August 28th 2011

આશીર્વાદની છત

.               . આશીર્વાદની છત

તાઃ૨૮/૮/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનની માયા છે જગની કાયા,એના સરળતાએ સમજાય
જીવને જકડી ચાલતી કેડી,આશીર્વાદની છતથી તુટીજાય
.                        …………..મનની માયા છે જગની કાયા.
કરતાં કામ જીવનમાં મનથી,ત્યાં કર્મના બંધન છે બંધાય
મુક્તિના દ્વાર ખુલતાં જીવના,એ જીવ દેહથી અળગો થાય
કદીકની લાગતી માયા દેહને,જીવ સુખદુઃખમાં ભટકાવાય
મનથી મળતાં આશીર્વાદ દેહને,જીવની ઝંઝટ ભાગી જાય
.                        …………..મનની માયા છે જગની કાયા.
આશા અપેક્ષા દુર રાખતાં,જીવ પર કૃપા પ્રભુની થઇ જાય
અંતરથી મળે આશીર્વાદ સંતના,પાવનકર્મ થતા જ જાય
છત મળે જ્યાંપરમાત્માની,ત્યાં જીવે શુધ્ધ્તા મળતી જાય
અંતરમાં એઉમંગ વરસે,ના કોઇથીય એને મુખથી કહેવાય
.                          ………….મનની માયા છે જગની કાયા.

======================================

August 16th 2011

નજર પ્રેમની

.                          નજર પ્રેમની

તાઃ૧૬/૮/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર મળે ત્યાં હેત ઉભરાય,ને સાચો પ્રેમ મળી જાય
સરળતાનો સહવાસ લેતાં,જીવન સંગી એ બની જાય
.                       ………….નજર મળે ત્યાં હેત ઉભરાય.
લાગણી પ્રેમને ભાવના જોતાં,માનવીમન ખુબ હરખાય
સોપનમળે ઉજ્વળતાના જીવને,જગે દેહથી અનુભવાય
મોહમાયાની કદર મુકતાં,જીવનો  જન્મ સફળ થઈ જાય
માનવતાની મહેંક પ્રસરતાં,સાચી સંત કૃપા  મળી જાય
.                       ………….નજર મળે ત્યાં હેત ઉભરાય.
જીવનકેડી સરળ બને દેહની,ત્યાં બને સિધ્ધીના સોપાન
ડગલે પગલે સાથ મળે જગતમાં,ને ના મુંઝવણ  દેખાય
પ્રેમની નજર પડતાં દેહ પર, જીવનો જન્મ સાર્થક થાય
અતિઉભરાને દુરરાખતાં દેહથી,કુદરતનો પ્રેમ મળી જાય
.                       ………….નજર મળે ત્યાં હેત ઉભરાય.

================================

August 15th 2011

શ્રી શિવશંકર

.                     શ્રી શિવશંકર

તાઃ૧૫/૮/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ શિવશંકર ઓ ભોલેભંડારી,અજબ તમારી કરુણા ન્યારી
સ્વર્ગલોકમાં ને પૃથ્વીલોક પર,કિર્તી તમારી જગમાં વ્યાપી
.                      ………….ઓ શિવશંકર ઓ ભોલે ભંડારી.
પવિત્ર શ્રાવણમાસ જગતમાં,પવિત્રજીવોએ મુક્તિ લેવાની
ભક્તિ પ્રેમથી પાવન જીવન,જીવને સાચીરાહ છે મળનારી
ભજન ભક્તિનો સંગ મળતાં,પાવનકર્મ એ દેહે  કરાવનારી
ભોલેનાથની શક્તિન્યારી,જીવને જગથીમુક્તિ એજ દેનારી
.                    ……………ઓ શિવશંકર ઓ ભોલે ભંડારી.
સોમવારની આ શીતળપ્રભાતે,શ્રાવણમાસનો મહીમા જાણી
ૐ નમઃ શિવાયનું સ્મરણ કરતાં,જીવદેહને સદમાર્ગ દેનારી
મુક્તિમાર્ગની દોરછે ન્યારી,ભક્તિ પ્રેમથીજ મેળવી લેવાની
ગજાનંદની કલમનિરાળી,માતાપિતાની કૃપાએ મેળવવાની
.                       …………ઓ શિવશંકર ઓ ભોલે ભંડારી.

