March 29th 2011
દરીયાદીલ
તાઃ૨૯/૩/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીલ રાખુ જો દરીયા જેવું,ના કળીયુગમાં સમજાય
કઈ નદીનુપાણી છે કેવું,ટપલીએ જીવ ભટકી જાય
……….. દીલ રાખુ જો દરીયા જેવું.
મોહ મોટો જોઇને હૈયુ,અહીં તહીં ચુંગલમાંએ ફસાય
છટકવાનીએ બારી શોધતાં,બહુ મુંઝવણ વધી જાય
સાગર જેટલો સ્નેહ વહેંચતા,મારુંમન આફતે ઘેરાય
લફરાની તો લાઇન લાગે,ના તેમાંથી મુક્ત થવાય
…………..દીલ રાખુ જો દરીયા જેવું.
વહેણસાચુ એક મળે નદીનું,જીવનઅમૃત બનીજાય
વિશાળતાની દ્રષ્ટિછોડતાં,મળેલજન્મ સફળ દેખાય
મુક્તિ કેરા માર્ગને લેવા,ના દીલ દરીયો બનાવાય
ભક્તિભાવની એકનદી મેળવતાં,જીવનજીવીજવાય
……………દીલ રાખુ જો દરીયા જેવું.
================================
March 27th 2011
હરિઃૐ
તાઃ૧૩/૩/૨૦૧૧ (નડીયાદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
હરિઃૐ,હરિઃૐના સ્મરણ માત્રથી,મનને શાંન્તિ થાય
કૃપા મળતાં પુ.મોટાની,શ્રધ્ધાએજન્મ સફળ સહેવાય
એવા પુજ્ય મોટાને વંદનકરી,હરિઃૐ હરિઃૐ કહેવાય
…………હરિઃૐ,હરિઃૐના સ્મરણ.
ઉજ્વળ જીવન પામવા કાજે,શ્રધ્ધાએ પ્રભુને ભજાય
મૌન મંદીરનાદ્વાર ખોલતા,જીવને જન્મ સફળદેખાય
માનવતાનીમહેંક પ્રસરાવી,ઉજ્વળ જીવનજીવીગયા
આંગણીચીંધી ભક્તિદીધી,હૈયે પુજ્ય મોટા વસી ગયા
…………હરિઃૐ,હરિઃૐના સ્મરણ.
કલમનીકૃપા કરી પ્રદીપપર,ભક્તિથી અણસાર દીધો
એકશબ્દની સમજમળી,ને લીટીઓ ઘણી લખીલીધી
આનંદ મનમાં ઘણો થયો,કૃપાએ કલમની કેડી મળી
શરણે રાખી અમોસૌને,દેજો ભક્તિ ભાવની કેડીસાચી
…………હરિઃૐ,હરિઃૐના સ્મરણ.
=================================
પુજ્ય શ્રી મોટાના આશ્રમમાં વર્ષો પછી જવાની તક મળી
જે મારુ અહોભાગ્ય છે.તેઓને આ જન્મે તો કદી ના ભુલાય.મારા લેખન
જગતની શરૂઆત તેઓશ્રીના આ આશ્રમમાં જ તાઃ૧૧/૫/૧૯૭૧ ના
રોજ કરી હતી. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.
March 24th 2011
માગવાની રીત
તાઃ૫/૨/૨૦૧૧ (ગોંડલ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના માગવાથી મળે ભીખ,કે ના માગવાથી સન્માન
કુદરતકેરા ન્યાયમાં જીવપર,સદા કૃપાકરે ભગવાન
…………. ના માગવાથી મળે ભીખ.
હાથ ધરેલા માનવીના જગે,લાયકાતે ભરાઇ જાય
માગે મણ જ્યાં જીવજગે,ના પાશેર પણ મેળવાય
લાયકાત નારહે નિરાળી,જે જીવનાકર્મથી સમજાય
મળે વર્ષા પ્રેમની શિરે,જે બે હાથથીય ના પકડાય
…………ના માગવાથી મળે ભીખ.
