January 13th 2010

વિઘ્નેશ્વર

 Vighneshver

                           વિઘ્નેશ્વર

તાઃ૧૨/૧/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મના બંધન જીવને,ને મૃત્યુના બંધન દેહને,
કર્મનાબંધન જીવનથી,જે પરમાત્માથીપરખાય
                              ……..જન્મના બંધન જીવને.
અવની પર આવી જતાં,માનવે માનવતા દેખાય
મળીજાય માબાપનોપ્રેમ,ત્યાં જીવન ઉજ્વળ થાય
ભક્તિનો દોર  છે એવો,નાજુક તાંતણા સમ દેખાય
વિઘ્નેશ્વરની  અસીમ કૃપાએ,જન્મ સફળ થઇ જાય
                              ………જન્મના બંધન જીવને.
માનવ મનને સમજ મળતાં,પરમાત્માને  સહેવાય
પુંજન અર્ચન મનથી કરતાં,પાવન પ્રેમ મળી જાય
નામાયા નામોહ વળગે,જે જીવનેરાખે શાંન્તિથી દુર
કૃપા વિઘ્નેશ્વરની મળતાં,જીવ રહે ભક્તિમાં ચકચુર
                                ………જન્મના બંધન જીવને.
મંગળવાર એ મંગળદીન,જે જન્મને ઉજ્વળ બનાવે
કરુણાસાગર છે દયાળુ,માનવ જીવનમાં મહેંક લાવે
સાચીભક્તિ સ્નેહથી કરતાં,જીવનમાં પવિત્રતાઆવે
પાવનકેડી જીવનમાંમળતાં,જીવેમોહમાયા નારહેતા
                                ……… જન્મના બંધન જીવને.

================================

January 9th 2010

સરળ સૃષ્ટિ

                   સરળ સૃષ્ટિ

તાઃ૮/૧/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથની ભક્તિ કરતાં,જન્મ સફળ થઇ જાય
પ્રભુપ્રેમની પ્રીતમળતાં,હૈયુ પણ આનંદે હરખાય
                         ………ભોલેનાથની ભક્તિ કરતાં.
જન્મ મળતાં જગે જીવને,લેખ વિધાતાથી  લખાય
ગણપતિની કલમ ચાલતાં,જીવન ઉજ્વળથઇ જાય
સંતાન ભોલેનાથનાએ,જે સૌ પહેલા જગે છે પુંજાય
ભોલેનાથની ભક્તિએ,કૃપા વિધાતાનીય મળી જાય
                          ………ભોલેનાથની ભક્તિ કરતાં.
માનો અમુલ્ય પ્રેમ મળે જ્યાં,મા પાર્વતીજી પુંજાય
આશીર્વાદ મળેજ્યાં માના,ત્યાં જીવનઉજ્વળ થાય
દેહનો સંબંધ આજીવથી,જે માની કૃપાએ સચવાય
શાંન્તિ મળે જીવનજીવતાં,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
                         ………. ભોલેનાથની ભક્તિ કરતાં.
ભોલેનાથ તો ભોળાછે,જ્યાં ભક્તિ શ્રધ્ધાએજ થાય
જીવને આપે શાંન્તિ ને પ્રેમ,જ્યાં દુધ અર્ચન થાય
પ્રેમઅનંત મળીજાયજીવને,ઉજ્વળજીવનથઇ જાય
દુનીયા આખી વિખરાઇજાય,જ્યાં તાંડવ જગે થાય
                           ………ભોલેનાથની ભક્તિ કરતાં.

