November 3rd 2021
##
##
. .જય મારૂતીનંદન
તાઃ૩/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે હનુમાનને,જેમને મારૂતીનંદન પણ કહેવાય
માતાઅંજનીના લાડલદીકરા થયા,પિતા પવનદેવના પવનપુત્રથીઓળખાય
....અજબ શક્તિશાલી પવિત્રદેહ પ્રભુનો,એ શ્રીરામના લાડલા ભક્તપણ થઈ જાય.
ભગવાને લીધેલદેહ ભારતમાં ભગવાન કહેવાય,જે માનવ દેહપર કૃપા થાય
અનેકદેહથી પરમાત્માએ દેહ લીધા છે,જગતમાં ભારતદેશ પવિત્ર થઈ જાય
પવિત્રભક્ત થયા એ શ્રીરામના જે માતા સીતાને,લંકામાં જઈને શોધી જાય
પવિત્રશક્તિનો ઉપયોગ કર્યો શ્રીરામનેમાટે,જેરાજા રાવણનુ દહન કરી જાય
....અજબ શક્તિશાલી પવિત્રદેહ પ્રભુનો,એ શ્રીરામના લાડલા ભક્તપણ થઈ જાય.
અનેક પવિત્રનામ મળ્યા અંજનીપુત્ર હનુમાનને,એ બજરંગબલી પણ કહેવાય
સંગે એ મારુતીનંદનથીય ઓળખાય,જેમને ભગવાન શ્રીરામનીકૃપા મળીજાય
શ્રીરામના ભાઈ લક્ષ્મણને બચાવવા,પર્વતને લઈ સંજીવનીલાવી બચાવી જાય
પ્રભુનીકૃપાએ હનુમાનના સુર્યપુત્રી સુવર્ચલાથી લગ્નથતા,તેમના પત્નિ કહેવાય
....અજબ શક્તિશાલી પવિત્રદેહ પ્રભુનો,એ શ્રીરામના લાડલા ભક્તપણ થઈ જાય.
#################################################################
No comments yet.