August 19th 2008
માયા મહાદેવની
તાઃ૧૮/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મને માયા મહાદેવની, ના કાયા કે આ દેહની
લાગી લગની મનથી,ને માયા છુટીઆજગની
ઓ ભોલેશંકર, ઓ ત્રિશુલધારી,ઓ ગૌરીશંકર
……..છો ભક્ત આધારી, છો મુક્તિદાતા, ઓ પરમેશ્વર
સાંજ સવારે,નીત દર્શન કાજે,મંદીરમાં હું જાતો
પ્રભુ ભક્તિમાં રહેવા કાજે, માળા હાથમાં કરતો
કૃપાપામવા ભજનકરતો ને શીવશીવ હું ભજતો
……..લો સ્વીકારો ભક્તિ અમારી, મુક્તિ દો આ જીવને
સાચીશક્તિ પ્રભુભક્તિમાં જ છે ના એમાં કોઇ શંકા
લગનીલાગી જ્યારથી મનને મળી શાંન્તિ ત્યારથી
આવી ઉભો બારણે મંદીરના પ્રેમે આવકારજો મને
…….કરજો સાર્થક જીવન આવજો અંતકાળે ઓ શિવજી
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
August 18th 2008
નાગેશ્વર મહાદેવ
તાઃ૧૮/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
છે સર્પોનો સહવાસ એવા કૃપાળુ નાગેશ્વર મહાદેવ
લીધો વિષ તણો સહવાસ જેના કંઠે છે મુક્તિના દ્વાર
થાય આ જીવનો ઉધ્ધાર એવો છે ભક્તિનો અણસાર
……………………….હર હર બોલાય ને પ્રભુ નાગેશ્વર પુજાય
શક્તિ જેની દ્રષ્ટિમાં ને જગે કૃપાળુ કહેવાય
ભક્તિ કરતાં મનથી પ્રભુની જીવને મુક્તિ દ્વર દેખાય
દુધ અભિષેક શ્રાવણ માસે પ્રેમે પ્રભુને થાય
મનની શાંન્તિ સદાઅ મળે ને અંતે ભક્તિ મળી જાય
………………………જ્યારે હર હર બોલાય ને નાગેશ્વર પુજાય
જગતપિતા પરમાત્મા ને પાર્વતી પતિ પુજાય
સોમવારની સવારમાં જ્યારે ૐ નમઃ શિવાય બોલાય
કર્મબંધન છુટી જશે ને ભક્તિની શાંન્તિ મળશે
નામોહ કે માયા જગતની વળગે જે જોતા મિથ્યાલાગે
……………………….મનથી હરહર બોલાય ને નાગેશ્વર પુજાય
ઓ કરુણાકારી ઓ જગત વિહારી શંકર ભગવાન
લો જીવની સાચી સેવા દો મુક્તિના દરવાજા ખોલી
મન માગે પ્રભુની કૃપા જેને જીવનિ સાથે લેણા
આવજો અંતે લેવા સ્વીકારી સાચી શ્રાધ્ધાથી સેવા
……………….પ્રદીપ,રમાથી હરહર બોલાય ને નાગેશ્વર પુજાય.
