September 12th 2009

વાત,નિવૃતી નિવાસમાં

                                   વાત,નિવૃત્તી નિવાસમાં                                   

તાઃ૧૯/૪/૨૦૦૯                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

 
           આજે સભાહૉલમાં બધા જ સમયસર આવી બેસી ગયા.પંદર દીવસે એક વખત બધા આ રીતે સાંજના ચાર એક વાગ્યાના અરસે હૉલમાં આવીને બેસે અને કંઇક વિતેલી વાતો કરી અનુભવ અને સમયની વાત કરે.પછી સાતેક વાગે જમવા માટે રસોઇ હૉલમાં જાય. ગયા વખતે મનુકાકા અને તેમના પત્નિ ઉષાકાકીની વાત સાંભળી ધણાને તો એમ થયુ કે આવુ થાય તેના કરતા તો સંતાન ન હોય તો કમસેકમ મનને શાંન્તિ તો મળે કે આપણી કોઇ જવાબદારી બાકી રહેતી નથી.આજે બધા સમય કરતાં વહેલા આવી બેસી ગયા કારણ આજે તેઓની સંભાળ રાખનાર સરગમબેન તેમના જીવનને લગતી કડી સંભળાવવાના છે. આમ તો સરગમબેન વડીલોની સેવા કરે અને ઓફીસનુ કામ પતાવી તેમને ફાળવેલ રુમમાં જઇ સુઇ જાય. પણ ગયા  વખતે મનુકાકાની વાત સાંભળી તેમનુ પણ મન ભરાઇ આવ્યું. સામાન્ય રીતે તેઓ આ હૉલમાં ન આવે કારણ દિવસ દરમ્યાનના કામથી થાકી જાય એટલે તેઓ માનસીક આરામ અને ભક્તિમાં થોડો સમય આપે.          
      ઑફીસના કામને આટોપી સરગમબેનને હૉલ તરફ આવતા જોઇ બધા જ શાંન્ત થઇ ગયા. સામાન્ય રીતે તો એકબીજાની સાથે વાતો ચાલતી હોય અને જ્યારે કોઇ પણ વૃધ્ધ જોડી પોતાની વાત કરે ત્યારે વચ્ચે વચ્ચે વાતો પણ થઇ જાય. બધાને આજે શાંન્ત રહેવામાં જ સરળતા દેખાઇ કારણ સરગમબેન એ બધાનો પ્રેમ પામી ગયા છે. બેન બારણે આવ્યા એટલે રધુકાકાએ પધારો બેટા કહ્યુ ત્યારે સરગમબેન બંધ હોઠે હસ્યા પણ ખરા.રાવજીકાકા કહે બેટા અહીં બેસો, તો મણીકાકી કહે બેટા અહીં મારી પાસે બેસને.પણ સરગમબેન કહે આજે તો  હું બધાની વચ્ચે જ બેસવાની છુ કારણ તમે બધાજ મારા છો.વચ્ચે બેસી કોઇપણ જાતનો વિચાર કર્યા વગર જ વાત શરુ કરી કારણ આજે તે જે કહેવાની છે તે  તેના જીવનમાં બનેલી હકીકત છે.
      બધા જ વડીલો શાંન્ત જોઇ સરગમબેને વાત શરુ કરી. મારો જન્મ આણંદ તાલુકાના એક નાના સમૃધ્ધ ગામમાં થયો હતો. ત્રીસથી પાંત્રીસ હજારની વસ્તીવાળુ ગામ. ગામમાં ખેડુતો,દુકાનદારો તથા બીજા નાના વ્યવસાયો હતા,હાઇસ્કુલ સુધી ભણવા સ્કુલ પણ હતી આગળ ભણવા માટે બાજુના મોટા શહેરમાં જતા ભણતર બાદ સારી નોકરી પણ શહેરમાં મળી જતી એટલે ગામમાં રહી વ્યક્તિઓ શહેરમાં નોકરી કરવા જતી. મારા બાપુજીનુ ગામમાં માન હતુ તેઓ ગામના સરપંચ હતા મારા દાદા પણ ગામના સરપંચ હતા એટલે ગામમાં અમારું કુટુંબ સામાજીક રીતે સેવાભાવીક હતુ.
             ગામમાં  હીન્દુ,મુસ્લીમ,શીખ,ઇસાઇ,હરીજન એમ બધી જ કોમના માણસો પોતપોતાના વ્યવસાય કરી પ્રેમથી જીવતા.હુ જ્યારે સ્કુલમાં જતી ત્યારે એક વખત મને યાદ છે કે મારાથી સ્કુલમાં આપેલ લેશન ઘેર સગા આવેલા તેથી મારાથી ના થયું ત્યારે મને મારા સાહેબે  લેશન ન લાવ્યાની સજામાં હાથમાં ફુટપટ્ટીથી મારેલ ત્યારે મારી બહેનપણી સાહિદા અને મૅરીની આંખમાં પાણી આવી ગયા હતા. સ્કુલથી છુટ્યા પછી તેઓ બન્ને મને બાઝીને રડી હતી.આવો અમારો પ્રેમ હતો.અત્યારે મેરી તો પરણીને અમેરીકા ચાલી ગઇ ઘણી વખત તેના ફોન આવે છે ત્યારે અમારા બંન્નેની આંખમાં પાણી આવે છે. સાહિદાને પણ ઘણી સારી નોકરી મળી છે તેના પતિ પણ સરકારી ઓફીસમાં ઘણી સારી જગ્યા પર છે.
                     સમય તો કોઇ પકડી શકતુ નથી. મારી ઉંમર ૧૮ વર્ષની હતી.મને યાદ છે તે પ્રમાણે તે દિવસ શનીવારનો હતો એટલે સ્કુલ બપોરેછુટી ગઇ.હુ ઘેર આવી. સાંજે છએક વાગ્યાના અરસામાં શેરીમા દોદાદોડ,બુમાબુમ અને ભાગમભાગનો અવાજ સંભળાયો. હું તથા મારી મમ્મીતરત બહાર બારણા તરફ દોડ્યા અને જોઈએ છીએ કે અમારા જ ગામના ગુલામકાકાના દિકરા અને તેમના ભાઇબંધો હાથમાં લાકડા લઇને બધાને મારે છે અને એક જણે મારા પપ્પાના માથે જોરથી લાકડાનો દંડો મારતા તેઓ પડી ગયા અને બુમાબુમ કરવા લાગ્યા. ગામના મુસલમાન અને હિન્દુઓ વચ્ચે કોમવાદી ઝગડો થતા મારા પપ્પાને પણ માર્યા માથામાંથી સખત લોહી નિકળતુ અમે જોઇ રહ્યા છે પણ અમે લાચાર બની ગયા અમારાથી બીકને કારણે તેમને ન બચાવી શક્યા.આ પ્રસંગ જોઇ મારી મમ્મી ભાગી પડી મારાથી કાંઇ જ ના બોલાયુ.મારા પપ્પાનુ અવસાન થયું. અમે નીરાધાર બની ગયા. મારા મામાને પેપરમાં સમાચાર વાંચતા ખબર પડી કે મારા પપ્પાનુ અવસાન થયુ છે. તેઓ તુરત બીજે દીવસે આવ્યા. મારી મમ્મી તો પોતાનું ભાન ભુલી ગઇ હોય તેમ પોતાના ભાઇને પણ ના ઓળખી શકી.મામાની આંખમાં પાણી આવી ગયું. તેમના ઘણા પ્રયત્ન પછી હુ અને મમ્મી તેમને ત્યાં ગામ છોડીને ચાલ્યા ગયા.

