July 19th 2022
***
***
પવિત્ર પ્રેરણા મળી
તાઃ૧૯/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો જીવનમાં પવિત્ર ભક્તોનો,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
સમયનીસાથે ચાલતા ભગવાનની પાવનકૃપા,મળેલદેહને પાવનરાહે લઈ જાય
....એ પરમાત્માની પાવનકૃપા મળી હ્યુસ્ટનમાં,જે શ્રી સ્વામીનારાયણની પુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપાએ મંદીરમાં આરતી કરાય,સંગે શ્રધ્ધાથી ભજન ગવાય
પવિત્રપ્રેમાળ ભક્તોનો સંગાથ મળીજાય,જે સમયસર ભગવાનને વંદન કરાય
વડતાલના પવિત્રધામથી સ્વામીનારાયણના,આચાર્યના આશિર્વાદ મળી જાય
એ ભક્તોની સાચી શ્રધ્ધાળુ ભક્તિથી,પવિત્ર મંદીરની રચના સમયે થઈ જાય
....એ પરમાત્માની પાવનકૃપા મળી હ્યુસ્ટનમાં,જે શ્રી સ્વામીનારાયણની પુંજા કરાય.
સમયની સાથે ભક્તિ કરવા પ્રેરણા મળી,જે વડતાલધામનુ મંદીર કરાઈ જાય
પવિત્રસંતો ભગવાનની પુંજા કરવા સમયેઆવી જાય,જે પવિત્ર મંદીર કહેવાય
લાગણીમોહને દુર રાખીને આવતા,વડતાલના આચાર્યના આશિર્વાદ મળીજાય
જીવને મળેલદેહ પર ભગવાનની પવિત્રકૃપાએ,જીવને અંતે મુક્તિની કૃપા થાય
....એ પરમાત્માની પાવનકૃપા મળી હ્યુસ્ટનમાં,જે શ્રી સ્વામીનારાયણની પુંજા કરાય.
###################################################################
No comments yet.