June 16th 2021

માતાનો પવિત્રપ્રેમ

## દિવાળી પર કરો આ અચૂક ઉપાય, બની રહેશે માતા લક્ષ્મીની કૃપા | Tips for Worshiping to Maa Lakshmi on Diwali - Gujarati Oneindia

.          .માતાનો પવિત્ર પ્રેમ 

તાઃ૧૬/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધાથી પુંજનકરી વંદન કરતા જીવનમાં,લક્ષ્મીમાતાનો પવિત્રપ્રેમ મેળવાય
પવિત્રકૃપા માતાની મળી પ્રદીપને,જે નાકોઇ માગણી કે અપેક્ષાકદી રખાય
....એ માતાનો કૃપાળુ પ્રેમ મળે,જે જીવનમાં સુખશાંંતિની પવિત્ર રાહ આપી જાય.
મળેલદેહને જીવનમાં સવાર મળે,અને સમયે કૃપાએ દેહને સાંજ મળી જાય
આ પવિત્રલીલા કુદરતની છે જગતમાં,જે મળેલદેહને સમય સાથે લઈ જાય
માતાની પવિત્રકૄપા છે ભારતદેશપર,જ્યાં માતા પવિત્રદેહથી જન્મ લઈ જાય
કૃપા મળે માતાની મળેલમાનવદેહને,એ પવિત્રભક્તિની પ્રેરણાએ પુંજા કરાય
....એ માતાનો કૃપાળુ પ્રેમ મળે,જે જીવનમાં સુખશાંંતિની પવિત્ર રાહ આપી જાય.
ખુબજ પ્રેમાળ માતા છે જે શ્રી વિષ્ણુ ભગવાનની જીવનસંગીથીય ઓળખાય
પરમાત્માની કૃપાએ જન્મ લીધા ભારતમાં,ઍ શ્રીલક્ષ્મી અને શ્રીવિષ્ણુ કહેવાય
માતા લક્ષ્મીની કૃપાએ મળેલદેહના જીવનમાં,ધન મળતા પરિવાર સુખી થાય
એજકૃપા અને પ્રેમમળે પવિત્ર માતાનો,જે જગતમાં ધનલક્ષ્મીથીજ ઓળખાય 
....એ માતાનો કૃપાળુ પ્રેમ મળે,જે જીવનમાં સુખશાંંતિની પવિત્ર રાહ આપી જાય.
######################ૐ મહાલક્ષ્મીયે નમો નમઃ#######################
June 15th 2021

મળે પ્રેમની જ્યોત

##શ્રાવણના સોમવારે ખરીદો આ વસ્તુ, ભગવાન શિવ અનહદ કૃપા વર્ષા કરીને કરશે માલામાલ. |##

ં          .મળે પ્રેમની જ્યોત  

તાઃ૧૫/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપા પરમાત્માની અવનીપર,જીવને દેહમળે જેસમય સાથે લઈ જાય
અવનીપરનુ આગમન એ ગતજન્મના,દેહના કર્મથી જ આગમન થઈજાય
.....એ અદભુત લીલા અવિનાશીની ધરતીપર,જે જીવના સંબંધને પકડી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતની ભુમીપર,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુનાદેહને,શ્રધ્ધાથી ધુપદીપથી ભક્તોપુંજા કરી જાય
પવિત્રકૃપા મળે દેહને ભક્તિથી,જીવનમાં મળેલ પ્રેમનીજ્યોત પ્રગટાવી જાય
મળેલ દેહને કર્મની પવિત્ર કેડી મળૅ,જે મળેલ જન્મને પવિત્રકૃપા મળી જાય
.....એ અદભુત લીલા અવિનાશીની ધરતીપર,જે જીવના સંબંધને પકડી જાય.
પવિત્ર પરમાત્માનોદેહ લીધો શંકરભગવાનથી,જે પવિત્રશક્તિશાળી કહેવાય
ભારતદેશમાં પવિત્રગંગાન વહાવી,જે હિંદુમાં ભક્તોને પવિત્રઅમૄત મળીજાય
મળેલદેહને ગંગાના અમૄત આંચનથી,ભોલેનાથ શંકરની પવિત્રકૃપા મળીજાય
ગંગાનદીના પવિત્ર જળની અર્ચનાથી,મળેલ દેહના જીવને મુક્તિ મળી જાય  
.....એ અદભુત લીલા અવિનાશીની ધરતીપર,જે જીવના સંબંધને પકડી જાય.
#############################################################