ખોબે ખોબે ઉલેચે જીવો,જ્યાં દ્રષ્ટિ કુદરતથી દેવાય
અપંગદેહે ભીખજ માગે,જ્યાં દેખાવની ભક્તિ થાય
મુર્તિ મંદીરની માયા મળતાં,ધન પણ વેડફાઇજાય
ભરોસો રાખતા ભીખપર,આજીવ ભટક ભટક્તો જાય
…………ના માગવાથી મળે ભીખ.
માગણી સાચી માનવીની,જ્યાં જન્મસફળ થઈ જાય
ભક્તિમનથી પ્રેમે કરતાં,જીવને ભક્તિરાહ મળી જાય
મળેમાયા જ્યાં જલાસાંઇની,સાર્થકજન્મ આ થઇજાય
માગણી પહેલાં જ મળે આશીશ,ત્યાં પાવનકર્મ થાય
…………ના માગવાથી મળે ભીખ.
=++++++++++++++++++++++++++++++++=
March 24th 2011
કર્મની કેડી
તાઃ૫/૨/૨૦૧૧ (ગોંડલ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે પરમાત્માનો,ત્યાં પાવન કર્મ જ થાય
મોહમાયાના બંધન છુટતાં,જન્મ સફળ થઇજાય
………..પ્રેમ મળે પરમાત્માનો.
આવી આંગણે પ્રેમ મળતાં,ભક્તિદ્વાર ખુલી જાય
અંતરમા આનંદની વર્ષા,જે સ્વર્ગ સુખ દઈ જાય
નિત્ય સવારની પુંજાએજ,કર્મની કેડી પણ દેખાય
આજકાલના બંધન છુટતાં,વ્યાધીઓ ભાગી જાય
………..પ્રેમ મળે પરમાત્માનો.
કોમળતાની લહેરમળતાં,આ જીવન ઉજ્વળ થાય
માગણી મોહના દ્વાર તુટતાં,ભાગં ભાગ મટી જાય
કામદામનીવ્યાધીભાગે,જ્યાં સંતજલાસાંઇ ભજાય
એક શ્રધ્ધા મળતાં જીવને,કુળ ઉજ્વળ થઈ જાય
………..પ્રેમ મળે પરમાત્માનો.
માનવ જન્મ લાગે સાર્થક,જ્યાં પ્રેમે ભક્તિ થાય
રાહ મળતા સંતાનને દેહે,કુટુંબ પ્રેમ મળી જાય
સન્માન સાચી રાહ મળે,ત્યાંપરમપિતા હરખાય
અણસાર મળેછે દેહને,જે પવિત્ર કર્મજ કરી જાય
………..પ્રેમ મળે પરમાત્માનો.
===============================
January 16th 2011
રામનામનું રટણ
તાઃ૧૬/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામનુ રટણ કરતાં,દેહથી ભક્તિ પાવન થઈ
રામસીતાનું સ્મરણ કરતાં,આજીંદગી સુધરી ગઈ
…………રામનામનુ રટણ કરતાં.
ઉજ્વળ સવાર મેં લીધી,જે જલાસાંઇ કૄપાએ દીધી
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,મને શાંન્તિ માણી લીધી
………..રામનામનુ રટણ કરતાં.
સવારના શીતળ વાયરે,મેંતો પુંજન અર્ચના દીધી
કંકુ ચોખા હાથમાં લઈને,સુર્યદેવની આશીશ લીધી
………રામનામનુ રટણ કરતાં.
જલારામે ભક્તિ રાહ દીધી,ને સાંઇબાબાએ શ્રધ્ધા
સંત જલાસાંઇ એ અવની પર,મુક્તિ રાહ બતાવી
……….રામનામનુ રટણ કરતાં.
ઉજ્વળ જીવન ભક્તિએ મળે,જ્યાં માયા ભાગે દુર
સહવાસની થોડી લકીરદેવા,મોહબતાવે એ ભરપુર
…………રામનામનુ રટણ કરતાં.
