July 9th 2009

શ્રધ્ધાળુની શ્રધ્ધા

                        શ્રધ્ધાળુની શ્રધ્ધા

તાઃ૯/૭/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરતાં કામ જગતમાં મનથી.
               સફળતાની સહવાસ હંમેશા મળતી
એકમેકની લાગણીઓ ત્યાં મળતી,
                      જ્યાં શ્રધ્ધાળુની શ્રધ્ધા રહેતી
                                    …….કરતાં કામ જગતમાં.
મળતા જગમાં કામ અનેક
                  જ્યાં રાખીએ શ્રધ્ધા મનમાં એક
તારણહારનો મળતો ત્યાં પ્રેમ,
               જ્યાં શ્રધ્ધા સબુરીમાં રાખીએ હેત
આવે વાદળ ઉજ્વળતાના અનેક,
                   ને મળી જાય જલાસાંઇનો પ્રેમ
                                    …….કરતાં કામ જગતમાં.
ભક્તીની શક્તિ છે જગમાં નિરાળી,
               સાચા સંતોની સેવાએ  મળી જાય
મળી જાય સાચી રાહ જીવનની,
                   જે પરમાત્માની કૃપા લઇ આવે
જલારામની સાચી ભક્તિ જગમાં,
                 ને સાંઇબાબાની શ્રધ્ધા છે મહાન.
                                    …….કરતાં કામ જગતમાં.

++++++++++++++++++++++++++++++++++++++

July 4th 2009

કૃપાથી માગણી

              કૃપાથી માગણી

તાઃ૩/૭/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

બજરંગબલીથી બળ હુ માગુ,જલારામથી ભક્તિ
શ્રધ્ધા માગુ સાંઇ બાબાથી,ને જીવ માગે મુક્તિ
                                 …….બજરંગબલીથી બળ.
બળ રહે જ્યાં ભક્તિમાં, ત્યાં મર્કટ મન ના ડગે
રાખી પ્રેમ ને વિશ્વાસને,જગમાં જીવ કૃપા પામે
ડગમગભક્તિને ડગમગકાયા,મળશે જગમાંત્રાસ
આવશે આંગણે કાયરતા,ને ના રહે પ્રભુનો વાસ
                                 ……..બજરંગબલીથી બળ.
ભક્તિમાં એવી શક્તિ છે,જે જગતમાં જીવી જાય
પરમાત્માની મળે કૃપા જીવે,ભક્તિમાં થાય નામ
શ્રધ્ધારાખી રામની મનથી,ત્યાં ઉજ્વળ પંથ મળે
કુદરતને પણ નાઆરો રહે,જ્યાં ભક્તિએ જીવવળે
                                 ……..બજરંગબલીથી બળ.
કરુણાસાગર છે અવિનાશી,જીવ જગતનો છે વાસી
રાખી  પ્રેમને શ્રધ્ધા મનમાં, મુક્તિ  દેશે બલીહારી
દુઃખ સાગર ના બારણે આવે,ભક્તિથી એ ભાગે દુર
જીવને મળે પ્રેમ પ્રભુનો,નારહે જગતપર દેહનુ મુળ
                                  ……….બજરંગબલીથી બળ.

++++++++++++++++++++++++++++++++++

July 3rd 2009

જલારામ ને સાંઇરામ

                    જલારામ ને સાંઇરામ

તાઃ૧/૭/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

રહી સંસારમાં ભક્તિ કીધી,મેળવી જગતમાં સિધ્ધિ
ભગવાની ના માયા રાખી,તોય પ્રીત પ્રભુની લીધી
                                 …….રહી સંસારમાં ભક્તિ કીધી.
મેળવી જગમાં પ્રીતપ્રભુની, ના માયા જગમાં દીઠી
આવ્યા  આંગણે પરમપિતા, જેણે ભીખ માગી લીધી
સંસારના સાગરમાં રહીને,પત્નીને પ્રેમે દાનમાંદીધી
ભાગ્યા અવિનાશી આંગણેથી,ના પાછળ દ્રષ્ટિ કીધી
                                 …….રહી સંસારમાં ભક્તિ કીધી.
કળીયુગની માયામાં જગમાં,જ્યાં ભક્તિ દીઠી મોંઘી
પ્રીતમંદીરમાં દમડીથીજેને,ક્યાંથી પ્રભુપિતા પધારે
ભગવુ લેતો છાંયડો જગમાં,જ્યાં કર્મી કદીના ફસાય
કર્મનો મર્મ જગમાં લીધો, તેણે ભક્તિનો પથ લીધો
                                 …….રહી સંસારમાં ભક્તિ કીધી.
હૈયે રામ રાખી કામ કરતાં,સફળતાનો મળે સહવાસ
આવે પ્રેમને ઉભરે હેત હૈયે, જન્મે જીવ પણ હરખાય
સાચો પ્રેમ ને કૃપામળે,ઉધ્ધાર કુટુંબ સહિત થઇજાય
જન્મ સફળ  થઇ જાય, જેને કૃપા પ્રભુની મળી જાય
                                 …….રહી સંસારમાં ભક્તિ કીધી.

