October 17th 2014

સ્નેહની સાંકળ

.                    .સ્નેહની સાંકળ

તાઃ૧૭/૧૦/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાણી વર્તન છે સ્નેહની સાંકળ,પાવનકર્મ કરાવી જાય
મળે જીવને પ્રેમનિખાલસ,એજ સુખશાંન્તિ આપી જાય
……………અવની પરના આગમને જીવથી કર્મ પવિત્ર થાય.
માનવદેહ એ છે  કૃપા પ્રભુની,જે સમજણથી જ સમજાય
અવનીપરના આગમનમાં,જીવને કર્મબંધન  સ્પર્શી જાય
ભક્તિરાહની નિર્મળ કેડી,શ્રીજલાસાંઇની કૃપાએ મેળવાય
અંતે આવી દર્શન દઈ જાય,એજીવની સાચીભક્તિ કહેવાય
…………….અવની પરના આગમને જીવથી કર્મ પવિત્ર થાય.
આધી વ્યાધી આંબે કળીયુગમાં,નાકોઇ જીવથીય છટકાય
દેખાવની ભક્તિ એ કળીયુગી કાતર,અભિમાને મળી જાય
સંકટ આવે દોડી જીવનમાં,અવનીએ કોઇથી ના છટકાય
મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાં ભક્તિ શ્રધ્ધાએથાય
…………….અવની પરના આગમને જીવથી કર્મ પવિત્ર થાય.

===================================

October 8th 2014

સંતાનની કેડી

.                      .સંતાનની કેડી

તાઃ૮/૧૦/૨૦૧૪                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળે માબાપનો અંતરથી,ને સાથે સંસ્કારનેય સચવાય
આવી મળે ઉજ્વળ કેડી સંતાનને,જલાસાંઇની કૃપા કહેવાય
…………….જન્મ મળે અવનીએ માબાપથી,કર્મબંધન મળી જાય.
અવનીપરના આગમને,બાળકને માબાપનો પ્રેમ મળી જાય
ઉંમરની પકડીઆંગળી ચાલતો જીવ,સમયને એસમજી જાય
વાણી વર્તનને સાચવી લેતાં,વડીલના આશીર્વાદ મળી જાય
ભક્તિની દોર પકડે સંસ્કારથી,જે મમ્મીની કૃપા જ મેળવાય
…………….જન્મ મળે અવનીએ માબાપથી,કર્મબંધન મળી જાય.
જીવને રાહ મળે સાચી પપ્પાથી,જે જીવન ઉજ્વળ કરી જાય
ભણતરના સોપાન સાચવતા,જગતમાં લાયકાત મળીજાય
મારૂતારૂની નામાયા સ્પર્શે,કે નાકોઇ અપેક્ષાય જીવથીરખાય
સંતાનની કેડી ઉજ્વળ બનતા,મળેલ જન્મ સફળ થઈ જાય
……………..જન્મ મળે અવનીએ માબાપથી,કર્મબંધન મળી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++++

September 19th 2014

ભક્તિ જ્યોત

 .                   .ભક્તિ જ્યોત

તાઃ૮/૯/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રેમની મળે જીવને,ઉજ્વળ રાહ મળી જાય
પ્રેમ પારખી જીવન જીવતા,ના મોહમાયા છલકાય
.                   ………………..જ્યોત પ્રેમની મળે જીવને.
માતાની મમતા મેળવતા,બચપણ સચવાઇ જાય
મળે પિતાનો પ્રેમ સંતાનને,ઉજ્વળરાહ મળી જાય
લાગણી મોહને દુર રાખતા,જલાસાંઇની કૃપા થાય
ઉજ્વળ જીવનની એકજ કેડીએ,માનવતા મહેંકાય
.                     ………………..જ્યોત પ્રેમની મળે જીવને.
અનંતકર્મની કેડી અવનીએ,પામરજીવન આપી જાય
શ્રધ્ધારાખી ભક્તિ કરતા,પરમાત્માની કૃપા મળી જાય
કર્મના બંધન જકડે જીવને,સાચી ભક્તિએજ છુટી જાય
મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જન્મ મરણને છોડીજાય
.                     …………………જ્યોત પ્રેમની મળે જીવને.

