August 15th 2021
**
**
. .દેહપર કૃપા પ્રભુની
તાઃ૧૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અનેકદેહથી મુક્તિ મળીજાય,જે સમયની સાથે ચાલતા દેખાય
માનવદેહથી આગમનમળે જીવને,એ ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રકર્મની રાહથી અનુભવાય.
જીવનમાં સત્કર્મની રાહમળે મળેલદેહને,જ્યાંશ્રધ્ધાથી પ્રભુનીપુંજા થાય
પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,કૃપાએ પવિત્રરાહ જીવનેમળી જાય
સમયને સમજીને ચાલતા જીવનમાં,પ્રભુની પાવનકૃપા દેહને મળીજાય
મળેલ દેહને નાકોઇ અપેક્ષા અડે,જે જીવનમાં પવિત્રકૃપા આપી જાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રકર્મની રાહથી અનુભવાય.
પવિત્રનિખાલસપ્રેમ મળે જીવનમાં,જ્યાં પવિત્રપ્રેમાળ સંબંધી મળીજાય
સરળજીવનની રાહ મળે મળેલ દેહને,જે પ્રભુકૃપાએ જીવનમાં મેળવાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે મળેલદેહનેજ અનેકરાહે દેખાય
અવનીપરનુ આગમનવિદાય એ કુદરતની કૃપા,જે ભક્તિથી છુટી જાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રકર્મની રાહથી અનુભવાય.
=============================================================
No comments yet.