=================================

June 24th 2009

મંગળકારી

                  મંગળકારી

તાઃ૨૩/૬/૨૦૦૯  મંગળવાર  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના ત્રિશુલ  હાથમાં લેતા,
                          ના ગદા હાથમાં ધરતા
જગતજીવનુ પાવન જીવન,
                           કાગળ પેન લઇ કરતા
મા પાર્વતીના એ સંતાન,
                        પિતા જગતના તારણહાર
પ્રેમથી પાવન ભક્તિ જોતા,
                     મોક્ષ જીવને પ્રેમથી એ દેતા
                             …….ના ત્રિશુલ  હાથમાં લેતા.
કરુણા ગણપતિની પાવન,
                     ભક્તની ભક્તિ છે સુખદાયક
સદા વરસાવે પ્રેમની હેલી,
                       વહે માનવ જીવનમાં રેલી
રિધ્ધિ સિધ્ધિના એ ભરથાર,
                 લઇ આવે ઉજ્વળ જીવન સંસાર
પ્રભાત પહોરે સ્મરણ થાય,
                 ત્યાં પાવન જીવન ઉજ્વળ થાય.
                              …….ના ત્રિશુલ  હાથમાં લેતા.
મળે જીવને અણસાર સ્નેહનો,
                      પાવન પગલે જીવન ઉજળુ
શ્રી ગણેશાય નમઃ જ્યાં સ્મરાય,
                    મહેંક આવે જીવનમાં પળવાર
ના લીધી કોઇ માટી જગમાં,
                     કે ના માગી ભીખ આ ભવમાં
પકડી આંગળી જ્યાં રિધ્ધિની,
                       મળી જાય જીવનમાં સિધ્ધિ.
                               …….ના ત્રિશુલ  હાથમાં લેતા.

=====================================

June 21st 2009

પાવનદ્વાર

                     પાવનદ્વાર

તાઃ૨૧/૬/૨૦૦૯            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યા આજ આંગણે,વિરપુરના જોગી જલારામ
ભક્તિ પ્રેમ હૈયે રાખી, લઇ આવે વિરબાઇ માત
                                 ……આવ્યા આજ આંગણે.
જીવનપ્રેમે જગમાં જીવી,મનથી સૌને દીધા હેત
માયાનાબંધન બાંધી પ્રભુથી,મનથી કીધી પ્રીત
આંગણેઆવેલ જીવનેદેતા,સાચોપ્રેમભાવઅતીત
ના રાખતા માંગણી કે મોહ,જેની જગમાં છે રીત
                                 …….આવ્યા આજ આંગણે.
ભક્તિ જેના હૈયે વસે છે,સદા જગે નમે છે શીશ
કર્તા હર્તા જગના નિયંતા,ના જગે મંગાવે ભીખ
સંસારના બંધન નિરાળા,ને માયાના પકડીચાલે
મળીજાય જ્યાં પ્રભુપ્રીત,સૌ અળગાત્યાંથી ભાગે
                                  ……આવ્યા આજ આંગણે.

####################################

June 19th 2009

વ્હાલા ભક્તો

                   વ્હાલા ભક્તો

તા.૧૮/૬/૨૦૦૯             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાગો જાગો ભક્તો વ્હાલા;
               ભક્તિ સંગે ગુણલા ગાવા,
પેમ ભાવથી વંદન કરીએ;
               ઉજ્વળ પાવન જીવન લઇએ.
                            …….જાગો જાગો ભક્તો.
પ્રભાત પહોરના મધુર રંગે;
                રંગ જો જીવન જલાના સંગે, 
પાવન કરવા દેહ જીવનમાં;
                રાખજો શ્રધ્ધા મન મંદીરમાં,
આવી આંગણે પ્રેમથી લેજો;
                માનવતાની મહેંક જીવનમાં.
                          ………જાગો જાગો ભક્તો.
રાખી માયા જલાસાંઇથી;
               ભક્તિ કરજો મન અને ભાવથી,
સંસારની કાયા સૌને મળે છે;
              માનવ જીવનમાં સંત અનેક છે,
સાચી પામી સેવા સંતની;
               કરજો ઉત્તમ જીંદગી અવનીની.
                             …….જાગો જાગો ભક્તો.

==============================

May 27th 2009

ભક્તિભાવને પ્રેમ

                   ભક્તિભાવને પ્રેમ

તાઃ૨૬/૫/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ ભાવથી માળા કરુ છુ,ચરણે તમારે શીશ ધરુ હું,
ઉજ્વળજીવન શરણેધરીને,પાવનપ્રેમને માગી રહ્યો છુ.
…..ઓ ગણપતી બાપા તમને ભક્તિ ભાવથીનમન કરુ છુ.

સવાર સાંજ ને પારખી લેતા,ધુપદીપ ને વંદન કરુ છુ.
મળતી જગની માયા છોડીને,  કાયાના કામણ છોડુ હું,
સ્નેહપ્રેમની જ્યોતજાગીને,લાગે મનથી ભક્તિ તમારી,
પરમદયાળુ અતિ કૃપાળુ,સ્વીકારજો પ્રભુ પ્રેમ અમારો.
…..ઓ ગણપતી બાપા તમને ભક્તિ ભાવથીનમન કરુ છુ.

