October 1st 2008
માને ગરબે
તાઃ૧/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા ગરબે ઘુમવા આવી,
……………………….. ……હુ ગરબે ઘુમવાને આવી
તારી ચુંદડી છે લહેરાઇ ઓ અંબે મૈયા
………………………… ….હું ગરબે ઘુમવાને આવી
ગરબાના તાલે હું પ્રેમે વંદુ ઓ ગબ્બર વાળી
…………………………. ….હું ગરબે ઘુમવાને આવી
કંકુ ને ચોખા હાથે લઇને પુજવા ને આવી
… ….હું ગરબે ઘુમવાને આવી
તારી કૃપાએ મા પારણા મેં બાંધીને મા
………………………………હું ગરબે ધુમવાને આવી
કાળકામા ને સાથે અંબે મા ઘુમે બહુચરવાળી
….. …..હું ગરબે ઘુમવાને આવી
તાલીઓના તાલમાં ને ગરબાના ગાનમાં
…………………………….હું ગરબે ઘુમવાને આવી
હાથ પકડજે ને હામ દેજે જીવનમાં સંગાથી
……………………………….હું ગરબે ઘુમવાને આવી.
જગની માતા જગત જનની પ્રેમે હાથ પકડજે
………………………….. ….હું ગરબે ઘુમવાને આવી.
++++++++++++++++++++++++++++++++++++++++++=
નવરાત્રીના દીવસોમાં મા સૌ ભક્તો પર કૃપા કરી જીવનનૈયા
પાર ઉતારે તેવી પ્રાર્થના.
September 29th 2008
………………… જોગીની માયા
તાઃ૨૨/૭/૧૯૮૩ ….(ગુરુપુર્ણીમા) …પ્રદીપ બ્રહ્મભટ્ટ
માયા લાગીરે મને ફરતા આ જોગીની…..(૨)
કાયાનું ભાન નહીં, મોહનું નામ નહીં
જીવતર આપ્યુ છે જેણે જાણી,ઓ યોગી તારી
……..માયા લાગી રે
જાણે અજાણે મારા દેહથી હું નમું છુ
…………….. ભવસાગરમાં ખોબલા ભરું છુ
ક્યારે તરાસે આ જીવની ઝંઝટ ને
મોહ મને નહીં તરવા દે…માયા લાગી
ગુરુ બનાવી પુરુ કરવાની
……………….. મનમાં છે તમન્ના પણ જાગી
જનમ મરણનું વ્યર્થ આ સર્જન
છુટશે હવે સાચી સેવાથી….માયા લાગી.
઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼
September 28th 2008
………. ……….. આરાધના
તા૨૦/૧૧/૧૯૭૭ …………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા અંબા તારી કરુ આરાધના,
મુજ હૈયુ તુજને સદા નમે
પ્રેમે દર્શન કરવા માડી
તરસે મારા મન અને પ્રાણ
……..મા અંબા તારી
ગબ્બર થી આવે અંબે મૈયા
મા કાળકા પાવાગઢથી
આવે મૈયા ભક્તો કાજે
…………… સાચી એક સૌની ભક્તિ
…………………………….. …….મા અંબા તારી.
મા આણંદ આવે પ્રેમે ઘુમે
……………….. અમ ગરબે રમતા સૌની
કાયા પલડે મનડં પલડે
પ્રેમે તારા માવડી..ઓ..(૨)
………………………………….. ….મા અંબા તારી.
ગરબે ધુમતી ચાચર ચૉકે
ભક્તોની સુણી પુકાર
તાલે તાલ મલે ત્યાં
………………………જીવનો થાય ઉધ્ધાર
………………………………. …………મા અંબા તારી
+++++++++++++++++++++++++++++++++++++++++
September 15th 2008
…………………….. जीवन नैया
ताः२३-७-१९७२………………… प्रदीप ब्रह्मभट्ट
हे राम हे कृष्ण, मेरी ये तृष्णा
जीवननैया पार लगा दो, बीन दुःख हैये चैन
…………………………………. ……..हे राम हे कृष्ण
तुमरे बीननहीं और खिवैया,बीन लागेनहीं चैन
आती जाती हर सांसोमे, तुमरे बीनमेरा कौन
………. ……..हे राम हे कृष्ण
बीच सागरमें डोले नैया, सुखदुःख देखे नैन
संसारके चक्कर में, डोले जीवनकी ये नैया
……….. ……..हे राम हे कृष्ण
कौनसे मेरेदोष थेजीसने जीवनआज दीलाया
ना कोइ तो कामथा मेरा जो जीवन बहेकादे
………… …….हे राम हे कृष्ण
तुमसेआके मागुंमैतो जीवनमें नारहेकोइ व्हेम
परदीप बनके दीप जलाउ, मीले जीवनमे प्रेम
………… ……..हे राम हे कृष्ण
श्रीराम श्रीकृष्ण श्रीराम श्रीकृष्ण श्रीराम श्रीकृष्ण
September 1st 2008
રામ ભજન
તાઃ૩૦/૩/૧૯૭૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામ ભજન કરી લે રે મનવા,રામ ભજન કરી લે
કોઇ નથી મારુ આ જગમાં કોઇ નથી તારુ
………………………. ઓ મનવા રામ ભજન કરી લે.
