April 7th 2008
ઓ શ્યામ
ઑગસ્ટ ૮૨ રમા બ્રહ્મભટ્ટ
શોધુ તને ઓ શ્યામ
મોહન વનમાળી
ચિતડાના ચોર ગિરધારી
….શોધુ તને.
મનડાની માયા લાગી,મુખડું જોવાને કાજે
ક્યાં લગી રાહ જોઉ તારી હું દર્શન કાજે,
પ્રેમે વરી હું તાત માની,
મોહન વનમાળી
ચિતડાના ચોર ગિરધારી
….શોધુ તને.
વાંસળીની મધુર વાણી,અધરથી ધીમી આવે,
માયાની જાળ બંધાણી,ચારે કોર દીસે નહીં,
જો જે આ જીવતરની કેડી,
મોહન વનમાળી
ચિતડાના ચોર ગિરધારી
….શોધુ તને.
શું કરું? ક્યાં જાઉ? કોઇ ના મળે સહારો,
મેળ નથી કાંઇ જણાતો જ્યાં ત્યાં દર્શન હરજાઇ
કાંક મનડામાં તું મળી જાજે,
મોહન વનમાળી
ચિતડાના ચોર ગિરધારી
….શોધુ તને.
—–હરે કૃષ્ણ,હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ,હરે હરે—–
March 23rd 2008
……………………………રામની માયા.
તાઃ૧૭-૩-૦૮……………….અમદાવાદ…………………સોમવાર
રામની માયા લાગીમને ભઇ,કામ નથી કોઇ બીજુ
જીવતા જન્મ સફળ કરવાનું, વચન લઇ મેં લીધું
……………………………………………..……ભઇ રામની માયા
કાજળજેવી રાત હતી જ્યાં,સુરજ ઉગતાં કિલ્લોલ થયો
મનમાં રામશ્યામનું રટણ થતાં,મુક્તિનો સંદેશ મળ્યો
……………………………………………..……ભઇ રામની માયા
તારલીયા ટમટમતાં જોઇને, વ્યાકુળ મનડું ફરતું ઘણુ
ટહુકાર થયોજ્યાં કોયલનો,આકાશે અજવાળુંચોમેર થયું
………………………………………….…….…ભઇ રામની માયા
ભક્તિમાં જ્યાંપ્રદીપ મુંઝાયો,રમા તણો સથવાર મળ્યો
દીપલનિશીતનોપ્રેમ જોતાં,ભાઇ રવિએજલાનોઅણસારદીઠો.
…………………………………………..……ભઇ રામની માયા
——————————————–—————————
March 13th 2008

………………………….હરહર ભોલે મહાદેવ
તાઃ૬/૩/૨૦૦૮……………….મહાશીવરાત્રી…………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુરુવાર……………………………………………………………..આણંદ
અગણિત નામ ને અગણિત કામ,અગણિત કૃપા છેજગમાં અપરંપાર
હરહર ભોલે હરહર મહાદેવ, હરહર ત્રિશુલધારી તારાનામો છે અપાર
…………………………………..………..……..તારી અગણિત લીલાનો નહીં પાર
કોઇ કહે ચંન્દ્રમુલેશ્વર મહાદેવ, તો કોઇ કહે ઑમકારેશ્વર મહાદેવ
તો કોઇ કહે અમરેશ્વર મહાદેવ, ને કોઇ કહે છે રામેશ્વર મહાદેવ
………………………………………………..……….જગ કહે હરહર ભોલે મહાદેવ
કોઇ કામનાથ મહાદેવ કહે તો કોઇ પુંજે છે બિલેશ્વર મહાદેવ
જાગનાથ મહાદેવ કહો કે ભાવનાથ મહાદેવ છે મારા ભોલેનાથ મહાદેવ
……………………………………………………….બોલો હરહર ભોલેનાથ મહાદેવ
બદ્રીનાથ મહાદેવ પુંજાય ,ને પુંજાય સમર્થેશ્વર મહાદેવ
સોમેશ્વર મહાદેવ કહો કે કાબ્રેશ્વર મહાદેવ કે બોલો ધર્મેશ્વર મહાદેવ
………………………………………………..………બોલો કૈલાસપતિ ભોલેમહાદેવ
કહે કોઇ નાનાકુંભનાથ મહાદેવ,તો કોઇ પુંજે સિધ્ધેશ્વર મહાદેવ
કોઇ પુંજે લોટેશ્વર મહાદેવ તો કોઇ નીલકંઠ મહાદેવ બોલો હરહર મહાદેવ
…………………………………………………….બોલો શ્રી હરહર ભોલેનાથ મહાદેવ
