January 5th 2018

ક્યાંથી ક્યારે

.           .ક્યાંથી ક્યારે        

તાઃ૫/૧/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સ્પર્શે જીવને અવનીપર,એ કુદરતની કરામત કહેવાય
ક્યાંથી આવશો ને ક્યારે જશો,નાકોઇ જીવને કદી સમજાય
.....એજ અજબલીલા પરમાત્માની,જે સાચી શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
કરેલ કર્મનો સંબંધ છે જીવને,જે અવનીપર દેહ મળે દેખાય
પ્રાણી પશુ કે માનવદેહ અવતર,દેહ મળતા રાહને મેળવાય
દેહને સ્પર્શે છે કરેલ કર્મ,જીવને ક્યાંથી ક્યાંય એ લઈ જાય
પ્રેમની પાવનરાહે જીવતા જીવને,જલાસાંઇની રાહ મળી જાય
.....એજ અજબલીલા પરમાત્માની,જે સાચી શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
મળેલ દેહથી થયેલ કર્મથી,જગતપર આવનજાવન સ્પર્શી જાય
અજબ શક્તિશાળી છે પરમાત્મા,જીવને જગતપર ફેરવી જાય
નાકોઇ જીવને સ્પર્શે સમય કે ના કોઈ જીવથીય કદી છટકાય
એજ પાવનકૃપા છે પ્રભુની જગતપર,નિર્મળ જીવનથી સમજાય
.....એજ અજબલીલા પરમાત્માની,જે સાચી શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
======================================================
January 4th 2018

પ્રેમનો સ્પર્શ

.          .પ્રેમનો સ્પર્શ
તાઃ૪/૧/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ દેહનો સંબંધ અનેરો,જીવને અનેક સ્પર્શથી સમજાઈ જાય
નાકળીયુગથી કોઈ જીવ છટકે,જે અવનીપરના આગમનથી દેખાય
....એ કુદરતની છે જ્યોતનિરાળી,જે નિર્મળશ્રધ્ધાએ પ્રેરણા આપી જાય.
પાવનકર્મથી રાહ મળે માનવતાની,જન્મમરણના બંધન આપીજાય
કરેલકર્મ એ દેહનાસંબંધ અવનીએ,જે માબાપાની કૃપાએ મેળવાય
નિર્મળરાહે જીવન જીવતા જીવપર,અનંત નિર્મળપ્રેમની વર્ષા થાય
મળેલપ્રેમનો સ્પર્શ થાય જીવનમાં,જે નિખાલસ જીવન આપી જાય
....એ કુદરતની છે જ્યોતનિરાળી,જે નિર્મળશ્રધ્ધાએ પ્રેરણા આપી જાય.
કર્મના બંધન એતો કુદરતની કેડી,નાકોઇ જીવથી જગતમાં છટકાય
દેહ મળે અવનીપર જીવને,એજ કુદરતની સરળ સમયલીલા કહેવાય
માનવજીવનની મહેંક પ્રસરે મળેલદેહની,જે ભક્તિપ્રેમથી જ મેળવાય
પ્રેમની પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની રાહે જીવાય
....એ કુદરતની છે જ્યોતનિરાળી,જે નિર્મળશ્રધ્ધાએ પ્રેરણા આપી જાય.
======================================================

 

December 23rd 2017

જન્મ અને મરણ

.          .જન્મ અને મરણ        

તાઃ૨૩/૧૨/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જન્મમરણ નો સંબંધ છે જીવને,જગતમાં ના કોઇથીય છટકાય
કાયામાયાની તો સાંકળછે અદભુત,એ દેહના વર્તનથીજ દેખાય
.......એજ છે કુદરતની લીલા,અવનીપરના સંબંધથી સમજાઇ જાય.
મળે જીવને માવનવદેહ અવનીપર,એ પરમાત્માની કૃપા કહેવાય.
કર્મના બંધન એ સંબંધ જીવના,જગત પર દેહ મળતા જ દેખાય
પાવનરાહ એ પવિત્ર કર્મની કેડી,જે શ્રધ્ધાએ કરેલ ભક્તિથી થાય
ઉજવળ જીવન એ કૃપા પ્રભુની,સંત જલાસાંઇની કેડીએ મેળવાય
.......એજ છે કુદરતની લીલા,અવનીપરના સંબંધથી સમજાઇ જાય.
જીવને સ્પર્શે કરેલ કર્મ અવનીપર,જે જન્મમરણના બંધનેજ દેખાય
મળેલ દેહનો સંબંધ કરેલકર્મથી,એ પશુપક્ષી માનવદેહ આપી જાય
વાણીવર્તનને ભક્તિ મળે માનવદેહને,જે જીવને સદમાર્ગે દોરી જાય
જીવને સંબંધ છે દેહથી અવનીએ,જે સમય સમયેજ સમજાઈ જાય
.......એજ છે કુદરતની લીલા,અવનીપરના સંબંધથી સમજાઇ જાય.
====================================================
October 31st 2017