ભક્તિની જ્યાં ટેક અતુટ છે,ના સ્પર્શ મળે લગીર
પાવનકર્મ થઈ જતાં,આ જીવને મુક્તિ મળે જરૂર
………….રામનામનુ રટણ કરતાં.
###############################
January 12th 2011
દર્દ મળે
તાઃ૧૨/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનને થાય જ્યાં ચાટા,ત્યાં શોધે જ્યાં ત્યાંએ વાટા
કળીયુગની પકડે એ થાળી,મળે ત્યાં દેહને નામાગી
………..મનને થાય જ્યાં ચાટા.
લાઇટ કરતાં જ્યાં પ્રકાશ મળે,ને જતાં મળે અંધકાર
સાધન વગર ના ડૉક્ટર બોલે,શું થાય તમને લગાર
આડું અવળુ શોખથી ખાતા,મળીજાય દેહે દર્દ અપાર
ના માગુ તકલીફ કોઇ દેહની,આવી ખખડાવે એ દ્વાર
………..મનને થાય જ્યાં ચાટા.
સમજુ કે મેં તાજુ જ ખાધું,ના વાંચી એક્સ્પાયર ડેટ
પેટ તો છે ના ભઈ પારકુ,ઉજાગરા રાતદીન અનેક
દવાદારૂની વળગે માળા,ત્યાં છુટે હાથથી આ કાયા
પેની એક બચાવતા અહીં,આખો ડૉલર ખોવાઇજાય
………….મનને થાય જ્યાં ચાટા.
જેમ દેખાવમાં દર્દ મળે તેમ સમજણથી જીવતા દર્દ મટે.
દર્દ મટે
ડગલું ભરતાં વિચારએ,ને સમજીને એક પગલુ ભરાય
ભક્તિની કેડી સંગે રાખતાં,કૃપાએ જીવન ઉજ્વળ થાય
…………ડગલું ભરતાં વિચારએ.
સુર્યોદયનું પહેલુ કીરણ,જ્યાં માનવદેહે સ્પર્શ દેતુ જાય
આરોગ્યની મળેજ કેડી દેહને,ના ખર્ચ દવામાં કોઇ થાય
સત્વીકભોજન ઘરમાં થતાં,મહેનતની દમડી નાખોવાય
મળે ના દર્દ દેહને કોઇ,કે મટાડવા કોઇ તિજોરી ખોલાય
………..ડગલું ભરતાં વિચારએ.
દેખાવની આકળીયુગી દુનીયા,ના કોઇને અહીં તો છોડે
બચીજવાને કાજે માનવી,આજે ભક્તિદોરને સંગે જકડે
સાચી સેવા જલાસાંઇની કરતાં,પાવન જીવન છે મળે
મળેલ દેહને દર્દ જગતનાં,જે તેમની સેવા કૃપાએ મટે
………..ડગલું ભરતાં વિચારએ.
===============================
January 8th 2011
સાચુંખોટું
તાઃ૮/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોણ કહે હું સાચો છું,ને કોણ કહે છે હું ખોટો
જગમાં આવું જ ચાલેછે,નાકોઇ તેનો તોટો
………..અરે ભઈ કોણ કહે હું સાચો.
કદીક સમય આવે તો,હું જુઠાને પકડી દોડું
મળે સમય જોથોડો,ત્યાંતો સાચીરાહ પકડુ
ના સહારો જીવનમાં,ત્યાં પારકી રાહ જોવું
મળતી તકલીફો વધારે,હું ખોટી રાહને છોડું
……….અરે ભઈ કોણ કહે હું સાચો.
મળેલ લેખ નાવાંચુ,જ્યાં ભક્તિને નાજાણું
અહીં તહીંની ભટકણમાં,વ્યર્થ જીવન હું કરું
માર્ગની મોકળાશમાં,તોસાચુખોટું નાસમજુ
અંત આવતા દેહનો,હું સ્વર્ગનર્ક ના પારખુ.