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ
August 17th 2008
ભોળાનો ભગવાન
તાઃ૧૭/૮/૨૦૦૮ …. પ્રદીપ બ્રહ્મભટ્ટ્
ભોળાભાવે કરેલ કામ જગમાં માનવતા કહેવાય
અંતર છે ઉભરાય સ્નેહસાથે મનમાં શાંન્તિ થાય
લાગણી આપી પ્રેમ મેળવી જગતમાં જીવી જાણો
શું લાવ્યાતા શું લઇજવાના મનમાં નિર્ણય રાખો
……..ને કરજો ભક્તિ ભોળાભાવે
કૃપા પ્રભુની મળશે ત્યારે સેવા મનથી કરશો જ્યારે
અગમનિગમના ભેદભ્રમણથી મુક્તિ મલશે ત્યારે
ઉભરો જ્યારે મનમાં આવે તો પ્રેમથી વહેંચી લેજો
અંતરમાં જો રહી ગયોતો મુક્તિથી તમે દુર રહેશો
……ને કરજો ભક્તિ ભોળાભાવે
આજકાલના આ ચકકરમાં પ્રભુ સ્મરણ જો ચુકશો
ના આરો કે ના કિનારો આ જન્મ એળે જાશે તારો
લઘરવઘર આ લાઇફમા ગાશો જલાના ગુણગાન
પ્રભુ ભક્તિમાં ના કોઇ ભેદ, છે ભોળાનો ભગવાન
……જ્યારે કરશો ભક્તિ ભોળાભાવે
++++++++++++++++++++++++++++++++++++++++++
August 16th 2008
મુક્તિનો મેળાપ
તાઃ૧૬-૮-૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક દીવડો પ્રકટે પ્રેમનો, જીવનને જ્યોત મળે
સ્નેહ હશે જો હૈયે ઉજ્વળ,જીવનમાં મળશે પ્રેમ
ઓ માનવ મન તારી ચિંતા અપરંપાર
……………….. જેનો દુનિયામાં નહીં પાર
સંસાર મળ્યો છે તો ભક્તિ કરી લેજે પળવાર
સફળ માનવ જન્મ ને ઉજ્વળ કામ થશે હજાર
માગતા કાંઇ નહીં મળે પણ કૃપા મળશે લગાર
જેનો દુનિયામાં નહીં પાર
પ્રેમ વરસશે ને લાગણી સાથે સ્નેહ પણ અપાર
ભક્તિ કરજે મનથી ને દેજે હંમેશા પ્રેમના દાન
પરકાજે તુ દીપ બનીશ તો પરદીપ તુ દેખાશે
અંધારાના સહવાસમાં અહીં જગતપ્રકાશ શોધે
જેનો દુનિયામાં નહીં પાર
પ્રભુભજન ને પ્રેમ ભક્તિએ પરમાત્મા પણ રાજી
અંતકાળે સ્મરણ થાય તો આજીવ મુક્તિએ દિપે
રાઘવ રામ ને કૃષ્ણ શ્યામ સ્મરણ માત્રથી રીઝે
મનથીમાગ્યુ પ્રભુ ભક્તિમાં સ્નેહે પ્રભુ ભરીનેદેશે
જેનો દુનિયામાં નહીં પાર
———————————————–
August 16th 2008
अंतरकी अभिलाषा
ताः१६-८-२००८ प्रदीप ब्रह्मभट्ट
मेरे मनमें है,मेरे तनमें है
मेरे जीवनकी हर पलमें है भगवान
लेकर में आया,द्वार तुम्हारे..(२)
भक्तिसे भरा दिल ओर मनका ये विश्वास
…..ओ सर्जनहार तेरी कृपा है अपरंपार
धरती पे आया,ये जीवन पाया…(२)
कृपाथी अपरंपार जीसकी ना है कोइ मिशाल
…..ओ सर्जनहार तेरी कृपा है अपरंपार
दीलमे है आशा दर्शनकी अभिलाषा..(२)
ओ जगतपिता भगवान देदो मुक्ति मुझे करतार
…..ओ सर्जनहार तेरी कृपा है अपरंपार
ना कोइ अपेक्षा ना कोइ लालच…(२)
ये जीवन मागे मुक्ति,करदो आत्माका कल्याण
…..ओ सर्जनहार तेरी कृपा है अपरंपार
परदीप बनु मै,पावन ये जीवन…(२)
ना मागु कुछ ना कोइ आशा ना मोह है मनमे
…..ओ सर्जनहार तेरी कृपा है अपरंपार