==============================

January 3rd 2010

કર્તારની કલમ

                      કર્તારની કલમ

તાઃ૩/૧/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ જન્મનો સંબંધ લાવે તેડી,
                                કલમ કર્તારની એવી
મળે જીવને જગતમાં કેડી,
                         જેનો અણસાર મળે ના કોઇ
                         ………..જીવ જન્મનો સંબંધ લાવે.
કાયાને માયાના બંધન,જગમાં જ્યારે જીવનેજન્મ મળે
મળે જગતમાં જીવને શાંન્તિ,જીવનાજગે ટળે જ્યાં ફેરા
                           ………જીવ જન્મનો સંબંધ લાવે.
કર્મના બંધન વળગે સૌને,હોય જગપર સાધુ કે શિકારી
મળીજાય જ્યાં ઉધી મતી જીવને,બની જાયએ ભિખારી
                          ………જીવ જન્મનો સંબંધ લાવે.
કલમ કર્તારની ચાલે સીધી,જેવી જીવે મતી છે લીધી
ભેદભાવની ના કોઇ પીડા,એ જગે  છે કર્તારની  લીલા
                          ……..  જીવ જન્મનો સંબંધ લાવે.
મળશે જીવને નમાગેલુ,જન્મોજન્મથી એસાથે રહેનારુ
મુક્તિનો  પાયો પામવાકાજે,ભક્તિનું જ્યાં મળે પહેલું
                           ………જીવ જન્મનો સંબંધ લાવે.
કાયા મળશે ને સંબંધસંગે,જ્યાં સુધી છે કર્મનાબંધન
મળે કૃપા કર્તારની જ્યારે,આવે  જીવને શાંન્તિ ત્યારે
                           ……..જીવ જન્મનો સંબંધ લાવે.
જન્મમરણના બંધનમળશે,કર્મનાબંધન જ્યારે છુટશે
ભક્તિ જલાસાંઇની મનથી કરતાં,જન્મજીવના ટળશે
                              …….જીવ જન્મનો સંબંધ લાવે.

_______________________________________

December 22nd 2009

નવમુ નોરતુ

                      નવમુ નોરતુ

તાઃ૧૦/૧૦/૧૯૮૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડીને ગરબે,દઇને બે તાળી
                ગરબે ઘુમતી,જગની આ નારી
ઓ મા,મારી અંબે,મારી કાળકા,માડી બહુચર
        રમવા આવોને મારે ગરબે રે ઓ માવડી
                       ………માડીને ગરબે,દઇને બે.
મા અંબા પધારે…(૨), રુમ ઝુમ કરતી
                   સાથે સહેલીઓ, ગરબે મારે
શોભા અનેરી,કહી શકાય ના
             નાકે છે નથણી,ને હાથે ગુલાલ છે
પગમાં….(૨)  ઝાંઝર ઝમકે રે
                        ……….માડીને ગરબે,દઇને બે.
પાવા તે ગઢથી…(૨) ઉતરી મા કાળકા
                       આંખે અનેરુ તેજ છે
શીતળ છે તારા, હાથની રે કૃપા
                        ભવસાગર તરનારને
જગની ઓ મા..(૨), તુ તારણહાર રે
                          ………માડીને ગરબે,દઇને બે.
મા બહુચર તારી ..(૨) ભક્તિ લાગી
                        ગરબે મારે પધારજે
ચુંદડી તારી, લાલ ગુલાલ છે
                       ભાલે તારે તેજ અનેરુ
તું આવી …(૨) ગરબે ઘુમજે માડી
                         ……..માડીને ગરબે,દઇને બે

…..જય જય અંબે,જય જય કાળકા,જય જય બહુચરમા…….
_______________________________________

