October 5th 2016

સંબંધ મળે

.                 . સંબંધ મળે

તાઃ૫/૧૦/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મરણના બંધન જીવને,ના કોઇ  જીવથી છટકાય
અવનીપરના એજબંધન,જે જીવને સદાય જકડી જાય
…………..પરમાત્માની આ અદભુતલીલા,કર્મબંધને મેળવાય.
દેહ મળે અવનીએ  જીવને,જે માબાપના પ્રેમે મેળવાય
કર્મની નિર્મળ કેડીએ જીવતા,સુખ શાંન્તિનો  સંગ થાય
ના કોઇ માગણી જીવની રહેતાજ,પાવનરાહ  મળી જાય
અવનીપર આનંદનીવર્ષાએ,જીવથી અનંતપ્રેમ લેવાય
…………..પરમાત્માની આ અદભુતલીલા,કર્મબંધને મેળવાય.
મળે દેહ માનવીનો જીવને,ત્યાં સમજણની રાહ મળી જાય
દેહ મળે જ્યાં પશુપક્ષીનો,ત્યાં નિરાધાર જીવન બની જાય
દેહને જકડે સમયના બંધન,જે દેહને મૃત્યુ મળતા સમજાય
પ્રેમમળે સંતજલાસાંઇનો શ્રધ્ધાએ,જે મુક્તિમાર્ગે દોરી જાય
……………પરમાત્માની આ અદભુતલીલા,કર્મબંધને મેળવાય.

=======================================

August 25th 2016

જન્માષ્ટમી પર્વ

Image result for શ્રી કૃષ્ણ

.                  જન્માષ્ટમી પર્વ

તાઃ૨૫/૮/૨૦૧૬                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણના સતત સ્મરણથી જીવને શાંન્તિ થઈ
પવિત્રદેહ અવનીએ આવતા,જન્માષ્ટમી ઉજવાઈ અહીં
……એજ કૃપા પરમાત્માની,જે જીવને મુક્તિમાર્ગ આપી ગઈ.
બાળપણનેએ પકડીચાલતા,બાળગોપાળ કહેવાતા અહીં
અસીમકૃપા માતાની મળતા,જગતમાં ઓળખાણ થઈ
રાધામાતાનોપ્રેમ પારખતા,શ્રીરાધેકૃષ્ણથી ભક્તિ થઈ
અજબ શક્તિ ભક્તિની,જે અનેક જીવોને મળતી થઈ
……એજ કૃપા પરમાત્માની,જે જીવને મુક્તિમાર્ગ આપી ગઈ.
દેવકીનંદનની પહેચાન દ્વારકામાં,જગતમાં પ્રસરી ગઈ
પરમાત્માની એજ લીલા,જે દેહના વર્તનથી મળીગઈ
સુખસાગરની વર્ષા જીવે થતાં,જન્મ સફળ થયો ભઈ
પવિત્રદીવસને પ્રેમેભજતાં,જીવનમાં શાંન્તિમળી ગઈ
……એજ કૃપા પરમાત્માની,જે જીવને મુક્તિમાર્ગ આપી ગઈ.
=============================================
જન્માષ્ટમીના પવિત્ર દીવસે ભગવાન શ્રી કૃષ્ણને અમેરીકન ભાષામાં
હેપ્પી બર્થડે.
લી.  પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર ના વંદન સહિત જય શ્રીકૃષ્ણ.

