March 21st 2019

પ્રેમ પકડજો

.            .પ્રેમ પકડજો 

તાઃ૨૧/૩/૨૦૧૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ દેહને સંબંધ છે સમયનો,ના જગતપર કોઇ દેહથી છટકાય
માનવદેહ એ કૃપા પરમાત્માની,જે અવનીપરના આગમનેજ દેખાય
......પરમપ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં નિર્મળપ્રેમ પકડતા અનુભવ થાય. 
કુદરતની પવિત્રલીલા મળે દેહને,જે જીવને સુખશાંંતિ આપી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,એજ પાવનરાહ દેહની કહેવાય
નિર્મળરાહે જીવન જીવતા,અનેક દેહનો નિખાલસ પ્રેમ મળી જાય
નાકોઇ મોહ રહે કે નાકોઇ અપેક્ષા રહે,જીવ પર એકૃપા કહેવાય
......પરમપ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં નિર્મળપ્રેમ પકડતા અનુભવ થાય.
કર્મનોસંબંધ એ જીવને આગમન આપે,જે મળેલદેહથી સ્પર્શી જાય
પરમાત્માથી પાવનરાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધાભાવથી ભક્તિ કરાય
સગાસંબંધી એ દેહને સ્પર્શ કરીજાય,જે ભુતકાળનો સંબંધ કહેવાય
નાકોઇ જીવથી દુર રહેવાય અવનીપર,જ્યાં કળીયુગનો સ્પર્શ થાય
......પરમપ્રેમની ગંગા વહે જીવનમાં,જ્યાં નિર્મળપ્રેમ પકડતા અનુભવ થાય.
==========================================================
December 8th 2018

કલમકેડી

.              .કલમકેડી    

તાઃ૮/૧૨/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા મા સરસ્વતીની,જે કલમપ્રેમીને કલમની પવિત્રરાહ આપી જાય
અદભુતરાહે કલમ પકડતા,કલમનીકેડી જગતમાં પવનનીરાહે પ્રસરી જાય
......એ અજબકૃપા માતાની કલમપ્રેમી પર,જે દુનીયામાં કલમથી સ્પર્શી જાય.
શ્રધ્ધાનો સંગાથ રાખતા કલમપ્રેમી,આંગળીના સહવાસે કલમથી લખી જાય.
આંગળી ચીંધે નિખાલસ પ્રેમીઓને વાંચનથી,જે મનને શાંંન્તિય આપી જાય
કલમછે પ્રેરણા માતાની પ્રેમીપર,જે આંગળીથી વાંચકને પ્રેરણા આપી જાય
સરળ જીવનમાં પાવનરાહ મળે,સંગે ના કોઇ મોહ માયા જીવને અડી જાય
......એ અજબકૃપા માતાની કલમપ્રેમી પર,જે દુનીયામાં કલમથી સ્પર્શી જાય.
પકડેલ કલમથી અનંતપ્રેરણા મળે,જે માનવજીવોને સુખશાંંન્તિએ દોરી જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,પરમાત્માની પરમકૃપાનો પ્રેમ મળી જાય
આવતીકાલને પારખી લેવા જીવને,કલમપ્રેમીઓ કલમથી પ્રેરણા આપી જાય
અનંત શાંંન્તિનો સંગાથ મળે જીવનમાં,એજ નિર્મળ કલમપ્રેમીઓનો છે પ્રેમ
......એ અજબકૃપા માતાની કલમપ્રેમી પર,જે દુનીયામાં કલમથી અપાઈ જાય.
===========================================================