December 22nd 2009

માળાનું મહત્વ

                   માળાનું મહત્વ

તાઃ૨૧/૧૨/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામની માળા કરતાં,મળી ગયા જલારામ
સાંઇબાબાનું સ્મરણ કરતાં,જન્મ સફળ દેખાય
                         ………રામનામની માળા કરતાં.
સંસાર થકી સહવાસમાં,ભક્તિ પ્રેમથી કરી લીધી
ઉજ્વળકુળના સંતાન થતાં,પરમાત્મા આવ્યા દ્વારે
વિરબાઇમાતાના સંસ્કાર,ને પવિત્રજીવનો સંગાથ
માગણી આવી જગત પર,ત્યાં પ્રભુને જીતી લીધા
                         ………રામનામની માળા કરતાં.
ભક્તિ પ્રેમથી કરતાંકરતાં,માનવજીવન જીવીગયા
ના માયા મોહના બંધન,વળગે આવતા અવનીપર
અલ્લાહ ઇશ્વરની એક કડી,જે શ્રી સાંઇબાબાએ દીધી
પ્રેમની પાવક જ્વાળા પણ,શેરડી ગામે જાણી લીધી
                        ……….રામનામની માળા કરતાં.
સાંઇબાબાની જીવન કડી, ના સંસારમાં કોઇને મળી
અવનીપર અવતારધર્યો,ના માબાપને કોઇએ દીઠા
દેહધરી માનવીનોઅવનીએ,રામરહીમને એક કીધા
ભક્તિસાચી કરતાંદેહથી,આત્માએ જગથી મુક્તિદીઠી
                         ……….રામનામની માળા કરતાં.

@@@@@@@@@@@@@@@@@@@@@@@

December 9th 2009

દીનબંધુ ભગવાન

               દીનબંધુ ભગવાન

તાઃ૨૮/૯/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવની  પરના અંધકારમાં, ઉજાસ જ્યાં મળી જાય
જગતપિતાની સૃષ્ટિ એવી,અપંગ પર્વત ચઢી જાય
                         ……….અવની પરના અંધકારમાં.
ભક્તિનો સંગાથ મળતાંજ, અજવાળા પથરાઇ જાય
જીવજગતમાં પામરમટી,સ્નેહના વાદળે ઘેરાઇ જાય
આંધીનો અણકાર નામળે,ને વ્યાધીપણ  છુપાઇ જાય
એકમેકના સંબંધ ભાગતા,જગમાં દીનબંધુ મળી જાય
                          ……….અવની પરના અંધકારમાં.
જન્મ મૃત્યુ તો જગમાં સાચું, ના માનવ મને હું વાંચુ
સફળ સ્નેહની ઘેરી છાયામાં,માનવ બની ને હું નાચું
મળી જાય માબાપનો પ્રેમ,સાથે ભાઇભાંડુનો સહવાસ
અકળ જગતમાં પ્રેમ પ્રભુનો,જ્યાં દીનબંધુ થઇ જાય
                            ………અવની પરના અંધકારમાં.

=====================================

December 3rd 2009

જલાસાંઇનુ રટણ

                         જલાસાંઇનુ રટણ

તાઃ૨૯/૧૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

સવારસાંજ હું રટણકરુ જલારામ,બીજુનથી મારે કોઇકામ
ભજનભક્તિમાં રાખુ ધ્યાન,હવે ઘરમાંલાગે વિરપુરગામ
                           ………..સવાર સાંજ રટણ કરુ હું.
સવારની શીતળતા મળે, જ્યાં સુર્યોદયનો સહવાસ અડે
મનનેમાયા લાગતાંભક્તિની,સંત જલાસાંઇની કૃપામળે
રટણ સ્મરણને વળગી રહેતા,મનનેશાંન્તિ ઘરમાં જમળે
                            ……….સવાર સાંજ રટણ કરુ હું.
આત્માને જ્યાંઅણસાર મળ્યો,ત્યાં મનથીભક્તિ કરી શરુ
કળિયુગનાવહેણને જોઇલેતાં,ઘરમાંભજનભક્તિ મેં લીધી
હાલતા ચાલતા સ્મરણ કરું, ને સમયે રામનામની માળા
                            ……….સવાર સાંજ રટણ કરુ હું.
વિચારવમળમાં ના ફસાતો,જ્યાં સીધી લીધી ધર્મનીકેડી
સંસારનીસંગતમાં ચાલતો હું,પ્રેમે જલાસાંઇની સેવાકરતો
મળી ગઇ મહેંક જીવને પ્રભુની,ના સમય બગાડવા ફરતો
                             ……….સવાર સાંજ રટણ કરુ હું.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

