March 12th 2021

. .અદભુત્ પ્રેમ
તાઃ૧૨/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સંબંધ સત્કર્મનો,જીવનમા એ અનુભવ આપી જાય
પરમાત્માની પાવનકૃપા જગતમાં,મળેલ દેહને અદભુતપ્રેમ આપી જાય
....માનવદેહને પવિત્રપ્રેમ મળે,એ દેહને ના આશા ના અભિમાન અડી જાય.
જીવના દેહને કર્મનો સંબંધ છે,જે ગતજન્મે થયેલ કર્મથીજ મળતો જાય
દેહને રાહ મળે જીવનમાં,એ કળીયુગ સતયુગથી દેહને સ્પર્શ કરી જાય
પાવનપ્રેમ મળે પરમાત્માની કૃપાએ,જે સમયસંગે ચાલતા સમજાઈ જાય
શ્રધ્ધાભાવનાથી જીવન જીવતા,નિખાલસતાથી અદભુત પ્રેમની કૃપા થાય
....માનવદેહને પવિત્રપ્રેમ મળે,એ દેહને ના આશા ના અભિમાન અડી જાય.
પરમાત્માએ પવિત્રદેહ લીધા ભારતમાં,જે ભગવાનના નામથીજ ઓળખાય
માનવજીવન જીવી ગયા એ દેહથી,એ માનવદેહને પવિત્રરાહ આપી જાય
કુદરતની પાવનલીલા ભારતદેશથી મેળવાય,હિંદુધર્મને એ પવિત્ર કરી જાય
પ્રભુના દેહના નામથી માળા જપતા,દેહને તનમનધનથી શાંંતિ મળી જાય
....માનવદેહને પવિત્રપ્રેમ મળે,એ દેહને ના આશા ના અભિમાન અડી જાય.
#############################################################
March 12th 2021
####
####
. .કૃષ્ણ કનૈયા
તાઃ૧૨/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગોવિંદબોલો સંગે ગોપાલબોલો,દ્વારકામાં એ કૃષ્ણ કનૈયાથી ઓળખાય
પવિત્ર વ્હાલાસંતાન માતા યશોદાના,જગતમાંએ ભગવાન કૃષ્ણ કહેવાય
....પરમકૃપા મળે પરમાત્માએ લીધેલ દેહની,જે વાંસળી વગાડી કૃપા કરી જાય.
યશોદા માતાના લાડલા દીકરા,ભારતમાં એ દ્વારકાધીશથીય ઓળખાય
પવિત્રપ્રેમથી વાંસળી વગાડતા,સંગે પરમપ્રેમથી પાવનરાહ આપી જાય
પરમપ્રેમથી ભક્તો કહે મિત્ર રાધા સંગે,રાધેકૃષ્ણ રાધેકૃષ્ણ બોલી જાય
જીવનમાં પવિત્રપ્રેમ મળ્યો પત્નિ રૂક્ષ્મણીનો,નાઆફત કોઇ અડી જાય
....પરમકૃપા મળે પરમાત્માએ લીધેલ દેહની,જે વાંસળી વગાડી કૃપા કરી જાય.
પવિત્રજીવને દેહ મળે અવનીપર,એ ભારતમાં ભગવાનથીજ ઓળખાય
દ્વારકામાં માતા યશોદાને પાવનકર્મ આપવા,સંતાનથી એ આવી જાય
રાધાબેનનો સંગાથ મળ્યો જીવનમાં,સંગે અનંત બહેનોનો પ્રેમ મેળવાય
ભારતનીધરતીને પવિત્રકરી પરમાત્માએ,જે અનેકદેહથી દર્શન આપીજાય
....પરમકૃપા મળે પરમાત્માએ લીધેલ દેહની,જે વાંસળી વગાડી કૃપા કરી જાય.
################################################################