८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८
August 13th 2008
પરમાત્માને પ્રાર્થના
તાઃ૧૨/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ સકળ જગતનાકર્તા સર્જનહાર,તારી આ દુનીયા છે મહાન
સૃષ્ટિના ખુણે ખુણે તારી લીલા, જેનો જગમાં નહીં કોઇ પાર
…… ઓ સકળ જગતના કર્તા સર્જનહાર
આ માનવ મનને ભટકતુ રાખ્યું,જ્યાં ત્યાં મને ચેન ના લ્હાતુ
સદબુધ્ધિનો લઇ સહારો ફરતો,તોય મનને શાંન્તિ ના મળતી
…… ઓ સકળ જગતના કર્તા સર્જનહાર
તારી માળા જપતો તને હૈયે ધરતો, તોય લપટાયો આ સંસારે
મળતી માયા ને મોહ ભટકાયો,પ્રાર્થના પરમાત્માને મનેઉગારો
…….ઓ સકળ જગતના કર્તા સર્જનહાર
આ વળગી માયા ના જેને છે કાયા, તોય મોહ મને કેમ લાગે
જીવતર સાર્થક જીવી જગમાં ,પ્રાર્થુ પ્રભુને મુક્તિદે અંતકાળે
…….ઓ સકળ જગતના કર્તા સર્જનહાર
——————————————————
August 11th 2008
ગૌરી શંકર
તાઃ૧૧/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગંગાધારી જગત આધારી, કરુણાકારી ગૌરીશંકર
ડમરુધારી,ત્રિશુલધારી,પાર્વતીપતિ ઓ પરમેશ્વર
ઓ ભોલેશંકર ઓ બમબમ ભોલે
છે કૃપા તમારી આ જગમાં સુંદર
નંદી કેરી છે કરી સવારી, ને સર્પોનો છે સહવાસ
માયા કે ના મોહ મલે ક્યાંય, છે સંગે ગૌરી મૈયા
સકલવિશ્વનાસર્જનહાર ને ભક્તોના ઓપાલનહાર
ભક્તિકેરા બંધનમાં પ્રભુ જીવનેમુક્તિ દોપલવાર
ઓ ભોલેશંકર ઓ બમબમ ભોલે
છે કૃપા તમારી આ જગમાં સુંદર
ભુતપલીતના સહવાસે, છે જગની માયા અળગી
પ્રેમથી એકપોકાર ભક્તનો, જગમાંમળ્યો પ્રભુપ્રેમ
વિઘ્નવિનાયક જેના સંગે,ને મળે મા ગૌરીના હેત
પરદુઃખભંજન છે દયાળુ, માગે ભક્તિતણો જ પ્રેમ
ઓ ભોલેશંકર ઓ બમબમ ભોલે
છે કૃપા તમારી આ જગમાં સુંદર.
+++++++++++++++++++++++++++++++++++++++
ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય,ૐ નમઃશિવાય,ૐ નમઃ શિવાય
August 8th 2008
દાન પ્રભુને
તાઃ૮/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારા હૈયામાં, મારા ચિતડામાં,
મારા મનડામાં,મારી વાચામાં,વસેછે જલારામ
જેનો જગમાં, જેની ભક્તિનો છે જયજયકાર
ઓ જલાબાપા તમારા પ્રેમનો નહીં પાર..(૨)
શ્યામ રામની સેવા કીધી,જગમાં તે અનોખી
માળા હાથે,કાયમ રહેતી, સંસારે ભક્તિ કીધી
સંત તમે છો હૈયે પ્રભુને જીવન સાદુ જીવ્યા
ના માયા નાકાયાના બંધન પ્રભુને અર્પણકીધુ
ઓ જલાબાપા તમારા પ્રેમનો નહીં પાર…(૨)
વિરબાઇ માતા અર્પણ કીધા ના કોઇએ દીધા
માનવદેહે માયા પ્રભુની જગમાં સાર્થક કીધી
ભક્તિ કેરી ગંગામાં ન્હાતા પાવન શક્તિ દીઠી
મોહ રામનો, સ્નેહ રામથી જીવે જાણી લીધી
ઓ જલાબાપા તમારા પ્રેમનો નહીં પાર…(૨)
અંતરમાં ઉજાસથયો ને મળ્યો ભક્તિનોઅણસાર