                       મારા ભણતરમાં મને હંમેશાં વડીલોએ જ પ્રેમ અને સહકાર આપ્યો છે. ભણતર પુરુ થાય તે પહેલા મારી મમ્મી આઘાત સહન ન કરી શકવાને કારણે પ્રભુના શરણમાં ચાલી ગઇ.મને મામાએ ઘણુ સમજાવી અને તેમની સાથે રહેવા રોકી પણ મને ખુબ જ દુઃખ થયુ કે આ જગતમાં માનવ માનવ તરીકે નહીં પણ કોમવાદની પડખે કેમ જીવે છે? શા માટે હિંસા અને દ્વેષ રાખી જગતના જીવોને દુઃખી કેમ કરે છે? મામાને કહ્યા વગર હું આ આશ્રમમાં આવીને પ્રભુકાકાને મળી.તેઓ અહીંના સંચાલક હોઇ મારા માટે લાગણી થતાં મને અહીં રહેવા એક રુમ આપી. આજે એજ રુમમાં હુ રહું છું. મને માબાપનો પ્રેમ ઓછો મળ્યો છે એટલે ભગવાને મને તમારા સૌનો પ્રેમ મળે તે તક આપી. મારા માબાપ,ભાઇભાંડુ એટલે કે મારુ સર્વસ્વ તમે જ છો.અને તમારા આશીર્વાદે મને સર્વ શાંન્તિ મળે છે.

                    અને અંતે હુ એટલુ જ કહીશ કે તમે જ મારુ જીવન છો.

                    બધાની આંખમાં પાણી આવી ગયા.ઇસ્માઇલકાકા તો સરગમબેનને બાથમાં લઇ ધ્રુશકે ને ધુશ્કે રડી પડ્યા તો સવિતાકાકી પણ મોટેથી રડી પડ્યા.પ્રસંગ એવો દેખાય કે જાણે સરગમબેનને તેમના માબાપ ભાઇબહેન સાથે સર્વસ્વ અહીંયાંજ મળી ગયુ છે.

                    ક્યારે સભા હોલમાંથી બધા પોતપોતાની રુમમાં ગયા અને ક્યારે સુઇ ગયા તેનો કોઇને ખ્યાલ નથી. બીજા દીવસની સવાર  કુકડાના અવાજથી આવી ગઇ.

