July 12th 2017

કૃપાનીકેડી

...Image result for કૃપા પરમાત્માની...
.            કૃપાની કેડી 
તાઃ૧૨/૭/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં માબાપને અંતરથી વંદન થાય
નિર્મળ આશિર્વાદ મળે સંતાનને જીવનમાં,પવિત્રરાહે જીવન પાવન થાય
.....એજ કૃપા અવિનાશીની જગતપર,જે મળેલ દેહને કૃપાની કેડી આપી જાય.
અનેકદેહનો સંબંધ છે જીવને,જે કર્મનાબંધનથી અવનીપર દેહથી દેખાય
મળેદેહ માનવીનો જીવને અવનીએ,જેજીવને સમજણે સદકર્મ આપી જાય
સદકર્મ એ સ્પર્શે દેહને જીવનમાં,જ્યાં નિર્મળતાએ ભક્તિ માર્ગ મેળવાય
મળે માનવતાની પવિત્રકેડી જીવને,જે જીવના આવનજાવનને સ્પર્શી જાય
.....એજ કૃપા અવિનાશીની જગતપર,જે મળેલ દેહને કૃપાની કેડી આપી જાય.
મળેલ દેહની જ્યોત પ્રગટે,જ્યાં જીવનમાં સંત જલાસાંઇથી રાહને મેળવાય
ભુતકાળ એ ગઈકાલ છે જે ના કોઇથીય,અવની પર એનાથી દુર રહેવાય
આવતીકાલને પકડવા શ્રધ્ધાભક્તિએ,પરમાત્માની કૃપાએ નિર્મળ રાહ લેવાય
પગલે પગલુ એ પવિત્રરાહે ચલાય,જ્યાં જીવનેકદી નાઅભિમાન સ્પર્શી જાય
.....એજ કૃપા અવિનાશીની જગતપર,જે મળેલ દેહને કૃપાની કેડી આપી જાય.
===========================================================
July 6th 2017

કેડી જલારામની

.....Image result for jay jalaram.....
.          .કેડી જલારામની

તાઃ૬/૭/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિરપુર ગામને પવિત્ર કરવા,પવિત્ર જીવ અવનીપર દેહ લઈ જાય
માતા રાજબાઈને પિતા પ્રધાનના,વ્હાલા સંતાન જલારામ કહેવાય
...અનેક જીવોને ભોજન ખવડાવી,પ્રભુકૃપા પામવાની રાહએ આપી જાય.
ના દેખાવની દુનીયા અડી કે નાકોઇ,મોહમાયાની ચાદર અડી જાય
નિર્મળ જીવન ને ભક્તિ ભાવના સંગે,માનવ જીવન એ જીવી જાય
શ્રધ્ધારાખી માનવતા મહેંકાવી,જ્યાં નિરાધારજીવોને ભોજન દઈજાય
પરખ કરવા આવ્યા પરમાત્મા વિરપુરમાં,ઝોળીડંડો દઈ ભાગી જાય
...અનેક જીવોને ભોજન ખવડાવી,પ્રભુકૃપા પામવાની રાહએ આપી જાય.
જલારામના જીવનસંગીની વિરબાઈ,જે પવિત્રરાહે પતિસંગે રહી જાય
મળેલદેહની મહેંક પ્રસરી અવનીએ,જ્યાં અનેક જીવોને ભોજન દેવાય
ઉજવળ જીવની નામાગણી કોઇ પ્રભુથી,મળેલ સંસ્કારથીએ સચવાય
કૃપા પરમાત્માની મળેલ જીવને,જ્યાં અવનીપર થતા કર્મથી સમજાય
...અનેક જીવોને ભોજન ખવડાવી,પ્રભુકૃપા પામવાની રાહએ આપી જાય.
======================================================
 

 

