March 20th 2017

. .સુર્યાસ્ત
તાઃ૨૦/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ અવિનાશી પરમાત્માની કૃપા,સુર્યનારાયણથી દેખાય
સુર્યોદયથી મળે જગતમાંપ્રભાત,સુર્યાસ્તે જીવો જગેસુઈ જાય
.......પરમાત્માની પાવનલીલા,જીવોને નિર્મળરાહ બતાવી જાય.
જન્મમરણના બંધન ના સ્પર્શે,જગતમાં ઉદય અસ્ત રહી જાય
ધરતીના સંબંધ તો છેકુદરતી,જ્યાં સુર્યદેવની પાવનકૃપા થાય
ભક્તિનો પવિત્રમાર્ગ મળે અવતારને,ત્યાંસવારસાંજ સ્પર્શીજાય
દીવસ રાત્રી એજ કૃપા સુર્યદેવની,જે જીવને અનુભવે સમજાય
.......પરમાત્માની પાવનલીલા,જીવોને નિર્મળરાહ બતાવી જાય.
જગતપિતા સુર્યદેવછે અવનીએ,જે જીવોને જ્યોત આપી જાય
મળેલ દેહની સમજ પડે ત્યાં,જ્યાં સુર્યનારાયણની કૃપા થાય
માનવદેહના બંધન જીવને કર્મના,જે કર્મબંધનથી બાંધી જાય
જીઅની પ્રગટે જ્યોત અવનીએ,જ્યાં નિર્મળભાવનાએ જીવાય
.......પરમાત્માની પાવનલીલા,જીવોને નિર્મળરાહ બતાવી જાય.
===================================================
No comments yet.