February 4th 2010

સેવાના કામ

                            સેવાના કામ

તાઃ૪/૨/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

નામ દામ ને છુટે લોભ મોહ,જ્યાં થાય સેવાના કામ
પરમાત્માની કૃપા મળે,ને જીવનો જન્મ સાર્થક થાય
                                      ………..નામ દામ ને છુટે લોભ.
નિત્ય સવારે પુંજન અર્ચન,દેહનો દીન ઉજ્વળ થાય
ભક્તિપ્રેમ જ્યાં સાથદે,ત્યાં સૌ કામ સરળ થઇ જાય
પાવન કર્મનો સથવારો મળે,ત્યાં મોહ માયા તો છુટે
અંત દેહનો સુધરી જાય,જ્યાં પરમાત્મા આવે પડખે
                                      ………નામ દામ ને છુટે લોભ.
જીવનના બંધન તો કર્મના,ને દેહનાબંધન છે જગના
કર્મનો મર્મ એ સમજ મનની,સેવાના કામે સુધારાય
અવનીપરના આગમનને,ઉજ્વળ સોપાન છે દેવાય
જ્યાં પરમાત્માને સમક્ષ રાખીને,સત્કર્મ જગમાં કરાય
                                      ……..નામ દામ ને છુટે લોભ.

====================================

February 4th 2010

ભક્તોના રખેવાળ

                    ભક્તોના રખેવાળ

તાઃ૩/૨/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિમાં જ્યાં લાગે રંગ,હૈયુ અનંત છે હરખાય
સાચા સંતના શરણે રહેતા,જીવન પાવન થાય
                       ……… ભક્તિમાં જ્યાં લાગે રંગ.
શ્રધ્ધા રાખીને સંતમાં,પ્રભુ કૃપાને મેળવી લેવાય
જીવની ઉજ્વળતા પામવા,સાચુ શરણુ છે શોધાય
માયાનાબંધન તો દેહને,નેજીવને ભક્તિએ બંધાય
કામદામના મોહને મુકતાં,છે પ્રભુભક્તોના રખેવાળ
                      …………ભક્તિમાં જ્યાં લાગે રંગ.
સંતની ભક્તિ સાચી,જ્યાં પવિત્રતા સંગ નિર્મળપ્રેમ
માળા તિલક ને ભગવું,એમાં ના મળે ભક્તિ ના વ્હેણ
સંસારની કેડી પર ચાલતા, ભક્તિનો લઇને સહવાસ
તનથીમહેનત સેવામનથી,છેપ્રભુ ભક્તોના રખેવાળ
                          ………ભક્તિમાં જ્યાં લાગે રંગ.

*****************************************

February 3rd 2010

ભક્તિભાવ

                             ભક્તિભાવ

તાઃ૨/૨/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતાં જગમાં જીવને,મુક્તિમાર્ગ મળે અનેક
પરમાત્માની ત્યાં કૃપા મળે,જ્યાં ભક્તિભાવમાં ટેક
                         ……….જન્મ મળતાં જગમાં જીવને.
અજાણતાએ જો દેહે મોહ મળે,જે સમયે ભાગી જાય
માનવતાની ના મહેંક કોઇ,પુર્વ જન્મની દે એ સાથ
મળતી સાચીરાહ એને,જે જીવને મુક્તિએ લઇ જાય
સમયની વ્યાધી ભાગીચાલે,જ્યાં ભક્તિપ્રેમથી થાય
                         ……….જન્મ મળતાં જગમાં જીવને.
નિર્મળ પ્રેમ ને સાચોસ્નેહ,જીવન દેહને એ દઇ જાય
સરળતાનો સાથરહે જીવનમાં,ને પવિત્રજીવન થાય
ડગલે પગલે પ્રભુનોસાથ,દેહની આંગળી પકડી જાય
બચી જાય આ માનવ દેહ,ને ઉપાધીઓ  ભાગી જાય
                       ………..જન્મ મળતાં જગમાં જીવને.
ક્યારે ક્યાંની ના ચિંતા,જ્યાં સધળુ પાસે આવી જાય
જગતઆધારી અતિ દયાળુ,જે ભક્તિભાવે મળી જાય
માળાનો નામોહ રાખતાં,હરપળ હ્રદયથી સ્મરણ થાય
ના જીવને માયા વળગે, કે ના ધરતીએ આવવું  થાય
                        …………જન્મ મળતાં જગમાં જીવને.