===================================

February 24th 2014

નિર્મળ લાગણી

.                  .નિર્મળ લાગણી

તાઃ૨૪/૨/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી એટલી પ્રેમથી દેજો,જીવને એ શાંન્તિ આપી જાય
અતિ લાગણી મેળવી લેતાં,જીવને વ્યાધીઓ મળતી જાય
.                 ………………… લાગણી એટલી પ્રેમથી દેજો.
કુદરતની આ એજ કરામત,જીવને ક્યાંથી ક્યાંય લઈ જાય
નામાગણીની કોઇ કેડી જીવની,ત્યાં અતિ આફતો મળી જાય
સરળ જીવનનીરાહ લેવા,સંત જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
લાગણીમોહને આંબી લેતાં,જીવને નાકોઇ તકલીફઆપીજાય
.                  ………………….લાગણી એટલી પ્રેમથી દેજો.
સદગુણનો સહવાસ જીવનમાં,નિર્મળ લાગણી આપી જાય
પ્રેમભાવના અંતરથી મળતા,પ્રભુની અપારકૃપા થઇ જાય
કળીયુગની  જ્યાં કાતરછુટે,સાચી પ્રભુભક્તિના બંધનથાય
મળેલ દેહના પાવન કર્મે,અંતે જીવને મુક્તિમાર્ગ મળીજાય
.             ……………………. લાગણી એટલી પ્રેમથી દેજો.

=================================

February 19th 2014

શાને કાજે

.                         શાને કાજે

તાઃ૧૯/૨/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાને કાજે જીભડી ચલાવવી,મિથ્યા આ જીવનને કરી જાય
શાંન્તિનો સહવાસ શોધવા,વિશ્વાસ સાચી ભક્તિમાં રખાય
.                  …………………..શાને કાજે જીભડી ચલાવવી.
સમજણની જ્યાં સાંકળમળે,ત્યાંમનમાં પ્રથમ વિચાર થાય
પગલુ કોઇપણ ભરતા પહેલા,તેનો અંત પણ સમજાઇ જાય
નાહકની છે આ કળીયુગની  કેડી,મન અહીં તહીં ભટકી જાય
જીભલડીને પકડી રાખતા,આવતી આફતો પણ ભાગી જાય
.                 ……………………શાને કાજે જીભડી ચલાવવી.
માનવદેહને મનની વ્યાધી,લઘરવઘર આજીવન કરી જાય
અપેશા એ અંધકાર આપે જીવનમાં,માગણીમાં મન મોહાય
સમજણ સાચી મળતા મનને,શાને માટે કોઇ અપેક્ષા રખાય
મોહમાયા જ્યાં અડે જીવને,કળીયુગના બંધનેજજીવ બંધાય
.                 …………………….શાને કાજે જીભડી ચલાવવી.

++++++++++++++++++++++++++++++++

 

February 18th 2014

આલોક પરલોક

.                 આલોક પરલોક

તાઃ૧૮/૨/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આલોકને ના પારખે માનવી,ના અવનીએ કાંઇ સમજાય
પરલોકને પામવા માનવી જગે, ભગવુ પહેરીને ભટકાય
.             ………………….આલોકને ના પારખે માનવી.
કુદરતની આ અસીમ લીલા,જીવનુ આવનજાવન થાય
દેહ લઈને જીવ ભટકે અવનીએ,કળીયુગી કાયા કહેવાય
સકળજગતના કર્તા પરમાત્મા,લાગણીમોહથી છુટીજાય
અવનીપરના આગમન છે એવા,જીવ કર્મબંધને બંધાય
.              ………………….આલોકને ના પારખે માનવી.
પરલોકમાં રહેતા જીવને,અખંડ અસીમ કૃપા મળી જાય
શ્રધ્ધારાખી કરેલ ભક્તિએ,જીવ જન્મમરણથી છુટીજાય
સ્વર્ગની શીતળ કેડી મળતા,ના મોહમાયા કદી ભટકાય
આલોક પરલોકના બંધનછુટતા,સ્વર્ગીય સુખ મળીજાય
.              ………………….આલોકને ના પારખે માનવી.
==============================

January 29th 2014

શબ્દ વર્ષા

.                          શબ્દ વર્ષા

તાઃ૨૯/૧/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કયા શબ્દની ક્યારે વર્ષા,એ માનવીના વર્તનથી મેળવાય
અજબકૃપા અવિનાશીની જગે,જે શબ્દની વર્ષાએ સમજાય
.                         ………………….કયા શબ્દની ક્યારે વર્ષા.
નિર્મળતાનો સંગ રાખીને જીવતા,પાવનરાહ સાચી મળી જાય
કુદરતની જ્યાં કૃપા મળે જીવને,પ્રેમના શબ્દોનીજ વર્ષા થાય
ના ઉભરો કે ના ઓવારો જીવનમાં,સરળતાનો સંગ મળી જાય
સંત જલાસાંઇની કૃપા મળતા,જીવને જય જલાસાંઇ સંભળાય
.                          …………………. કયા શબ્દની ક્યારે વર્ષા.
આડી અવળી રાહ પકડતા જીવને,શબ્દોથી ઝાપટ પડતી જાય
ડગલેડગલુ ભરતા જીવનમાં,આડકતરી આફતોજ મળતી જાય
માનવતાની ના મહેંક રહે,કે ના જીવનમાં કોઇ ઉત્સાહ મેળવાય
માનવજીવન વ્યર્થ બની જતાં,શબ્દોથી ઠોકર વાગતી જ જાય
.                        …………………….કયા શબ્દની ક્યારે વર્ષા.