++++++++++++++++++++++++++++++++++

August 14th 2011

મહાનગર

.                    મહાનગર

તાઃ૧૪/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અમેરીકાથી હું આણંદ આવ્યો,મારું હૈયુ ખુબ હરખાય
નાની ગલીઓ વિશાળથતાં,એ મહાનગર થઈ જાય
.                      …………..અમેરીકાથી હું આણંદ આવ્યો.
ગૌરવ છે ગુજરાતનું આણંદ,ને અમુલ ડેરી ઓળખાય
અમુલ બટર ને ઘી જગતમાં વેચે,શાન બને શણગાર
વસ્તી,વાહન ખુબ વધ્યા છે,ના રસ્તો પણ ઓળંગાય
બાલ મંદીર ને હાઇસ્કુલો હતી,હવે કોલેજો પણ ભરાય.
.                       …………..અમેરીકાથી હું આણંદ આવ્યો.
માયા મનેછે આણંદથી,મારું બાળપણ હજુય ના ભુલાય
મિત્રોનો સહવાસહતો,ને ગોપાલજીતથી સંગીતનોસાથ
સિનેસર્કલથી કલાકારોનોપ્રેમ,મને દરેક પ્રોગ્રામે દેખાય
સંગીતની મને મળીદોરી,જે સાચા શિક્ષકનાપ્રેમે લેવાય
.                       …………..અમેરીકાથી હું આણંદ આવ્યો.
નાની નાની ડગલીઓ ભરતો,હવેતો વાહનોથી જ ફરાય
ગામડાની ગલીઓ ચલાય,હવેતો શહેરની શેરી ઉભરાય
ડગલુ ચાલતાંજ મિત્રો મળતાં,હવે ફોન કરીને જ જવાય
સમયની આઅજબ બલીહારી,જે ત્યાં પહોંચતાં મેળવાય
.                       …………..અમેરીકાથી હું આણંદ આવ્યો.

***************************************

August 2nd 2011

કરુણા સાગર

.                            . કરુણા સાગર

તાઃ૨//૨૦૧૧ .                         . પ્રદીપ બ્રહ્મભટ્ટ્

તિથી વિધીનો ના કોઇ સાર,મળી જાય ભક્તિનો સાથ
ઉજ્વળ કેડી જ્યાં જીવને મળે,ત્યાં મુક્તિદ્વાર ખુલી જાય
.                           ………તિથી વિધીનો ના કોઇ સાર.
મનથી કરતાં ભક્તિ પ્રભુની,રાહ  જીવનમાં મળી જાય
આવતી વ્યાધી દુર જ ભાગે,ના એ દુઃખ દઈ  શકે લગાર
જન્મમળતાં જીવનેદેહનો,દઈજાય એઅણસાર મુક્તિનો
ભક્તિભાવનો સંગમેળવતાં,વરસે જીવે કરુણાનો વરસાદ
.                              ……..તિથી વિધીનો ના કોઇ સાર.
નિર્મળભાવના મનમાંરાખી,સંત જલાસાંઇને પ્રેમે ભજાય
રાહ મળેછે જીવનમાં સાચી,જે દેહના વર્તનથી મેળવાય
કરુણા સાગરનો જ્યાં સંગમળે,ત્યાં પ્રેમથી પાવન થવાય
સદબુધ્ધીનો માર્ગ મળતાંદેહે,થતાં સૌકામ સફળ થઈજાય
.                             ………તિથી વિધીનો ના કોઇ સાર.

=========================================

August 1st 2011

અર્ધ નારીશ્વર

________અર્ધ નારીશ્વર________

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                     ૐ નમઃ શિવાય

.શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તિભાવથી અર્પણ.

તાઃ૧/૮/૨૦૧૧                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ ભોલેનાથ,ઓ ત્રિશુળધારી,
.                   ઓ વિશ્વનાથ,ઓ જગત આધારી;
ઓ પાર્વતીપતિ પરમેશ્વર,ઓ અર્ધનારીશ્વર,
.                    ઓ ત્રિલોકવાસી,ઓ ભોલે ભંડારી;
ઓ ભોળાનાથ ઓ વિષધારી,લેજો પ્રેમે ભક્તિ સ્વીકારી
.                        ………….ઓ ભોલેનાથ,ઓ ત્રિશુળધારી.
રોજ સવારે પુંજન કરતાં,પવિત્ર જીવન અમને મળતાં
સુખ શાંન્તિની જ્યોતજોતાં,મનમાં શાંન્તિમેળવીલેતા
નિરાધારના આધાર તમે છો,જીવનનો સંગાથ તમે છો
ત્રિલોકમાં વસવાટ કરીને,ભક્તિથી જીવોને મુક્તિ દેજો
.                          …………ઓ ભોલેનાથ,ઓ ત્રિશુળધારી.
નિર્મળપ્રેમની જ્યોત પ્રગટાવી,દેહને શાંન્તિ પ્રેમે દેજો
આવી આંગણે પ્રેમજ લેજો,મળેલ જીવન ઉજ્વળ કરજો
સુખ શાંન્તિ ને સ્નેહે સાંકળજો,ભક્તિમાર્ગે  લાગણી દેજો
દેહ મળેલા જીવને અવનીએ,મુક્તિ ટાણે સાથે જ રહેજો
.                          ………….ઓ ભોલેનાથ,ઓ ત્રિશુળધારી.