==================================

February 2nd 2010

અભિષેક

                              અભિષેક

તાઃ૧/૨/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથની ભક્તિ ન્યારી,છે જીવન ઉજ્વળ કરનારી
સોમવારનો સુરજ ઉગતાં,પ્રભાતે પુષ્પ દુધથી થનારી
                              ………ભોલેનાથની ભક્તિ ન્યારી.
ભોલેનાથ તો જગતપિતા છે,જે મુક્તિ જીવને એ દેનારા
પ્રેમ ભાવથી પુંજન કરતાં,આ સફળ જન્મ પણ કરનારા
ધુપદીપ સંગે આરતીકરતાં,પળમાં જીવને શાંન્તિ દઇ દે
અભિષેક નાગેશ્વરનું કરતાં,મુક્તિના દરવાજાએ ખોલી દે
                              ……….ભોલેનાથની ભક્તિ ન્યારી.
માતા પાર્વતીની કૃપા મળે,જ્યાં ભોલેનાથની  પુંજા ફળે
ત્રિશુળધારી છે અતિદયાળુ,દેહના શત્રુઓનો એ નાશ કરે
દેહને જગમાં મુક્તિ મળે,જ્યાં ગંગાનું પવિત્ર અમૃત મળે
અભિષેકમાં આસ્થા રહેતા,જીવને જગનાફેરા ભક્તિએ ટળે
                            ………….ભોલેનાથની ભક્તિ ન્યારી.

===================================

January 30th 2010

પ્રેમી પોકાર

                          પ્રેમી પોકાર

તાઃ૨૯/૧૦/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના અણસાર સહવાસનો,કે ના સ્વાર્થનો રણકાર
જગમાં સમયે આવી મળે,હ્ર્દયનોજ પ્રેમીપોકાર
                         …….. ના અણસાર સહવાસનો.
કુદરતની આ રીત ન્યારી,જે પ્રેમ શબ્દે મળી જાય
અંતરનો કે બહારનો છે,એતો સમયે સમજાઇ જાય
મોહ માયા ના દેખાય,જ્યાં માબાપનો આવી જાય
આશીર્વાદ જ્યાં દીલથી મળે,ત્યાં ના ઉભરો દેખાય
                         ……… ના અણસાર સહવાસનો.
માનવદેહની માયા જીવને,મુક્તિના બતાવે એ દ્વાર
ભક્તિનો પોકાર દીલથીકરતાં,મળે સંતોનો સહવાસ
સાચી ભક્તિ મનથીજ કરતાં,ના ભુમી ભટકવું થાય
મળીજાય કૃપાપ્રભુની,ના દિવો લઇ શોધવા જવાય
                     …………. ના અણસાર સહવાસનો.

************************************

January 22nd 2010

ભક્તિ,પ્રેમ અને કૃપા

                ભક્તિ,પ્રેમ અને કૃપા

તાઃ૨૧/૧/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય પારખી જગમાં ચાલતાં,જન્મ સફળ થઇ જાય
પાવનજગમાં ભક્તિ પ્રેમ મળતાં,પ્રભુકૃપા મળી જાય
                           ………સમય પારખી જગમાં.
નિત્ય સવારે નિર્મળ ભક્તિ લેતા,ઉજ્વળતા લહેરાય
પામવા જગમાં લાગેજીવન,જ્યાં માનવતા મહેંકાય
ભક્તિકરતાં મન પણ હરખાય,જ્યાં પ્રેમે ભજનથાય
મળતી માયા પરમાત્માથી,શીતળ જીવન થઇ જાય
                          ………સમય પારખી જગમાં.
આવીપ્રેમ મળે જીવનમાં,જ્યાં સંસ્કારના છે સોપાન
મળવા મનથી હૈયા તરસે,ના અપેક્ષાય કોઇ રખાય
ડગલે પગલે સહકારમળે,ત્યાં ઉજ્વળ પ્રેમ જ દેખાય
મળી જાય જગતમાં પ્રેમ સાચો, જીવન સાર્થક થાય
                           ………સમય પારખી જગમાં.
દેખાદેખની માયા નાવળગે,ત્યાં પરમપિતા હરખાય
નિર્મળહૈયે ભક્તિ કરતાં,જીવને પ્રેમ સૌનો મળીજાય
રામનામની જીવને મળે કેડી,ત્યાં કૃપા અપાર થાય
આવી આંગણે પરમાત્મા પણ,જીવને મોક્ષ દઇ જાય
                          ……….સમય પારખી જગમાં.

************************************

January 19th 2010

જય મહાદેવ

                        જય મહાદેવ

તાઃ૧૮/૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

છો ત્રિશુલધારી,ઓ ભોલે ભંડારી,
              છો જગતઆધારી,ઓ વિશ્વવ્યાપી;
સુણજો અમારી વિનંતી આધારી,
             નિશદીન કરીએ છીએ પુંજનઅર્ચન;
પ્રેમે સ્વીકારી દો ઉજ્વળ જીવન,
               મુક્તિ જીવની એ આશા ઉમંગથી.
                    ………છો ત્રિશુલધારી,ઓ ભોલે ભંડારી.
મૃદંગ વાગે ને  ડમરુ પણ વાગે,
               શિવલીંગ પર દુધ અર્ચન  સાથે
ધંટારવ ને વળી ઢોલ પણ વાગે,
               આરતી પુંજા સૌ ભક્તો છે સાથે
ૐ નમ શિવાયના સ્મરણ સંગે,
               પાવન ભક્તિ કરીએ વંદન સંગે
                   ……..છો ત્રિશુલધારી,ઓ ભોલે ભંડારી.
હૈયુ હરખે કૃપા પામવા જીવન સંગે,
               તનમનથી વંદન કર્મપાવન કાજે
દેજોપ્રેમ કૃપાળુ આજીવ શાંન્તિ ઝંખે,
                 હાથ પ્રસારુ પ્રેમ હૈયુ છે તરસે
આધાર તમારો અવનીપર હું માગું,
               પ્રેમે તનમન ઉજ્વળ પણ કરજો
                    ……..છો ત્રિશુલધારી,ઓ ભોલે ભંડારી.