	
June 15th 2021

આંગળીને પકડી

++ ભારે હૈંયે દિકરીને વળાવતો પિતા....! - Abtak Media++

.            .આંગળીને પકડી 

તાઃ૧૫/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રપ્રેમથી જીવતા માબાપને,પ્રભુકૃપાએ પવિત્રજીવ સંતાનથી જન્મી જાય
પાવનરાહએ પવિત્રકૃપાએ મળે સંતાનને,જે સમયને સમજાવી જીવાડી જાય
....આંગળી પકડી પિતાની સંતાને,જે જીવને પવિત્રરાહે જીવવા આંગળી ચીંધી જાય.
સમયની સાથે ચાલવા માબાપની પ્રેરણા મળે,જે દેહને સાચવીનેજ ચલાવી જાય
મળૅલદેહને સમયનો સંગાથ રહે,જે બાળપણમાં ભણતરની શરૂઆતથી સમજાય
ભણતર એજીવનાદેહનુ ચણતર કહેવાય,જે જીવનમાં કર્મની લાયકાત આપી જાય
અવનીપરના આગમનને પારખીને,માબાપના પ્રેમથી દેહને પવિત્રપ્રેરણા મળીજાય
....આંગળી પકડી પિતાની સંતાને,જે જીવને પવિત્રરાહે જીવવા આંગળી ચીંધી જાય.
સંતાનને પવિત્રરાહ મળે સમયે,એ પરમાત્માની કૃપાએ મળેલ દેહને મળતી જાય
પિતાની આંગળી પકડીને ચાલતા સંતાનને,ભણતરની રાહેજ આંગળી ચીંધી જાય
ઉંમરનીસાથે સમજીનેચાલતા જીવનમાં,સત્કર્મનો સંગાથ જીવનમાંશાંંતિ આપીજાય
એજ પવિત્રકૃપા પરમાત્માની દેહપર,જે માબાપની કૃપાએ દેહને સુખ મળી જાય 
....આંગળી પકડી પિતાની સંતાને,જે જીવને પવિત્રરાહે જીવવા આંગળી ચીંધી જાય.
===================================================================
June 14th 2021

પવિત્ર કુદરતની કૃપા

***ગુરુવારે કરો આ વૃક્ષ ની પૂજા, ભગવાન વિષ્ણુ પ્રસ્સન થશે, મળશે સુખ-સમૃદ્ધિ અને શાંતિ નું વરદાન - Gujju baba***

.          .પવિત્ર કુદરતની કૃપા

તાઃ૧૪/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર પુંજા કરાય
જીવના મળેલદેહને ગતજન્મના કર્મનો સંબંધ,જે અવનીપર કર્મ આપી જાય
.....સમયની સાથે ચાલતા જીવનમાં,પવિત્ર કુદરતની કૃપાએ દેહથી ભક્તિ થઇ જાય.
અવનીપર જન્મમળતા દેહનેસમય મળીજાય,જે જીવનમાં અનેકકર્મ આપીજાય 
પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધો પરમાત્માએ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય
ભજનભક્તિનો સંગાથ રાખીને જીવન જીવતા,મળેલ દેહના જીવપર કૃપા થાય
પવિત્રકર્મની રાહ મળે જીવનમાં,જે ઘરમાં પરમાત્માની પુંજા ધુપદીપથી કરાય
.....સમયની સાથે ચાલતા જીવનમાં,પવિત્ર કુદરતની કૃપાએ દેહથી ભક્તિ થઇ જાય.
અનેકદેહથી જન્મલીધો પરમાત્માએ,જે સમયની સાથે દેહ પર કૃપા કરી જાય
પ્રભુએ લીધેલદેહના નામથી માળાજપતા,જીવના દેહપર પ્રભુની પવિત્રકૃપાથાય
શ્રધ્ધારાખીને સરસ્વતી માતાને વંદન કરતા,માતાની કૃપાએ કલમપકડાઇ જાય
પરમકૄપા હિન્દુધર્મમાં દેવ અને દેવીઓની,જે જગતમાં ધર્મને પવિત્ર કરી જાય 
.....સમયની સાથે ચાલતા જીવનમાં,પવિત્ર કુદરતની કૃપાએ દેહથી ભક્તિ થઇ જાય.
###################################################################
June 14th 2021

