February 21st 2022

. .જાનબાઈ ખોડીયારમાતા
તાઃ૨૧/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બોટાડ તાલુકાના રોહિશાળા ગામમાં,માતા ખોડીયારનો જન્મ કહેવાય
પિતા મોમડીયા અને માતા દેવળબા,એ પવિત્રકુળને આગળ લઈ જાય
....વ્હાલી દીકરી જાનબાઈ હતી પરિવારમાં,એ સમયે માતાખોડીયારથી ઓળખાય.
પવિત્રપરિવારને આગળ લઇ જવા,માતા મગરની ઉપર સવારી કરીજાય
પાણીથી બહાર આવતા ખોડાઇ ગયા,જે ભવિષ્યમાં ખોડીયાર કહેવાય
અદભુત શક્તિશાળી એ પુત્રીજ થયા,એ ચારણકુળને આગળ લઇ જાય
પવિત્રકૃપામળી પ્રભુની પરિવારને,જે હિંદુધર્મમાં પવિત્રરાહેદેહને પ્રેરીજાય
....વ્હાલી દીકરી જાનબાઈ હતી પરિવારમાં,એ સમયે માતાખોડીયારથી ઓળખાય.
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશ પર છે,જે અવનીપર પવિત્ર દેશ કહેવાય
પવિત્ર દેવ અને દેવીઓથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુનીકૃપા થાય
શ્રધ્ધારાખીને પરમાત્માના દેહને વંદનકરતા,દેહના જીવનેમુક્તિમળીજાય
એ પાવનકૃપા ભગવાનની જગતપર,જે મળેલદેહને પવિત્રકર્મકરાવીજાય
....વ્હાલી દીકરી જાનબાઈ હતી પરિવારમાં,એ સમયે માતાખોડીયારથી ઓળખાય.
###################################################################
No comments yet.