March 4th 2021

પવિત્ર ભક્તિરાહ

###👆 સાંઈ બાબા Images Ashvin sodha 🙏 jay jalaram 🙏 - ShareChat - ભારતનું પોતાનું ભારતીય સોશ્યલ નેટવર્ક### 
.          .પવિત્ર ભક્તિરાહ  

તાઃ૪/૩/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જે ધર્મકર્મની સમજણ આપી જાય
શેરડીગામથી શ્રધ્ધા સબુરી મળી,અને વિરપુરથી ભોજનરાહ મેળવાય
.....એવી પવિત્ર ભક્તિરાહ આપવા,માનવદેહને સત્કર્મની પ્રેરણા આપી જાય.
વિરપુરમાં જન્મ લીધો,જે પિતા પ્રધાન ને રાજબાઈના સંતાન કહેવાય
પાવનરાહે જીવનજીવતા જલારામને,પત્ની વિરબાઈનો સંગાથ મળીજાય
મળેલ દેહથી સત્કર્મની કેડીને પકડીને,એ કાકાની દુકાનને ચલાવી જાય
પવિત્રકૃપા થતા અન્નદાનની રાહ મળી,જે ભુખ્યાને ભોજન કરાવી જાય
.....એવી પવિત્ર ભક્તિરાહ આપવા,માનવદેહને સત્કર્મની પ્રેરણા આપી જાય.
પાથરીગામમાં જન્મ લીધો,ને સમયે શેરડીમા એસાંઇબાબાથી આવી જાય
મળેલદેહને પરમાત્માની કૃપા પામવા,શ્રધ્ધાસબુરીની સમજણ આપી જાય
ધર્મકર્મનો સંબંધ છે માનવદેહને,જે મળેલ દેહની માનવતા પ્રગટાવી જાય
સાંઇબાબાને સાથ મળ્યો દ્વારકામાઈનો,જે શેરડીમાં પાવનકર્મ કરાવીજાય
.....એવી પવિત્ર ભક્તિરાહ આપવા,માનવદેહને સત્કર્મની પ્રેરણા આપી જાય.
=============================================================

 

 

 

 

 

 

 

 

 

 

 

 

March 3rd 2021

માતાની કૃપા

###કોણ કોણ લખશે માં મહાકાળી નું નામ જય... - जय माँ महाकाली पावागढ | Facebook###
.           .માતાની કૃપા

તાઃ૩/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપાથી મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં કુળદેવી માતાનો કૃપા મેળવાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરી વંદન કરાય,કૃપાએ કુળનેએ આગળ લઈજાય
....પવિત્રધર્મ હિંદુ છે ભારતની ધરતીપર,જ્યાં પરમાત્મા પવિત્રદેહ લઈ પધારી જાય.
અનેકદેહ લઈ માતા અવનીપર આવી જાય,જે પાવનરાહની પ્રેરણા કરી જાય
કુદરતની આ અજબકૃપા ધરતીપર,જે મળેલ દેહને ભક્તિની રાહ આપી જાય
પાવનરાહ મળે જીવને જ્યાં પ્રભાતે,પ્રત્યક્ષ સુર્યદેવને વંદન કરી અર્ચના કારાય
મળેલદેહના જીવને પરમાત્માની કૃપાનો અનુભવ થાય,જે અંતે મુક્તિ દઈ જાય 
....પવિત્રધર્મ હિંદુ છે ભારતની ધરતીપર,જ્યાં પરમાત્મા પવિત્રદેહ લઈ પધારી જાય.
માતાના પવિત્રદેહની કૃપા મળે દેહને,જે સમયસંગે સમજણ આપી જીવાડી જાય
સંસારમાં માબાપે મને આંગળી ચીંધી,કે આપણી કુળદેવી કાળકામાતાજ કહેવાય
શધ્ધાભાવથી પુંજન કરી વંદન કરાય,જે દેહને પવિત્રરાહ આપી સુખી કરી જાય
ૐ ક્રીમ કાલીયે નમઃ નો મંત્ર કરી,માતાને શ્રધ્ધાથી પ્રભાતે નમનકરી વંદન થાય
....પવિત્રધર્મ હિંદુ છે ભારતની ધરતીપર,જ્યાં પરમાત્મા પવિત્રદેહ લઈ પધારી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	
March 2nd 2021

સંગાથ સમયનો

જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું- આ સમય પણ વીતી જશે | time is  powerul than everything says lord krishta to arjun - Gujarati Oneindia
.          .સંગાથ સમયનો

