March 18th 2010

મોહ ની લીલા

                           મોહ ની લીલા

તાઃ૧૮/૩/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

મણકા મોહના જો મળી ગયા,તો જીવન ભટકી જાય
એક એકને ગણતા રહેતા,માનવ  જીવન વ્યર્થ થાય
                   ………..મણકા મોહના જો મળી ગયા.
માયાતો બારણે ઉભીજ હોય,એ તક મળતા લપટાય
ભોળપણ મનનુ પારખી લેતાં,જીવનમાં વળગી જાય
શીતળ તેનો સહવાસ સમજી,કેડી એ ચાલી સહવાય
મળતી તકને પકડી લેતાં,માનવ જીવન હણાઇ જાય
                      ……….મણકા મોહના જો મળી ગયા.
નાઅણસાર મળે કદી જીવને,કે ના માર્ગ સરળ દેખાય
આવી તકલીફમળે જીવનમાં,ત્યાં ના મુક્તિને જોવાય
ઉજ્વળજીવન પામર થઇજાય,ને જન્મો જન્મ ભટકાય
નાઆરો કે ઓવારોરહે,જ્યાં મળેલ જીંદગી બગડી જાય
                       ……….મણકા મોહના જો મળી ગયા.

================================

February 28th 2010

આગમન અવનીનુ

                        આગમન અવનીનુ

તાઃ૨૮/૨/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
     
જીવને ઝંઝટ જગતમાં છે,જ્યાં અવનીએ દેહ મળી જાય
પ્રાણી,પશુ,પક્ષી કે માનવ,કૃપા પ્રભુએ શાંન્તિ જીવે થાય
                             ………જીવને ઝંઝટ જગતમાં છે.
દેહ મળતાં અવની પર,જન્મ મૃત્યુ ના સંબંધ છે બંધાય
નામળે માનવદેહ જગતપર,ત્યાં દેહ આધારીત કહેવાય
ના સહારો બને એક બીજાનો,જ્યાં ત્યાં ભટકીને એ ખાય
જીવ પર થાય દયા પ્રભુની,ત્યાં માનવદેહ ને મેળવાય
                           …………જીવને ઝંઝટ જગતમાં છે.
આગમન ધરતી પર દીસે,જીવને માનવદેહ મળી જાય
જીવને મુક્તિનો આધાર મળે,જ્યાંએ સાત્વીક વિચારાય
પ્રભુભક્તિનો અણસારસંતથી,જે તેમના અનુભવે દેખાય
પકડી સાચીકેડી જીવે જ્યાં,ત્યાં આધીવ્યાધી ભાગી જાય
                           ………….જીવને ઝંઝટ જગતમાં છે.
મંદીર મસ્જીદ કે દેવળ,અવનીએ છે ભક્તિના નાનાદ્વાર
આવી જાય જ્યાં ભક્તિ ઘરમાં,ત્યાં પરમાત્માય હરખાય
મળે પ્રેમ જલાસાંઇ જેવા સંતનો,જે ભક્તિ ઉજ્વળ થાય
પરમાત્માનીપરિક્ષાએ આદેહો,દેહના જન્મસફળ કરીજાય
                                ………જીવને ઝંઝટ જગતમાં છે.

=================================

February 20th 2010

રટણની અસર

                         રટણની અસર

તાઃ૨૦/૨/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામનું રટણ કરતાં,મને મળી ગયા જલારામ
વીરબાઇ સંગે સાચીભક્તિ કરતાં,હરાવ્યા પ્રભુરામ
                       ………રામનામનું રટણ કરતાં.
શેરડીગામનું રટણથતાં,મને મળીગયા સાંઇબાબા
ભેદભાવની ચિંતા છોડાવા,મળી ગયા મને બાબા
                       ………રામનામનું રટણ કરતાં.
મહેનત મહેનત રટણ રાખતાં,મળી ગયા સોપાન
ખંતરાખી તનમનથી કરતાં,જગે દીઠા મેં ઘરબાર
                        ……..રામનામનું રટણ કરતાં.
ભક્તિ ભક્તિનું રટણરાખતાં,મને મળી કૃપા અપાર
કરતાં સાચી મનથી રોજ,પાવન લાગે ઘરના મોભ
                        ………રામનામનું રટણ કરતાં.
કામ કામનુ રટણ કરતાં,મળી ગયા મને સારા કામ
મહેનતસંગે સમય સાચવતાં,મેળવી લીધા સન્માન
                        ………રામનામનું રટણ કરતાં.
જન્મ મરણનું રટણ કરતાં,મળશે પ્રભુ કૃપાનો સંકેત
ભક્તિસાચી તોડે બંધનદેહના,મળશે મુક્તિનો સંદેશ
                        ………રામનામનું રટણ કરતાં.

