August 19th 2021
+++
+++
. .પ્રભુના પ્રેમની સાંકળ
તાઃ૧૯/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ લીલા જગતપર,જે જીવને માનવદેહ મળતાજ અનુભવ થાય
માનવદેહ મળતા અવનીપર સમયની સમજ,જે દેહને સમય મળતા દેખાય
.....પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં સંતજલારામ આંગળી ચીંધી જાય.
ભારતમાં પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા,જે ભારતદેશને પવિત્રકરી જાય
માનવદેહને આંગળી ચીંધી પવિત્ર ભક્તિની,જે મળેલદેહને શ્રધ્ધાથી સમજાય
પવિત્રદેહથીજ જન્મ લીધો વિરપુરમાં,જેમને હિંદુધર્મમાં સંત જલારામ કહેવાય
પવિત્રકૃપા મળી પરમાત્માની જીવનમાં,જે ભુખ્યાદેહને ભોજન ખવડાવી જાય
.....પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં સંતજલારામ આંગળી ચીંધી જાય.
પ્રભુની કૃપા મળે જીવનમાં માનવદેહને,જે શ્રધ્ધા ભક્તિથી પુંજાએ પ્રેરી જાય
સંત જલારામની પવિત્રરાહ જીવનમાં,એ મળેલદેહને પવિત્રકર્મથી મળતીજાય
જીવને મળેલ માનવદેહને સમયે જીવનમાં,નાકોઇ આશા કે અપેક્ષાય રખાય
નિખાલસ ભાવનાથી પરમાત્માએ,ચીંધેલ આંગળીએ જીવતા સુખ મળી જાય
.....પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં સંતજલારામ આંગળી ચીંધી જાય.
================================================================
No comments yet.