December 2nd 2009

ભક્તિનો રણકાર

                       ભક્તિનો રણકાર

તાઃ૧/૧૨/૨૦૦૯                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો રણકાર એવો, જ્યાં પ્રભુ ભીખ માગવા આવે
વિરબાઇની માગણી કીધી,જ્યાં જલારામે ભક્તિ લીધી
                            ……….ભક્તિનો રણકાર એવો.
મૃત્યુનો ના અણસાર રહે,જ્યાં જીવને મુક્તિ મળી જાય
પ્રેમ પામી પરમાત્માનો,જગમાં જન્મ સફળ થઇ જાય
લાગણી માયા છે દેહના બંધન,જે જીવથીજ છુટી જાય
આવે  આંગણે ભીખ માગવા,જે  જગના છે  પાલનહાર
                            ……….ભક્તિનો રણકાર એવો.
ભક્તિસાચી મનથીકરતાં,જીવથી અળગારહે મોહમાયા
સાચી જીવને કેડીમળતાં,બંધન થાય જગતનાઅળગા
આંગણે આવે પરમપિતા જ્યાં,ત્યાં મુક્તિ દોડી આવે
જન્મનાબંધન જગના છુટે,એ સાચી ભક્તિનો રણકાર
                            ……….ભક્તિનો રણકાર એવો.

++++++++++++++++++++++++++++++++++

November 26th 2009

सबका मालीक

                  सबका मालीक

ताः२६/११/२००९                      प्रदीप ब्रह्मभट्ट

इन्सानी जीवनमें कभी धुप छांव आ जाती है
जब रहेमहो उपरवालेकी सबचिंता भागजाती है 
                      ………..इन्सानी जीवनमें कभी.
कर्मवचन ओर वाणीका इन्सानियतसे नाता है
जो समझ गयेहै उसको वो भक्तिमेंसुख पाते है
आनाजाना इस दुनीयामें कर्मोसे मील जाता है
सबका मालीक मीलजायेतो उज्वळजन्म होताहै
                       ……….इन्सानी जीवनमें कभी.
करनी वैसी भरनी जगमें ना जगमें बच पाया है
भक्तिप्रेमका संदेशमीले तो प्रभुप्रीत मील जाती है
प्यारभरे इस संसारमें जव प्यार सभीका पाना है
श्रध्धाओरसबुरीमें जीवनमें प्रभुप्रेम मील जाता है
                         ……..इन्सानी जीवनमें कभी.

+++++++++++++++++++++++++++++++++++

November 22nd 2009

पाया तीर्थधाम

                     पाया तीर्थधाम

ताः१८/११/२००९                      प्रदीप ब्रह्मभट्ट

राम नाममे पाया जगमे, अडसठ तीर्थधाम
भक्तिभावकी सोनेरी किरणे,उज्वल मेरे काम
                          ………रामनाममे पाया जगमे.
प्रभात पहोरकी कोमलताका, मिल जाये सहारा
शांन्तीमनमें आ जाती ओर भक्तिसे होता नाता
प्रभुप्रेमकी वर्षा होती,जीवको मील जाये किनारा
ना इच्छा ओर अपेक्षा,जब जलासांइ मील जाये
                          ………रामनाममे पाया जगमे.
जन्म मीला अवनी पे,तब ना कोइ था किनारा
जीव जगतमें आया लेके,आसमानका ही सहारा
मंझील पाना हाथ तुम्हारे,भजनभक्ति है बटवारा
हाथ पसारे खडे जहां पर,संतका हो वहां इसारा
                           ………रामनाममे पाया जगमे. 

————————————————————

« Previous PageNext Page »