથીકરતાં મહેનત જીવનમાં,સાચીરાહ આપી જાય
સંબંધનો સંગાથ અવનીએ,જીવને કર્મ બંધને બંધાય
વાણીવર્તનપકડીચાલતાં,સૌની શુભેચ્છાઓમેળવાય
.                    …………………..કરતા કામ જીવનમાં મનથી.
લાગણી મોહના વાદળ એવા,માનવ જીવનને જકડાય
અપેક્ષાનેઆધી મુકતાજીવને,સાચી સફળતા મળી જાય
દેહને મળતાં પ્રેમઅંતરનો,આવતાઉમરાઓ આંબી જાય
સફળતાનોસાથમળે જીવનમાં,સાચાઆશિર્વાદમળીજાય
.                        ………………….કરતા કામ જીવનમાં મનથી.

+++++++++++++++++++++++++++++++++++++++

 

October 3rd 2012

લાંબી લાકડી

                   લાંબી લાકડી

તાઃ૩/૧૦/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેમ છો કહેતા જીભલડી અટકે,ત્યાં દેહથી દુર ભગાય
સમજ આવતા કર્મની જીવને,આફતથી છટકી જવાય
                     ………………કેમ છો કહેતા જીભલડી અટકે.
માયાથી મળતી લાગણીએ,માનવીમન ભટકતુ થાય
સમજની નાની દોર પકડાતાંજ,જીવનમાં રાહત થાય
શ્રધ્ધા રાખી સંગ મેળવતા,પ્રભુનીકૃપા થોડી થઈ જાય
છટકી ચાલવા જતાં દેહને,બરડે લાંબી લાકડી પડીજાય
                     ……………….કેમ છો કહેતા જીભલડી અટકે.
દુરથી વાણી કડવીલાગે,જ્યાં સીધા શબ્દને ના સમજાય
નજીક આવી સાંભળી લેતા,જીવે દુઃખ અનંત પણ થાય
મળે કુદરતનોકોપ જીવને,જીવનમાં અંધકાર આવી જાય
પડતા લાકડી કુદરતની,મળેલ આજીવન વ્યર્થ થઈ જાય
                       ……………..કેમ છો કહેતા જીભલડી અટકે.

========================================

October 2nd 2012

જન્મદીન મહાત્મા ગાંધીનો

.

.

.

.

.

.

.

.

.

            જન્મદીન મહાત્મા ગાંધીનો

તાઃ૨/૧૦/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરવો આ ગુજરાતી જેણે જગમાં દીધી જાણ
.         હિંમત રાખી હૈયે તેમણે,અંગ્રેજોને દીધી હાર
.                      એવા એ ગુજરાતી,જેને ગાંધીજી કહેવાય.
સાબરમતી ના એ સંત થયા,ને ભારતની આઝાદી ઢાલ
પ્રેમ નિખાલસ મેળવીજીવતા,મળી ગયો ત્યાંસૌનોસાથ
મળેલ જન્મને સાર્થક કરતાં,જગે ગાંધી જયંતી ઉજવાય
વતનપ્રેમનો સંગરાખતાં,જગતમાંગુજરાતીઓ હરખાય
.            …………….એવા એ ગુજરાતી,જેને ગાંધીજી કહેવાય.
સત્તાધારી સરકારને ભારતમાં,દીધો ગુજરાતીએ પડકાર
સહન કરીને સાથ મેળવતા સંગીનો,ખોલ્યા આઝાદી દ્વાર
રામનામની પવિત્ર કેડીએ જીવીને,ઉજ્વળકીધો અવતાર
એવા મહાત્માઅગાંધીનો આજે,વિશ્વમાં જન્મદીન ઉજવાય
.            ……………..એવા એ ગુજરાતી,જેને ગાંધીજી કહેવાય.