માતાની પ્રેમાળકૃપા

Vasant Panchami 2021: ક્યારે છે વસંત પંચમી? જાણો મા સરસ્વતીની પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ When is Vasant Panchami Know the shubh muhurt and importance of worshiping Maa Saraswati | TV9 Gujarati

.          .માતાની પ્રેમાળકૃપા

તાઃ૧૪/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માતા સરસ્વતીપર શ્રધ્ધારાખીને કલમપકડતા,માતાની પ્રેમાળ કૃપા મળી જાય
પવિત્રરાહે કલમ ચાલતા કૃપાએ પવિત્ર રચનાથાય,જીવનમાં શાંંતિ આપી જાય
....એ પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,એ કલમપ્રેમી માતા સરસ્વતીથી ઓળખાય.
સમયની સાથે ચાલતા માનવદેહને,ઉંમરનો સાથ મળે જે ભણતર આપી જાય
કલમથી જ પવિત્રરાહ મળે જીવનમાં,જે અનેક રચનાઓજ કલમથી થઈ જાય
સરસ્વતીમાતા જગતમાં મળેલદેહના મગજને,પવિત્ર કલમથી પ્રેરણાઆપી જાય
અનેક રચનાઓ માતાની કૃપાએ રચાય,જે જગતમાં વાંચકોને આનંદઆપીજાય
....એ પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,એ કલમપ્રેમી માતા સરસ્વતીથી ઓળખાય.
પવિત્રમાતાની શ્રધ્ધાથી પુંજાકરી વંદનકરતા,માતાના આશિર્વાદનો અનુભવ થાય
ના કોઇ જ માગણી જીવનમાં રહે કે,ના કોઇ અપેક્ષા સમય્ને પકડીને લઈ જાય 
મળેલદેહને જીવનમાં માતાનીકૃપાએ,સંગીત,ગીત,કલાકારથી અનેક પ્રસંગ કરાય
એજ પ્રેમાળકૃપા છે વ્હાલા માતાસરસ્વતીની,જે સમયે સૌને આનંદ આપી જાય
....એ પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,એ કલમપ્રેમી માતા સરસ્વતીથી ઓળખાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
June 14th 2021

ભોલે શિવશંકર

###om namah shivay shiv mantras - Google Play પર ઍપ્લિકેશનો###
.           .ભોલે શિવશંકર       

તાઃ૧૪/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપા પરમાત્મા ભારતદેશમાં જન્મ્યા,જે ભોલે શિવશંકરથી પુંજાય
પવિત્રશક્તિશાળી શંકર ભગવાન,જે ભારતમાં પવિત્રગંગા વહાવીજાય
....પાવનરાહ મળે ભક્તોને,જે શ્રધ્ધાથી શિંવલીંગ પર દુઘ અર્ચના કરી જાય.
ભક્તોની પવિત્રભક્તિથી બમબમ ભોલે મહાદેવ હરથી વંદનકરી પુંજાય
પાવન પવિત્રકૃપા મળે ભોલેનાથની,જે જીવનમાં પવિત્રકર્મની રાહ મળે
શંકરભગવાન સંગે માતાપાર્વતીની કૃપા મળે,ના કોઇ તકલીફ મેળવાય
એ પવિત્રકૃપાળુ ભગવાનના દેહછે,જેમની ભક્તીકરતા સુખ આપી જાય
....પાવનરાહ મળે ભક્તોને,જે શ્રધ્ધાથી શિંવલીંગ પર દુઘ અર્ચના કરી જાય.
પવિત્ર પરિવાર શંકર ભગવાનનો,પ્રથમપુત્ર ભાગ્યવિધાતા શ્રીગણેશ થાય
જગતમાં શ્રીગણેશને વિધ્નવિનાયક પણ કહેવાય,બીજાપુત્ર કાર્તિકેય થાય
માબાપનો પવિત્રપ્રેમ જીવનમાં સંતાન પુત્રી અશોકસુંદરી જન્મ લઈ જાય
પરમાત્માની પાવનકૃપાએ ભગવાનથી જન્મલીધો,જે ધરતીપાવનકરી જાય
....પાવનરાહ મળે ભક્તોને,જે શ્રધ્ધાથી શિંવલીંગ પર દુઘ અર્ચના કરી જાય.
##############################################################
June 13th 2021

