September 5th 2021
++
++
. .કૃપામળે માતાની
તાઃ૫/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રાવણમાસના પવિત્ર દીવસોમાં,પુંજાએ શંકરભગવાનની કૃપા મેળવાય
સંગે માતા પાર્વતીના આશિર્વાદ મળીજાય,જે પવિત્રજીવન આપી જાય
....એજ પવિત્રકૃપા ભગવાનની મળે,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને પુંજા કરાય.
પવિત્ર પાર્વતીમાતાની કૃપામળે,સંગે વ્હાલાગણેશના આશિર્વાદ મેળવાય
મળેલ માનવદેહ પર પ્રભુની કૃપા થાય,જ્યાં શ્રાવણ માસમાં વંદન કરાય
પરમકૃપાળુ વ્હાલા શંકર ભગવાન છે,જેમને ૐનમઃશિવાયથી પુંજન થાય
વ્હાલા પાર્વતીમાતાની કૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીનેજ માતાની પુંજા થાય
....એજ પવિત્રકૃપા ભગવાનની મળે,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને પુંજા કરાય.
માનવદેહ કૃપાએ પાવનરાહ મળે જીવનમાં,નાકોઇ આશા અપેક્ષા રખાય
પવિત્રદેહ લીધા ભારતમાં,જે હિંદુધર્મ પર પરમાત્માની પાવનકૃપા કહેવાય
જન્મમરણ એસંબંધ જીવનો અવનીપર,જે ગતજન્મના કર્મથી મળતો જાય
નાકોઇથી છટકાય કેદુરરહેવાય,પણ ભગવાનના આશિર્વાદથી બચી જવાય
....એજ પવિત્રકૃપા ભગવાનની મળે,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને પુંજા કરાય.
**************************************************************
No comments yet.