October 14th 2011

પતિ પ્રેમ

.                        પતિ પ્રેમ

તાઃ૧૪/૧૦/૨૦૧૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પતિ મારા છે પરમેશ્વર,ને મારા જીવનના ભરથાર
પળેપળે મને પ્રેમ આપે,ના તેમની તોલે કોઇ થાય
.                         ………….પતિ મારા છે પરમેશ્વર.
જીવનમાં હાથ પકડતાં મારો,સુખી કરી રહ્યા સંસાર
એવા મારા વ્હાલા પતિને જોતા,દીલ મારું હરખાય
નાનીમોટી વાત સાંભળી,હસી મારીતરફ જોઇ જાય
શાંન્તિ માગતા પહેલા મળી,પ્રભુની કૃપાએ કહેવાય
.                          …………પતિ મારા છે પરમેશ્વર.
સાંજ સવારે હસીને મળતાં,દીવસ આખો વીતી જાય
સમયનુ વ્હાણ સરળ ચાલતાં,ભવસાગર તરીજવાય
મળ્યામને માગેલાપતિદેવ,જલાસાંઇની કૃપા દેખાય
જન્મો જન્મની છે એજ અપેક્ષા,ભવોભવ સુધરી જાય
.                        …………..પતિ મારા છે પરમેશ્વર.

++++++++++++++++++++++++++++++++

October 11th 2011

કૃપાળુ સાંઇ

.                    . કૃપાળુ સાંઇ

તાઃ૧૧/૧૦/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇબાબા તો  છે કૃપાળુ,ને એતો દયાનો ભંડાર
સાચી ભક્તિ મનથી કરતાં,મળે કૃપાનો વરસાદ
.                  ……..એવા ભક્તોના વ્હાલા છે ભરથાર.
સ્મરણ માત્રથી શક્તિ દેતા,ને દેતા ભક્તોને સદમાર્ગ
મુંજવણ મનની ટાળી દેતા,દઈને જીવનમાં સહવાસ
રાખી જ્યોત જીવનમાં પ્રેમની,જે માનવતા દઈ જાય
મળે અંતે મોક્ષજીવને કૃપાએ,ને જન્મમરણ ટળી જાય
.                   ……..એવા ભક્તોના વ્હાલા છે ભરથાર.
માનવતાની મહેંક પ્રસરે,ત્યાં અદભુત પ્રેમ મળી જાય
સાંઇ સાંઇના સ્મરણ માત્રે,જીવથી મુક્તિ માર્ગ ખોલાય
આવીઆંગણે બાબા રહે,જે જીવનો હાથપકડી લઈજાય
કૃપાળુ સાંઇની કૃપાઅનોખી,સાચી ભક્તિએ મળી જાય
.                 ……….એવા ભક્તોના વ્હાલા છે ભરથાર.

<><><><><><><><><><><><><><><><><>

October 11th 2011

काशी ओर काबा

.                   काशी ओर काबा

ताः११/१०/२०११                  प्रदीप ब्रह्मभट्ट

श्रध्धा मनमें रहेती है,जहां भक्ति सच्ची  होती है
प्यार बाबाका मिलता है,जहां सबुरी साथ रहेती है
.                      ………….श्रध्धा मनमें रहेती है.
धर्म कर्मकी ना चिंता रहेती,जहां भेदभाव रहेते दुर
प्रेम पाना सच्चे दीलसे,मीले प्रेमभी बाबाका अतुट
ना काशी हो या काबा मनमें,जहां भक्ति हो भरपुर
मील जायेगें बाबा घरमें,नही रहेंगे तुमसे भीवो दुर
.                    ………….  श्रध्धा मनमें रहेती है.
देह मीले जगमें जीवको,मीलते बंधनभी जो अतुट
हिन्दु मुस्लीम एक होते,जहां  मीलती बाबाकी धुप
द्रष्टि एक होजाती सबकी,जहां सांइकी होती भक्ति
जन्मभी होता उज्वल,जहां सांइनामनी माला होती
.                     …………..श्रध्धा मनमें रहेती है.

——————————————————

September 29th 2011

જ્યોત જલીયાણની

.

.

.

.

.

.

.

.

.

.