#############################

February 14th 2010

અદભુત સોપાન

                        અદભુત સોપાન

તાઃ૧૪/૨/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ જગે છે અદભુત શક્તિ,દેહના સોપાને એસમજાય
અવનીપરના અનેક રૂપમાં,માનવદેહ ઉજ્વળ કહેવાય
                      ………જીવ જગે  છે અદભુત શક્તિ.
પ્રભુ કૃપાની તો રાહ  સીધી,કર્મબંધનથી જે મળી જાય
ડગલે  ડગલાંની સાચવણી એ,સતકર્મોને મળે ઘરબાર
માનવીમનછે આકુળવ્યાકુળ,સમજઅણસમજમાંદોરાય
ભણતરનાસોપાને રહેતા જીવને,સાચીસમજ મળી જાય
                       ………જીવ જગે  છે અદભુત શક્તિ.
મળેલ મનને પારખીલેતાં,દેહથી નાભુલ સમજીનેથાય
ઉજ્વળતાની રાહમેળવવા,જ્યાં ભક્તિનોસંગ પ્રેમેથાય
પળપળનીજ્યાં સમજમળે,ત્યાં નાકોઇ જીવનેદુભાવાય
અદભુત સોપાન ભક્તિછે,જે જીવને મુક્તિએ દોરીજાય
                       ………જીવ જગે  છે અદભુત શક્તિ.
ઉત્તમપળ ને ઉત્તમજીવન,મળે જીવને જગે માનવથાય
આવે અવનીએ બાળક થઇને,ને વિદાયે તે વૃધ્ધદેખાય
જન્મમૃત્યુની આસાંકળ છે,જે ગતીઅવગતીએ લઇ જાય
દર્શનદેહના થઇજ જાય,જ્યાં સંત જલાસાંઇને છે ભજાય
                        ………જીવ જગે  છે અદભુત શક્તિ.

================================

January 10th 2010

ૐ શ્રી જય

                          ૐ શ્રી જય

તાઃ૧૦/૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દના ઉચ્ચારણથી જ,મનને શાંન્તિ થાય
આંખોબંધ કરી ઉચ્ચારતાં,તનને ટાઢક મળીજાય
                        ………ૐ શબ્દના ઉચ્ચારણથી.
પલાંઠીવાળી બેસી જઇને,પ્રભાતમાં એ બોલાય
મનનેશાંન્તિ તનને ટાઢક,દેહપણ પાવન થાય
શબ્દઉચ્ચારણની અસરે,માનવજન્મસફળ થાય
આનંદહૈયે મનનેશાંન્તિ,ને દેહનેસઘળુ મળીજાય
                         ………ૐ શબ્દના ઉચ્ચારણથી.
શ્રી શબ્દએ પાવનપ્રેમછે,જે જન્મ સફળ કરીજાય
માનોપ્રેમ મળે સંતાનને,જીવનપણ હરખાઇ જાય
શબ્દનોતાંતણો મળીજતાં,માનીકૃપા અપાર  થાય
માનવજીવન પાવનથાય,ને દેહપણ ઉજ્વળથાય
                       ……….શ્રી શબ્દએ પાવનપ્રેમ છે.
માનવતાની મહેંક બતાવે,જ્યાં જય શબ્દ બોલાય
સફળતાના જ્યાં સ્વરમળે,ત્યાં મનથીનીકળી જાય
ઝાઝી ઝંઝટ જગતમાંછે,જે જન્મ મળેજ મળી જાય
મુક્તિના દ્વાર ખોલવા જીભથી,જય શબ્દને સહવાય
                         ……….માનવતાની મહેંક બતાવે.