====================================

January 27th 2014

સ્નેહ સાંકળ

.                    .સ્નેહ સાંકળ

તાઃ૨૭/૧/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહની સાંકળ શીતળતા વરસાવે,દુઃખને ભગાડી જાય
ઉજ્વળતાની રાહ લેવા,શ્રધ્ધાએ ભક્તિ સાંકળ પકડાય
.     …………………..સ્નેહની સાંકળ શીતળતા વરસાવે.
અવનીપરનુ આગમન જીવનુ,એતો દેહ થકી જ દેખાય
મળેલ દેહને પાવન કરવા,માબાપની કૃપાએ મેળવાય
શ્રધ્ધારાખી સમજીચાલતાં,અંધશ્રધ્ધા નાકદી અથડાય
પાવનકર્મની કેડીમળે જીવને,આશીર્વાદે ગંગા વહીજાય
.     …………………..સ્નેહની સાંકળ શીતળતા વરસાવે.
સ્નેહની સાંકળ કર્મનાબંધન,જીવ અવનીએ જકડાઇ જાય
જન્મમરણના બંધનમળતા,જીવનુ વિદાય આગમનથાય
ભક્તિપ્રેમની નિર્મળ રાહે,જીવ પર જલાસાંઇની કૃપાથાય
મોહમાયાની સાંકળ છુટતાં જ, આ જીવ પવિત્ર થઈ જાય
.        ………………….સ્નેહની સાંકળ શીતળતા વરસાવે.

+++++++++++++++++++++++++++++++++++

January 25th 2014

કળીયુગનો પ્રેમ

.                    કળીયુગનો પ્રેમ

તાઃ૨૫/૧/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ પ્રેમની ગંગા મળતા,માનવ જીવન આ મહેંકાય
કળીયુગી પ્રેમની કાતર ફરતાં,આ જીવન વેડફાઇ જાય
.                   ………………….શીતળ પ્રેમની ગંગા મળતા.
મળે માબાપનો પ્રેમ અંતરથી,જીવન સરળ થઇ જાય
શ્રધ્ધા રાખી સેવાકરતા,માબાપની લાગણી ના દુભાય
કળીયુગના પ્રેમને લઇ સંતાન ફરતા,દુઃખજ મળી જાય
આશીર્વાદની કેડી છુટતા,જીવનમાં આફતો આવી જાય
.                   …………………શીતળ પ્રેમની ગંગા મળતા.
જીવને મળતી ઝંઝટો પણ ભાગે,જે કળીયુગમાં મેળવાય
આવી આંગણે શાંન્તિમળે,જે કળીયુગમાં નામળતી હોય
સમજી સાચી રાહ પકડતા,જીવ પર પ્રભુ કૃપા થઈ જાય
જીવને મળેલ કર્મબંધન,જલાસાંઇનીભક્તિએ છુટી જાય
.                    …………………શીતળ પ્રેમની ગંગા મળતા.

===================================

January 24th 2014

કુદરતી કોપ

.                  કુદરતી કોપ

તાઃ૨૪/૧/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગત આધારા જગત નીયંતા,પ્રભુ જગતના તારણહાર
જીવને ઝંઝટ કર્મથી જગતમાં,આગમન વિદાયને દેનાર
એવા પરમાત્માને જીવનમાં,જીવે કરવા વંદન વારંવાર
.                      ……………….. એવા પરમાત્માને જીવનમાં.
સતયુગ કળીયુગ એ દેહને સ્પર્શે,કર્મનાબંધનથી સહેવાય
માનવતાને જ્યાં સમજે માનવ,ત્યાં નિર્મળતા મેળવાય
અખંડપ્રેમ પરમાત્માને કરતાં,કૃપા જલાસાંઇની થઈજાય
મોહમાયાની ચાદર ઉડતા,જીવ જન્મમરણથી છટકીજાય
.                          ……………….એવા પરમાત્માને જીવનમાં.
સરળ જીવનને છોડી જીવ,જ્યાં અધોગતીના માર્ગે દોરાય
ઘર્મ વટાવી જીવો જગતમાં,કળીયુગે અધર્મના માર્ગે જાય
કુદરતનો ત્યાં કોપવરસે અવનીએ,જે કેદારનાથથી દેખાય
દેખાવના દર્શનને છોડી જીવનમાં,ઘરમાં જલાસાંઇ ભજાય
.                        …………………એવા પરમાત્માને જીવનમાં.

++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »