November 18th 2009

કૃપા એજ મોક્ષ

                    કૃપા એજ મોક્ષ

તાઃ૧૭/૧૧/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોક્ષની માયા લાગતા,જીવને ભક્તિ પ્રેમે થાય
જલાસાંઇની ભક્તિ લેતા,પ્રભુરામની કૃપા થાય
                           ………મોક્ષની માયા લાગતા.
પ્રભાત પહોરના સોનેરીકિરણે,પુંજન અર્ચનથાય
બારણુ ખોલતા ઘરમાં, પધરામણી પ્રભુની  થાય
તુલસી ક્યારા આંગણેશોભે,ને ગુલાબ મહેંકીજાય
કંકુ ચાંલ્લા કરતાં દ્વારે,ચોખાથી વધામણા થાય
                              …….મોક્ષની માયા લાગતા.
પવિત્ર પાણી ગંગા નદીના,વધામણાથી અર્ચાય
ચારેદીશાને નમનકરતાં,પંચામૃત હાથથી દેવાય
કૃપા કરુણા સાગરની, જીવની ભક્તિ જોતા થાય
મળીજાય જ્યાં કૃપાપ્રભુની,જીવનેમોક્ષમળી જાય
                              ………મોક્ષની માયા લાગતા.

(((((((((((((((((((((((((((((())))))))))))))))))))))))))

November 17th 2009

દાનેશ્વર ભગવાન

                દાનેશ્વર ભગવાન

તાઃ૧૬/૧૧/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીન દયાળુ ને ભક્તિ દાતા,છો કરુણાના અવતાર
સોમવારની સવાર ઉજ્વળ,જ્યાં દીપઅર્ચન થાય
પિતા શંભુને મા પાર્વતીનો,ત્યાં પ્રેમ મળે  તત્કાળ
                             ………દીન દયાળુ ને ભક્તિ.
પ્રભાત પહોરની પહેલી કિરણે, ભાવથી ભક્તિ થાય
સુર્યોદયનાસહવાસમાં,શિવલીંગને દુધ અર્પણથાય
સુખડની ફોરમ મહેંકે ઘરમાં,ને દીવા જળહળ થાય
મંજીરાનાતાનમાં અને ડમરુનાતાલમાં ભક્તિ થાય
નમન દેહથી કરતાંસૌ,આનંદમાં ભજનપ્રેમથી ગાય
ૐનમઃશિવાયના જાપથી, હૈયેથી પ્રભુનેવંદન થાય
                           ……….દીન દયાળુ ને ભક્તિ.
જન્મ દેહથી મુક્તિકાજે,સહજભાવમાં ભક્તિપ્રેમે થાય
ભોલેનાથના શરણે જાતાં, જીવની મુક્તિના ખુલે દ્વાર
માતા પાર્વતીની કૃપા પામતા, સ્નેહાળ શાંન્તિ થાય
અવની પરના અવતરણને,પ્રભુભક્તિએ સાર્થક થાય
મુક્તિના  દ્વાર ખોલવા કાજે,હર હર ભોલે સ્મરણ થાય
મન અને માળાનુ  મિલન થતાં, જીવને શાંન્તિ થાય
                              …….દીન દયાળુ ને ભક્તિ.

+++++++++++++++++++++++++++++++++++

November 13th 2009

મારે આંગણે

                     મારે આંગણે

તાઃ૧૨/૧૧/૨૦૦૯     (ગુરુવાર)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજ મારે આંગણે રે,આવ્યા ઝોળી દંડા સાથ
વિરબાઇમાતાના નાથ,છે વિરપુરના ભરથાર
                          …………આજ મારે આંગણે રે.
કરુણા સાગર ભક્તિ આધારી,પ્રેમના અવતારી
પ્રભુ કૃપાને પામી જગમાં,ઉજ્વળ જીવન સાથ
મહેંક પ્રેમની મેળવીને, લીધી માનવતાની કેડી
સંતાન સંગે પાવન જન્મ,કરવાની દીધી સીડી
                          …………આજ મારે આંગણે રે.
સવારસાંજની ભક્તિ નિરાળી,અંતર જીવન ઉજ્વળ
આવી આંગણે મહેંકે ભક્તિ,જગમાં ભજન છે શક્તિ
મળી ગઇ જ્યાં કૃપા પ્રભુની ,ના વ્યાધી છે જગમાં
મળશે જગે માયાથીમુક્તિ,જ્યાં વળગે ભક્તિ જીવે
                          ……….આજ મારે આંગણે રે