May 16th 2016

સર્જનહાર

.                 . સર્જનહાર

તાઃ૧૬/૫/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેક પ્રસરે,જ્યાં જીવનમાં નિર્મળતા સહેવાય
માનવદેહ એજ સર્જનહારની કૃપા,જીવને કર્મ થકી સમજાય
………..અવનીપરના આગમનના બંધન,જીવને કર્મથી મળી જાય.
દેહ મળતા જીવને અવનીપર,સરળ કેડીનો સંગ મળી જાય
ધર્મ કર્મ એ જગતની સીડી,જીવને મળેલ રાહથી સમજાય
શ્રધ્ધા રાખી પવિત્રરાહને પામવા,કળીયુગથી દુર રહેવાય
નાઅપેક્ષા કે નાકોઇ આશા રાખતા,નિર્મળ ભક્તિ પ્રેમે થાય
………..અવનીપરના આગમનના બંધન,જીવને કર્મથી મળી જાય.
મળેલ દેહ એ છે સંબંધ કર્મના,જ્યાં માબાપથી દેહ મેળવાય
કુટુંબ કેરી સીડીએ ચઢતા,દેહના સંબંધ જીવને મળતા  જાય
કર્મના બંધનને દુર કરવા,સાચા સંતની ભક્તિરાહ મેળવાય
જલાસાંઇની ભક્તિરાહ પકડતા,જીવને મુક્તિમાર્ગ મળીજાય
………..અવનીપરના આગમનના બંધન,જીવને કર્મથી મળી જાય.

=======================================

March 30th 2016

પકડેલ કેડી

.                . પકડેલ કેડી

તાઃ૩૦/૩/૨૦૧૬                પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેડી પકડી પ્રેમની જીવનમાં,સૌનો અનંતપ્રેમ મળી જાય
મુંઝવણને દુર રાખી જીવતા,જીવને પાવનરાહ મળી જાય
……….એ જ નિર્મળપ્રેમની સીડી,જીવને સુખશાંન્તિ આપી જાય.
મનથી કરેલ મહેનતે જીવતા,પરમાત્માની કૃપા થઈ જાય
નાઅપેક્ષા કોઇ મનમાં રાખતા,સરળતાનો સંગ મળી જાય
જ્યોત પ્રેમની જલે જીવનમાં,અનેક સંબંધીઓ મળી જાય
મળી જાય સફળતાની કેડી,જન્મ પાવન જીવન કરી જાય
……….એ જ નિર્મળપ્રેમની સીડી,જીવને સુખશાંન્તિ આપી જાય.
જન્મે જન્મના બંધન સ્પર્શે,જે જીવનમાં પળેપળ સમજાય
જલાસાંઇની નિર્મળ ભક્તિ,જીવને પવિત્રરાહ આપી જાય
નિર્મળ ભક્તિએ પવિત્ર કેડી,જે જન્મમરણને દુર કરીજાય
અવનીપરના આગમન વિદાયને,મુક્તિમાર્ગથીજ છોડાય
……….એ જ નિર્મળપ્રેમની સીડી,જીવને સુખશાંન્તિ આપી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++

March 28th 2016

શ્રધ્ધાની સીડી

god.jpg

.               .શ્રધ્ધાની સીડી

તાઃ૨૮/૬/૨૦૧૬                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવન છે કૃપા પરમાત્માની,દેહ મળતા અનુભવાય
જીવની શ્રધ્ધા કેડીજલાસાંઇની,જે પવિત્ર જીવન આપી જાય
………..આગમન વિદાય એ સીડી જીવની,જે ઉંમરથી જ અડી જાય.
મળે જીવને માયા જગતની,જેને કર્મના બંધનથી સમજાય
લાગણી મોહને ફેંકી દેતા જીવને,શ્રધ્ધાની સીડી મળી જાય
અનંત પ્રેમ મળે પરમાત્માનો,જ્યાં  નિર્મળ જીવન જીવાય
અપેક્ષાને આંબી લેતા જીવનમાં,ના આફત કોઇજ અથડાય
………..આગમન વિદાય એ સીડી જીવની,જે ઉંમરથી જ અડી જાય.
મનથી કરેલ માળા ને તનથી કરેલ ભક્તિ જીવને સ્પર્શી જાય
પળેપળને સાચવે અવિનાશી,જે જીવની મહેંક પ્રસરાવી જાય
ચીંધેલ આંગળી જલાસાંઇની,જીવનેઅનેકનો પ્રેમ આપી જાય
શ્રધ્ધાની સીડી પર ચઢતા,જીવ પર ભક્તિજ્યોત પ્રસરી  જાય
………..આગમન વિદાય એ સીડી જીવની,જે ઉંમરથી જ અડી જાય.
========================================

