February 19th 2022
. .નિખાલસ મળે
તાઃ૧૯/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પ્રભુની કૃપાએ,જીવનમાં નિખાલસપ્રેમ મળી જાય
શ્રધ્ધા રાખીને પરમાત્માની ભક્તિ કરતા,જીવનમાં સુખ આવી જાય
.....એજ ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહને નાઅપેક્ષા અડી જાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહએ પ્રભુનીકૃપા કહેવાય
પરમાત્માની પાવનકૅપાએ સમયનો સાથમળે,જે પાવનકર્મ કરાવીજાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવને આવનજાવન આપી જાય
જીવને નિરાધારદેહથી બચાવી,પ્રભુકૃપા માનવદેહથી જન્મ આપી જાય
.....એજ ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહને નાઅપેક્ષા અડી જાય.
સરળજીવનની કૃપામળે પ્રભુનાઆશિર્વાદથી,જે નિખાલસપ્રેમથી મેળવાય
મળેલ જીવનમાં નિખાલસ રાહ મળે,એ જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
અદભુતલીલા અવનીપર જે જીવને મળેલદેહને,શ્ર્ધ્ધાએ સત્કર્મ કરાવીજાય
મોહમાયા અને લાગણી માગણીને દુર રાખી,પ્રભુનીકૃપાએ જીવન જીવાય
.....એજ ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહને નાઅપેક્ષા અડી જાય.
===============================================================