++++++++++++++++++++++++++++++++++++

November 11th 2009

ભક્તિ સાથે ભજન

                     ભક્તિ સાથે ભજન

તાઃ૧૦/૧૧/૨૦૦૯                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહની વિટંમણામાં ભઇ,સાગર ના સમજાય
સુખ સાગર કે દુઃખ સાગર,એ પડીએ ત્યાં પરખાય
                         ……..માનવદેહની વિટંમણામાં.
પ્રભાતના પહેલા કિરણના સ્પર્શે, સુર્યોદયને પુંજાય
નમણી આંખે પુંજી લેતા,પાવનદ્વાર ઘરના થઇજાય
સમયને પારખી   ભક્તિ કરતાં,પ્રભુ કૃપા પણ થાય
આવે આંગણે મહેંક તુલસીની,ત્યાં હૈયુ પણ હરખાય
                         ……..માનવદેહની વિટંમણામાં.
ભજન કરતાં મતી અટકે,જે ના લટકે વ્યાધી મળતા
શબ્દ સુરના તાલમાં રહેતા,ભાવનાએ ભરાઇ જવાય
બંધ આંખે જગતને જોતાં,મળે પ્રભુની અનોખી પ્રીત
ભક્તિને સંગાથ મળે ભજનનો,સ્વર્ગ પામવાની રીત
                        ………માનવદેહની વિટંમણામાં.

+++++++++++++++++++++++++++++++++

November 1st 2009

ભક્તિની લગની

                  ભક્તિની લગની

તાઃ૧/૧૧/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અણસાર દીઠો ભક્તિનો,જ્યાં ઉજ્વળ જીવન થાય
પવિત્રપ્રેમ મળે માબાપનો,ને જીવને શાંન્તિ થાય
                            ……..અણસાર દીઠો ભક્તિનો.
બાળપણની બારાખડીમાં,ભક્તિનો કક્કો મળી જાય
ભણતર સંગે ચણતર ચાલે,ત્યાં પાવન જીવનથાય
મળતી માયા દ્વારે દ્વારે,ના જીવથી અળગીએ થાય
પરમેશ્વરની કૃપા પામતા,દુર જીવથીએ ભાગી જાય
                            ……..અણસાર દીઠો ભક્તિનો.
સંસારનો સંગાથ રહે જીવે,ને ભાઇભાંડું પણ હરખાય
સાર્થક જન્મ જીવનો કરવાને, પ્રભુ ભક્તિ પ્રેમે થાય
લગનીલાગે મનથી રામની,જે ભક્તિથીજ ઓળખાય
મૃત્યુમાં પણ મહેંક મળે,જ્યાં ભક્ત જલાસાંઇ ભજાય
                            ……..અણસાર દીઠો ભક્તિનો.
અંતરથી જ્યાં પ્રકટે પ્રેમ,ના જગના મળે કોઇ વ્હેમ
મનનીશાંન્તિ ને માનવતાએ,આજીવન ખીલી જાય
સદા સાથ રહે ભક્તિનો,ત્યાં માનવતા મહેંકી જાય
ઉજ્વળ માનવ જન્મ થતાં,ના અવનીએ ફરી મળે
                               ……..અણસાર દીઠો ભક્તિનો.

$$$$$$$=======//////////////———-###########

October 28th 2009

ગોકુળીયુ ગામ વિરપુર

                       ગોકુળીયુ ગામ વિરપુર

તાઃ૨૭/૧૦/૨૦૦૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના આગગાડીના ધબકારા,કે ના મોટરગાડીના ધુમાડા
ક્યાંક સાયકલ ચલાવનારા,અહીંમાનવીચાલેપગપાળા
                             ………ના આગગાડીના ધબકારા.
ભક્તિનો રણકાર ગુંજે,ને રોજ પ્રભાતે આરતી સંભળાય
ઢોલ નગારા સંગે મંજીરા,જ્યાં સંત જલારામને ભજાય
પોકારપ્રેમનો ચારે કોર સંભળાય,ને અન્નદાનનો  ભંડાર
જગતજીવ અહીં આવી જતાં,એ દેહ શાંન્તિએ સહવાય
                            ……….ના આગગાડીના ધબકારા.
કુદરતની કરુણા જ્યાંવરસી,એ વિરપુર નામે ઓળખાય
પાવન સૌરાષ્ટની ધરતી,  જગતમાં પવિત્રતા મહેંકાય
ભક્તિનો સથવારો મળે,જ્યાં માનવી અન્ન મેળવી જાય
જલાબાપાને માતા વિરબાઇના,પવિત્ર બારણામળીજાય
                             ………ના આગગાડીના ધબકારા.
કળીયુગમાં સીતારો બનતા,મહેનત  દેહને પડે અપાર
લાગણી,માયા,મોહ છોડતા,દેહઅનહદ તકલીફે ભેંટાય
પ્રભુપરીક્ષા દેહની દેતા,સહનશીલતા ભક્તિએ લેવાય
સફળજીવન બની જતાં,પ્રભુ પ્રેમે ઝંડો ઝોલી દઇ જાય
                                ………ના આગગાડીના ધબકારા.

+++++++++++++++++++++++++++++++++++++

October 20th 2009

પ્રભાતમાં શરણું

                     પ્રભાતમાં શરણું

તાઃ૧૯/૧૦/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શિવજીનું મેં શરણું  લીધુ,પ્રભુ પાવન જીવન દેજો
પ્રેમે અમારી ભક્તિ સ્વીકારી,ઉજ્વળ જીવન કરજો
                        ………શિવજીનું મેં શરણું લીધુ.
સવાર સાંજમાં જ શ્રધ્ધા રાખી,સ્મરણ તમારુ કરતો
મોહમાયાના બંધન છોડવા,ૐ નમઃ શિવાય જપતો
જગજીવનમાં નીતસવારે,ભક્તિદીપ હું ચરણે ધરતો
લેજો સ્વીકારી દેજો પ્રેમ,આત્માનો એ જ છે અભરખો
                        ……..શિવજીનું મેં શરણું લીધુ.
મા પાર્વતીની સેવામાં સદા,હું ધ્યાન મનથી રટતો
કરુણા પામી મોહ છોડી, માનવ જીવન ચરણે ધરતો
સંતાનબનીને રહેવાશરણે,મા વિનંતી મનથી કરતો 
પકડીહાથ અમસૌનો માડી,મુક્તિ સંગે અમારી રહેજો
                           …….શિવજીનું મેં શરણું લીધુ.

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+

October 9th 2009

આસોપાલવના તોરણીયા

                 આસોપાલવના તોરણીયા

તાઃ૭/૧૦/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવના બંધન છોડવા,આસોપાલવના તોરણીયા બંધાય
જન્મમરણની મુક્તિમાગવા,માડીમારે આંગણે દીવાથાય
                                 ……..જીવના બંધન છોડવા.
થઇકૃપા પરમાત્માની,ત્યાં અવનીએ માનવ જન્મમળ્યો
કરુણા જીવ પર કરી જ્યારથી, ભક્તિ પ્રેમથી કરી લીધી
આંગણેઆવી માડી રોજ સવારે,મને પ્રેમથી આશીશદેતા
માનવમન ના સમજી શકે, ભાવના ભક્તિની છે નિરાળી
                                 ……..જીવના બંધન છોડવા.
અવસરના જ્યાં દ્વાર ખુલે, ત્યાં જીવ પ્રસંગોમાં ભરમાય
શોધતા માયામોહ જગતના,ના દુશ્મન કોઇ જગે દેખાય
મળે બંધનજગના જ્યાં જીવને,ત્યાં પૃથ્વીએ જ લપટાય
ના છુટે જીવ જન્મ મરણથી,જ્યાં દેહથી છટકવાને જાય
                                ………જીવના બંધન છોડવા.‌‌‌