ઉજવળ જીવન

###Sahitya Premi – Telegram###
.           .ઉજવળ જીવન

તાઃ૧૩/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કલમપ્રેમીઓના પ્રેમથી પાવનરાહ મળે,જે કૃપાએ ઉજવળ જીવન આપી જાય
મળેલપ્રેમ જીવનમાં પવિત્ર કલમની કેડીનો,જે કલમની રચનાથી સમજાઈ જાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો પ્રેમીઓનો,જે મગજપર કૃપા થતાજ દેખાઈ જાય.
આંગણી માગણી નાજીવનમાં રખાય,જ્યાં કલમપ્રેમીઓ સંગે માતાનીકૃપા થાય
સમયની સાથે ચાલતા પાવનરાહમળે,જે માતા સરસ્વતીની પરમકૃપા પણ થાય
મળેલ માનવ દેહના જીવને સંબધ ગતજન્મના કર્મનો,જે દેહ મળતાજ સમજાય
અવનીપરનુ આગમન એ દેહના કર્મનુ,જે ના કોઇજ જીવથી અવનીપર છટકાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો પ્રેમીઓનો,જે મગજપર કૃપા થતાજ દેખાઈ જાય.
મળ્યો માતાનો પ્રેમ માનવદેહને જીવનમાં,જે કલમની પવિત્રરાહેજ સમજાઈ જાય
આવી આંગણે કૃપા મળે મળેલદેહને,એ માતાનીજ કૃપાનો અનુભવ આપી જાય
જીવનમાં સમયની સાથે ચાલતા દેહને રાહ મળે,જે મળેલ જન્મપાવન કરી જાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની,એ જીવને મળેલદેહને પાવનરાહે લઈ જાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો પ્રેમીઓનો,જે મગજપર કૃપા થતાજ દેખાઈ જાય.
===================================================================
June 13th 2021

માતાની કૃપા મળે

**આ દિવસથી થશે ગુપ્ત નવરાત્રીનો આરંભ, આ રીતે કરશો સાધના તો સદાય રહેશે મા દુર્ગાની અસીમ કૃપા - GSTV**  
.          ં.માતાની કૃપા મળે

તાઃ૧૩/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખી દુર્ગા માતાની પુંજા કરતા,મળેલ દેહ પર પવિત્ર કૃપા થાય
પવિત્રકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જે જીવપર કૃપા કરતા સુખ મળી જાય
....પરમ શક્તિશાળી માતાછે જગતમાં,જે પવિત્ર ભક્તોને પાવનરાહ આપી જાય.
ધુપદીપથી પુંજન કરતા માતાનોપ્રેમ મળે,જે જીવના દેહને અનુભવ થાય
કૃપાથી જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ થાય,ના તકલીફ કે અપેક્ષા અડી જાય
ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરતા,માતાની કૃપાજ મળી જાય
મળેલદેહપર પવિત્રકૃપામળે માતાની,જે જીવનમાં પવિત્રશાંંતિ આપી જાય 
....પરમ શક્તિશાળી માતાછે જગતમાં,જે પવિત્ર ભક્તોને પાવનરાહ આપી જાય.
અનંત કૃપાળુ દુર્ગામાતા છે,જે હિંદુધર્મમાં નવરાત્રીના નવદીવસ પુંજા કરાય
માતાના પવિત્રશક્તિ નવ સ્વરૂપ છે,જેમની ગરબેઘુમીને વંદના કરી પુંજાય
ભારતદેશમાં અનેકદેહથી દેવ અને દેવીઓથી પધાર્યા,જે પુંજાથી અનુભવાય
દુર્ગા માતાનો પ્રેમ અને કૃપા મળતા,જીવનમાં શ્રધ્ધાથી પુંજા કરીને જીવાય
....પરમ શક્તિશાળી માતાછે જગતમાં,જે પવિત્ર ભક્તોને પાવનરાહ આપી જાય.
#################################################################
June 13th 2021

