February 15th 2021

. ભોળા ભંડારી
તાઃ૧૫/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હર હર ભોલે મહાદેવથી ભજન કરતા,ભોલેનાથની કૃપા મળી જાય
પવિત્રકૃપા શંકર ભગવાનની મળે,જગતમા અનેકનામથી ઓળખાય
.....એ પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
ભોળા ભંડારી કહેવાય ભગવાનને,જે ભક્તોને અનેકકૃપાથી સમજાય
ૐ નમઃ શિવાય સંગે દુધ અર્ચનાકરી,શિવલીંગને ધુપદીપથી પુંજાય
પવિત્રદેહ પરમાત્મા એ લીધો,જે સંગે માતાપાર્વતીના પતિ કહેવાય
અવનીપરના આગમનથી પાવનકર્મ થાય,જે ભક્તિમાર્ગ બતાવીજાય
.....એ પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
હિંદુ ધર્મને ઉજવળ કરવા ભગવાનની કૃપા,જે અનેકદેહથી મેળવાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા કૃપામળે,એ મળેલદેહને પવિત્રકરી જાય
પરમાત્માના કુળને આગળ લઇજવા,દીકરા ગણેશ કાર્તિક જન્મી જાય
સંગે અશોકસુંદરી એ દીકરી જન્મી જાય,જે ભોલેનાથના સંતાનકહેવાય
.....એ પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે પવિત્રગંગા નદીને વહાવી જાય.
************************************************************
,
February 15th 2021

. .લીલા કુદરતની
તાઃ૧૫/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા કુદરતની અવનીપર,જે અનેક પાવનકર્મ કરાવી જાય
મળેલ માનવદેહને સત્કર્મનો સંગાથ મળે,જે પવિત્રરાહ આપી જાય
.....એજ પવિત્ર લીલા કુદરતની જીવપર,જે પવિત્રદેહને પાવનકર્મ કરાવી જાય.
પવિત્રકૃપા કુદરતની ભારતદેશપર,જે મળેલ દેહથી જગતમાં ઓળખાય
પરમાત્માએ અનેક દેહ લઈ પવિત્રભુમી કરી,જેને જગતમાં વંદન થાય
હિંદુધર્મમાં પવિત્રરાહ બતાવી,જે મળેલદેહના જીવને મુક્તિઆપી જાય
જીવને મળેલદેહને પાવનરાહ આપી,જે શ્રધ્ધાભક્તિથી પુંજન કરી જાય
.....એજ પવિત્ર લીલા કુદરતની જીવપર,જે પવિત્રદેહને પાવનકર્મ કરાવી જાય.
પરમાત્માએ લીધેલદેહથી માનવીને,જીવનમાં પવિત્રકર્મની રાહ મળીજાય
કુદરતની અદભુતલીલા અવનીપર,જે અબજો વર્ષોથી ધરતીપર મેળવાય
પવિત્રકર્મમાં નાકોઇ આફતઅપેક્ષા અડી જાય,જે દેહના કર્મથીજ દેખાય
જગતમાં ના કોઈ આંબી શકે કર્મને,એજ કુદરતની પાવનકૃપાજ કહેવાય
.....એજ પવિત્ર લીલા કુદરતની જીવપર,જે પવિત્રદેહને પાવનકર્મ કરાવી જાય.
**************************************************************