####################################

October 4th 2009

ભક્તિની સાચી ભુખ

Shantiprasad-1

                      ભક્તિની સાચી ભુખ

તાઃ૩/૧૦/૨૦૦૯                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનીજ્યાંલાગેભુખ,ત્યાં મંદીરમસ્જીદના જોઇએ
પરમાત્માનુસ્થાન ઘરમાં,સાધુસંત આવી ભજીજાય
                          ……..ભક્તિની ભુખ જ્યાં લાગે.
મનથી લાગે જ્યાં ભક્તિ, ત્યાં શ્રધ્ધાથી પ્રભુ ભજાય
ના સવાર સાંજ નડે,કે ના નડે ઘડીયાળના એ કાંટા
આવીને હૈયે હેત પણ મળે,જે જન્મ સફળ કરી જાય
ના સમયના વહેણ નડે,કે ના પૃથ્વીના કોઇ નરનાર
                          ……..ભક્તિની ભુખ જ્યાં લાગે.
સાધુસંતની પવિત્ર દ્રષ્ટિ,પણ સરળતામાં સમજાય
આવી સંસારના બારણે, ભક્તિની દોરી દેતા જાય
પ્રભુપ્રીત હૈયેથી આવે,ના પૈસા કે માળાથી લેવાય
મળે સંતજલાસાંઇનોપ્રેમ,જે સાચીભક્તિએ મેળવાય
                         ………ભક્તિની ભુખ જ્યાં લાગે.
વાણી વર્તન સરળ બને,ને સર્વ જીવોમાં પ્રેમ દીસે
માનવતાની મહેંક મીઠી, જીવ જગતમાં ફરી વળે
સફળ સંસારની સીડી સીધી,ભક્તિના ટેકે ચઢી રહો
પવિત્રઆંગણુ ને પાવનભક્તિ,પ્રેમે ઉજ્વળબનીરહે
                         ………ભક્તિની ભુખ જ્યાં લાગે.

*****************************************

October 1st 2009

શીતળ ભક્તિપ્રેમ

                    શીતળ ભક્તિપ્રેમ

તાઃ૧/૧૦/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ કરવા પ્રેમથી, શક્તિ દેજો આ દેહને
કરજો કરુણા મનથી,મુક્તિ દેજોમને મોહથી
                        …….ભક્તિ કરવા પ્રેમથી.
રામનામની માળા હાથમાં,રટણ કરતો હુ રહુ
પ્રેમ પામી પરમાત્માનો,જીવન ઉજળુ હુ કરુ
ભક્તિમાં મને શક્તિ દેજો,સાથે રહેજો મારી 
હરપળ તમને યાદ કરુ,જીવન સાર્થક હુ પામુ
                          ……..ભક્તિ કરવા પ્રેમથી.
જલારામની જ્યોતમળી,નેસાંઇબાબાની માયા
સાચી સીડી મળી પ્રેમની,પામવા જીવે મુક્તિ
સંત બની સંસારમાં રહ્યા,જગે દીધી સાચીરાહ
પ્રેમપામી પ્રભુનો અવનીએ,સાર્થક જીવનલીધુ
                           …….ભક્તિ કરવા પ્રેમથી.
આવી આંગણે દેજો સહારો, પામર જીવન છુટે
નાવળગે મને મોહમાયા,જે જગમાં જીવનલુંટે
મુક્તિ લેવા જીવને બાબા, દેજો કરુણા મનથી
જલારામની આંગળીપકડી,જીવને લેજો જકડી
                         ………ભક્તિ કરવા પ્રેમથી.

================================

« Previous PageNext Page »