June 17th 2017

બાહુબલી

Image result for હનુમાન
.            .બાહુબલી   

તાઃ૧૭/૬/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી છે અવતાર,જે પ્રભુ શ્રીરામને સંગાથ આપી જાય
ગદાધારીને ચાલતા અવનીએ,હાથમાં મંજીરા જોઇ પરમાત્માય હરખાય
......એવા પવિત્રદેહ ધારી બજરંગબલી,શ્રી હનુમાન બાહુબલીય કહેવાય.
પરમાત્માનો દેહએ શ્રીરામથી ઓળખાય,સંગે સીતાજી પણ આવી જાય
પરમકૃપાળુ ભોલેનાથની ભક્તિએ,રાવણ લંકામાં અભિમાન મેળવી જાય
ભક્તિની શક્તિને પારખી લેતા,શ્રી રામનો અવતાર અવનીએ થઈ જાય
બાહુબલીની અજબશક્તિ છેઅપરંપાર,જે રાજારાવણની મતીને અડીજાય
......એવા પવિત્રદેહ ધારી બજરંગબલી,શ્રી હનુમાન બાહુબલીય કહેવાય.
પવિત્ર જીવન શ્રીરામ સંગે જીવતા,માતાસીતાજી પણ સંસ્કાર આપી જાય
પાવનરાહને પકડી જીવન જીવતા,રાજા રાવણ સીતામાતાને ઉઠાવી જાય
અયોધ્યામાંથી માતાને લઈને,શ્રી લંકામાં લાવીને જીવનમાં ભટકાવી જાય
ત્યાંજ બાહુબલીની શક્તિએ શોધતા,અંતે રાવણનુ દહન પણએ કરીજાય
......એવા પવિત્રદેહ ધારી બજરંગબલી,શ્રી હનુમાન બાહુબલીય કહેવાય.
=======================================================

 

June 10th 2017

કૃપા મળે

Image result for કૃપા મળે
.              .કૃપા મળે 

તાઃ૧૦/૬/૨૦૧૭                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળે માનવદેહ અવનીએ જીવને,જ્યાં મળે પરમાત્માની કૃપા
અનંત શક્તિશાળી છે પરમાત્મા,જગતમાં જીવોથી અનુભવાય
.....એજ અજબ કૃપા જગતમાં,અનેક સ્વરૂપે દર્શન આપી જાય.
રામનામની માળા જપતા જીવને,પ્રભુની પરમ કૃપાય મળી જાય
હનુમાનજીની ભક્તિ નિરાળી,ગદા સંગે જગતમાં એ પુંજાઈ જાય
માનવ જીવન પાવન કર્યુ અવનીએ,જે માબાપની કૃપા કહેવાય
અયોધ્યા એજ સ્થાન બન્યુ,જ્યાં પરમાત્માએ જન્મ લીધો દેખાય
.....એજ અજબ કૃપા જગતમાં,અનેક સ્વરૂપે દર્શન આપી જાય.
રાધામાતાનો પવિત્રપ્રેમ જ્યાં પરમાત્મા શ્રીકૃષ્ણ રૂપે આવી જાય
ગોપીઓના સંગાથમાં રહેતા દ્વારકામાં,એગોપીનાથ પણ કહેવાય
અજબ કૃપાળુ પરમાત્મા છે જગતમાં,ભક્તો પર કૃપા કરી જાય
સમયને સમજી જીવતા જીવનમાં,વડીલના આશિર્વાદ મળી જાય
.....એજ અજબ કૃપા જગતમાં,અનેક સ્વરૂપે દર્શન આપી જાય.
=================================================
June 6th 2017

પાવનપ્રેમ

Related image
.            .પાવનપ્રેમ   

તાઃ૬/૬/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને પાવનપ્રેમની રાહ મળે,જ્યાં ગજાનંદની કૃપા થઈ જાય
ભક્તિ માર્ગની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં ભોલેનાથને પુંજાય
......એજ ગજાનંદ ગણપતિજી કહેવાય,જેને ગૌરીનંદનથીય ઓળખાય.
પાવનપ્રેમ મળ્યો માતાનો,જે પુત્ર ગણપતિના વર્તનથીજ દેખાય
માતા પાર્વતીએ પવિત્રશક્તિ છે,જે સંતાનને મળતાપ્રેમે સમજાય
નિર્મળ ભાવે પુંજન કરતા ગણપતિની,પિતા શંકરનીય કૃપા થાય
દેહને મળે પવિત્રરાહ જીવનમાં,જે જીવને મુક્તિ માર્ગે લઈ જાય
......એજ ગજાનંદ ગણપતિજી કહેવાય,જેને ગૌરીનંદનથીય ઓળખાય.
અનેક ભાવનાથી પુંજન કરતા,ગણેશજીને સિધ્ધીવિનાયક કહેવાય
ૐ શ્રી ગણેશાય નમઃના સ્મરણથી,નિર્મળ ભાવનાએ પુંજન થાય
ૐ ગં ગણપતયે નમઃએ પણ પવિત્ર શ્લોક છે,શ્રી ગજાનંદ હરખાય
પવિત્ર ભાવનાએ માળા જપતા,મળેલ જીવને પાવનપ્રેમ મળી જાય
......એજ ગજાનંદ ગણપતિજી કહેવાય,જેને ગૌરીનંદનથીય ઓળખાય.
=====================================================
May 25th 2017