=================================

January 18th 2010

શ્રધ્ધાનું બળ

                             શ્રધ્ધાનું બળ

તાઃ૧૭/૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામ મને ભક્તિ દેજો,જ્યાં મળવા આવે પ્રભુ રામ
સાંઇબાબા મને પ્રેમ દેજો,જ્યાં પરમપિતા પણ હરખાય
                            ………જલારામ મને ભક્તિ દેજો.
નિત્ય સવારે પ્રાર્થના કરતાં,મનને શાંન્તિ મળી જાય
પ્રભાતના પહેલા કિરણોથી,ઉજાસ ઘરમાંય થઇ જાય
મોહમાયાના બંધન પણ તુટે,નારહે અપેક્ષા મનમાંય
પવિત્ર જીવન પામવા કાજે,સંત જલાસાંઇને ભજાય
                           ………જલારામ મને ભક્તિ દેજો.
માનવ જીવન સાર્થક કરવા,નાકોઇ દેહને દુઃખી કરાય
પ્રેમ પામવા પ્રેમદેતાં જગમાં,પરમાત્મા પણ હરખાય
એક દ્રષ્ટિએ પ્રભુને જોતાં,ના ભેદભાવ કોઇજગે દેખાય
માનવતાનો સંકેતમળેજીવને,જ્યાં સાંઇબાબાને ભજાય
                            ………જલારામ મને ભક્તિ દેજો.
કર્મના બંધન જીવની સાથે,જે માનવદેહને દોરી જાય
માનવતાની મહેંક સંગે રહે,જ્યાં સંતને શરણે જવાય
માયામુકી જ્યાં ભક્તિથાય,ત્યાં પરમાત્મા આવી જાય
ઉજ્વળ દેહના દર્શન થાતાં,જીવનો જન્મ સુધરી જાય
                            ………જલારામ મને ભક્તિ દેજો.

***********************************************

January 17th 2010

સિંદુરની કિંમત

                       સિંદુરની કિંમત

તાઃ૧૬/૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ જીવનોસફળ બને,જ્યાં દેહને ઉજ્વળ કુળમળે
પવિત્ર પાવન ભક્તિ મળે,ને હિન્દુકુળમાં જન્મ મળે
                      ………જન્મ જીવનો સફળ બને.
માતાપિતાનો હરખ મળે,જ્યાં સંતાનને સાચી રાહ
નિર્મળ પાવન પ્રેમ વહે,ને માનવજીવનમાં ઉજાસ
શીતળ જીવનનો સહવાસ લેવા,દીકરી સાસરે જાય
સંસારનાસહવાસી પતિથી,ત્યાં સેંથામાંસિંદુર પુરાય
                         ………જન્મ જીવનો સફળ બને.
શ્રધ્ધા અને વિશ્વાસમાં જ્યાં અંતરે પ્રેમ આવી જાય
ચપટી સિંદુર કપાળમાં મુકતા,સૌભાગ્યવતી થવાય
ચપટીની ગપટી ના સમજાતા,શ્રીહનુમાનજી મુંઝાય
શરીરે સિંદુરલગાવી,પ્રભુરામનાચરણનું શરણુ લેવાય
                         ………જન્મ જીવનો સફળ બને.

==================================

January 14th 2010

જ્યોત

                           જ્યોત

તાઃ૧૩/૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રેમની મળતાં જીવને,જીવન મહેંકી જાય
પતિતપાવન નિર્મળ હૈયે,દેહનેશાંન્તિ મળી જાય
                           ……….જ્યોત પ્રેમની મળતાં.
આધાર છે નિરાધારનો,એ છે જગતના સર્જનહાર
પામર જીવને પ્રેમમળતાં,ટાઢકજીવને મળી જાય
જીવનેમળતાં અણસાર પ્રભુનો,મળીજાય સથવાર
પળપળ દેહની પાવનથાય,ને પરમાત્મા હરખાય
                             ………જ્યોત પ્રેમની મળતાં.
અવનીપરના આગમને જીવને,કર્મ બંધન છે અનેક
સફળ માનવીનુજીવન,જ્યાં ભક્તિએ મનનેરહે હેત
કરુણાસાગરની કરુણાનીલહેર,ઉજ્વળ જીવનનીદેન
જલાસાંઇની ભક્તિએ,મળે જીવનેજ્યોત પ્રેમેનીએક
                           ………..જ્યોત પ્રેમની મળતાં.

——————————————————

« Previous PageNext Page »