March 21st 2021

. .પવિત્ર ભાવના
તાઃ૨૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા,હિંદુ ધર્મમાં પવિત્ર કૃપા મળી જાય
પરમાત્માની કૃપા થાય મળેલદેહ પર,જે જીવને શાંંતિ આપી જાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,વ્હાલા દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
મળેલ માનવદેહને સંબંધ છે ધર્મનો,જે શ્રધ્ધાની ભક્તિથી મેળવાય
હિંદુધર્મ પવિત્રછે ભારતમાં,જ્યાં અનેકદેહથી પરમાત્મા આવી જાય
ભારતની ધરતીને પવિત્ર કરી,જ્યાં ભક્તિની પવિત્રરાહ મળી જાય
પાવનકર્મની રાહ મળે દેહને,જે જીવને જન્મમરણથી સમજાઈ જાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,વ્હાલા દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
માતાના દેહથી ભારતમાં જન્મ્યા,જે કૃપાળુ માતા દુર્ગાથી ઓળખાય
અવનીપર આવ્યા સંગે બીજા નવદેહથી,તેમને નવદુર્ગામાતા કહેવાય
હિંદુ ધર્મમાં નવરાત્રીના તહેવારે,માતા નવ સ્વરૂપની કૃપા મેળવાય
નવદીવસ ગરબે રમતા માતાને,વંદન કરતા ભક્તોને કૃપા મળીજાય
....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,વ્હાલા દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
*************************************************************
No comments yet.