પાવન શક્તિ

...Image result for jay hanuman
.              .પાવન શક્તિ
તાઃ ૨૫/૫/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબશક્તિ છે પવિત્ર ભક્તિમાં,જે જીવને પાવનરાહ આપી જાય
મળેલદેહને ના સ્પર્શે કળીયુગ સતયુગ,જ્યાં પ્રભુની કૃપા મળી જાય
......એ જ પાવન રાહ દીધી જલાસાંઇએ,જે નિર્મળ જીવન કરી જાય.
અવનીપરના ધાર્મિક સ્થળો,જે માનવીનો સમય પસાર કરી જાય
દર્શન કરીને હાથજોડી પગે લાગી,માગણી કરી અપેક્ષાઓ રખાય
આજે બચાવજો ને કાલે સુખ દઈ દેજો,એવી કૃપા માગી જવાય
દેખાવની કેડી એ કળીયુગ છે,જ્યાં સાધુબાવાઓ લાભ લઈ જાય
......પરમાત્માને ના પારખે કોઇ અવનીએ,જ્યાં દેખાવમાં ફસાઈ જાય.
નિર્મળ ભક્તિએ અંતરને સ્પર્શે,જ્યાં પરમાત્મા પણ રાજી થઇ જાય
મળે માનવ દેહને અનંત શાંંન્તિ જીવનમાં,એ પાવનશક્તિ કહેવાય
શ્રધ્ધા રાખી અર્ચના કરતા જીવ પર,સુર્યદેવની પરમકૃપા થઈ જાય
આંગણે આવી કૃપા મળે જીવને,જે જીવનમાં અનુભવથી સમજાય
......એ જ પાવન રાહ દીધી જલાસાંઇએ,જે નિર્મળ જીવન કરી જાય.
======================================================

	
May 22nd 2017

નિખાલસ સ્નેહ

.            .નિખાલસ સ્નેહ   

તાઃ૨૨/૫/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળ જીવનની શીતળકેડી,એ જ જીવની પાવનરાહ કહેવાય
કર્મનીકેડી એ બંધનછે જીવના,પરમાત્માની કૃપાએ અનુભવાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
કુદરતની આ અજબ છે લીલા,જે જગતના બંધનથી સમજાય
કરેલકર્મ અવનીએ જીવનમાં,સરળ જીવનની રાહ આપી જાય
નિર્મળ જીવનની કેડી મળે,જ્યાં શ્રધ્ધાએ માબાપને વંદન થાય
અવનીપરના આગમનનુ બંધન માબાપ છે,જે કર્મથીજ બંધાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
ભક્તિપ્રેમ એ રાહછે જીવની,જે થકી જીવનમાં શ્રધ્ધાએ પુંજાય
મનથી કરેલ નિર્મળકર્મ જીવનમાં,પરમાત્માની કૃપા આપી જાય
સંત જલાસાંઇની મળે કૃપા,જે મળેલ માનવદેહ પાવનકરી જાય
ના અપેક્ષાની કોઇ રાહ અડે,કે ના માગણી કોઇ મનથી થાય
.....માનવદેહ એ સમજણ આપે જીવને,જ્યાં નિખાલસ સ્નેહ મેળવાય.
=======================================================