                             ===========
         આમએ તનમનને શુધ્ધ કરે,શ્રી એ દેહને શુધ્ધ કરે
અને જય એ જીવનો જન્મ સફળ કરે.

ૐશ્રીજય ૐશ્રીજય ૐશ્રીજય ૐશ્રીજય ૐશ્રીજય

January 8th 2010

લાગણીનું બારણું

                   લાગણીનું બારણું

તાઃ૭/૧/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કાર મળેલ જીવને, ના દેખાવમાં એને છે હેત
એતો કરતો જગનાકામ,લાગણી સાથે રાખી પ્રેમ
                     ………. સંસ્કાર મળેલા જીવને.
ભાવના પ્રેમ ને સ્નેહનો,હરપળ જીવનમાં છે સંગ
કરશે પળપળ એ પાવન,વંદન પ્રભુને અંગે અંગ
આવશેબારણે કૃપાપ્રભુની,ને જીવને શાંન્તિનીદોર
ખુલી જશે ત્યાં લાગણીનું બારણું,ના રહેશે કોઇમોહ
                      ………. સંસ્કાર મળેલા જીવને.
શું લઇને આવ્યા જગમાં,ને શું લઇને તમે જવાના
કર્મના બંધન જીવથી રહેશે,જે ઉજ્વળ કરશે જન્મ
મોહમાયાના બંધન રહેશે, એ મનુષ્ય જન્મની દેન
પ્રભુ કૃપા એ જીવન કેડી,આવશે અંતે જીવને ચેન
                       ………. સંસ્કાર મળેલા જીવને.

૦(((((((((((((((((((((((()))))))))))))))))))))))))૦

January 7th 2010

જીવનુ લેણું

                      જીવનુ લેણું

તાઃ૬/૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગણે આવવા જીવને, જ્યાં જન્મ મળી જાય
બારણુ ખોલી આવકારતાં,સંબંધ સચવાઇ જાય
                                ……..આંગણે આવવા જીવને.
કુદરતની આ અપારલીલા,ના માનવીથી પહોંચાય
જળચરથી આગળ થોડુ જતાં,અભિમાનમાં લબદાય
પરમાત્માની એકપળમાં,જગે જીવનુ જીવનપુરુથાય
અણસાર નામળે પળનો,ત્યાં જીવનું લેણુ પતી જાય
                               ………આંગણે આવવા જીવને.
બારણે પડતા ટકોરાએ,જ્યાં દેહ બારણુ ખોલવા જાય
સંબંધના સાગરના વ્હેણ,ત્યાં પ્રેમે ઘરમાં આવી જાય
અપારઉભરો કે અતી લાગણી,ના જીવથીકોઇને દેવાય
હદના ઓળંગાય જીવથી જગે,ત્યાં માર્ગ મોકળા થાય
                               ………..આંગણે આવવા જીવને.
જીવને ઝંઝટ વળગી ચાલે,જ્યાં માયામોહના દ્વાર ખુલે
મોહ મતીને વળગી જતાં,ભક્તિ મનથી  દુર ત્યાં ભાગે
જન્મ મરણના અતુટ બંધન,જે જીવને મળતા  સથવારે
મુક્તિ એતો દ્વારે રહેતી,કોઇકાળે ના જીવનેએ મળનારી
                                 ………. આંગણે આવવા જીવને.