*************************************************

October 2nd 2012

સ્નેહ કે સંગાથ

.                  .સ્નેહ કે સંગાથ

તાઃ૨/૧૦/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો આવ્યો કહેતો જાય,તોય સંબંધથીએ છટકતો જાય
પળપળ દુર રહેતો જાય,અને સમયનેય લાંબો કરતો જાય
એવો આ કળીયુગનો સંગાથ,છેલ્લે પતિપત્નીને છોડીજાય
.                       ……………………..એવો આ કળીયુગનો સંગાથ.
પકડે લાકડી હાથમાં ચાલે,તોય અભિમાનને એ અથડાય
નાની નાની વાતો સાંભળીને,લાંબી લાંબી એ કરતો જાય
એકડો આવે જીભ પર જ્યાં,ત્યાંતો દસનેએ બબડતો જાય
દરીયા જેવડી  ડૉલ શોધવાને,નદી કિનારે એ ફરતો જાય
.                      ……………………..એવો આ કળીયુગનો સંગાથ.
અંગને જકડીને કપડાં ચાલે,ને પટ્ટાએ  પેટને પકડી જાય
સહયાત્રીનોસંગમેળવવા,અંતે હોઠે લીપસ્ટીક લાગીજાય
દ્રષ્ટિની જ્યાં તકલીફ પડે,ત્યાંજ સંબંધ સ્પર્શથી અથડાય
કુદરતની આ અદભુત છે કેડી,સાચી ભક્તિએજ સમજાય
.                      ……………………..એવો આ કળીયુગનો સંગાથ.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

October 2nd 2012

નિર્મળપ્રેમ

.                          નિર્મળપ્રેમ

તાઃ૨/૧૦/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

વરસે નિર્મળ પ્રેમની વર્ષા,જીવને સુખ શાંન્તિ મળી જાય
પવિત્ર ભાવના મનમાં રાખતાં,મળેલ જીવન મહેંકી જાય
.                         ………………….વરસે નિર્મળ પ્રેમની વર્ષા.
આધી વ્યાધી તો આવે દોડી,અવનીએ કોઇથીય છટકાય
સરળ ભાવનાએ સહન કરતાં,જીવે માનવતા મહેંકી જાય
કર્મબંધન એ જીવની કેડી,જગતમાં ભક્તિ એજ સચવાય
મનવચન ને વાણીવર્તન,એ પ્રભુકૃપાએ નિર્મળ થઈજાય
.                        ……………………વરસે નિર્મળ પ્રેમની વર્ષા.
ના અંતરમાં અભિલાષા કોઇ,કે ના કોઇ જાતનોછે  સ્વાર્થ
નિર્મળ જીવન  જીવવા કાજે,સંત જલાસાંઇનો મળે સાથ
મળે પ્રેમ માબાપનો જીવને,જ્યાં  સંતાનથી સ્નેહે વંદાય
આશીર્વાદ છે ઉજ્વળકેડી,જીવને નિર્મળપ્રેમ આપી જાય
.                       …………………….વરસે નિર્મળ પ્રેમની વર્ષા.

#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+

October 1st 2012

ભક્તિ ભાવના

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                       .ભક્તિ ભાવના

તાઃ૧/૧૦/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજન કરતાં ભક્તિ ભાવથી,જીવનો મોક્ષમાર્ગ ખુલી જાય
પરકૃપાળુ સંત જલાસાંઇની,જીવ પર કૃપા દ્રષ્ટિ થઈ જાય
.                         ………………….ભજન કરતાં ભક્તિ ભાવથી.
કરતાં મનથી માળા જલાની,સાચી રાહ જીવને મળી જાય
સાંઇ સાંઇના સ્મરણ માત્રથી,બાબાનો પ્રેમ પણ મળી જાય
કળીયુગની કેડીને છોડવા,જીવનમાં મોહ માયા દુર રખાય
મળે શાંન્તિ જીવનેત્યારે,જ્યારે ભક્તિસ્નેહ સરળ થઈ જાય
.                       ……………………ભજન કરતાં ભક્તિ ભાવથી.
મળતાં માનવદેહ અવનીએ,જીવના કર્મની કેડી શરૂ થાય
સદકર્મને સાચવી લેતાં,જીવનમાં વ્યાધી નાકોઇ અથડાય
મળે જલાસાંઇની જ્યોત જીવને,એદેહનું કલ્યાણ કરી જાય
સુખશાંન્તિના વાદળ મળતાં,ઉજ્વળ આ જીવન થઈ જાય
.                       ……………………ભજન કરતાં ભક્તિ ભાવથી.

****************************************************

« Previous Page