July 13th 2017
...
...
. .આવ્યો પ્રેમ
તાઃ૧૩/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગણે આવ્યો પાવનપ્રેમ,જીવનમાં પરમાત્માની કૃપા આપી જાય
અંતરને ના અભિમાન અડે કદી,જીવનમાં અનંતશાંંન્તિ મળી જાય
....મળે નિખાલસ પ્રેમ જ્યાં કૃપાએ,એજ દુઃખસાગરને દેહથી દુર કરી જાય.
નિર્મળજીવન એ માનવતાને સ્પર્શે,દેહના કર્મ અને વર્તનથી દેખાય
સુખસાગરની રાહ મળે જીવનમાં,જે આવેલ નિર્મળપ્રેમથી મેળવાય
શ્રધ્ધા સંગે ભક્તિ કરતા જીવપર,જલાસાંઇનો પ્રેમ પણ મળી જાય
પવિત્રભાવનાએ અંતરની લાગણી,જે નિખાલસ જીવન આપી જાય
....મળે નિખાલસ પ્રેમ જ્યાં કૃપાએ,એજ દુઃખસાગરને દેહથી દુર કરી જાય.
જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં પવિત્ર નિર્મળપ્રેમ આવી જાય
કુદરતની આ અજબ છે લીલા જગતપર,અનેકરાહથી એ દોરી જાય
કરેલકર્મ જ સ્પર્શે છે જીવને ધરતીપર,એ જ જન્મમરણ આપી જાય
નિર્મળને નિખાલસપ્રેમ આવે આંગણે,જીવને ઉજવળરાહ મળી જાય
....મળે નિખાલસ પ્રેમ જ્યાં કૃપાએ,એજ દુઃખસાગરને દેહથી દુર કરી જાય.
=========================================================
July 13th 2017
. .જલાસાંઇની જ્યોત
તાઃ૧૩/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલદેહ એ અવનીપરનો સંબંધ,જે આગમન વિદાયથી સમજાય
પવિત્રરાહની નિર્મળકેડી મળે દેહને,જ્યાં પરમાત્માની પરમકૃપા થઈ જાય
......જગતમાં પવિત્રભુમી એભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ પાવન કરી જાય.
દેહલીધો અવનીપર અયોધ્યામાં પરમાત્માએ,જે રામના નામથી ઓળખાય
નિર્મળ જીવનની રાહ મેળવીને જીવતા,સંગે સીતામાતાની પણ કૃપા થાય
અનેક જીવોને જ્યોત મળી જીવનમાં,જે પાવનકર્મ કરાવી જીવન જીવાય
મળેલ દેહને કૃપા મળે પરમાત્માની,એ દ્વારકાધીશ શ્રી કૃષ્ણથીય મેળવાય
......જગતમાં પવિત્રભુમી એ ભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ પાવન કરી જાય.
સમયની સાંકળ ના પકડાય કોઇથી,એ તો યુગોથી જગતને સ્પર્શી જાય
દેહ મળ્યો જીવને વીરપુરમાં,જે પિતા પ્રધાન માતા રાજબાઈથી મેળવાય
જલારામ નામથી ઓળખાય,ને સંગે વિરબાઇ જીવોને અન્નદાન દઇ જાય
અજબકૃપાળુ જીવનમાં પરમાત્મા પરખકરી,ઝંડોઝોળી આપીને ભાગી જાય
......જગતમાં પવિત્રભુમી એ ભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ પાવન કરી જાય.
ના માતા પિતા નિમીત બન્યા કે ના કોઇથી એ શેરડીમાં દેહ મેળવી જાય
પરમાત્માની એ લીલા છે શેરડીમાં,જે બાળક આવતા દ્વારકામાઈ લઈ જાય
પાવનજીવનની જ્યોતપ્રગટાવી અવનીપર,જે દેખાવસંગે અભિમાન છોડીજાય
દેહ મુકી દેહ વિદાય સંગે ધર્મ પકડતા,દેહ જમીનમાં વિલીન થઈ જાય છે
......જગતમાં પવિત્રભુમી એ ભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ પાવન કરી જાય.
=============================================================
July 7th 2017
. .રાહ પ્રેમની
તાઃ૭/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મનાબંધન જન્મથી સ્પર્શે જીવને,જે અવનીપરના આગમને દેખાય
કુદરતની આ લીલા છે જગતપર,માનવદેહ મળતા ઉંમર અડી જાય
.....પાવન જીવનની કેડી મળતા,નિર્મળ જીવન સંગે રાહ પ્રેમની મેળવાય.