.                   . જ્યોત જલીયાણની

તાઃ૨૯/૯/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં,ને સુખ શાંન્તિ મળી જાય
ભક્તિપ્રેમની રાહમળે,જ્યાં જ્યોત જલીયાણની મેળવાય
.                       ………….જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
ઉજ્વળજીવન જીવતાં જગતમાં,નિખાલસપ્રેમ મળી જાય
કુદરતની એકજદ્રષ્ટિ પડતાં,જીવનો જન્મ સફળ થઈ જાય
સંત જલારામની ભક્તિ ન્યારી,જ્યાં પરમાત્મા ભાગી જાય
શ્રધ્ધાપ્રેમની જ્યોતસંગે,વિરબાઇમાતા ભક્તિએ દોરી જાય
.                      ……………જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
જ્યોતમળે જ્યાં ભક્તિપ્રેમની,અંતે  જીવનેમુક્તિ મળી જાય
રામનામની માળા કરતાં જીવનમાં,સંગે અન્નદાન થઈ જાય
આવી આંગણે માગે પરમાત્મા,ધન્ય માનવ જન્મ થઈ જાય
જ્યોત જલીયાણની મળતાં જીવને,ભક્તિની રાહ મળી જાય
.                        …………..જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.

++++++++++++++++++++++++++++++++++++

September 26th 2011

તારો સંગાથ

.             …..તારો સંગાથ

તાઃ૨૬/૯/૨૦૧૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદમ કદમ તારો સાથ રહે તો,જીવને આનંદ થાય
પ્રેમ ભરેલી નજર મેળવતાં,સુખશાંન્તિ મળી જાય
.                      ………..કદમ કદમ તારો સાથ રહે તો.
મળતા પ્રેમનીકેડી દેહને,મનની મુંઝવણ ભાગી જાય
એક તારા સહવાસે જીવનમાં,સ્નેહ સાંકળને સમજાય
દરેક ડગલે હુંફ મેળવતાંજ,જીવનની રાહ શીતળ થાય
આવે આંગણે પ્રેમ દોડીને,ના કદી અપેક્ષાએ મેળવાય
.                     …………..કદમ કદમ તારો સાથ રહે તો.
મળ્યો મને જે સાથ તારો,મારી જીવનની મુડી થઈ જાય
નિર્મળ તારો પ્રેમ નિખાલસ,મારું ધન્ય જીવન પણથાય
સરળ પ્રેમની સીડી મેળવતાં,દેહે સાચીભક્તિ થઈ જાય
અપેક્ષાના વાદળ તુટતાં જીવનમાં,પ્રભુ કૃપા મળી જાય
.                       ………….કદમ કદમ તારો સાથ રહે તો.

******************************************

September 26th 2011

હર હર ભોલે

.                     હર હર ભોલે

તાઃ૨૬/૯/૨૦૧૧  (શિવરાત્રી ૨૦૬૭) પ્રદીપ બ્રહ્મભટ્ટ

હર હર ભોલે મહાદેવ ૐ, હર હર ભોલે મહાદેવ
બંમ બંમ ભોલે મહાદેવ,ૐ બંમ બંમ ભોલેનાથ
.                         ……….હર હર ભોલે મહાદેવ ૐ.
શીવ શંકરની ભક્તિ ન્યારી,જીવ મુક્તિએજ  દોરાય
શ્રધ્ધા રાખીને પ્રભુ ભજતાં,નિર્મળ જીવન થઇ જાય
આધી વ્યાધીથીઓ દુરજ રહેતા,પ્રભુ પ્રેમ મળી જાય
મા પાર્વતીની દ્રષ્ટિ પડતાં,આ જન્મ સફળ થઈ જાય
.                        …………..હર હર ભોલે મહાદેવ ૐ.
મહાદેવની ભક્તિ કરતાં,જીવપર પ્રભુ કૃપાપણ થાય
જન્મ સાર્થક મળેલ દેહનો,સતત સ્મરણથી થઈ જાય
શીતળતાનો સાથરહે જીવનમાં,વ્યાધીઓ ભાગી જાય
મૃત્યુ આંગણે આવતાં જીવને,ભોલેનાથના દર્શન થાય
.                         ………….હર હર ભોલે મહાદેવ ૐ.

+++++++++++++++++++++++++++++++++++=

September 8th 2011

ગુરુજી

.

.

.

.

.

.

.

.                         ગુરુજી

તાઃ૮/૯/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાનો મળે માર્ગ,જે જીવનો જન્મ સફળ કરી જાય
નિર્મળરાહે આંગળી ચીંધતા ગુરુજી,મુક્તિમાર્ગે દોરીજાય.
.                             …………….માનવતાનો મળે માર્ગ.
જન્મ મળતાં જીવને અવનીએ,નિશ્વાર્થ ભાવનાજ દેખાય
સહવાસ મળતાં જીવનમાં,અવનીએ આંટીઘુટી સમજાય
મળતી માયાની સાચી કેડી,ત્યાં મોહ પણ ભાગી જ જાય
શીતળતાની સવાર મળે જીવે,જ્યાં ગુરુભક્તિ સાચીથાય
.                                 …………..માનવતાનો મળે માર્ગ.
સંત જલારામે ઝંઝટછોડી,ને વિરબાઇ માતાએ છોડ્યા મોહ
ભક્તિ લીધી ગુરુ ભોજલરામથી,ને દઈ દીધી ભક્તિની દોર
કાયાનીમાયા મુકતાં માળીયે,જ્યાં અન્નદાનની લીધી પ્રીત
માર્ગ લઈ માનવતાનો વિરપુરમાં,ભક્તિ દોરની દીધી રીત
.                                  …………..માનવતાનો મળે માર્ગ.
+++++++++++++++++++++++++++++++++++=

