September 12th 2021
**
**
. .પવિત્ર નિખાલસપ્રેમ
તાઃ૧૨/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમપ્રેમીઓને માતાની કૃપાએ,હ્યુસ્ટનમાં નિખાલસ પ્રેમથી પ્રેરણા થાય
મળેલ માનવદેહને કલમની પવિત્ર રાહ મળે,જે થયેલ રચનાથી સમજાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,એ મળેલદેહનો જન્મપવિત્ર કરી જાય.
કલમની પાવનરાહ મળે માતા સરસ્વતીની કૃપાએ,જે પવિત્રપ્રેમ મેળવાય
સમયની સાથે ચાલતા જીવનમાં,કલમ પ્રેમીઓના પ્રેમથી સમયને સમજાય
શ્રધ્ધારાખી પરમાત્માની ભક્તિકરતા,જીવનમાં નાઆશા ના અપેક્ષા રખાય
પવિત્રજીવનનીરાહ મળે માનવદેહને,જે મળેલદેહના જીવને સુખઆપી જાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,એ મળેલદેહનો જન્મપવિત્ર કરી જાય.
કુદરતની પવિત્રલીલા અવનીપર,જે જીવનેસમયે માનવદેહથીજન્મ મળી જાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળે,ના કોઇ દેહથી કદી છટકાય
પાવનરાહે જીવન જીવવા કૃપા થાય,જે સત્કર્મની પવિત્ર જ્યોત પ્રગટાવ જાય
પવિત્રપ્રેમ કલમપ્રેમીઓનો મળે રચનાઓથી,જે માતાની પાવનકૃપાજ કહેવાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,એ મળેલદેહનો જન્મપવિત્ર કરી જાય.
================================================================
No comments yet.