મળેલ જીવનની જ્યોતપ્રગટે અવનીએ,જ્યાં પવિત્રભાવે ભક્તિ થાય
નાકોઇ આશા રાખતા થતી ભક્તિએ,નિર્મળતાની ગંગા સ્પર્શી જાય
સ્નેહ મળે જ્યાં દેહને જીવનમાં,જે પરમાત્માની પરમ કૃપાય કહેવાય
સદબુધ્ધીની પાવનકેડીએ જીવતા,મળેલ દેહે જીવનેશાંંન્તિ મળી જાય
.....પાવન જીવનની કેડી મળતા,નિર્મળ જીવન સંગે રાહ પ્રેમની મેળવાય.
જીવને મળેલદેહ એ કરેલ કર્મનાસંબંધ,જગતમાં ના કોઇથીય છટકાય
જન્મમળે જ્યાં માનવદેહનો જીવને,ત્યાં પશુપક્ષી પ્રાણીથી દુર રહેવાય
સમજણનો સંગાથરહે જીવનમાં,પાવનપ્રેમનોસંગ નિર્મળજીવન દઈ જાય
અદભુત લીલા અવિનાશીની અવનીએ,જે પવિત્રપ્રેમના સંબંધે સમજાય
.....પાવન જીવનની કેડી મળતા,નિર્મળ જીવન સંગે રાહ પ્રેમની મેળવાય.
=======================================================
July 5th 2017
. .ના પકડાય
તાઃ૫/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના આગમનને સંબંધ સ્પર્શે,આ જગતમાં નાકોઇથી છટકાય
જીવને મળેલ આ દેહ અવનીએ,જે કર્મની સાંકળથી જ પકડાઈ જાય
....અનેકદેહ મળે જીવને અવનીએ,ફક્ત માનવદેહ મળે જ્યાં સમજીને જીવાય.
કર્મબંધનની સાંકળ છે નિરાળી,જે જીવને ધરતીપર દેહ મળે સમજાય
કુદરતની અજબલીલા છે જગત પર,ના કોઇ જ દેહથી અહીં છટકાય
ગઈકાલ એભુતકાળ કહેવાય,અને આવતીકાલ એ બની જાયછે આજ
નાકોઇથી પકડાય સમયને અવનીએ,કે નાકોઇથી એની સાથે રહેવાય
....અનેકદેહ મળે જીવને અવનીએ,ફક્ત માનવદેહ મળે જ્યાં સમજીને જીવાય.
જગતપર સમયની સાથે ચાલવુ પડે,એ પરમાત્માની કૃપાએ જ સમજાય
મળેલ દેહને સંગ રહે જીવનમાં,જ્યાં દેખાવથી ના કોઇથીય દુર રહેવાય
જન્મમળે જ્યાં જીવને અવનીપર,જેને ઉંમર અડે જેદેહને મૃત્યુથી દેખાય
જીવનેસંબંધ આગમનવિદાયથી મળે,ના કોઇની તાકાત એને પક્ડી જાય
....અનેકદેહ મળે જીવને અવનીએ,ફક્ત માનવદેહ મળે જ્યાં સમજીને જીવાય.
===========================================================
July 2nd 2017
....
...
. .સરળ જ્યોત
તાઃ૨/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને અવનીએ સંબંધ સ્પર્શે,જે મળેલ જ્યોતથી પ્રગટી જાય
કર્મની નિર્મળકેડી એ દેહનો સંબંધ,અવનીપરના આગમને સમજાય
.....મહેંક પ્રસરે માનવતાની સંસારમાં,જે સંત જલાસાંઇની કૃપાએ મેળવાય.
કૃપાની નિર્મળરાહ એ દેહને સ્પર્શે,જે કર્મના બંધનથી જ મળી જાય
કુદરતની આ અજબલીલા જગતપર,મળેલ દેહથી કદીય ના છટકાય
માનવદેહએ રાહદે જીવને,જે થકી શ્રધ્ધાએ જીવને મુક્તિપણ દેખાય
કર્મના બંધન કળીયુગમાં જકડે જીવને,એ સરળ જ્યોતથી દુર જવાય
.....મહેંક પ્રસરે માનવતાની સંસારમાં,જે સંત જલાસાંઇની કૃપાએ મેળવાય.