++++++++++++++++++++++++++++++++++++++++++++++

May 4th 2009

વરઘોડો…. વર વગરનો

                        ઘોડો
                           ….
વર વગરનો

તાઃ૩/૫/૨૦૦૯                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

       શ્યામલાલનો દીકરો અનોજ અમેરીકાથી લગ્ન માટે ત્રણ માસથી આવેલ
લગ્ન માટે ઘણા માબાપ દીકરીઓ લઇને આવ્યા હતા. અંતે રાજેન્દ્રલાલ ની
દિકરી સંગી સાથે નક્કી કર્યુ.લગ્ન તારીખ,સમય અને સ્થળ નક્કી કરી કંકોત્રી
છપાવી અને બધાને સમયસર મોકલી પણ દીધી.જે દીવસે લગ્ન હતુ તે દિવસે……
      ઓ રાજુભાઇ, ઓ કનુભાઇ,ઓ મોહનભાઇ,ઓ રાવજીભાઇ
                શોધો જલ્દી,દોડો જલ્દી ક્યાં ગયો વરરાજા ભઇ
                        અરે ક્યાં ગયો શ્યામલાલનો દીકરો અનોજ ભઇ…..?????
જાન તૈયાર છે ને ઘોડો પણ આવ્યો,
                    સાથે આવ્યા બેંડવાજા ભઇ;
તૈયાર થયા સૌ સુંદર કપડે;
                     લાગે પરણવા ચાલ્યા ભઇ.
હસતા રમતા મુખડા સૌના છે;
                    ……….પણ ક્યાં ગયો વરરાજા ભઇ.
સવારમાં તો શુટ પહેરેલ;
                    માંડવે ફરતો અમે દીઠો અહીં,
મસ્ત મઝાનો મુગટ માથે,
                     ને સુંદર મોજડી પહેરી ભઇ.
અત્તર છાંટી હસ્તો દીઠો અહીં;
                    ……….પછી ક્યાં ગયો વરરાજા ભઇ.
સમય થયો વરઘોડાનો ભઇ;
                     તૈયાર થઇ સૌ રાહ જુએ અહીં,
ઉમંગ ઉત્સાહ લગ્નનો સૌમાં;
                     માણવા મનથી સૌ રાજી ભઇ,
અવસર એક મળ્યો છે આજે;
                     ……….પણ ક્યાં ગયો વરરાજા ભઇ.

      આમ વરરાજાની શોધાશોધ ચાલતી હતી ત્યાં મફતભાઇએ
અનોજને અને નવી વહુને હારતોરા સાથે આવતા દીઠા.આ જોઇ
શ્યામલાલ ચમકી ગયા કારણ સાથે ઘરની કામવાળી પણ સુંદર
કપડામાં હતી.તેઓ સમજી ગયા કે અનોજ કામવાળીની દિકરીને
કોર્ટમાં જઇ રજીસ્ટર લગ્ન કરીને લઇ આવ્યો છે. તેઓએ તરત   
અનોજને પુછ્યુ બેટા આવુ કેમ કર્યું?
            અનોજ કહે પપ્પા અમેરીકામાં અહીંના ભણતરની કોઇ
કીંમત નથી. અહીંથી ભણેલી પત્ની લાઉ તો ત્યાં નોકરી ના મળે,
સારી નોકરી માટે ભણાવવી પડે,અને તમને ખબર નહીં હોય કે
ત્યાં ભણતર મોંઘુ છે.અને આને તો કામનો અનુભવ છે એટલે ત્યાં
ગમે તે સ્ટોરમાં ગમેતે કામ મળી જાય એટલે બીજો કોઇ ખર્ચો જ
નહીં.
          એટલે એ બધુ વિચારીને જ મેં આ પગલુ ભરેલ છે.તમને
કોઇ વાંધો નથી ને?
             શ્યામલાલ કાંઇ જ બોલ્યા વગર જાનમાં જવા આવેલા
બધાને  જમાડી માફી માગી વિદાય કર્યા.              

============================================

April 11th 2009

મળેલ સંસ્કાર

                             મળેલ સંસ્કાર

તાઃ૧૦/૪/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉઠી સવારમાં માબાપને,જે પગે લાગી હરખાય
ઉજ્વળતાના સોપાન ચઢે,નેજીવન પાવનથાય
                               ……..ઉઠી સવારમાં માબાપને.
મળેજ્યાં અણસાર એક પ્રેમનો,ના રહે અભિમાન
આનંદ અંતરમાં ઉભરે,ના માગણી કોઇ રહી જાય
વંદન કરતાં વડીલને,મળે દીલથી આનંદીત હેત
પ્રભુકૃપાએ પાવનજીવન,ત્યાંઅવનીએ થઇ જાય
                                ……..ઉઠી સવારમાં માબાપને.
માની મધુર વાણીમાં,વ્હાલ સંતાનને મળી જાય
પિતાના પ્રેમનીવર્ષા હરપળ, જ્યાંત્યાંમળી જાય
મળે સાથ ભગવાનનો, જ્યાં સંસ્કાર દેખાઇ જાય
મળેલ સંસ્કારની મહેંક,એ માનવતાએ મળીજાય
                                ……..ઉઠી સવારમાં માબાપને.