શીતળતાનો સહવાસ

.                 . શીતળતાનો સહવાસ

તાઃ૩૧/૧૦/૨૦૧૭                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ માનવદેહને અવનીપર,અનેક સંબંધ સ્પર્શી જાય
અદભુતલીલા અવિનાશીની,જે મળેલદેહને અનુભવથી સમજાય
......દેહને શીતળતાનો સહવાસ મળે,જે નિર્મળ ભક્તિએ મેળવાય.
મળેલદેહ એજીવથી થયેલ કર્મથી,અવનીપરના આગમને દેખાય
માનવદેહ મળે જીવને અવનીએ,જે દેહને સમજણ આપી જાય
નિર્મળ ભાવનાએ જીવન જીવતા,ના આશામોહ કદી અડી જાય
શ્રધ્ધા ભાવના એ દેહને સ્પર્શે,જે મળેલ દેહને પાવન કરી જાય
......દેહને શીતળતાનો સહવાસ મળે,જે નિર્મળ ભક્તિએ મેળવાય.
નિમિત બને છે માબાપ અવનીપર,જે સંતાનને દેહ આપી જાય
પાવનરાહને પામવા દેહથીજીવનમાં,કૃપાળુ પરમાત્માની પુંજા થાય 
મળેલ દેહની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં સન્માનનીરાહ મળી જાય
એજ કૃપા સંત જલાસાંઇની જીવનમાં,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
......દેહને શીતળતાનો સહવાસ મળે,જે નિર્મળ ભક્તિએ મેળવાય.
=====================================================
September 8th 2017

ભક્તિનો સ્પર્શ

.              .ભક્તિનો સ્પર્શ 
તાઃ૮/૯/૨૦૧૭                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ પરમાત્માનો પ્રેમ પામતા,માનવદેહને સરળજીવન મળી જાય
અદભુતલીલા છે અવિનાશીની જગતપર,જે નિર્મળ ભક્તિ એજ સમજાય
.....એજ પાવનકર્મ જે દેહને સ્પર્શે,એજ જન્મ મરણના સંબંધને આપી જાય.
નિખાલસ ભાવથી કરેલ ભક્તિ,જીવને પાવનરાહે પવિત્રકેડીએ લઈ જાય
કર્મના બંધન એજ દેહને સ્પર્શે,જે જીવને દેહ મળતા અનુભવ થઈ જાય
ઉજવળ પ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જે દેખાવની દુનીયાને આંબી જાય
મળતી માયાને મળતા મોહને સમજી લેતા,કર્મનીકેડી જીવન સુધારી જાય
.....એજ પાવનકર્મ જે દેહને સ્પર્શે,એજ જન્મ મરણના સંબંધને આપી જાય.
કુદરતની સાંકળ છે અદભુત અવનીપર,જે જીવોને અનેક માર્ગે લઈ જાય
સરળ જીવન એજ કૃપા પરમાત્માની,જે જીવનમાં માનવતા મહેંકાવી જાય
લઘર વઘર એ કળીયુગથી અડકે દેહને,જગતમાં ના કોઇનાથીય છટકાય
આગમન વિદાય એતો છે કુદરતનીલીલા,સરળ જીવન જીવતાએ સમજાય
.....એજ પાવનકર્મ જે દેહને સ્પર્શે,એજ જન્મ મરણના સંબંધને આપી જાય.
==========================================================
August 8th 2017

