July 23rd 2007
૨૫.૭.૧૯૭૨ પ્રભુ મારા પ્રદીપ બ્રહ્મભટ્ટ
(હરિઃઑમ આશ્રમ,નડીયાદ)
હે પ્રભુ મારા, હું વિનતી આજ કરુ છુ….(૨)
સુખદુઃખની આ ઝંઝટમાંથી મુજને આજ ઉગારો…
…હે પ્રભુ મારા.
નિંદ્રામાં તો તને ભુલીને, સ્વપ્નામાં ખોવાતો;
શાને કાજે, નિંદ્રા દીધી, મુને આજ જીવનમાં,
શાંન્તિના આ વનઉપવનમાં મુઝને ક્યાંથી સુઝે;
માર્ગે તુ તો આગળ નાહીં મુને કછુ નહીં સુઝે…
…હે પ્રભુ મારા.
જાગ્યો જ્યારે નિંદ્રામાંથી, સંસારે હું લપટાયો;
પાપો પામ્યો જીવન ખોઈ,તુજ સંગત ના આવ્યો,
તારી પામી કૃપા ફરી હું, જીવતર જીવવા લાગ્યો;
બધાને ભૂલી,પ્રેમ સાગરમાં, તુજમાં હું ખોવાણો…
…હે પ્રભુ મારા.
જગની માયા અળગી લાગી ભવસાગરથી છુટવાને;
અળગી કરું,આમિથ્યા માયા,વળગી રહું તમને પ્રભુ,
સૃષ્ટિની આ અકળ લીલાથી, મુક્ત પ્રભુ મને કરો;
સફળ આ પ્રદીપનું માનવજીવન જન્મથી દો મુક્તિ…
…હે પ્રભુ મારા.
**************
…..શ્રી હરિઃઑમ,શ્રી હરિઃઑમ,શ્રી હરિઃઑમ,શ્રી હરિઃઑમ…
સંત પરમ પુજ્ય શ્રી મોટાની સેવામાં સાદર અર્પણ…પ્રદીપ બ્રહ્મભટ્ટ.
May 10th 2007
જાણે અજાણે
તાઃ૧૦/૫/૨૦૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જાણે અજાણે નામ જો તારું દેવાય તો પ્રભુ
તુંજમાં એ પ્રિય થઈ જાતો
એ તો પામતો અક્ષરધામ.
….જાણે અજાણે
જીવનની આ સુખશૈયામાં તુજને એ ભુલી જાતો
મરણ આંગણે આવે ત્યારે તુજને એ સમરી જાતો
એ તો થઈ જાતો નિરાકાર
….જાણે અજાણે
પ્રેમની પાવક જ્વાળા ન્હાતા થઈ જતો નિષ્કામ
અંત સમયની અટારીએથી તુજમાં એ વિસરાતો
એ તો લાગે છે પ્રેમાળ
….જાણે અજાણે
હું છું પામર જીવ છતાં પણ ભક્તિમાં છું સંધાણો
પ્રદીપના હૈયે ભક્તિ લાગી મુક્તિ મેળવવા કાજે
આવ્યો સમાવા કાજે
….જાણે અજાણે
સાચી માયા શામળા તારી બીજી મિથ્યા લાગે
સંતતણો સથવારો મળતાં મનડું મસ્ત છે લાગે
ભવના બંધન છુટતાં લાગે
….જાણે અજાણે
==============
April 20th 2007
વ્હાલા પુ,મોટાને
૧૧-૫-૧૯૭૧ હરિઃઓમ આશ્રમ,નડીયાદ. 
મને વ્હાલુ હરિઃઓમ નામ રે ,મને વ્હાલુ મોટાનું નામ રે
દીન રાત સ્મરું હું નામ રે…...મને વ્હાલુ.
ભુખ્યાને આશ્રય આપીને……(૨) પંથ બતાવ્યો જી રે ..મને વ્હાલુ.
આંગણે આવેલાને આવકારીને..(૨)કીધો તેનો સત્કાર જીરે..મને વ્હાલુ.
પંથ ભુલેલાને પંથ બતાવીને..(૨)દોડાવ્યો નિજ માર્ગે રે…..મને વ્હાલુ.
સ્વામીનારાયણનો માર્ગ ચીધીને.(૨)મારો ઊધ્ધાર કીધો રે…..મને વ્હાલુ.
જીવન જીવતા કાંઈના મેળવ્યું..(૨)એ મેળવ્યું પુ.મોટા પાસે...મને વ્હાલુ.
દાસ પ્રદીપના સતસત વંદન.(૨)ઉગારવા આ ભવસાગરથી..મને વ્હાલુ.
——————
નડીયાદમાં પુજ્ય મોટાના હરિઃઓમ આશ્રમમાં મૌન મંદીરમાં તેઓની કૃપાથી ઉપરોક્ત કાવ્ય લખ્યું જે મારા જીવનમાં લેખક જગતનું પ્રથમ પગથીયું છે.
April 17th 2007


श्री जलासांई जयजयकार
श्रध्धा मेरी जलासाईमें ना ईसमे कोई हे भ्रम
लेकर माला रटण करु मै सफल हो मानव जन्म..श्रध्धा मेरी
जीवकी ज्योत समझ नापाये भटक रहा ये मन
आनबान के ये चक्करमें जीवन रहा ये जल….श्रध्धा मेरी
मिथ्या जीवन हो रहा हे ना मिले कोई चेन
श्रध्धा रखके मनको मनाले हो जायेगा आनंद…श्रध्धा मेरी
जलारामने ज्योत जलाई रामनामका किया रटन
सांईबाबाने प्रेम जगाया भक्तिका किया जतन….श्रध्धा मेरी
सुखमें राम दुःखमे राम कणकणमे हे बसे राम
सुमिरनतेरा सच्चा होतो पलपलहोगा तेरा सफल..श्रध्धा मेरी
ना शंका ना ओर कोई चिंता ना कोई हे भ्रम
जीवनरामसे मरणरामसे प्रदीपका जीवन हो सफल…श्रध्धा मेरी
April 5th 2007

મનના મેળ મળ્યા છે તમથી વિરપુરના વ્હાલા જલારામ જોગી,
સૌ સુખ છોડી દુખથી બચવા શરણે જલાને આવ્યા જગતને છોઙી.
ઓ જોગી જલારામ દુખના દરીયા ટાળો ને અંતરમાં ઉજાશ લાવો
…..મનના મેળ
અંતરને તો એક અણસાર છે, પંણ મનમા છે એક આશા
કોણ જગતનો તારણહાર છે, ને કોણ જગતનો સજૅનહાર
તુજથી નથી આ છાનુ જગમા વલખા શાને મિથ્યા હુ મારુ.
...ઓ જોગી જલારામ દુખના દરીયા ટાળો
મન વચનમા એક રટણ છે જોગી જલાનુ સતત સ્મરણ છે
રામનામનુ રટણ જલાથી પ્રદીપનુ જીવન ઉજ્વળ જલાથી
તનમનના લો મેલને કાપી સાત્વીક જીવન અમને આપી
...ઓ જોગી જલારામ દુખના દરીયા ટાળો
—————