————————————————————

February 1st 2009

સંત સમાગમ

                                         સંત સમાગમ                                 

તાઃ૧૭/૩/૧૯૮૧                                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ      

              જીવનના આદર્શો અને સંસ્કારના સીંચનથી આજે જેના નામને માનથી બોલાય છે તે અમૃત આજે જેવો છે તેવો તે પહેલા ન હતો. તેના જીવનમાં પડદા પાછળ નજર કરીએ તો અંધકારની ચાદર પર એક આશાનું કીરણ પડેલુ દેખાય છે. તેના માતાપિતાનો તે એક જ સંતાન. માન અપમાનને ગળી જવું તે તેના પિતા પ્રભાકરના દરરોજના જીવનમાં વણાયેલ હતું. તેમને મળેલા માબાપના આશિર્વાદ અને ભક્તિને જીવનમાં રાખવી તેવા સંસ્કારના સિંચન. તેમના લગ્ન નજીકના ગામના એક મધ્યમવર્ગી કુટુંબમાં ભાઇભાંડું વચ્ચે ઉછરેલ બે બહેનોમાં નાની બહેન જેને બધા વ્હાલથી રાની કહેતા હતા તે જ્યોતી પારકા ઘરમાં પોતાના નામને પ્રજ્વલીત કરવા અને માબાપના નામને ઉજ્વળ કરવા પ્રભાકરની પત્ની થઇને આવી. મધ્યમવર્ગી અને મર્યાદાધારી કુટુંબમાં જન્મેલી દીકરીને પ્રેમ,આદર,સન્માન અને સંસ્કાર મળેલા.
                      પ્રભાકરને અભ્યાસકાળ દરમ્યાન ઘણી અગવડ પડેલી કારણ માબાપની પાસે નાંણાની સગવડ ઓછી,પિતાને ગામમાં એક નાનકડી દુકાન હતી જેમાં મર્યાદીત આવક હતી.પણ પ્રભાકરને ભણવાની ધગસ અને ઇચ્છાને કારણે નજીકના શહેરમાં સાઇકલલઇને ત્રણ માઇલ ભણવા જતો.અને ઘેર આવી તેના પિતાને દુકાનમાં મદદ પણ કરતો. ભણતરની સાથે તેને નોકરી પણ મળી.અભ્યાસમાં મન પરોવાય અને અનુભવ થાય તેથી તે પોતાની લગન પ્રમાણે જ એક મોટા બીલ્ડરને ત્યાં સુપરવાઇઝરનુ કામબપોરે ૧૧ થી સાંજના ૭ સુધી કરતો. સવારમાં ૭ થી ૧૦.૩૦ નો અભ્યાસ પતાવી તે નોકરી કરતો.આમ તેના જીવનમાં અભ્યાસ કામની શરુઆત થઇ ગઇ. તેને મળેલા માબાપના સંસ્કાર જ તેને ભણતરમાં મન પરોવી મહેનત કરવાની સમઝ આપી હતી અને તેથી તે તેની નોકરીમાં પણ માલિકને સંતોષ આપતો હતો. તેની ધગસ અને લગન જોઇને જ જ્યોતી જેવી પત્ની મળી. જ્યોતી પોતાના નામને અને માબાપના નામને પ્રકાશીત કરી શકે તેવી હતી. જેથી તે આ ઘરમાં સમાઇ ગઇ. પ્રભાકરને એક બહેન પણ હતી પણ તે તેનાથી મોટી હતી એટલે જ્યોતીના ઘરમાં આવ્યા પહેલા તેના લગ્ન થઇ ગયેલ તેથી  જ્યોતીને આ ઘરમાં પ્રભાકરની બહેનનો સહવાસ બહુ નહીં મળેલ.પણ છતાં  બન્નેમાં પ્રેમ ભાભીનણંદ પુરતો મર્યાદીત ન હતો. જ્યારે જ્યારે પ્રભાકરના મોટી બહેન તારાબહેન આવે ત્યારે જ્યોતીની આંખો ભીંજાઇ જતી કારણ તેને નણંદમાં માનો આભાસ થતો હતો. કુટુંબમા જે રીતે પ્રેમના વાદળ છાયેલા હતા કે જે એકબીજાને નિરખી આત્મીયતા અનુભવતા હતા અને તે બનવાનુ કારણ કુટુંબને મળેલ ભક્તિ અને અંતરના પ્રેમનો સ. ઘણી વખત તો જ્યોતી તેની નણંદના ખોળામાં માથુ મુકી મા ની મમતા પણ મેળવી લેતી.