શાને કાજે વ્યથા કરે તું જીવન એળે જાશે
આધીવ્યાધિ વળગીસાથે ના છે કોઇ આરો
નાજગે સાથમળશે આ ભવસાગર તરવાને
ભજન કરીલે ભાવની સાથે પ્રભુનોલેસહારો
……………………… ઓ મનવા રામ ભજન કરી લે
કથાસુણીલે ભજનકરીલે કરતારભજીલે મનથી
સુખસાગરને ભુલી ને મનવા રામની કડી લેજે
દુઃખની આકેડી પર નિશદીન સ્મરણ તુ કરીલે
હૈયેહેતસદારાખીને રામનેશરણે જીવન તુ ધરીદે
……… ઓ મનવા રામ ભજન કરી લે
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
August 28th 2008
રટણ શ્રીરામનું
તાઃ૨૭/૮/૨૦૦૮ …………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલાબાપાની જ્યોત મળીને, હનુમાનદાદાના વ્હાલ
શ્રીરામ શ્રીરામ રટણ કરુ જ્યાં,હું પ્રભુ ભક્તિમાંન્હ્યાલ
સત્ય યુગની સવાર જાણે,પંખી કલરવ કરતા લાગે
વ્યોમતણા વાદળ સંકેલાતા ને પ્રકાશસુર્યનો દેખાતો
…… ત્યાં હૈયે હેત સદા લહેરાતા
ઘંટારવને આરતી સંભળાતી,ઉજ્વળ માનવમનદેખાતું
મળતા હૈયા સૃષ્ટિ સથવારે,ના લાલચ મોહ ભટકાતા
…………………………. ……ત્યાં હૈયે હેત સદા ભટકાતા.
સંત જલારામ ને સંત સાંઇરામ, લાગે જીવન ભક્તિધામ
સંસારનીમાયા સાચીજણાતી,જીંદગીઉજ્વળથતી દેખાતી
…………………………… …..જેમાં હૈયે હેત સદા લહેરાતા
મળેભક્તિ ત્યાંશ્રધ્ધા દેખાતી,મિથ્યા જગની સૃષ્ટિ જણાતી
સાચી માયા સંસારથી અળગી,જેમાંશાંન્તિ જીવને દેખાતી
………………………… ……જેમા હૈયે હેત સદા લહેરાતા.
========================================
August 27th 2008
વંદન આરતી
તાઃ૨૭/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય શંકર ભોલે,બોલો જય શંકર ભોલે
ધુપદીપ કરી આરતી કરીએ …(૨)
ઓ કૃપાળુ કરતાર,પ્રભુ જય ભોલે ભગવાન
નંદી સવારી,કૈલાસ નિવાસી,છો સૃષ્ટિનો આધાર
પ્રેમે વંદી,શીશ નમાવી,ગાઇએ ભક્તિના ગુણગાન
……. ……પ્રભુ જય ભોલે ભગવાન
સૃષ્ટિ કાજે,વિષ પીધા, કરવા ભક્તોના કલ્યાણ
ત્રિનેત્ર ખોલી અસુરો માર્યા,સુણી ભક્તોના પોકાર
………….. ……પ્રભુ જય ભોલે ભગવાન
ગૌરી શંકર,પાર્વતી પરમેશ્વર,છો ભોળાના ભગવાન
પિતા ગજાનન,કરુણા સાગર, ઓ પ્રદીપના આધાર
……….. ……પ્રભુ જય ભોલે ભગવાન
—————————————–
August 27th 2008
આરતી મહાદેવની
તાઃ૨૫/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જય જય ભોલે,શિવ જય શંકર ભોલે;
આરતી અર્ચન કરીએ..(૨) વંદન નીત કરીએ
….પ્રભુ જય જય જય ભોલે
પાર્વતી પતિ પરમેશ્વર..(૨) શીર ગંગા ધારી, પ્રભુ..(૨)
નીલકંઠ,વિષધારી..(૨), નાગેશ્વર મહાદેવ..પ્રભુ..(૨)
….પ્રભુ જય જય જય ભોલે
ત્રિશુલધારી,જગત આધારી..(૨)વંદન નીત કરીએ..પ્રભુ..(૨)