………..અરે ભઈ કોણ કહે હું સાચો.
=============================
January 6th 2011

વિરપુરના જલારામ
તાઃ૬/૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ વિરપુરના જલારામ,તમારી શ્રધ્ધાતો અપરંપાર
તમે ઉજ્વળ કર્યો અવતાર,લઈ વિરબાઇમાનો સાથ
………..ઓ વિરપુરના જલારામ.
અન્નદાનની કેડી બતાવી,તમે દીધો જીવનમાં સંકેત
લગની લગાવી ભક્તિની,ત્યાંમળી ગયો પ્રભુનો પ્રેમ
ઉજ્વળ કુળને રાહમળી,ને પાવન વિરપુર ભુમીબની
મહેનત સંગે ભક્તિ કરતાં,પ્રભુને ભીખ માગવી પડી
…………ઓ વિરપુરના જલારામ.
સુખદુઃખ તો સંસારની કેડી,ના કોઇથી એઆધી જાતી
કુટુંબના સહવાસમાં,જીવને પાવન કર્મો કરવાપડતા
આવી આંગણે ભીખ માગે,ના કોઇને કોઇએ ઓળખ્યા
મુક્તિદ્વારને ખોલતા જીવો,સ્વર્ગના સુખનેમાણી લેતા
…………ઓ વિરપુરના જલારામ.
**************************************
December 12th 2010
સાચી દવા
તાઃ૧૨/૧૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહના દુઃખની દવા જગતપર,નાણાં ખર્ચતા મળી જાય
અંતરના દુઃખનીદવા અવનીએ,સાચા પ્રેમથી મેળવાય
………..દેહના દુઃખની દવા જગત પર.
સાદી સીધી વ્યાધી દેહનેમળે,જે સાચાવૈદ થકીપકડાય
મળી જાય એકાદ ચુર્ણ પડીકે,જે દેહના દર્દને ગળીજાય
અસર આડી કદીક થાય તો,બીજી તકલીફોમાં ફસવાય
એકથી બચવા જતાં દેહને,બે વણમાગી વધુ મળીજાય
………..દેહના દુઃખની દવા જગત પર.
અંતરના દુઃખની દવા જગતમાં,ના પૈસાથી ભગાડાય
સાચી શ્રધ્ધાનો સથવાર મળતાં,એ પ્રેમથી ચાલીજાય
સ્નેહની વર્ષા જો વરસે દેહ પર,તો અંતર મલકી જાય
આશીર્વાદની એક ટપલીએ,અંતરના દુઃખ ભાગી જાય
………. દેહના દુઃખની દવા જગત પર.
====++++=====+++++=====+++++====++++==
November 3rd 2010
સાચી શાંન્તિ
તાઃ૩/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીવ્ય પ્રેમની જ્યોતમાં ભક્તિ આવે છે,
મોહમાયાના બંધનમાં જીવ ભટકે છે;
કુદરતના આ ન્યાયમાં મંજીલ મળે છે,
જીવના જન્મ મરણના બંધન ટળે છે.
………..દીવ્ય પ્રેમની જ્યોતમાં ભક્તિ આવે છે.
સંસારની સાંકળથી સુખદુઃખ મળી જાય,
લાગણીના દ્વારે તો દુઃખ ભાગી જાય;
દેહથી લીધેલા પ્રેમને પાંખો આવી જાય,
સહવાસ છુટતાં દુઃખનો દરીયો મળીજાય.
………….દીવ્ય પ્રેમની જ્યોતમાં ભક્તિ આવે છે.
સંબંધીઓના સહવાસમાં ભાવના મળી જાય,
કરુણાના સાગરને જોવા ભક્તિ લાગી જાય:
સમયને પારખી ચાલતાં મુખ મલકાઇ જાય,
મળે શાંન્તિ મનને ત્યાં દેહને સુખ મળી જાય.
………….દીવ્ય પ્રેમની જ્યોતમાં ભક્તિ આવે છે.
===================================