ભક્તિભાવનાએ જીવને જીવતા,પાવનરાહ દેહને અવનીએ મળી જાય
મોહમાયા ના જકડે દેહને,જે પરમાત્માની કૃપાએ પાવનરાહ દઈ જાય
આગમન વિદાયનો સંબંધ ના રહે જીવને,જ્યાં પ્રભુની દ્રષ્ટિ પડી જાય
નિર્મળ જીવન મળે ભક્તિએ અવનીએ,જે જીવનો અંતીમ દેહ કહેવાય
.....મહેંક પ્રસરે માનવતાની સંસારમાં,જે સંત જલાસાંઇની કૃપાએ મેળવાય.
=========================================================
June 29th 2017
. .સ્પર્શે માયા
તાઃ૨૯/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની છે આ કામણગારી લીલા,જે સમયની સંગે ચાલી જાય
કરેલકર્મના બંધન સ્પર્શે જીવને,કળીયુગ સતયુગના બંધને દેખાય
....અજબલીલાનો સંગ મળે,ત્યાંજ જીવનમાં માયાનો સ્પર્શ થઈ જાય.
અવનીપરનુ આગમન એ કર્મની કેડી,જીવ આવનજાવનથી બંધાય
લાગણીને મોહ એ સ્પર્શે દેહને,જે દેહથી થતા કર્મથી જ સમજાય
માનવદેહ કૃપા પરમાત્માની,જીવથી ભક્તિએ મુક્તિ માર્ગ મેળવાય
આગમન વિદાયએ જીવનીકેડી,અનેક દેહથી અવનીએ મળી જાય
....અજબલીલાનો સંગ મળે,ત્યાંજ જીવનમાં માયાનો સ્પર્શ થઈ જાય.
મોહ એ લાગણીની કેડી,ઘણી વખત નિર્મળ જીવનને અડી જાય
સરળ જીવનનીરાહ મળેદેહને,જ્યાંશ્રધ્ધાએ જલાસાંઇનીભક્તિ થાય
પ્રેમની પાવનરાહ મળતા જ,ના કોઇ અપેક્ષાના વાદળ વર્ષી જાય
મળેલ માનવ જીવનને નાસ્પર્શે,મોહકેમાયા જે જીવને જકડી જાય
....અજબલીલાનો સંગ મળે,ત્યાંજ જીવનમાં માયાનો સ્પર્શ થઈ જાય.
======================================================
June 11th 2017
. .ચીંધેલ જ્યોત
તાઃ૧૧/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમનો સાગર તો જગતને સ્પર્શે,પરમાત્માની કૃપા કહેવાય
નિર્મળસ્નેહ એ જ્યોત પ્રેમની,માનવ જીવનમાં મળી જાય
......એજ પ્રેમ અંતરનો છે જે જીવનમાં,પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
પરમકૃપાળુ એ પ્રભુ છે,દુનીયામાં મળેલદેહથી સમજાઈ જાય
કર્મનો સંબંધ એ દેહને સ્પર્શે,જે દેહ મળતા જીવને સમજાય
કરેલ પાવનકર્મ એ માનવદેહ,અવની પર આવતા અનુભવાય
નાભાવના કે નાઅપેક્ષા કોઇ,એ ઉજવળ જીવન આપી જાય
......એજ પ્રેમ અંતરનો છે જે જીવનમાં,પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
વડીલને વંદન એ સંસ્કાર છે જીવના,જે પાવનરાહે દોરી જાય
કળીયુગની આ સાંકળ છે એવી,મળેલ આફતથી સમજાઈ જાય
પવિત્રરાહની ચીંધે આંગળી,ત્યાં માનવી પવિત્રજ્યોતે જીવી જાય
અદભુત શક્તિશાળી પરમાત્મા,જીવને અંતે મુક્તિમાર્ગે લઈ જાય
......એજ પ્રેમ અંતરનો છે જે જીવનમાં,પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
======================================================
June 9th 2017
. .અજ્ઞાન
તાઃ૯/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવન એજ કૃપા પ્રભુની,જે જીવને કર્મની કેડીથી સમજાય
મળેલ જન્મને સાર્થક કરવા,જીવનમાં સતકર્મની સાંકળને પકડાય
....વર્તન સમજીને કરતા જીવને,પ્રભુકૃપાએ જ્ઞાનથી જીવન પાવન મળી જાય.
