December 17th 2020

. .શ્રધ્ધાનો સાગર
તાઃ૧૭/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ થાય
અવનીપરનુ આગમન અને વિદાય,એ જીવનમાં કરેલ કર્મથીજ મેળવાય
....પવિત્રરાહને પામવા મળેલદેહથી,શ્રધ્ધાના સાગરમાં નિર્મળ ભક્તિથી રહેવાય.
કુદરતની પાવનલીલા દેહને મળે,જ્યાં રામનામના સ્મરણથીજ સમજાય
અજબ શક્તિશાળી હનુમાનજી,સીતારામના જીવનમાં પાવનરાહે જાય
પવનપુત્રને માતા અંજનીની કૃપા મળી,એ પ્રભુરામને મદદ કરતા જાય
નિર્મળરાહે ભક્તિકરતા મળેલદેહ પર,પરમાત્માની પાવનકૃપા થઈ જાય
....પવિત્રરાહને પામવા મળેલદેહથી,શ્રધ્ધાના સાગરમાં નિર્મળ ભક્તિથી રહેવાય..
માનવતાની મહેંક પ્રસરે જગતપર,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી વહન કરાય
નાઆફત કે નાકોઇ તકલીફ અડે દેહને,જ્યાં પવિત્રભક્તિના બંધન થાય
પવિત્ર ભાવનાથી જીવનમાં ભક્તિકરતા,સુખસાગરમાં જીવન ચાલતુ જાય
દેહના સંબંધછુટે જીવને,જે ભુતકાળને ભુલાય ના આવતીકાલને મેળવાય
....પવિત્રરાહને પામવા મળેલદેહથી,શ્રધ્ધાના સાગરમાં નિર્મળ ભક્તિથી રહેવાય.
************************************************************
No comments yet.