March 25th 2016

સુર્ય સ્નાન

.              .સુર્ય સ્નાન

તાઃ૨૫/૩/૨૦૧૬               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રત્યક્ષ દેવ જગતમાં છે,જેને સુર્યનારાયણ દેવ કહેવાય
ઉદય અસ્ત પૃથ્વી પર થતાં,જગતે સવાર સાંજ કહેવાય ………એવા પરમકૃપાળુ પરમાત્મા છે,ના મંદીર મસ્જીદમાં મેળવાય.
ઉગમણી ઉષાએ આગમન થતા,સુર્ય સ્નાન શ્રધ્ધાએ થાય ના ચામડીને કોઇ રોગ અડે,કે ના અશક્ય જીવન પણ થાય પરમકૃપાના સાગરજેવા,જે અબજો જીવોને પ્રત્યક્ષ દેખાય
એજ જગત પિતા છે અને એજ અજબ અવિનાશી કહેવાય ………એવા પરમકૃપાળુ પરમાત્મા છે,ના મંદીર મસ્જીદમાં મેળવાય.
ના આશા કે કોઇ અભિલાષા રાખતાં,પાવનરાહ મળી જાય
સુર્યદેવના પવિત્ર કિરણોએ,નાકોઇ દવા ડૉકટર અડી જાય
મનને અજબ શાંન્તિ મળે જગે,જ્યાં રોગી ચાદર ઊડી જાય
પરમાત્માનીકૃપા આંગણેઆવતા,ઘર પણ પવિત્ર થઈ જાય ………એવા પરમકૃપાળુ પરમાત્મા છે,ના મંદીર મસ્જીદમાં મેળવાય. ===============================================

February 19th 2016

સરળ રાહ

.                      સરળ રાહ

 તાઃ૧૯/૨/૨૦૧૬                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળે પ્રેમની ગંગા જીવનમાં,મળેલ આ માનવજીવન મહેંકી જાય
સફળતાના સહવાસે રહેતા,જલાસાંઇ કૃપાએ સરળરાહ મળી જાય
…………એ પરમાત્માની છે અસીમકૃપા,માનવજીવનમાં પળેપળ સચવાય.
અપેક્ષાની ના કેડી અડે જીવને,જે જીવને સુખશાંન્તિ આપી જાય
માગણીની નાકોઇ જ્યોત અડે,જે જીવનમાં સાચો પ્રેમ દઈ જાય
કર્મની સીધીરાહ મળે પ્રભુકૃપાએ,જે નિર્મળતાનોસંગ આપી જાય
માનવી દેહની આ છે પરિક્ષા,જે કર્મના પરિણામથી મળી જાય
…………એ પરમાત્માની છે અસીમકૃપા,માનવજીવનમાં પળેપળ સચવાય.
હું તું એ લાગણી છે જીવની,જે જગતમાં કળીયુગમાં સ્પર્શી જાય
શાંન્તિ પ્રેમની નાકોઇ અપેક્ષા રહેતા,જીવને સરળરાહ મળી જાય
મળેલ આશિર્વાદ વડીલના જીવને,આફતના વાદળ દુર લઈજાય
રામનામની જપેલ માળાએ,સંતજલાસાંઇની દ્રષ્ટિમાર્ગ આપીજાય
………..એ પરમાત્માની છે અસીમ કૃપા,માનવજીવનમાં પળેપળ સચવાય.