September 5th 2011

ચોધાર આંસું

.                 .ચોધાર આંસું

તાઃ૫/૯/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શિતળ સ્નેહની જ્યોતને,જીવનમાં માણી લેછે પળવાર
હ્ર્દયપ્રેમની રીત નિરાળી,એ ચોધાર આંસુંએ વહીજાય.
.                           ……………શિતળ સ્નેહની જ્યોતને.
મળતાં મળેલ પ્રીતને જગતમાં,મળ્યાની પ્રીત કહેવાય
ક્યારે અટકે એ જીવનમાં,ના કોઇથી ક્યારેય એપરખાય
સગાસંબંધીના હેતને મેળવતાં,પ્રસંગ પાવન થઈ જાય
વિદાય દેતા એ અવસરથી,ક્યારેક ભુતકાળ કહી જવાય
.                           ……………શિતળ સ્નેહની જ્યોતને.
આંખને મળે જીંદગીમાં,અનેક પ્રકારના આંસુના સોપાન
ખુશીના આંસુ એ સમયથી ચાલે,જે ઘડીક પછીજ ભુલાય
સફળતાનો જ્યાં સાથ મળે,ત્યાં આનંદના આંસુ મેળવાય
વજ્ર ઘા પડે જ્યાં હ્રદયપર,ચોધાર આંસું નાકોઇથી રોકાય
.                           …………….શિતળ સ્નેહની જ્યોતને.

+++++++++++===========+++++++++++

September 2nd 2011

જલારામ

.                        જલારામ

તાઃ૨/૯/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવે કરેલી મનથી ભક્તિ,દેહ ને દઈ દે છે શક્તિ
જલારામની ભાવના નિરખી,પ્રભુએ ઝોળી લીધી
.                    ………….જીવે કરેલી મનથી ભક્તિ.
રામનામની માળાપકડી,જીવની ઝંઝટ ત્યાં છુટી
સંસારનીસાચી કેડી લેતાં,ત્યાં પ્રભુન કૃપા વરસી
સંતાનના સહવાસ સંગે,વિરબાઇએ ભક્તિ લીધી
પતિ પરમેશ્વર સમજતાં,ભગવાન ભાગ્યા ત્યાંથી
.                      ………..જીવે કરેલી મનથી ભક્તિ.
અન્ન્નદાનની રીત પારખી,જીવનમાં વણી લીધી
ભુખ્યાના ભગવાન કહેવાયા,ઝોળીને મુકી દીધી
આવી આંગણે હાથ પ્રસારી,માતાની સેવા માગી
ઉજ્વળ જન્મ કરી લીધોને,ભક્તિની રાહ બતાવી
.                    ………….જીવે કરેલી મનથી ભક્તિ.

++++++++++++++++++++++++++++++++++++

August 30th 2011

પ્રેમનો પ્રકાશ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                   . પ્રેમનો પ્રકાશ.

તાઃ૩૦/૮/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પિતા પ્રેમનીરીત નિરાળી,સંતાનની જ્યાંઆંગળી પકડાય
ભોલેનાથની છે રીત અનોખી,ગણેશજીને ઉંચકીને હરખાય
.                             ………..પિતા પ્રેમની રીત નિરાળી.
સૃષ્ટિનો સહેવાસ અનેરો સાથે,તોય નિર્મળ જીવન જીવાય
માતાપાર્વતીનો પ્રેમ પામે,જે જગતપર પ્રકાશે પ્રસરીજાય
ગૌરીનંદન અતિદયાળુ,જ્યાં ભક્તિની કેડી જીવને સમજાય
મળે પ્રેમ જો ભોલેનાથનો,તો જીવનો જન્મ સફળ થઈ જાય
.                         ……………પિતા પ્રેમની રીત નિરાળી.
ભાગ્ય વિધાતા પરમ દયાળુ,જ્યાં ગણપતિનું  પુંજન થાય
કર્મના બંધન અળગા થાય,જ્યાં રિધ્ધી સિધ્ધીને સમજાય
પ્રેમપરમાત્માનો છે નિખાલસ,જીવને સાચીરાહ આપી જાય
મુક્તિમાર્ગના દ્વાર ખોલતા,જીવને પ્રેમનો પ્રકાશ મળી જાય
.                         …………..પિતા પ્રેમની રીત નિરાળી.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

« Previous PageNext Page »