સમયનો સંગાથ

..Image result for . સમયનો સંગાથ...
.          .સમયનો સંગાથ    

તાઃ૮/૮/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

દેહને મળે પાવન રાહ અવનીએ,જ્યાં જીવનમાં સમયનો સંગાથ મેળવાય
પવિત્રરાહને પામીને જીવતા દેહને,અનેકનો અનંત નિખાલસપ્રેમ મળીજાય
.....મળેલ દેહને કૃપા મળે પરમાત્માની,જે જીવને પવિત્રપ્રેમની રાહ આપી જાય.
સમય ના પકડાય કોઇથીય જગતમાં,એ મળેલ દેહને મૃત્યુ સુધી લઈ જાય
આવનજાવન એબંધનછે દેહના અવનીએ,જે કુદરતની અજબકૃપા કહેવાય
કરેલકર્મ એ જીવનનીકેડી જગતપર,એસમયને સમજીને નિર્મળતાએ જીવાય
પાવનપ્રેમની રાહ મળે દેહને,જ્યાં નિખાલસ રાહે પરમાત્માને પ્રાર્થના થાય
.....મળેલ દેહને કૃપા મળે પરમાત્માની,જે જીવને પવિત્રપ્રેમની રાહ આપી જાય.
નિર્મળ ભાવના એ પવિત્ર રાહ છે જીવની,ના અપેક્ષાનીકેડી કોઇ શોધાય
એજકૃપા સંત જલાસાંઇની પ્રદીપપર,પવિત્રભક્તિની નિર્મળરાહ આપી જાય
નાકોઇ અપેક્ષા રહે જીવનમાં,કે ના કોઇજ મોહમાયાનો સંબંધ પણ થાય
કૃપાએ ના જીવને જન્મની કેડી મળે,જે દેહને અંતે મુક્તિ માર્ગથી સમજાય
.....મળેલ દેહને કૃપા મળે પરમાત્માની,જે જીવને પવિત્રપ્રેમની રાહ આપી જાય.
===============================================================
August 1st 2017

કર્મ અને ધર્મ

.         .કર્મ અને ધર્મ   

તાઃ૧/૮/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને લાવે કરેલ કર્મ અવનીપર,જે દેહ મળતા જીવને સમજાય
પાવનરાહની પવિત્રકેડી મળે દેહને,જે પવિત્ર ધર્મથી પકડાઇજાય
....અજબલીલા છે ગજાનંદ ગણપતિની,જે તેમની પકડેલ કલમથી મેળવાય.
આગમન અને વિદાય જીવનો,એ કરેલકર્મના બંધનથી મળી જાય
કુદરતની પાવનરાહ મળે અવનીપર,જે દેહના કરેલ કર્મથી લેવાય
અભિમાન કે માનને દુરરાખીને જીવતા,જીવનમાં સરળતા મેળવાય
એજ કર્મબંધન છે જીવના,જે અવનીપર અનેકદેહ મળે સ્પર્શીજાય
....અજબલીલા છે ગજાનંદ ગણપતિની,જે તેમની પકડેલ કલમથી મેળવાય.
પવિત્રકુળના સંતાન ગણપતિ,જેના માતા પાર્વતી ને પિતા ભોલેનાથ
અજબ શક્તિશાળી છે ભોલેનાથ,જે પવિત્રધર્મને સમજીનેજ જીવાય
હિંદુધર્મ એ પવિત્રધર્મની જ્યોત છે,જે અનેકજીવોને રાહ આપી જાય
કરેલ કર્મ એજ ધર્મથી સ્પર્શે દેહને,એ જીવનેપાવન પ્રેમ આપી જાય
....અજબલીલા છે ગજાનંદ ગણપતિની,જે તેમની પકડેલ કલમથી મેળવાય.
=========================================================

	
July 21st 2017

લાગણીમાગણી

.           .લાગણીમાગણી 
તાઃ૨૧/૭/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

લાગણી માગણી એ જીવનમાં સ્પર્શે દેહને.જગતમાં ના કોઇથી છટકાય
અવનીપરના બંધનથી એજ મળે દેહને,જે અપેક્ષાના વાદળ વર્ષાઇ જાય
......પરમલીલા પરમાત્માની જગતપર,અનેકરીતે જીવનમાં એ સ્પર્શી જાય.
માનવ દેહને જ્યાં લાગણી સ્પર્શે,ત્યાં મળેલ દેહ તકલીફથી દુર રહી જાય
શાંંતિની કૃપા મળે પરમાત્માની દેહને,જે કુદરતનીજ નિર્મળ કૃપા કહેવાય
ભક્તિ માર્ગને પકડી ચાલતા જીવને,જીવનમાં અદભુત અનુભવ થઈ જાય
એજ સાચી લાગણી મળેલ કહેવાય,જ્યાં નાકદીય કોઇ અભિમાન રખાય
......પરમલીલા પરમાત્માની જગતપર,અનેકરીતે જીવનમાં એ સ્પર્શી જાય.
અવનીપરના આગમને માનવદેહ મળે,જેને માગણીની અપેક્ષા અડી જાય
જીવનમાં સમયનો સાથ મળેછે દેહને,જે મળેલદેહને સુખદુઃખ આપી જાય
કર્મના સંબંધની આ છે લીલા અવનીએ,જીવનમાં કદી એઆફત દઈજાય
મળેલદેહને સ્પર્શે છે કરેલ કર્મ,જે કળીયુગ કે સતયુગની લીલાજ કહેવાય 
......પરમલીલા પરમાત્માની જગતપર,અનેકરીતે જીવનમાં એ સ્પર્શી જાય.
=======================================================
July 17th 2017