============================================

February 13th 2016

સંકટમોચન

Ram_hanuman

.             . સંકટમોચન

તાઃ૧૩/૨/૨૦૧૬              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંકટ મોચન હનુમાનજી,જે અજબ શક્તિ ધારી કહેવાય
પ્રભુરામની કૃપા મળે,ત્યાં લંકાપતિ રાવણનુ દહન થાય
………..એ પવનપુત્ર હનુમાન,જે ને સંકટ મોચનથી ઓળખાય.
નિર્મળ  ભક્તિ સંગે જીવતા,પરમાત્માથી પરીક્ષા થાય
પવનપુત્ર છે અજબ શક્તિશાળી,સુર્યદેવને ગળી જાય
સીતામાની રક્ષા કરવા,રામની કૃપાએ સાગર તરીજાય
મોહની કેડી સ્પર્શી રાવણને,જે અધોગતી એ દોરી જાય
………..એ પવનપુત્ર હનુમાન,જે ને સંકટ મોચનથી ઓળખાય.
દેહ મળ્યો અવનીપર જીવને,લંકાપતિ રાવણ કહેવાય
અજબભક્તિ કરી રાજી કર્યા,જ્યાં ભોલેનાથ રાજી થાય
ભોલેનાથના ભક્તિ શાળી,ના  જગતમાં કોઇથી અંબાય
કળીયુગ અડે જ્યાં દેહને,ત્યાંજ  જીવ ખોટા માર્ગે દોરાય
………ત્યાં પરમાત્માની અજબદ્રષ્ટિએ,સંકટ હરનાર આવી જાય.

======================================

January 12th 2016

જ્યોત પ્રગટે

.               .જ્યોત પ્રગટે

તાઃ૧૨/૧/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળ ભક્તિ કરાય
મળે જીવનમાં પ્રેમસાચો,જ્યાં જીવન નિખાલસ જીવાય
……….જલાસાંઇની જ્યાં કૃપા મળે,ત્યાં જીવની જ્યોત પ્રગટી જાય.
અંતરમાં આનંદ પ્રસરે જીવનમાં,ના કોઇજ અપેક્ષા રખાય
કરેલકર્મની ઉજ્વળ રાહે,મળેલ દેહ જીવને રાહ મળી જાય
ભક્તિની નિર્મળરાહ પામવા,સંત જલાસાંઇને વંદન થાય
માનવદેહ સાર્થક કરવા કાજે,ઘરમાં નિર્મળ ભક્તિ જ થાય
……….જલાસાંઇની જ્યાં કૃપા મળે,ત્યાં જીવની જ્યોત પ્રગટી જાય.
કર્મના બંધન એ જીવની કેડી,જે આવન જાવનથી સમજાય
મૃત્યુમાર્ગએ અવનીએ દેહને સ્પર્શે,જે જન્મ મળે સ્પર્શી જાય
નિર્મળભક્તિ એ અજબશક્તિ છે,જે અખંડશાંન્તિ આપી જાય
મોહમાયા નાકદી સ્પર્શે જીવને,ત્યાંજ જીવને મુક્તિ મળીજાય
……….જલાસાંઇની જ્યાં કૃપા મળે,ત્યાં જીવની જ્યોત પ્રગટી જાય.

=========================================

December 9th 2015

પવિત્ર આંગણુ

.                . પવિત્ર આંગણુ

તાઃ૯/૧૨/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમની ગંગા વહેતા,પાવન જીવન એ કરી જાય
આંગણે આવી સ્નેહ મળે,મળેલ જીવન ઉજ્વળ કરીજાય
………..એજ  સાચી ભાવના દીલની,પવિત્ર આંગણુ  કરી જાય.
શ્રધ્ધા રાખી ભક્તિ કરતા,ધરનુ આંગણુ ચોખ્ખુ કરી જાય
સાચી પરમાત્માની કૃપા મળે,જ્યાં કર્મ નિખાલસ  કરાય
મનની પવિત્ર ભાવના વહેતા,સંસારમાં સુખ મળી જાય
નામાગણી કે નાઅપેક્ષા,જ્યાં સંત જલાસાંઇની કૃપા થાય
………..એજ  સાચી ભાવના દીલની,પવિત્ર આંગણુ  કરી જાય.
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળ જીવન જીવાય
ડગલે પગલે સફળતામળે,એજ સાચી પવિત્રરાહ કહેવાય
મળે માતાની અસીમ કૃપા,જે સંતાનનુ સુખ આપી જાય
ઉજ્વળતાનો સંગ રહેતા જીવનમાં,પાવનરાહ મળી જાય
………..એજ  સાચી ભાવના દીલની,પવિત્ર આંગણુ  કરી જાય.

=======================================

« Previous PageNext Page »