March 30th 2021

. .પરમકૃપાળુ પ્રેમ
તાઃ૩૦/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાંકળ એ સંબંધદેહનો,જે જીવનમાં અનેકરાહે મેળવાય
પવિત્રપ્રેમ એ નિખાલસ ભાવનાથી મળે,ના મોહમાયા અડી જાય
.....એ પરમકૃપાળુ પ્રેમ પ્રભુની પ્રેરણાથી,માનવદેહને સમયે મળી જાય.
મળેલ માનવદેહને સમયસંગે ચાલવા,સવારસાંજને સમજીને ચલાય
કુદરતની પવિત્રકૃપા મળેલદેહ પર,જે જીવનાદેહને કર્મકરાવી જાય
પરમકૃપાળુ પરમાત્માનો પ્રેમછે,જે શ્રધ્ધાથી પુંજા કરનારને સમજાય
પવિત્રદેહથી ભારતમાં પધાર્યા,એ પરમાત્માની પાવનકૃપાથી દેખાય
.....એ પરમકૃપાળુ પ્રેમ પ્રભુની પ્રેરણાથી,માનવદેહને સમયે મળી જાય.
જન્મ મળેલ દેહને સમયસંગે,બાળપણ,જુવાની,ઘડપણ મળતુ જાય
કર્મ એજ જીવના દેહને સ્પર્શે,જે અવનીપર જન્મમ્રરણ આપી જાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,સમયે કોઇ તકલીફ નાથાય
શાંંતિની કૃપા થાય મળેલદેહને,જ્યાં વડીલોના આશિર્વાદ મળીજાય
.....એ પરમકૃપાળુ પ્રેમ પ્રભુની પ્રેરણાથી,માનવદેહને સમયે મળી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
No comments yet.