==================================

December 24th 2009

પ્રેમ માબાપનો

                          પ્રેમ માબાપનો

તાઃ૨૩/૧૨/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જો પ્રેમ માબાપનો,તો ઉજ્વળ જીવન થાય
ઉજ્વળ જીવન થઇ જતાં,જન્મ સફળ થઇ જાય
                      ………મળે જો પ્રેમ માબાપનો.
મનમંદીરના દ્વાર ખુલે,જ્યાં આશીર્વાદ મળી જાય
પ્રભુ કૃપાની પાવનવર્ષા,માબાપની સેવાએ થાય
એક મહેંક માનવતાનીમળે,જ્યાં જીવે શાંન્તિ થાય
ના માગણી કે અપેક્ષા રહે,માનવજન્મ મહેંકી જાય
                      ………મળે જો પ્રેમ માબાપનો.
અવનીપરના આગમનમાં,જો માનવદેહ મળી જાય
સમજ વિચારી જીવન જીવતાં,પાવન આંગણું થાય
બાળપણની માયાઅનોખી,જ્યાં કૃપા માબાપનીથાય
ઉજ્વળ જીવન પામવા જીવને,પ્રભુ કૃપા મળી જાય
                       ………મળે જો પ્રેમ માબાપનો.
જન્મ મળતાં દેહનો જગમાં, સહવાસ સથવારનો છે
ગતી મતિની  જગમાં ન્યારી,ના કોઇથી એ પરખાય
પ્રેમ માબાપનો નિર્મળ મળતાં,જીવને સમજાઇ જાય
ભાગ્યવિધાતા પરમાત્માની,સાચીભક્તિ મનથીથાય
                        ………મળે જો પ્રેમ માબાપનો.

+++++++++++++++++++++++++++++++++++

December 6th 2009

શરમ એટલે નરમ

                 શરમ એટલે નરમ

તાઃ૬/૧૨/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરમ આવે જ્યાં બારણે,ત્યાં નરમ થઇ જવાય
કુદરતનીજ આ લીલામાં, જન્મ સફળ થઇ જાય
                          ………શરમ આવે જ્યાં બારણે.
મળતા માયામોહ જગતમાં,જાણે સાગર તરી જાવ
એક એક  પળ ઉભરો રહેતા,ના આગળનુ સમજાય
કુદરતની આ કામણ લીલા,સમયે જ પરખાઇ જાય
પડે જ્યારે એ જીવનમાં,ત્યાં જીવન નર્ક બની જાય
                         ………..શરમ આવે જ્યાં બારણે.
અભિમાન આવે આંગણે ,ત્યાં માનવતા ચાલી જાય
સોળે સજી શણગાર લાવે, જ્યાં જ દિલ વકરી  જાય
એક જ દ્રષ્ટિ પડે  પ્રભુની, ત્યાં સઘળુ વિસરાઇ જાય
શરમને છાંયડેબેસેમાનવી,ત્યાં જીવનનરમ થઇજાય
                               …….શરમ આવે જ્યાં બારણે.
અગ્નિ ટાઢક ના સાથે ચાલે,અલગ અલગ અનુભવાય
પ્રેમની પણ છે નજરએવી,જે જીવનેદેહ મળતા દેખાય
મળેત્યાં થોડી ભક્તિસાચી,જ્યાં હાથ જોડી પ્રભુ ભજાય
આવે સરળતા મહેંક લઇને,ત્યાં પાવન જન્મ થઇ જાય
                              ……….શરમ આવે જ્યાં બારણે.

===================================

November 27th 2009

ભક્તિનો આનંદ

                        ભક્તિનો આનંદ

તાઃ૨૬/૧૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમંદિરના બારણા ખોલતાં,હૈયે અનંત આનંદ થાય
સંતજલાસાંઇની સેવા કરતાં,જીવે ભક્તિ ઉજ્વળ થાય
                      ……….મનમંદિરના બારણા ખોલતા.
પ્રભાતનીમીઠી લહેર પામતા,જીવને શાંન્તિ મળી જાય
હૈયે ટાઢક મેળવી લેતા,કુદરતનીકૃપા ત્યાં વરસી જાય
પંખીનાકલરવને માણી,પુષ્પની મીઠીમહેંક આવી જાય
જીવજગતને શાંન્તિમળતા,જીવન સુખીસુખી થઇ જાય
                      ……….મનમંદિરના બારણા ખોલતા.
ભક્તિ ગીતોની પાવનવાણી,માનવદેહ ને સ્પર્શી જાય
મનુષ્ય જીવન સાર્થક લાગતા,પવિત્ર જીવ છે હરખાય
કરુણાનાવરસાદની વેળામાં,મહેંક પુષ્પપાંદડે મળીજાય
આગમનનો ના અણસાર રહે,પણ અંત સુધરી જ જાય
                     ……….મનમંદિરના બારણા ખોલતા.

**************************************

« Previous PageNext Page »