સુર્યદેવની કૃપા

...Image result for surya mandir borsad...
.             .સુર્યદેવની કૃપા  

તાઃ૧૭/૭/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપાળુ છે અને પ્રત્યક્ષદેવ પણ,જગતપર એ સુર્યનારાયણ જ કહેવાય
અનંતકૃપા અનેક જીવો પર કરે છે,જે તેમની કૃપાનો અનુભવ પણ થાય
.....એજ પ્રત્યક્ષદેવ છે જેમના ઉદયઅસ્તથી,દુનીયાને સવાર સાંજ મળી જાય.
અજબ શક્તિશાળી દેવ છે,જેમના પુત્રોને વંદન કરતા શાંંન્તિ મળી જાય
ના કોઇ અપેક્ષા જીવનમાં રહે જીવને,જે તેમની પરમ કૃપાએ જ મેળવાય
મળેલ દેહને સ્પર્શે છે શ્રધ્ધા સુર્યદેવપર,એજ પાવનરાહ દેહને આપી જાય
અર્ચના કરીને પ્રાર્થના કરવા પ્રત્યક્ષ દેવને,ૐ હ્રીમ સુર્યાય નમઃથી સ્મરાય
.....એજ પ્રત્યક્ષદેવ છે જેમના ઉદયઅસ્તથી,દુનીયાને સવાર સાંજ મળી જાય.
અનેક દેવોની પુજા કરવા જીવનમાં,મંદીર,મસ્જીદ અને ચર્ચમાં ભક્તિ થાય
સવાર સાંજ નાપકડાય એ જગ્યાએ,જ્યાં મુર્તીને પડદાથી ઉઘાડ બંધ કરાય
પ્રત્યક્ષ દર્શન થાય ઉદયથી,ને સુર્યદેવ વિદાય લેતા જગત આખુ સુઈ જાય
એજ શક્તિશાળી દેવ જગતપર,મળેલ દેહને પવિત્રરાહે મુક્તિમાર્ગ દઈ જાય
.....એજ પ્રત્યક્ષદેવ છે જેમના ઉદયઅસ્તથી,દુનીયાને સવાર સાંજ મળી જાય.
===========================================================
July 16th 2017

આવી શાંંન્તિ

.           .આવી શાંન્તિ 
તાઃ૧૬/૭/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરના મળેલ દેહને જીવનમાં,અનેક માર્ગનો સંગાથ મળી જાય
કુદરતની અજબ લીલા અવનીએ,મળેલ સંગાથ સુખદુઃખથી સમજાય
......મળે આવીને શાંંન્તિ જીવનમાં,જે નિર્મળ શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
પરમાત્માની કૃપા મળે જીવને,જે મળેલ દેહને અનુભવથી સ્પર્શી જાય
શ્રધ્ધા ભક્તિ કરતા જીવનમાં,મળેલ આગમનને વિદાયએ આપી જાય
દેહના બંધન એ જકડે જીવને,જે જન્મ મરણના બંધનથી જ સમજાય
પાવનરાહે જીવન જીવતા ધરતી પર,અનેક સંબંધથી જીવને દુર રખાય
......મળે આવીને શાંંન્તિ જીવનમાં,જે નિર્મળ શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
મળેલદેહની જ્યોતપ્રગટે અવનીપર,જે અનેકજીવોને પ્રેરણા આપી જાય
સત્કર્મનોસંગાથ રહેતા જીવનમાં,નાઆફત કે તકલીફ આવી મળી જાય
સફળ જીવનની રાહ મળે દેહને,જ્યાં સંત જલાસાંઇની કૃપા થઈ જાય
આંગણે આવીને શાંંતિ મળે જીવનમાં,અનંત શાંંન્તિની વર્ષા થતી જાય
......મળે આવીને શાંંન્તિ જીવનમાં,જે નિર્મળ શ્રધ્ધા ભક્તિએ મેળવાય.
========================================================
« Previous PageNext Page »