                    સમયને તો કોઇ રકી શક્યુ નથી. કુદરતની કૃપા અને માનવતાની મહેંકમાં ભણતર પુર્ણ થતાં પ્રભાકરને તે જ કંપનીએ ઘણા સારા પગારથી નોકરી આપી અને શહેરમાં નવુ મકાન પણ આપ્યું. માબાપની આંખોમાં પાણી આવી ગયા કારણ પ્રભાકર તેમની આંખની કીકી સમાન હતો અને ખુબજ વ્હાલો હતો તેના ઉજ્વળ જીવનમાં જલાબાપાની કૃપાથી જ્યોતી પણ આવી ગઇ.આજે પ્રભાકર અને જ્યોતીના ખુબ જ આગ્રહથી અને સંતાનના ખુબજ  પ્રેમથી કરેલા દબાણથી ગામડાના ઘરને સગાને સોંપી દીકરાવહુ સાથે શહેરમાં રહેવા આવવાની ફરજ પડી. ગામને છોડવાના પ્રસંગે જે જે તેમને મળ્યા તેમની આંખો આંસુથી છલકાઇ ગઇ. તેમને પ્રભાકરના માબાપનો હવે સમાગમ નહી થાય. ગામના લોકોને ભક્તિ અને સંસ્કાર ભરેલ કુટુંબનો સહવાસ મળેલ અને તેથી જ ગામની પ્રજામાં પ્રેમનો સમાગમ જળવાયેલ. ઉજ્વળ જીવનમાં હંમેશા આશીર્વાદ અને પ્રેમ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે તેમ માબાપની સેવા અને તેમની ભક્તિ એ સંતાનો પર પરમાત્માએ પ્રેમની વર્ષા કરી હોય તેમ પ્રભાકરને કંપની એ બીજા પ્રોજેક્ટોમાં મનેજરની સત્ત્તા આપી તેના કામની કદર કરી. આનંદીત જીવનમાં જાણે પ્રભાકરના માબાપની પ્રાર્થના પરમાત્માએ સાંભળી હોય તેમ જ્યોતીએ દીકરાનો જન્મ આપ્યો.

                     આજકાલને ગણતાં ગણતાં પ્રભાકરના માતાપિતા સમયને ના રોકી શક્યા અને તેઓના જીવ સંત શ્રી જલારામ બાપાના શરણે અર્પણ થયા એક જ વર્ષના ગાળામાં બંન્નેએ પૃથ્વી પરથી વિદાય લીધી. પ્રભાકર અને જ્યોતીના જીવનમાં માબાપની છાયાથી જ સંસ્કાર અને ભક્તિની મહેંક આવેલી તેથી જીવને અમરત્વ આપનાર અમૃતને તો ન જ ભુલાય તેથી તે બાળકને અમૃત નામ આપી માબાપની યાદ સદા ચિરંજીવી બનાવી. અમૃત બાળપણમાં તેના પિતાની જેમ ધગસ અને ઉત્સાહથી ભણવામાં મન રાખી મહેનત કરતો હતો. સમયમાં તેને બાલમંદીર કે હાઇસ્કુલનો અભ્યાસ પુરો કર્યો. કોલેજકાળ શરુ થયો. વાહન લઇ કૉલેજ જ્તો પ્રથમ બે વર્ષ ક્યાં નીકળી ગયા તેનો ખ્યાલ પણ ના રહ્યો. કોલેજમાં અભ્યાસની સાથે ઘેર મોડા આવવાનુ શરુ થયુ. તેના પિતાને એમ કે અમૃત બરાબર ભણતો હશે. પણ આ બાજુ તેને બે એવા મિત્રો મળી ગયા કે જે તેને લાલચ મોહમાં જકડી સીગરેટ અને છોકરીઓની લપેટમાં લઇ ગયા. એક વખત અમૃતને તેના માતાપિતાએ પુછ્યં ત્યારે કહે મારું ભણવાનું ચાલે એટલે મોડુ થાય છે તમારે કંઇ જોવાની જરુર નથી. આ સાંભળી તેને કહ્યુ પણ ખરુ કે બેટા જીવનના સોપાન સાચવીને ચઢીશ તો આગળ આવીશ કોઇ પણ પગલુ ભરતાં ધ્યેયને સાચવજે તો જીવન પાર ઉતરીશ.

                   એક દીવસ અમૃત રાત્રે ધણો જ મોડો ઘેર આવ્યો. બારણૂ ખખડાવ્યુ  તેની માતા આવી બારણુ ખોલ્યુ, તેને મા એ તરત જ કહ્યુ બેટા આજે તારા પિતાની તબીયત સારી નથી અને તુ આટલો મોડો ઘેર આવે તે સારુ નહીં તે તેની રુમમાં ગયો નાહી ધોઇ બહાર આવતા રડવાનો અવાજ સાંભળ્યો તેણે બારણા આગળ કાન ધર્યા તો તેની માતા તેના પિતાને કહેતી હતી આપણે આપણી ફરજ બજાવીએ છીએ પણ આપણા બેટા ને ખરાબ મિત્રોનો સહવાસ થયો છે તેમાં તમારે રડવાની જરુર નથી બધુ ભગવાન સારૂ કરશે. જલાબાપા દયાળુ છે આપણી ભક્તિ સ્વીકારી અમૃતને  સદબુધ્ધિ આપશે. 