નાગેશ્વર મહાદેવ ની સેવા, ને કોઇ પુંજે પારતેશ્વર મહાદેવ
નાગનાથ મહાદેવ પુંજાય ને કોઇ વૈજનાથ મહાદેવ તો કોઇ ધુરમેશ્વર મહાદેવ
…………………………………………..……….જગત પુંજે છે પાર્વતીપતિ મહાદેવ
કેદારનાથ મહાદેવની માયા, તો કોઇ કહે સોમનાથ મહાદેવ
મહાકાળેશ્વર મહાદેવ છે પુંજાય,તો કોઇ પુંજે વાળીનાથ મહાદેવ છે દીનદયાળા
…………………………………….…ઓ સૃષ્ટીતણા કરતાર તારો અગણિત છે ઉપકાર.
**********************************************************
મહાશીવરાત્રીના પવિત્ર દિવસે મારા પિતા પુજ્ય ભોલે શંકર ભગવાનને આણંદના
શ્રી ઑમકારેશ્વર મહાદેવમાં મારી મુલાકાતની યાદ રુપે માતા પાર્વતીની સેવામાં
મંદીરના પુજારીશ્રીને યાદ રુપે અમારા આત્માના કલ્યાણ અર્થે અર્પણ.
પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર તરફથી સપ્રેમ.
December 24th 2007
…………………ઓ શંભુ ભોલે
તાઃ૨૪/૧૨/૦૭……………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
તારી લીલા અપરંપાર,તારી કૃપાનો નહીં પાર
તારો મહિમા છે અપાર,તું દીનનો છુ રખેવાળ
……………..ઓ શંભુ ભોલે છો દીનદયાળા…(૨)
મુજ જીવન કાજે નિશદીન હું વંદું,
………..ઓ અલખ નિરંજન,ઓ ત્રિશુળધારી
છે રટણ તમારું દો ઉજ્વળ જીવન
………..લો હાથ ઝાલી દો જીવન ઉગારી
………………ઓ શંભુ ભોલે છો દીનદયાળા…(૨)
માગ્યું મનથી અમને મળી રહ્યું છે
………..ને હૈયે અમારે છે સ્મરણ તમારું
લો હાથ અમારો દો જીવન ઉગારી
……….છો પરદુઃખ ભંજન ને પરમ દયાળુ
………………ઓ શંભુ ભોલે છો દીનદયાળા…(૨)
મન સ્મરે ઑમ નમઃ શિવાય
………..ને તનડું હરહર ગંગે કર્યા કરે
શંખનાદ કાયમ સંભળાયા કરે
………..ને ડમડમ ડમરું વાગ્યા કરે
……………..ઓ શંભુ ભોલે છો દીનદયાળા…(૨)
******************************
November 29th 2007
…………………..રામરટણ
…………………………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનમાં સ્મરણ રામ રામનું,ને જીભે છે જલારામ
રાખી શ્રધ્ધા રામ નામમાં, ને ભજુ હું જલારામ
………………………………………ભઇ ભજુ હું જલારામ
હાથમાં માળા ફરતી જાય, ને કર્મના બદલે તાર
અલખના થાતા અજવાળા,ને ધર્મના ખુલતા દ્વાર
………………………………………ભઇ ધર્મના ખુલતા દ્વાર
મક્કમ મનમાં લાગણી જાગે,ને પ્રભુથી મળતી પ્રીત
માગતા હૈયે આનંદ લાગે, ને જ્યોત જલાથી થાતી
………………………………………ભઇ જ્યોત જલાથી થાતી
તરસે આંખો દર્શન કાજે,ને હૈયાથી વરસી રહે હેત
પ્રદીપને માયા જલા સ્મરણથી,ને લાગે મનમાં પ્રેમ
……………………………………….ભઇ લાગે મનમાં પ્રેમ
જન્મ મળ્યો આ જગમાં જ્યારે,સૃષ્ટિ તણા સથવારે
કર્મ તણા હું તાંતણે લાગ્યો,મુક્તિ પામવા કાજે
………………………………………ભઇ મુક્તિ પામવા કાજે
જલારામના નામ સ્મરણથી, રામના ચરણે લાગું
જગમાં સાચા સંત સંસારી,પગલે જલાસાંઇને લાગું
……………………………………..ભઇ પગલે જલાસાંઇને લાગું.