*****************************************

July 29th 2011

ઘોડીયુ ગમે

.                     ઘોડીયુ ગમે

તાઃ૨૯/૭/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ શાંન્તિભાઇ,ઓ રાવજીભાઇ,ઓ મંજુબેનના ભાઇ
સાંભળો મારીવાત,હું સાચુ કહુ,મને ઘોડીયુ ગમે ભઇ
.                 …………ઓ શાંન્તિભાઇ,ઓ રાવજીભાઇ.
ના સવાર બપોર કે સાંજ નડે,ને ના તાપ કે અંધકાર
અરે મળે આનંદઓઢીને ડોલતાં,ના કોઇથીય છોડાય
ભુખ લાગે ત્યારે ના ભસવાનું,ઉંઆ ઉંઆ કરવાનું તંઇ
મળીજાય બાટલી મોંઢામાં,ફરીપાછુ પારણે ઝુલવાનું
.                …………..ઓ શાંન્તિભાઇ,ઓ રાવજીભાઇ.
નામારે કોઇ કામકરવાનું,ના ટેબલ ખુરશીએ બેસવાનું
આરામ કરતાં પગ હલાવું,ને શીતળ કપડુયે ઓઢવાનું
મનનેમઝા ને તનનેઆનંદ,શાંન્તિ ભરીને ઉંઘી લેવાનું
ટપલીપડતાં બુમ પાડવાની,છાનું રહેવા બચી લેવાની
.                   ………….ઓ શાંન્તિભાઇ,ઓ રાવજીભાઇ.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

July 22nd 2011

પ્રેમનો સાગર

                    પ્રેમનો સાગર

તાઃ૨૨/૭/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ખોબે ખોબે મળતાં પ્રેમથી,સાગર છલકાઇ જાય
હ્યુસ્ટનના લહીયાનીકલમે,ગુજરાતી ગૌરવ થાય
                     ……….ખોબે ખોબે મળતાં પ્રેમથી.
કલમની કેડી સરળ થતાં તો,સૌના દીલ  હરખાય
મળે પ્રેમનીકેડી કલમને,જે જગતમાં પ્રસરી જાય
ઉજ્વળતાનો સંગાથ રહેતાં,ના મોહમાયા ભટકાય
લહીયાઓની પ્રેમીનજરે,અહીં ઘણું બધુ મળીજાય
                     ………..ખોબે ખોબે મળતાં પ્રેમથી.
કલમ ચાલે માની કૃપાએ,જે જીવ નસીબદાર હોય
કેડીમળતાં પ્રેમનીજીવને,જગે પ્રેમ સાગર ઉભરાય
સાચી રાહ મળતાં દેહને,આ જન્મ સફળ થઈ જાય
હ્યુસ્ટન ગામને સલામકરતાં,સૌ લહીયાઓ હરખાય
                      ………..ખોબે ખોબે મળતાં પ્રેમથી.

++++++++++++++++++++++++++++++

July 11th 2011

પ્રેમની નજર

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                    પ્રેમની નજર

તાઃ૧૧/૭/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ પ્રભુનો સદા મળે,ને નિર્મળ જીવન થાય
માગણીભાગે દુર,જ્યાં પ્રેમનીનજર મળી જાય
                      ………..પ્રેમ પ્રભુનો સદા મળે.
સરળતાનો સહવાસ રહે,ને સફળતાય મેળવાય
લાગણી મોહ ભાગેદુર,જ્યાં વડીલને વંદન થાય
આશિર્વાદની એકછડી મળતાં,માનવતા મહેંકાય
ઉજ્વળ જીવન બનવાલાગે,ને જલાસાંઇ હરખાય
                     …………પ્રેમ પ્રભુનો સદા મળે.
શીતળ વાયરો મળતાં દેહને,મન મારું મલકાય
શાંન્તિનો સંગાથ દેહથી,ત્યાંમનને આનંદ થાય
નજરઅંતરથી નિર્મળપડતાં,જીંદગી સુધરીજાય
અંતદેહને મળે કૃપાથી,જીવને મુક્તિ મળી જાય
                       ………..પ્રેમ પ્રભુનો સદા મળે.

(((((((((((((())))))))((((((((())))))))))))

July 10th 2011

મારો અનુભવ

 

 

 

 

 

 

 

                          મારો અનુભવ

તાઃ૧૦/૭/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલજીરાથી મઝા મળી ગઈ,ના ટેસ્ટ ભુલાય તેનો
ખાધાપછી પાણીમાં પીવાથી,પેટે મળી જાય હેલો
એવુ જાલાની જલજીરા છે,કદી નાદેહે આળસ ભેંટે

સવારે ખાધા પછી કેપહેલાં,સ્વાદ મસ્ત તેનો લાગે
આળસને ખંખેરી નાખે જલ્દી,ને પેટનેરાખે એ સાફ
અપચાની નાવ્યાધી રહે,જ્યાં પચીજાય આપોઆપ
સુઘડ શરીર ને બાંધો મજબુત,ના દવા કોઇ વળગે
                     ………એવુ જાલાની જલજીરા ભઈ.
વર્ષોવર્ષનો છે મારો અનુભવ,પીવું છુ હુ ખાધા પછી
મનને શાંન્તિ મળી જાય,ને આળસ તો ભાગે આઘી
દેહને મળે જ્યાં રાહતસાચી,ત્યાં શાંન્તિ સાથે રહેતી
દવા ને ડૉક્ટર તો દુર રહે,જ્યાં રાહત દેહને મળતી
                     ………એવુ જાલાની જલજીરા ભઈ.

 ================================

« Previous PageNext Page »