                   બીજે દીવસે ગુરુવાર હતો સવારમાં વહેલો ઉઠી ઘરમાં કરેલ મંદીર સામે બેસી માળા ફેરવતો તેની માતા એ અમૃતને  જોયો તેની આંખમા પાણી આવી ગયા અને બેટાને બાથમાં ઘાલી આંસુ દીકરાના મોં પર પડ્યા. ત્યાં દીકરો ઉંચા અવાજે રડી પડ્યો અને માને બાથમાં ઘાલી કહે મા મને માફ કર મેં મારા માબાપના પ્રેમની કદર ના કરી. હું હવે ધ્યેયથી ભણતર પુરુ કરીશ. તે સવારે સમયસર કૉલેજ ગયો અને સમયસર સાંજે પાછો પણ આવી ગયો, તેના પિતાએ તેને કહ્યુ કેમ બેટા આજે વહેલો કૉલેજથી આવી ગયો? તેની પાસે જવાબ ન હતો તે તેના પિતાના પગમાં માથુ મુકી ખુબ રડ્યો તેના પિતાથી પણ ન રહેવાયું આંખ ભીની થઇ ગઇ. આ દીવસથી જ્યારે તેને  એન્જીનીયરની ડીગ્રી મળી ત્યારે તે યુનીવર્સીટીમાં પ્રથમ વર્ગમા પ્રથમ આવ્યો.

                  કોલેજથી રીઝલ્ટ લઇને સીધો ઘેર આવ્યો અને  કંઇ બોલતા પહેલા માબાપના પગમાં પડી ગયો. તેના પિતાના મુખમાંથી એક જ શબ્દ નીકળ્યો બેટા સમાગમ જીવનને મોડ આપે છે તે તેં સાબિત કરી બતાવ્યુ. જલાબાપા સદાય તારી સફળતામાં સાથે જ રહેશે. અને……….       

                   સમાગમ કરજો મારા ભઇ
                              જીવન ના બગડે તમારુ અહીં
                   મળશે વણ માગ્યો પ્રેમ જગતમાં
                                      અંત આવશે તેનો અણદેખ્યો
                   કરજો કામ ને સમજી આપ
                                     કદી જીવનમાં પાછા પડશો નહીં
             ============================

                                                                              

                

January 30th 2009

બેગમ ચાલે ચાર

                 બેગમ ચાલે ચાર                  

તાઃ૨૯/૧/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું એક ડગલુ ચાલુ મારી બેગમ ચાલે ચાર
          હું બે શબ્દ બોલુ મારી બેગમ બોલે બાર
                                  ……….હું એક ડગલુ ચાલુ
કળિયુગની કતારમાં હું ચાલવા ડગલુ ભરુ એક
મહેનત કરીહું જાણતો અને જીવન રાખતો નેક
દુન્યવી જગતમાં નીતીઅનીતી પારખી અનેક
બેગમઆવી જ્યારથી વિચારુ પગલુ ભરતાએક
                                  ……….હું એક ડગલુ ચાલુ
મુઝવણ મળી ઘણી પણ બેગમ આવતા ટળી
પગલેપગલે વિચારતો ને ત્યારથી શાંતિમળી
ભણતર જીવનમાં મળ્યુંપણ ચણતર કાંઇ નહી
સાથમળ્યો ને સહવાસથયો ત્યાંકંઇ બગડેનહીં
                                 ……….હું એક ડગલુ ચાલુ.

+++++++++++++++++++++++++++++++++++++++++

January 24th 2009

ડીલીવરી બૉય

                                    

                           ડીલીવરી બૉય

 

તાઃ૨૩/૧/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાથમાં મળી જ્યાં ડીગ્રી ત્યાં જીભ મારી ગઇ વકરી
ત્યાં ગામ શહેરમાં ભટક્યો પણ નામળી મને નોકરી
                           ……. ભઇ હાથમાં મળી જ્યાં ડીગ્રી

કાગળ બતાવી એમ્બેસીમાં આવી ગયો હું યુએસએ
ડીગ્રી એન્જીનીયરની પણ નાજોબ હું મેળવી શક્યો
ભમ્યો ચારેકોર ઓફીસોમાં હ્યુસ્ટનમાં જઇ ખુણે ખુણે
                            ……. ભઇ હાથમાં મળી જ્યાં ડીગ્રી

ડીગ્રી સાચી ને ભણતર સારુ પણ ઉંમર જોતામારી
નોકરી દેતા પહેલા પેન્શન જોતાં નારહ્યો કોઇઆરો
હાય કહેતા શીખી ગયો પણ બાય કહેતા લાગીવાર
                             ……. ભઇ હાથમાં મળી જ્યાં ડીગ્રી

કાર્ડકાર્ડ કરતા ને હાયહાય કરતાંમળી ગયુ ગ્રીનકાર્ડ
ડીગ્રી મારી મુકી દફ્તરમાં ને શોધવા નીકળ્યો કામ
પીઝાહટના આંગણમાં મળ્યુ ડીલીવરી બૉયનુ નામ
                             ……. ભઇ હાથમાં મળી જ્યાં ડીગ્રી

ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ

January 23rd 2009

આભાર,એક ઉદગાર

                                આભાર,એક ઉદગાર

તાઃ૨૨/૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

નરમ ગરમ આભાસ વાદળની સમજીના સમજાય
સુખદુઃખની સાંકળ જીવનની ના પકડી નાપકડાય
………………એવી જગતપિતાની માયા ન જાણી ના જણાય

જન્મજીવનો લાવે આગમનના એંધાણ પરિવારને દ્વાર
કર્મ તણા બંધંન ના તાંણે,લાવ્યા અવનીએ ભગવાન
મનુષ્ય દેહે ભક્તિ કરવા માબાપનો દીધો છે સથવાર
મળતા અવનીએ માબાપ,ઉદગાર આભારનીકળીજાય
………………એવી જગતપિતાની માયા ન જાણી ના જણાય

જીવનપગથી પકડી જીવે મહેનત માગી લે પળવાર
ભણતરની કેડી પકડી ત્યાં મળ્યો ગુરુજીનો સહવાસ
લાગણી દ્વેશ ને માયા મોહનો, કર્યો મનથી મેં ત્યાગ
સિધ્ધીના સોપાન મળતા ત્યાં આભાર બોલાઇ જાય
………………એવી જગતપિતાની માયા ન જાણી ના જણાય

સંસારની લીધી કેડી જગમાં જીવનસંગીની મળી મને
હૈયે રાખી હેત જીવનમાં સુખદુઃખમાં સંગીની બનીરહી
નિરખી હસતામુખડા સૌના પરમાત્માનીકૃપા મળીઅહીં
કરતાં દ્રષ્ટિ ઘરનાદ્વારે ત્યાં મનથી ઉદગાર નીકળીજતો
………………એવી જગતપિતાની માયા ન જાણી ના જણાય

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

January 20th 2009

મળ્યો મેથીપાક

                       મળ્યો મેથીપાક     

તાઃ૨૦/૧/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મન મળ્યા ત્યાં મોહિત હતો, ત્યાં પડ્યો મેથી પાક
ડગલુ ભરવું દોહલ્યુ લાગે જ્યાં,મળ્યો લાકડીનો માર
………..ભઇ છોડજો ખોટો મોહ લગાર,અહીં દેખાવનો નહીં પાર

સામે જોતા જ્યાં શરમ આવે, ભઇ ત્યાંથી ભાગજો દુર
લાગીગયાકે લટકી ગયાતો,માનજો ડબ્બા તમારા ડુલ
નાઆરો કે દેખાશે ઓવારો,હાથમાં છોનેહોય તાજા ફુલ
માણકી ઘોડી બની જશે દીલ,નામળશે તમારુ કોઇ મુળ
………..ભઇ છોડજો ખોટો મોહ લગાર,અહીં દેખાવનો નહીં પાર

આંબાડાળે લટકે કેરી મન લલચાતા તોડવા કુદકો માર્યો
જોયુ ઉપર ના જોયુ નીચે ત્યાં હુંપડ્યો કાદવ ભરેલા ખાડે
આજે હાલત આકરી થઇ ભઇ જ્યાં આંખે ના કર્યો વિચાર
આચારવિચારની મુઝવણમાં ભાગવાનોઆજે આવ્યોવારો
………..ભઇ છોડજો ખોટો મોહ લગાર,અહીં દેખાવનો નહીં પાર

આંખમારતા અચકાશો તોમળશે ઉજ્વળ જીવનનો લ્હાવો
લટક્યા ત્યાં અટક્યા સમજ જો પછી નહીં રહે કોઇ આરો
હલકા બૈડે બેઠા હશો જ્યાં પડતા દંડો થઇ જશે ત્યાં ભારે
સુઝ નહીં પડે ક્યાં કેવીરીતે કોને ક્યાંક્યારે પ્રીત થઇજાશે
……….ભઇ છોડજો ખોટો મોહ લગાર,અહીં દેખાવનો નહીં પાર

==============================================

January 4th 2009

કરુ હું વંદન

                                   કરુ હુ વંદન

તાઃ૩/૧/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરુ હું વંદન સૌ પહેલા જગમાં
          માબાપને મારા જે લાવ્યા અવનીપર
કૃતાર્થ જીવન જગમાં કરવાને
              લઇ ચરણોની સેવા કરુ પાવન જીવન
                                ……. કરુ હું વંદન સૌ પહેલા.
બાળક હુ નાનો ના સમજુ જ્યારે
         દે પ્રેમ અનેરો જે પાપા પગલીએ દીધો
આંગળી છુટી ત્યાં ભણતરને લીધુ
            હૈયે વસે આનંદ જ્યાં ગુરુની સેવા કરતો
મા સરસ્વતીની પામવા કૃપા
              વંદન કરતો નિશદીન હું પ્રાર્થનાએ રેતો
                                ……. કરુ હું વંદન સૌ પહેલા.
જગતનીમમાં હુ જ્યાં આવ્યો
         પ્રભુ પિતા સહ મા લક્મીને હુ ભજતો
કરુ પ્રાર્થના દે શક્તિ ને મનોબળ
             સંસારની સીડીઓ ને સાથેના બંધન
સંતાન ને સાચી ભક્તિ બતાવી
               દોરતો રહેતો પળપળ જગનાસોપાને
                            ……. કરુ હું વંદન સૌ પહેલા.
સંસારી જીવન સાર્થક કરવાને
          જલાબાપા સંગ સાંઇબાબાને ભજુ હું
મુક્તિ ના દ્વારે દેશે સાથ જીવનમાં
            નાઆશા કોઇ જ્યાં મળે મુક્તિ આદેહે
જલાબાપાને સાંઇબાબા સંસારે આવ્યા
               પામીગયા મુક્તિને દોરીરહ્યા જીવોને
                              ……. કરુ હું વંદન સૌ પહેલા.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