#####################################
November 25th 2007
,,,,,,,,,,,,,,,,,,,,,,,જગત આધારી.
તાઃ૧૦/૧૧/૧૯૮૩ ————————પ્રદીપ બ્રહ્મભટ્ટ.
જગના જીવન આધાર , તારી લીલાનો નહીં પાર
કરુણા તારી ક્યારે આવે,તેનોના જગમાં કોઇ તાર
…………………………………………………જગના જીવન
મનમાં થાતું કાંઇ નથી હવે, જીવન જીવવા જેવું
સાથ તારો દેતો સહારો,પળે પળે મુજ જીવનમાં
…………………………………………………જગના જીવન
નામેતારા જગમાં સમાણું સુખ,કેમે હુ વિસરી શકું
જગમાં જ્યારે ન હતો સહારો,હાથ લીધો તે મારો
…………………………………………………જગના જીવન
મૃત્યું જેવુ નથી આ જીવને,મિથ્યા વળગ્યું છે દેહે
કર્મ તણા સંબંધે મળતું,લાલચ મોહ ભરેલા જગે
…………………………………………………જગના જીવન
જલાબાપા ને સાંઇબાબા,જન્મ સાર્થક કરી ગયા
સંગ પ્રદીપને મળ્યો સંતનો,ઉજ્વળ જન્મ લાગે
…………………………………………………જગના જીવન
****જય જલારામ જય જલારામ, જયજય સાંઇરામ****
September 16th 2007
……………..ઓ જશોદાના કાન
તાઃ૧૫/૯/૨૦૦૭………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ જશોદાના જાયા, ઓ કૃષ્ણ કનૈયા કાના
તમને કરતો કાલાવાલા,છોડીને જગની કાયામાયા
……………………………….ઓ જશોદાના જાયા.
વંદન કરતો,નિશદીન તમને,પ્રેમે ભોજન ધરતો
હેત કરીને હૈયે રાખજો,સ્નેહ વરસાવી દેજો.
ભેદ ભલે હું નાજાણું કંઇ,હેત મને તો કરજો
દેજો પ્રેમ વરસાવી હેત,ઓ નંદકિશોર નાના.
……………………………….ઓ જશોદાના જાયા.
કુંજ ગલીમાં,વાંસળી સાંભળી,ગોપીઓ સંગેનાચું
ભક્તિ દેજો આ જીવનમાં,બીજુ કાંઇ હવે નામાગું
અંતે આવજો, લેવા કાજે, મુક્તિ પ્રદીપને દેજો
પરદીપ બનાવી જ્યોતજલાવી,રમાને સંગે લેજો
……………………………….ઓ જશોદાના જાયા.
કદીનથીઆમોહજીવનનો,ના માગવાનીકોઇમાયા
દીપલદીપેઉજ્વળજીવન,રવિપ્રકાશીજગમાંજીવન
નિશીત પ્રેમની પડખે રહીને,રટણ તમારા કરીએ
ભવસાગરની આ ગલીઓમાં,ફરીનહી અવતરીયે
……………………………….ઓ જશોદાના જાયા.