	
November 5th 2018

અદભુત કૃપા

.               .અદભુત કૃપા   

તાઃ૫/૧૧/૨૦૧૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહને અનુભવનીગંગાનો સંગાથ મળે,જીવનમા અનેકરાહ એ આપી જાય
કુદરતની આ અદભુતકૃપા અવનીપર,અનેક જન્મના સબંધથી દેહને મળી જાય
.....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ જ સમજાય.
દેહ મળેલ જીવને સગાસંબંધીઓનો સહવાસ,જે દેહને અનેક સાથ આપી જાય
આગમનવિદાયની કેડી એતો દેહને,કરેલ કર્મનાસંબંધથી જીવનમાંરાહ દઈ જાય
પાવનરાહનો સાથમળે દેહને અવનીપર,જ્યાં નિર્મળભાવથી શ્રધ્ધા ભક્તિ કરાય
ના જીવનમાં કોઇ આશા રહે દેહની,કે ના કદી કોઇ અપેક્ષા જીવનમાં રખાય 
.....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ જ સમજાય.
નિર્મળજીવનનો સંગાથ મળે પ્રભુકૃપાએ,જે દેહને અનેકરીતે શાંંન્તિ આપી જાય
મળેલ માનવ દેહને પવિત્ર કર્મનો સંગાથ મળે,જે પરિવારને ઉજવળ કરી જાય
કરેલ કર્મ એજ જીવનો સંબંધ છે અનેકદેહથી,જે સમય સમયે મળતો થઈ જાય
એ લીલા છે પરમાત્માની અવનીપર,જે જીવને આગમનવિદાયનો સંગંધ દઈજાય
.....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ જ સમજાય.
================================================================
November 2nd 2018

જીવનો દેહ

.             .જીવનો દેહ        

તાઃ૨/૧૧/૨૦૧૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપરના આગમનનો સંબંધ,જીવને અનેકદેહ મળતા અનુભવાય
કર્મનીકેડી એ સંબંધ છે દેહના,જે ગતજન્મથી થયેલ કર્મ દોરી જાય
....એ અવનીપર અનેકદેહથી ઓળખાય,જે પશુપક્ષીપ્રાણીમાનવથી ઓળખાય.
મળેલ માનવ દેહને કર્મની કેડી મળે,જે જીવનમાં કર્મ થતા સમજાય
બીજા અનેકદેહ છે અવનીપર,જેને કદીય ના કોઇ જ સમજણ થાય
અદભુત લીલા અવીનાશીની છે જગત પર,જે સમય સમયે જ દેખાય
માનવજીવનની છે એકજ કેડી,જે નિર્મળજીવન જીવતા અનુભવ થાય
....એ અવનીપર અનેકદેહથી ઓળખાય,જે પશુપક્ષીપ્રાણીમાનવથી ઓળખાય.
નિરાધાર દેહ મળે જીવને જગતપર,જેને પશુપક્ષીપ્રાણીજાનવર કહેવાય
પરમાત્માની આ કેડી કહેવાય,જે થયેલ કર્મના બંધને દેહ આપી જાય 
જીવને મળેલ માનવદેહને પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધારાખી ભક્તિ થાય
નિર્મળરાહ મળે પ્રભુની જીવને,જે અનેક સ્વરૂપે ધરતીપર આવી જાય 
....એ અવનીપર અનેકદેહથી ઓળખાય,જે પશુપક્ષીપ્રાણીમાનવથી ઓળખાય.
===========================================================

	
October 23rd 2018

સમયની સમજણ

.                      .સમયની સમજણ

તાઃ૨૩/૧૦/૨૦૧૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયને ના પકડાય કોઇથી જગતમાં,કે ના કોઇથીય કદીદુર રહેવાય
અજબશક્તિશાળી છે અવનીપર,પારખીને ચાલતા શાંંન્તિઆપી જાય
....એજ અદભુતલીલા અવીનાશીની,અનેકરાહે જીવોના દેહને સમજ આપી જાય.
દેહ મળે જીવને અવનીપર,જે થયેલ અનેક કર્મના બંધનથી મેળવાય
જગતપર દેહને સમયજઅડે,જે બાળપણ જુવાની ઘડપણ આપી જાય
કુદરતની અજબલીલા જ કહેવાય,જગતપર નાકોઇથી કદી દુર રહેવાય
સરળ જીવનનો સંગાથમળે દેહને,જ્યાં નિર્મળ ભાવનાએ જીવનજીવાય
....એજ અદભુતલીલા અવીનાશીની,અનેકરાહે જીવોના દેહને સમજ આપી જાય.
જીવનમાં મળેલ દેહ જો સમયને સમજીને ચાલે,તો શાંંન્તિ મળી જાય
પરમાત્મા તકલીફ આફતને દુર રાખે,જે જીવને શ્રધ્ધાભક્તિ આપીજાય
મળેલ માનવ દેહની માનવતા પ્રસરે,જ્યાં કુદરતની કૃપાની વર્ષા થાય
જીવનમાં કર્મનીકેડીની સમજ મળે જીવને,જે સમયસમયે પરખાઈ જાય
...એજ અદભુતલીલા અવીનાશીની,અનેકરાહે જીવોના દેહને સમજ આપી જાય.
=============================================================
June 9th 2018