પ્રેમને પકડજો

####

.          . પ્રેમને પકડજો
તાઃ૧૩/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલદેહને પાવનપ્રેમની રાહ મળે જીવનમાં,જે દેહને સદમાર્ગે લઈ જાય
પવિત્રરાહે જીવનજીવવા આંગળીચીંધી,ભક્ત જલારામ પ્રેરણા આપી જાય
....પવિત્ર પ્રેમને પકડજો જીવનમાં,જે અન્નદાન કરવાથી પ્રભુનો પ્રેમ મળી જાય.
જીવને સંબંધ અવનીપરના દેહથી,એ સમયસંગે મળેલદેહના કર્મથી મેળવાય
માનવદેહ એજ પરમાત્માની કૃપા કહેવાત,જે જીવનમાં ભક્તિરાહ આપીજાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા જીવનમાં,પરમાત્માનો પવિત્રપ્રેમ દેહને મળી જાય
અદભુત કૃપાળુ પરમાત્મા અનેકદેહથી.ભારતદેશમાં હિંદુધર્મમાં જન્મ લઈજાય
....પવિત્ર પ્રેમને પકડજો જીવનમાં,જે અન્નદાન કરવાથી પ્રભુનો પ્રેમ મળી જાય.
સમય સમજીને ચાલતા દેહપર પ્રેભુની કૃપા થાય,જે દેહને સદમાર્ગે લઈ જાય
ભક્ત જલારામની પ્રેરણા મળેલ માનવદેહને,પવિત્રરાહે જીવવા પ્રેરણા કરીજાય
પવિત્ર શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,સમયે પરમાત્મા દેહની પરીક્ષાય કરી જાય
જગતમાં મળેલદેહને નાકોઇ અપેક્ષાથી જીવતા,કૃપાએ જીવને મુક્તિ મળીજાય
....પવિત્ર પ્રેમને પકડજો જીવનમાં,જે અન્નદાન કરવાથી પ્રભુનો પ્રેમ મળી જાય.  
***************************************************************
June 12th 2021

અંજની લાલા

**hanuman jayanti 2 subh yoga and 7 subh muhurat-**

           .અંજની લાલા

તાઃ૧૨/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમથી શ્રીરામના વ્હાલા ભક્ત થયા,જે બજરંગબલી હનુમાન કહેવાય
માતા અંજનીના લાડલા દીકરા,એ પવનદેવના વ્હાલા સંતાનથીય ઓળખાય
...અજબશક્તિ થયા જે પ્રભુએલીધેલ શ્રીરામના દેહને આકાશમાં ઉડીને મદદ કરી જાય.
ભારતની ધરતીપર પરમાત્માએ અનેકદેહ લીધા,જે હિંદુ ધર્મને પવિત્રકરી જાય
અનેક દેવ અને દેવીઓની કૃપા થઈ હિંદુધર્મમાં,જે દેહથી જન્મલઈ આવીજાય
શ્રધ્ધા ભાવનાથી પુંજન કરતા પવિત્રકૃપા મળે,એ જીવનદેહનુ કલ્યાણ કરીજાય
એવા જ પરમકૃપાળુ અને શક્તિશાળી,પવનપુત્ર હનુમાન શ્રી રામભક્ત કહેવાય
...અજબશક્તિ થયા જે પ્રભુએલીધેલ શ્રીરામના દેહને આકાશમાં ઉડીને મદદ કરી જાય.
પરમાત્મા એ લીધેલ દેહ શ્રી રામનો ભારતમાં,જે સમયની સાંકળમાં લટકી જાય
ભાઈ લક્ષ્મણ બેહોશ થયા ધરતીપર,જ્યાં હનુમાનજી ઉડીને સંજીવની લાવીજાય
શ્રી રામના પત્નિને શોધવા હનુમાન ઉડીને જઈ,સીતાજીને શોધીને બતાવી જાય
રામલક્ષ્મણને ઉડીને લંકા લઈગયા,જ્યાં રાજારાવણને મારીને લંકાનુ દહનકરીજાય
...અજબશક્તિ થયા જે પ્રભુએલીધેલ શ્રીરામના દેહને આકાશમાં ઉડીને મદદ કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

« Previous PageNext Page »