સૃષ્ટિ આધારી,પ્રમકૃપાળુ..(૨)લેજો નીજ ચરણે..પ્રભુ..(૨)
. ….પ્રભુ જય જય જય ભોલે
કરુણાસાગર દયાનાદાની..(૨), ભોલાના ભગવાન..પ્રભુ..(૨)
સહવાસ સર્પનો ,કરી નંદી સવારી,ગૌરીના ભરથાર..પ્રભુ..(૨)
…..પ્રભુ જય જય જય ભોલે
વંદન કરીએ નીત સવારે..(૨) સાંજે સ્મ્રણ થાય..પ્રભુ..(૨)
પ્રદીપ વંદે,રમા પણ વંદે..(૨)લઇ ભક્તિનો સંગાથ..(૨)
…..પ્રભુ જય જય જય ભોલે
___________________________
August 22nd 2008
સાર્થક જન્મ
તાઃ૨૧/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ્
ના મને જીવનમાં ખોટ, જ્યાં મળી જલારામની જ્યોત
ઉજ્વળજીવન જીવી જવાશે,ભક્ત જલારામના સહવાશે
મળશે શાન્તિ મનને આજે,સાર્થક જન્મ આ મારો થાશે
મતી ગતી સૌ સાથે રહેશે,ને પ્રેમથી જીવન આ મહેંકશે
…….જ્યાં મનથી સાચી ભક્તિ થાશે
કર્મનુ બંધન સૌને વળગે, જ્યાં જીવને આ દેહ મળે
પશુ પક્ષીકે પછી મનુષ્ય, ના અળગુ તેનાથી બંધન
સર્જનહારની આછે સૃષ્ટિ,દોરે જીવને મેળવવા મુક્તિ
ભજનથાય કે ભક્તિ થાય,જીવને શાંન્તિ મળતીજાય
…….જ્યાં સેવા સાચા દીલથી થાય
મન થકી મળતી માનવતા, ને હૈયાથી મળતા હેત
ભક્તિથી મળતા ભગવાન જ્યાં જલાસાંઇથી પ્રીત
મિથ્યા માયા મોહ લાગે,જે જીવને વળગી છે ચાલે
મળતી મુક્તિ જ્યાં છુટે સૃષ્ટિ,ના રહે કાયાના મોહ
……જ્યાં પ્રેમથી પ્રેમની ભક્તિ થાય
=======================================
August 21st 2008
જીવની શાન્તિ
તાઃ૨૦/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીલ મારુ દરીયા જેવું, ને પ્રેમ છે આકાશ જેવો
વિશાળતાના આ સંબંધમાં,નથી કાંઇ કહેવા જેવુ
હસતો હમેશા,પ્રેમ મેળવતો ને પ્રેમથી પ્રેમ દેતો
આ માનવજીવનમાં હું હમેશા જીવને શાન્તિદેતો
….. હું પ્રેમથી પ્રેમ વહેંચી લેતો
મમતા મને મળી હતી, ને હેતથી હરખાઇ લેતો
સંબંધના એક મીણ તાંતણે બંધનમાં હું બંધાતો
લાગણી સાથે રાખતો હંમેશા ને પ્રેમ હૈયે રહેતો
જ્યાં ઉભરો જોતો વધારે ત્યાંથી હું છટકી જાતો
…… હું પ્રેમથી પ્રેમ વહેંચી લેતો
ના માયામાંમુઝાતો કે ના લાગણીમાં ડગી જાતો
માનવજીવનને મહેંક મળે ત્યાં ભક્તિમાં બંધાતો
સારુ નરસુ સમાન જોતો પરમાત્માની જ્યાં દ્રષ્ટિ
કર્મતણા બંધનથીનીકળવા હું જયજલારામ કહેતો
….ને પ્રેમને હું પ્રેમથી વહેંચી લેતો
ગાગરસાગરના ભેદ ના જાણુ મનથી હુ પ્રેમ રાખુ
જ્યામ સ્વાર્થનો અણસાર મળે ત્યાં હુ ખસી જાતો
પરમકૃપાળુની કૃપાપામવા સંત જલાસાંઇ ભજતો
થયોજ્યાં ભક્તિનો અણસાર ત્યાંજીવે શાંન્તિ જોતો
…..ને જલાસાંઇ જલાસાંઇ ભજી લેતો
_____________________________________________