મનનો મેળ

.           મનનો મેળ 

તાઃ૯/૬/૨૦૧૮             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની જ્યોત પ્રગટે જગતમાં,જયાં પાવનરાહથી જીવન જીવાય
માનવતાની મહેંકપ્રસરે અવનીએ,જે કુટુંબની પવિત્રકેડીએ દેખાય
.....એજ સંત જલાસાંઇની ચીંધેલ કેડી પકડતા,પરમાત્માની કૃપા થઇ જાય.
નિર્મળજીવન એ માનવીની સમજ,જે અનુભવથી આત્માને સમજાય
આંગણે આવી પ્રેમ સંગે કૃપા મળે,એજ ભગવાનની લીલા કહેવાય
મનને મળેલ વિચારની ગાથા,સત્માર્ગે જીવતા શ્રધ્ધાભક્તિ મળીજાય
નામોહની કોઇ માયા લાગે જીવનમાં,કે નાઆફત કોઇ આવી જાય
.....એજ સંત જલાસાંઇની ચીંધેલ કેડી પકડતા,પરમાત્માની કૃપા થઇ જાય.
શાંંન્તિ નો સહવાસ મળે જીવનમાં,એ પવિત્રરાહ દેહને આપી જાય
મનને મળેલ નિખાલસતાએજ જીવતા,મળેલ જન્મ પાવન થઇ જાય
અનેક જીવોને જલાસાંઇની રાહે શાંંન્તિ આપતા સુખની વર્ષા થાય
અજબ શક્તિશાળી દેવના અનેક સ્વરૂપ,જે અવનીએ દેખાઈ જાય
.....એજ સંત જલાસાંઇની ચીંધેલ કેડી પકડતા,પરમાત્માની કૃપા થઇ જાય.
===========================================================
June 7th 2018

જન્મનુ બંધન

.           .જન્મનુ બંધન   

તાઃ૭/૬/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના અનેકદેહ એબંધન જીવના,કર્મની કેડીએ મેળવાય
માનવદેહ એજ કૃપા પરમાત્માની,જે જીવને સત્માર્ગે દોરી જાય
.....કરેલકર્મ એજ છે જીવનુ બંધન,જે જન્મમરણના બંધનથી અનુભવાય.
અનેકજીવોનુ આગમન ધરતીપર,જે પશુપક્ષીને માનવથી દેખાય
કુદરતકેરી પવિત્રકેડી દુનીયા પર,જીવને અનેક રાહ આપી જાય
સરળ જીવનની રાહ મળે જીવને,જે દેહને પવિત્રરાહે દોરી જાય
પવિત્રકર્મ એ મળે કૃપાએ,જે જીવથી નિર્મળ શ્રધ્ધાએજ મેળવાય
.....કરેલકર્મ એજ છે જીવનુ બંધન,જે જન્મમરણના બંધનથી અનુભવાય.
માયામોહનો સંબંધ એ કળીયુગની લીલા,એ સમયે પરખાઈ જાય
પાવનકર્મ એકૃપા પ્રત્યક્ષ શ્રીસુર્યદેવની,સંગે રાંદલમાતા આવી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જે પવિત્રકર્મની કેડીઆપી જાય
જીવને સંબંધ અવનીપર આવનજાવનનો,એઅનેકદેહથી સ્પર્શીજાય 
.....કરેલકર્મ એજ છે જીવનુ બંધન,જે જન્મમરણના બંધનથી અનુભવાય.
=========================================================


