July 21st 2017
.
.
. .દેવાધીદેવ મહાદેવ
તાઃ૨૧/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ છે પરમાત્મા અવનીએ,જગતમાં એ શ્રધ્ધાભક્તિએ સમજાય
પાવનરાહ મળે છે જીવને કૃપાએ,એજ દેવાધીદેવ મહાદેવ પણ કહેવાય
....મુક્તિમાર્ગના છે પ્રણેતા,જેમાતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
નિર્મળજીવનની રાહ બતાવે જીવોને,એ જગતમાં ભોલેનાથથી ઓળખાય
ૐ નમઃ શિવાયનુ શ્રધ્ધાએ સ્મરણ કરતા,શક્તિશાળી દેવની કૃપા થાય
પવિત્ર જીવનની રાહ મળે જીવને,જ્યાં દેવાધીદેવ મહાદેવને વંદન કરાય
આવી આંગણે કૃપા કરે મહાદેવ,જીવને ભક્તિની પવિત્ર રાહ મળી જાય
....મુક્તિમાર્ગના છે પ્રણેતા,જેમાતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
શ્રધ્ધાસંગે દુધનીઅર્ચનાકરતા સોમવારે,શંકરભગવાનની પરમકૃપા થઈજાય
જીવને મળેલ પાવન રાહે જીવતા,સમયની ના કોઇજ આફત અડી જાય
મળે માતાપાર્વતીનો પ્રેમ પ્રદીપને,સંગે ગજાનંદ ગણપતિનીકૃપા પણ થાય
ના અપેક્ષા કદી જીવને અડે,જે મળેલકૃપાએ કુળ પણ પાવન કરી જાય
....મુક્તિમાર્ગના છે પ્રણેતા,જેમાતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
=============================================================
No comments yet.