May 26th 2008

માતાપિતા,સંતાન

                                          ravi-prem.jpg                           

                                             માતાપિતા,સંતાન
૨૬/૫/૨૦૦૮                                                                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
 માતા
* પૃથ્વી પરના તારા અવતરણ પહેલાં નવમાસ સતત તારી સંભાળ રાખી પોતાની
   જરુરીયાત અળગી કરે છે તે માતા.
* જન્મ બાદ તારા શરીરના દરેક અંગને પોષણ આપવા પ્રેમથી મહેનત કરે તે માતા.
* પુત્ર કે પુત્રી એતો કર્મનું બંધન છે પણ જેણે જન્મ આપ્યો છે તેને માટે તો તે તેના
   સંતાન છે તે માતા.
* બાળકને ઝુલણા ઝુલાવી અનંત આનંદ આપવાની ઉત્તંગ ભાવના જેમાં છે તે માતા.
* સુખદુઃખ શરીરને છોપડે પણ પોતાના સંતાનને તેનો પડછાયો નાપડવા દે તે માતા.
* સવાર પડતા પહેલા જરુરી બધીજ વસ્તુઓ બાળકનાવિકાસ માટે તૈયારરાખે તે માતા.
* પૃથ્વી પરનાતારા અવતરણને માનઅનેસન્માન મળે તેનો હંમેશા વિચાર કરેતે માતા.
* અજ્ઞાનતામાં રહી તે કરેલ કોઇપણ અપરાધને માફ કરી સમજાવે તે માતા.
* તારા જીવનની સફળતાના દરેક સોપાને સહજતાથી પ્રેમ વરસાવે તે માતા.
* તારા કોઇપણ જાતના પ્રેમના ઉભરાને મેળવી પોતાના પર સંયમ રાખી ભીની આંખે
   હેત વરસાવે તે માતા.

 પિતા
* સંતાનના જીવનને ઉજ્વળતાના સોપાનો પર લઇ જવા પ્રેરીત કરે તે પિતા.
* સંતાનના પૃથ્વી પરના આગમનને બિરદાવતા તે પિતા.
* મારુ સંતાન,મારું બાળકનુ ગૌરવ અનુભવે તે પિતા.
* જન્મ બાદ જીવનના સોપાનો પર આંગળી પકડી ચલાવે તે પિતા.
* જીવનની વિટંમણાઓમાં પાર થવાના દ્વાર બતાવે તે પિતા.
* પુત્રને જીવનની પરીક્ષામાં સફળતાના એંધાણ કરાવે તે પિતા.
* પુત્રીના જીવનની સુવાસ સર્વ રીતે સુલભ બનાવે તે પિતા.
* પિતાપુત્ર અને પુત્રીપિતાના સંબંધથી સંતાનોના જીવનને ઉજ્વળ બનાવે તે પિતા.
* સંતાનોને લાગણી અને ઉચ્ચ જીવન માટે કષ્ટ સહન કરવાની પ્રેરણા આપે તે પિતા.

સંતાન.
* પુત્ર કે પુત્રી, પણ માતાપિતા માટે તો એ સંતાન છે તે ધ્યાનમાં રાખવું.
* માતાએ ભીનામાં સુઇ અને પિતાએ કષ્ટ વેઠીને સંતાનને જીવન આપેલ છે તે ધ્યાનમા
   રાખવું.
* માતાએ માતા છે અને પિતાએ પિતા છે તે બંન્ને સંતાન માટે જન્મદાતા છે.
* માતાનો પ્રેમ એ સંતાનના જીવનના સોપાનનું પ્રથમ પગથીયું છે.
* પિતાનો પ્રેમ એ સંતાનની ઉજ્વળ જીવનનો પાયો મજબુત કરે છે.
* માતાપિતાનો ઉપકાર એ ઉચ્ચકોટીના સંતાનોના મુળમાં છે.
* માતાપિતાનો પ્રેમ એ સંતાનો માટે અમુલ્ય છે જે ચુકવી શકાતો નથી.
* માતાપિતા એ સંતાન માટે સર્વસ્વ છે તેમના વગર સંતાનનું કોઇ વર્ચસ્વ નથી.

*************************************************************

« Previous PageNext Page »