	
June 4th 2018

પાવનજીવન

.         .પાવન જીવન        

તાઃ૪/૬/૨૦૧૮           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ છે પરમાત્મા,જગતપર જીવનેઅનેક રાહે સહેવાય
શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરતા,જીવની નિર્મળ જ્યોત પ્રગટી જાય
.....પવિત્ર જીવનની રાહ મળે,જે જીવને મળેલ જન્મસફળ કરી જાય.
મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાં પાવનરાહે ભક્તિ કરાય
અપેક્ષાપર અંધકાર રાખતા,શ્રધ્ધાએ પરમાત્માની પુંજા થાય
અનેકદેહથી અવનીને પાવનકરી,જે માનવીએ અનુભવ થાય
સદમાર્ગની રાહ ચીંધે પરમાત્મા,મળેલદેહને ઉજવળ કરીજાય
.....પવિત્ર જીવનની રાહ મળે,જે જીવને મળેલ જન્મસફળ કરી જાય.
સવાર સાંજની પાવનરાહે જીવાય,એ સુર્યદેવની કૃપા કહેવાય
ભક્તિમાર્ગની રાહમળે,જ્યાં પાવનભાવથી નિર્મળભક્તિ થાય
સરળતાનો સહવાસ મળે,પરમાત્મા દેહને આંગળી ચીંધીજાય
નામોહની કોઇ માયા સ્પર્શે,કે નાજીવથી કોઇ માગણી થાય
.....પવિત્ર જીવનની રાહ મળે,જે જીવને મળેલ જન્મસફળ કરી જાય.
========================================================
January 17th 2018

માનવીની મહેંક

.        .માનવીની મહેંક 

તાઃ૧૭/૧/૨૦૧૮            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની અજબકૃપાએ જગતપર,અદભુતલીલાઓ અનુભવાય
મળેલદેહને સંબંધનો સ્પર્શ થાય,જે થયેલ કર્મથી સમજાઈ જાય
.....પરમકૃપા મળે પરમાત્માની,જે મળેલ માનવજીવનને મહેંકાવી જાય.
સરળજીવનનો સંબંધ મળે દેહને,જે નિર્મળરાહે જીવન આપી જાય
ના તકલીફનો કોઇ સ્પર્શ અડે,કે ના મોહમાયાની ચાદર મેળવાય
નિર્મળ ભક્તિની રાહ મળે દેહને,જે સંત જલાસાંઇની રાહે લેવાય
માનવજીવનને અનંત શાંંતિ મળે,જે ના કોઇ અપેક્ષા આપી જાય
.....પરમકૃપા મળે પરમાત્માની,જે મળેલ માનવજીવનને મહેંકાવી જાય.
કુદરતની એજ કૃપા મળેલ જીવપર,જીવને દેહ મળતા અનુભવ થાય
શ્રધ્ધા ભક્તિની પવિત્રરાહે જીવતા,થયેલકર્મથી માનવતા મહેંકી જાય
કરેલકર્મ માનવ જીવનને સ્પર્શે,એ મળેલ દેહના સંબંધને સ્પર્શી જાય
ના અપેક્ષાની કોઇ માગણી રહે,કે ના કોઇજ મોહ દેહને અડી જાય
 .....પરમકૃપા મળે પરમાત્માની,જે મળેલ માનવજીવનને મહેંકાવી જાય.
========================================================

 

January 8th 2018

સફળતાનો સહવાસ

.         .સફળતાનો સહવાસ  

તાઃ૮/૧/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનને સંબંધ સ્પર્શે,જે અનેક સમયનો સંગ આપી જાય
ના કોઇની તાકાત જગતમાં,કે એ સહેવાસથી એ દુર થઈ જાય
......એજ માનવતાને સ્પર્શે જગતપર,જે કુદરતની અદભુત કેડી કહેવાય.
મોહ એતોછે કળીયુગની કેડી,અવનીપર મળેલ દેહને સ્પર્શી જાય
આગમન થયેલ જીવથી જગતપર,નાકોઇ દેહથી જીવનમાં છટકાય
પવિત્રરાહની કેડી શ્રધ્ધાભક્તિથી મળે,જલાસાંઇની રાહ મળી જાય
નાઆફત અડે જીવનમાં,ત્યાં દેહને સફળતાનો સહવાસ મળી જાય
......એજ માનવતાને સ્પર્શે જગતપર,જે કુદરતની અદભુત કેડી કહેવાય.
મળેલદેહની એજ લાયકાત જીવનમાં,દરેક પગલે પ્રભુકૃપા મળી જાય
સરળ જીવનની રાહે રહેતા,સગા સંબંધીઓનો નિર્મળ પ્રેમ મેળવાય
અનંત આનંદની કેડી મળે જીવનમાં,ના કોઇજ અપેક્ષા સ્પ્ર્શી જાય
નિર્મળ જીવનમાં જીવન જીવતા,મળેલ ઘરનુ આંગણુ પવિત્ર થઈજાય
......એજ માનવતાને સ્પર્શે જગતપર,જે કુદરતની અદભુત કેડી કહેવાય.
=======================================================

	
« Previous PageNext Page »