જીવને શીવથી જોડવા થયો ભક્તિનો પ્રચાર
ના દાનમાગ્યું ના દાનદીધુ પ્રેમે ભોજન આપ્યુ
જગતપિતા પરમાત્માને પ્રેમે પત્નીદાન દીધુ
ઓ જલાબાપા તમારા પ્રેમનો નહીં પાર…(૨)
ના માગુ પ્રભુથી કે રામથી,માગું સંતની ભક્તિ
અંતકાળે પ્રભુપધાર્યા થયુંમાનવ જીવનઉજ્વળ
સદા મળે જ્યાં પ્રભુભક્તિ ના દેહને કોઇ વ્યાધી
સાચાસંતની સેવાકરતા જીવેમુક્તિમેળવી લીધી
ઓ જલાબાપા તમારા પ્રેમનો નહીં પાર…(૨)
——————————————————————–
August 6th 2008

આરતી
તાઃ૫/૮/૨૦૦૮ પ્રદીપ બહ્મભટ્ટ
જય જય જય શ્રી રામ,પ્રભુ જય જય સીતારામ
વંદન આરતી કરીએ..(૨),ભક્તોના ભગવાન
પ્રભુ જય જય જય શ્રી રામ
કરુણા કરજો, હૈયે રહેજો,ઓ જગતણા આધાર
તમે જગના છો આધાર
ભજીએ પ્રેમે,વંદન કરીએ,રાખજો કૃપા અપાર
પ્રભુજી રાખજો કૃપા અપાર
માયા મમતા,અળગી કરજો,સદા રાખજો પ્રેમ
સીતાજી સદા રાખજો પ્રેમ
નિર્મળ ભાવે તમને ભજીયે,ના મનમાં કોઇદ્વેષ
પ્રભુજી ના મનમાં કોઇ દ્વેષ
આવ્યા શરણે, લઇ જીવનને,રાખજો હૈયે હેત
દીનદયાળુ રાખજો હૈયેહેત
પ્રેમભાવથી સ્મરણ કરીએ, રાખીએ મનમાં ટેક
રામજી રાખીએ મનમાં ટેક
ભક્તિ કરુ હું,પ્રેમે ભજુ હું,ભક્ત જલાસંગ રાખી
રામજી જલારામ સંગ રાખી
મુક્તિ માગી,પ્રદીપ વંદે,ના જગમાં કોઇ આશા
પ્રભુજી છેલ્લી એ જ આશા
આરતી કરીયે,પ્રેમે પ્રભુની ,સીતારામ ની સ્નેહે
છે મારે સીતારામથી સ્નેહ
સાથેબિરાજે હનુમાનજી,જેમને ભક્તોપરઘણાહેત
રામને ભક્તો પર છે હેત
વંદન આરતી,અર્ચન કરીયે, સ્નેહે લેજો સ્વીકારી
પ્રભુજી સ્નેહે લેજો સ્વીકારી
કોટીકોટી વંદનકરીયે,પ્રભુજી રાખજો કૃપા તમારી
રામજી રાખજો કૃપા તમારી
********———-**********
….શ્રી રામ શ્રી રામ જય જય શ્રી રામ પ્રભુ જય જય શ્રીરામ….
August 6th 2008
ૐ બમબમ ભોલે ૐ
તાઃ૪/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(શ્રાવણ માસના પવિત્ર સોમવારે)
ભોલેનાથનું ભજન થાય ત્યાં મા પાર્વતી હરખાય
ભક્તિ કેરી ગંગામાં ન્હાતા જીવન પાવન થઇ જાય
……..એવા વ્હાલા ભોલેનાથ ભગવાન.
ડમરુવાગે પ્રેમ મળે જ્યાં સ્મરણ સતત પણ થાય
માતાપિતાની વરસે કૃપા જે પ્રેમે ભક્તોને મળી જાય
…….એવા વ્હાલા મા પાર્વતી ખુશથાય.
ત્રિશુલ સોહે પ્રભુને હાથે જ્યાં ભક્તોના અણસાર
લાગણી દેતા માનવ મનને જ્યાં જીવની ગતી થાય
……..એવા પ્યારા ભોલેનાથ ભગવાન.
પ્રદીપને પાવન પ્રેમ થયો ને રમા વંદે જગતાતને
શાંન્તિ જગમાં ના શોધે મળતી ભક્તિથી મળી જાય
…….એવા દયાળુ જગતપિતા મહાદેવ.
મુક્તિદાતા ભક્તિ પ્રણેતા જગ જીવો પર રહેમાય
ના મોહ ના લાલચ લટકે જન્મ પાવન થઇ જાય
…….એવા વ્હાલા હરહર ભોલે મહાદેવ.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