	
April 24th 2017

પાવન પકડ

..Image result for કૃપા પરમાત્મા..
            .પાવન પકડ

તાઃ૨૪/૪/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવદેહ એ કૃપા પરમાત્માની,જે અવનીના આગમને દેખાય
પાવનરાહ પકડીને જીવતા,જીવને મળેલ જન્મસફળ કરી જાય
.....નિર્મળ ભાવથીજ ભક્તિ કરતા,પાવનકર્મ જીવનમાં મળી જાય.
મનથી કરેલ શ્રધ્ધાએ ભક્તિ,જીવનમાં પવિત્ર રાહ થઈ જાય
નામોહ કે માયાનાબંધન સ્પર્શેદેહને,એજ પાવનપકડ કહેવાય
સ્પર્શે માનવીઓને આ કર્મ,જે અનેક જીવોને સુખ દઈ જાય
મળે જલાસાંઇની કૃપા જીવને,મળેલ જગતના સંબંધે સમજાય
.....નિર્મળ ભાવથીજ ભક્તિ કરતા,પાવનકર્મ જીવનમાં મળી જાય.
કુદરતની પવિત્રદ્રષ્ટિ પડે દેહપર,જે સમયની રાહ મળતા દેખાય
પરમાત્માની એજ લીલા,જે દેહને મળતા અનુભવે સમજાઈજાય
મળેલદેહની મહેંકપ્રસરે અવનીએ,જે નિખાલસ જીવનથી કરાય
કર્મ એજ છે જીવનાબંધન,જગતમાં આવનજાવનને સ્પર્શી જાય
.....નિર્મળ ભાવથીજ ભક્તિ કરતા,પાવનકર્મ જીવનમાં મળી જાય.
===================================================
April 20th 2017

જય જલાસાંઈ



.          .જય જલાસાંઈ    

તાઃ૨૦/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ ભાવની પવિત્ર કેડી,જીવનમાં પાવન કર્મ કરાવી જાય
શ્રધ્ધા ભાવના એ નિર્મળરાહ છે,જે જીવને શાંંતિ આપી જાય
.......કર્મની પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની કૃપા થઈ.
જલારામની ભક્તિરાહે,જીવોને અન્નદાન દેતા નિર્મળભક્તિ થઈ
ના મોહમાયા જ્યાં જીવને સ્પર્શે,ત્યાં પ્રભુથી પરિક્ષા થઈ ગઈ
સંસ્કાર સાચવી સંગે રહેતા,વિરબાઈને પાવન રાહ મળી ગઈ
ભક્તિની ઉજ્વળ રાહે જીવતા,જગતમાં પવિત્ર કેડી બની ગઈ
.......કર્મની પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની કૃપા થઈ.
માનવતાની મહેંક પ્રસરી શેરડીમાં,જે સંત સાંઈબાબાથી દેખઈ
શ્રધ્ધાસબુરી સમજાવી જીવોને,અલ્લાઈશ્વરની પુંજા અપાઈ ગઈ
નિર્મળ જીવન મળે દેહને અવનીએ,જે પાવન કર્મ કરાવી ગઈ
જલાસાંઇની શ્રધ્ધાએ ચીધી રાહ,જીવનેઉજ્વળ કેડી આપી ગઈ
.......કર્મની પવિત્રરાહે જીવતા,જીવ પર પરમાત્માની કૃપા થઈ.
===============================================



	
April 12th 2017

જગત જનની


.          .જગત જનની
તાઃ૧૨/૪/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબકૃપા મા જગત જનનીની,જીવને પાવનરાહએ આપી જાય
મળેલ નિખાલસ પ્રેમ જીવને,જ્યાં માડીની પવિત્રદ્ર્ષ્ટિ પડી જાય
.......એ જ જીવની પવિત્રરાહ,જે જન્મમરણના બંધનથી સમજાય.
સવાર સાંજને સમજી ચાલતા,માનવ જીવનમાં સરળતા મળી જાય
કુદરતની આ અજબલીલા અવનીએ,અનુભવથી જ સમજાઈ જાય
મનથી કરેલ નિર્મળ ભક્તિ એદેહને,પાવનરાહની કેડી આપી જાય
સફળતાનો સંગાથ મળે જવનમાં,નાઅપેક્ષા કેમાગણી સ્પર્શી જાય
.......એ જ જીવની પવિત્રરાહ,જે જન્મમરણના બંધનથી સમજાય.
ભક્તિની તો શક્તિછે ઉત્તમ,જે જીવને દેહ મળતા જ અનુભવાય
માનવજીવનની મહેંકપ્રસરે જગતમાં,જ્યાં નિખાલસતા સ્પર્શી જાય
અનેક સ્વરૂપ માતાના છેઅવનીએ,શ્રધ્ધાએજ માતાનુ પુંજન થાય
આવી આંગણે કૃપા મળેજ જીવને,જે અનુભવથીજ મેળવાઈ જાય
.......એ જ જીવની પવિત્રરાહ,જે જન્મમરણના બંધનથી સમજાય.
===================================================

	
« Previous PageNext Page »