રીધ્ધીસીધ્ધીના છોઅધીકારી,જગતજીવના બલીહારી,
પ્રાણથીપ્યારા તમો પ્રભુછો,અધમઉધારણ અવીનાશી,
અંતરથી હુ સ્મરણ કરીને, પ્રેમથી જીવનચરણે ધરુ છુ,
માગણી મનથી મુક્તિકાજે,રાખજો હૈયે અરજી અમારી.
…..ઓ ગણપતી બાપા તમને ભક્તિ ભાવથીનમન કરુ છુ.

+++++++++++++++++++++++++++++++++++++

May 18th 2009

जलासांइ दरबार

                      जलासांइ दरबार

ताः१७/५/२००९                   प्रदीप ब्रह्मभट्ट

भक्तिके ये राजमहलमें, दो संत है जगमे महान
करुणासागर अविनाशीकी, जहां कृपा हो अपरंपार.
                      ……. भक्तिके ये राजमहलमें.
सागर जैसी भक्ति निराली, करुणा मीले अपार
डुब गये जब भक्तिभावमें,मीले स्वर्ग सा प्यार
उंचनीचका नाभेद कोइ,ना आमदामका वरताव
पहेचान जहां प्रेम भावकी,ना मागणी है लगार
                      ……..भक्तिके ये राजमहलमें.
विरपुरके जलाबापाकी,भक्ति जगमें एक मिशाल
दान दिया विरबाइ माताका,भाग चले तारणहार
दीन हीनको राह दीखाई, दीया भक्तिका अणसार
मानवताकी महेंकसे कीया, जगमें जीवन महान
                           ……. भक्तिके ये राजमहलमें.
शेरडीवाले सांइबाबाने,जगमे मानवताहै महेंकाइ
नातजातका भेदभरम,जो जगमें हिंसाको लेआइ
प्रेमभावना मानवमनमें जगाकेधृणाको दुरभगाइ
प्रेमके दरबारमें आके, भक्तिप्रीत जगमे है जगाइ
                           ……. भक्तिके ये राजमहलमें.

+==================================

May 14th 2009

શ્રી શીવબાબા

                   શ્રી શીવબાબા

 .તાઃ૧૧/૫/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
                   (૧૧/૫/૧૦૭૧)

આવો વ્હાલા શીવબાબા,તમને કરીએ કાલાવાલા
ભક્તિ ભાવને રાખી હૈયે, જીવનમાં દો અજવાળા
                            …..આવો વ્હાલા શીવબાબા.
કરુણાસાગર મુક્તિદાતા,કરીએ પ્રેમે પુંજન અર્ચન
પાવનપગલાપાડી,કરજો જીંદગી ઉજ્વળ અમારી
મતીઅમારી મુક્તિમાગે,ભક્તિ કરીએ પ્રેમેતમારી
                             …..આવો વ્હાલા શીવબાબા.
મળતીમાયા જન્મજીવથી,કૃપાદેજો જગતઆધારી
આવીઆંગણે આશીશદેજો,મુક્તિ વેળા સંગે રહેજો
લેજોહાથ ને દેજોસહારો,મોહમાયાથી અળગોરાખી
                             …..આવો વ્હાલા શીવબાબા.
ભક્તિ પ્રેમને સંગે રાખી,રટણ કરુ છુ અંતરયામી
નીજજીવનને પાવન કરવા,હૈયેહામ સદાહુ રાખુ
દેજોસહારો ને લેજોહાથ,મનથીહંમેશાં મુક્તિમાગુ
                             …..આવો વ્હાલા શીવબાબા. 

++++++++++++++++++++++++++++++++++++

May 3rd 2009

સવારની ભક્તિ

                            સવારની ભક્તિ

.તાઃ૩/૫/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સવારની છે ભક્તિ સાચી,ઉજ્વળ જીવન કરવા વાળી
ભક્ત જલાની સેવા કરતાં,જન્મે જીવને શાંન્તિ મળતા
                                        …….સવારની છે ભક્તિ.
પ્રભુ કૃપા છે જગમાં ન્યારી,સુધરે મન વચન ને વાણી
સદા સ્નેહની ભરતી આવે, જીવનમાં શાંન્તિ લઇ આવે
                                        …….સવારની છે ભક્તિ.
મુક્તમને જેસ્મરણ થાતુ,સુખી જીવનમાં નાદુઃખદેખાતુ
કરુણા સાગર પરમ કૃપાળુ, પરમાત્માની દયા દેનારુ
                                        …….સવારની છે ભક્તિ.
કાયાના બંધન છે જીવને, જન્મ મળે આવે છે લઇને
ભક્તિસવારની કૃપાદેનારી,જલાબાપાની દ્રષ્ટિ થનારી
                                        …….સવારની છે ભક્તિ.

========================================

« Previous PageNext Page »