અવનીપરના આગમનને યુગસ્પર્શે,જે દેહને ઉપર નીચે લઈ જાય
જીવને બંધનછે કર્મના અવનીપર,એજ જ્ઞાન અજ્ઞાનથી સમજાય
સમજણની રાહ પવિત્ર છે,જે મળેલ દેહના વર્તનથી સ્પર્શી જાય
કુદરતની લીલા છે અતિન્યારી,જે જીવના આવનજાવનથી દેખાય
....વર્તન સમજીને કરતા જીવને,પ્રભુકૃપાએ જ્ઞાનથી જીવન પાવન મળી જાય.
સફળતાનો સહવાસ મળે જીવનમાં,જ્યાં નિર્મળતાનો સંગ લેવાય
અનેક ઉપાધીને આંબી લેવા જીવનમાં,જલાસાંઇની કૃપા મેળવાય
અપેક્ષાના વાદળ એ કળીયુગની સાંકળ,ના કોઇ જીવથી છટકાય
નિર્મળ જીવનની રાહ પામવા જીવનમાં,અજ્ઞાનતાથી દુરજ રહેવાય
....વર્તન સમજીને કરતા જીવને,પ્રભુકૃપાએ જ્ઞાનથી જીવન પાવન મળી જાય.
==========================================================
June 1st 2017
. .કુદરતની કરામત
તાઃ૧/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી છે જગતમાં,જેને સમજણથી કુદરત કહેવાય
અવનીપર મંદીર જતા પગેલાગીને,પથ્થર કે ફોટાને પ્રભુ કહેવાય
....એજ શ્રધ્ધા કહેવાય જ્યાં નામળે કોઇ ફળ કે જેની અપેક્ષાએ જીવાય.
પરકૃપાળુ પરમાત્મા જેઅનેક રૂપે,અવનીએઆવી વિદાય લઈ જાય
લીધેલ દેહથી જગતમાં જીવન જીવવાની,એ પવિત્રરાહ આપી જાય
પવિત્ર ભુમી એ ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા દેહ લઈ જાય
સંસ્કારની શીતળ કેડીએ, માનવ દેહની જ્યોત સમયે પ્રગટી જાય
....એજ શ્રધ્ધા કહેવાય જ્યાં નામળે કોઇ ફળ કે જેની અપેક્ષાએ જીવાય.
કુદરતની આ કરામત છે જગતમાં,જે અબજો વર્ષોથી સ્પર્શી જાય
મળેલદેહ એ કર્મના બંધન છે જીવના,જગતમાં ના કોઇથી છટકાય
નિર્મળભાવનાએ જીવન જીવતા,પ્રભુકૃપાએ કર્મનાબંધન છુટતા જાય
મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાં જલાસાંઇથી પાવનરાહ મેળવાય
....એજ શ્રધ્ધા કહેવાય જ્યાં નામળે કોઇ ફળ કે જેની અપેક્ષાએ જીવાય.
=======================================================
April 30th 2017
.કીર્તન
તાઃ૩૦/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કીર્તન એ રતન છે જીવનુ,જીવનમાં સુખસાગર દઈ જાય
કૃપાળુ પ્રેમની થાય વર્ષા,મળેલ માનવજીવન મહેંકી જાય.
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
નિર્મળ જીવનનો સંગ થઇ જાય,ના મોહમાયા સ્પર્શી જાય
એજ પાવનરાહ છે જીવનમાં,ભક્તિભાવ કીર્તનથી મેળવાય
મનથી કરેલ નિર્મળભક્તિ,જીવને મળેલદેહ સાર્થક કરીજાય
નામાગણી કળીયુગમાં કોઇ,કે ના અપેક્ષાના વાદળ ઘેરાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
જલારામની જ્યોત પ્રગટી,જ્યાં અનેક જીવોને ભોજન દેવાય
વિરબાઈમાની પવિત્ર રાહ હતી,જ્યાં પરમાત્માય ભાગી જાય
સંત સાંઈબાબાની જ્યોતપ્રગટી,જ્યાં માનવજીવન સ્પર્શીજાય
ભેદભાવને છોડીને જીવતા અવનીએ,જન્મ સાર્થક થઈ જાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
==================================================