*******************
September 15th 2007
********* किशन कनैया
ताः२५/८/१९७८ (जन्माष्टमी) प्रदीप ब्रह्मभट्ट
कृष्ण कनैया,जीवन नैया, अपनी पार लगादो
दर्शन तेरे तरसे ये मन.(२)करदो पुरण आश
राधेश्याम,कृष्णकान,मुरलीधर गिरधारी रे…कृष्णकनैया.
भकतोके मन सुखदुःख तु है…(२)
अपने मनका राजा तु है…(२)
तेरी कृपासे,जगने जीवन,पाया मेरे प्राण…..राधेश्याम.
मनतो अर्पण,तन भी अर्पण..(२)
अर्पण सारा नश्वर जीवन…(२)
परलोकमें तु,इसलोकमे हम,दर्शन तेरे तरसे…राधेश्याम.
जगका जीवन,है पल दो पल..(२)
तुमसे नाता जन्मोजन्मका…(२)
ये तुट न पाये जीवननैया,डोले तुम बीन रे…राधेश्याम.
******************
सन १९७८में जन्माष्टमी के पवित्र तहेवारके दिन कृष्ण भगवानके चरणोमें
उपरोक्त काव्य समर्पित किया था……प्रदीपकुमार ब्रह्मभट्ट,आणंद.
September 10th 2007
માયા બદલે કાયા
પ્રદીપ બ્રહ્મભટ્ટ.
જન્મ ધર્યો આઅવનીપર,નાકપડાં નાલફરાનું કોઇભાન
સકળ જગતની માયા એવી, ના લખી ના લખાય.
…….એવી કુદરત છે કહેવાય.
નાની કાયા,નાનું મન, નાના પગને નાના હાથ
બુધ્ધિ પરમાત્માએ દીધી, નાના આવે વિચાર
ના સૃષ્ટિ કુદરતની સમજાય, કેવીઅકળ લીલા છે કહેવાય.
……એવી કુદરત છે કહેવાય.
સકળ જગતનો ભાર લીધો ને, દીધો માયાનો ભંડાર
જન્મ્યો જ્યારે ત્યારથી માયા ના ઓળખી ના ઓળખાય
મનમાં કાયમ ગડભાંજ પરમાત્માના સ્વરુપની થતી જાય.
……એવી કુદરત છે કહેવાય.
કથા કુદરતની ના કહેવાય,અવનીના જીવોને નાસમજાય
લગીર માયા વળગી ગઇ તો, જન્મ જન્મ મળતો જાય
સગપણ સંસારીને મળતું, કાયા મળતી મોહમાયાથી.
……એવી કુદરત છે કહેવાય.
મળેલ માનવ જન્મ તમારો, ના અળગો રહી શકવાનો
કર્મતણા બંધનથી છુટવા,સાચાસંતની સેવાકરી લેવાની
મુક્તિ તણા દ્વાર ખોલીને,પરમાત્માથી જીવને જોડી લેવાનો.
……એવી કુદરત છે કહેવાય.
#######################################
September 6th 2007
પ્રાર્થના
તાઃ૧૫/૫/૧૯૯૭. પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરના અજવાળા
મારે જોઇએ અંતરના અજવાળા
મન મંદીરના તાળા
મારે,ખોલી દેવા સારા.
……અંતરના અજવાળા.
સકળ જગતમાં ભુલ્યો ભટક્યો
ભટકી રહ્યો ભવ સારા
નીશદીન કાલાવાલા કરતો
નીરખી રહ્યો નભ સારા
……અંતરના અજ વાળા.
કર્મ મર્મ ન જાણી શક્યો હું
કોને કહુ અજવાળા
તનમન શું તે સમજી શક્યો ના
નિકળ્યો તરવા સારા
…… અંતરના અજવાળા.
દિપ પરદીપ હું બનવા નિકળ્યો
રવિ,રમા,દીપલની સંગે
પારખી લેવા ભવસાગરને
હું નીત સંગે જાગ્યો.
……અંતરના અજવાળા.
@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@