તાઃ૨/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનકૃપા પરમાત્માની અવનીપર,સમય સંગે ચાલતા દેહને સમજાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જે ગતજન્મે કરેલકર્મથી મળતો જાય
...આ અદભુતલીલા છે પરમાત્માની,જે દેહને સંગાથ સમયનો આપી જાય.
અનેકદેહ એકુદરતનીકૃપા ધરતીપર,પશુપક્ષીનો દેહ નિરાધાર કહેવાય
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,અનેકકર્મનીરાહ મળતી જાય
ઉંમરથી નાકોઇ છટકીશકે જીવનમાં,સમયસાથે ચાલતા અનુભવ થાય
કળીયુગની રાહ જગતમાં જીવને સ્પર્શી જાય,ના કોઇથી કદી છટકાય
...આ અદભુતલીલા છે પરમાત્માની,જે દેહને સંગાથ સમયનો આપી જાય.
જન્મ મળે જીવને જે સંતાન કહેવાય,માબાપની પાવનકૃપાએ મેળવાય
જીવનોદેહ એ આગમનવિદાયથી દેખાય,જે જન્મમરણથી મળતો જાય
પવિત્રકૃપાએ દેહને ભજનભક્તિની રાહમળે,એ દેહને શ્રધ્ધાથી સમજાય
મળેલદેહપર પાવનકૃપા પ્રભુની થાય,જે અંતે જીવને મુક્તિ આપી જાય
...આ અદભુતલીલા છે પરમાત્માની,જે દેહને સંગાથ સમયનો આપી જાય.
***********************************************************
March 2nd 2021

ગજાનન શ્રીગણેશ

News & Views :: ગણેશજીની આ 4 પ્રકારની મૂર્તિ ગણાય છે જાગૃત, પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે સમૃદ્ધિ

,         .ગજાનન શ્રીગણેશ  

તાઃ૨/૩/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
માતા પાર્વતીના લાડલા સંતાન,હિંદુ ધર્મમાં ગજાનન શ્રીગણેશ કહેવાય
પવિત્રકૃપા પિતા શંકરભગવાનની મળી,જગતમાં ભાગ્યવિધાતા કહેવાય
.....એવા વ્હાલા સંતાનને જીવનસંગીનીઓ મળી,જે રીધ્ધી સિધ્ધીથી ઓળખાય.
શ્રીગણેશ શ્રીગણેશથી પુંજન કરતા,માબાપની કૃપાએ પ્રેરણા આપી જાય
ભક્તોના એ વ્હાલા ગજાનન કહેવાય,જે પવિત્રકર્મમાં નીમિત્ત બની જાય
મળેલ માનવદેહથી શ્રધ્ધાથી વંદન કરતા,રીધ્ધી સિધ્ધીની કૃપા મળી જાય 
અનંતશાંંતિ જીવનમાં મળી જાય,નામોહ માયા કે આફત કોઇ અડી જાય 
.....એવા વ્હાલા સંતાનને જીવનસંગીનીઓ મળી,જે રીધ્ધી સિધ્ધીથી ઓળખાય.
મળેલ માનવ જીવનમાં ધાર્મિક પ્રસંગે,શ્રી ગણપતિજીની પ્રથમ પુંજા કરાય
શ્રધ્ધાભક્તિને પારખી ગજાનન શ્રીગણેશની,ભક્તોપર પાવનકૃપા પણ થાય
માતાનીકૃપાએ શ્રીગણેશને,ભાઈકાર્તિક બહેન અશોકસુંદરીનો પ્રેમ મળીજાય
એવાવ્હાલા ગણેશ ભગવાનશંકર અને માતાપાર્વતીના સંતાનથીજ ઓળખાય 
.....એવા વ્હાલા સંતાનને જીવનસંગીનીઓ મળી,જે રીધ્ધી સિધ્ધીથી ઓળખાય.
#################################################################

	
March 1st 2021

સવાર સાંજ

માનવની નજરે: શિયાળો ♥
.           .સવાર સાંજ

તાઃ૧/૩/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

સવારસાંજ એજ પાવનકૃપા સુર્યની,જગતમાં એ આપી જાય
સમય નાપકડાય કોઇથીય,એ કુદરતની અજબલીલા કહેવાય
....જીવને મળેલદેહ એ ગતજન્મના,થયેલ કર્મના સંબંધથી મેળવાય.
અવનીપર મળેલદેહને સમયસંગે ચાલવા,સુર્યદેવની કૃપા થાય
સુર્યના ઉદયથી સવાર પડે જગતમાં,જે દેહને કર્મકરાવી જાય
અદભુતકૃપા સુર્યદેવની અવનીપર,જેજીવને સમજણ આપીજાય
પવિત્ર દર્શન થાય સુર્યના સવારે,અને સાંજે વિદાય લઈ જાય 
....જીવને મળેલદેહ એ ગતજન્મના,થયેલ કર્મના સંબંધથી મેળવાય.
કુદરતની પાવનલીલા છે નિરાળી,નાઆશા અપેક્ષા કદી દેખાય
સરળ જીવનનીરાહ આપે દેહને,એ પરમકૃપાળુ સુર્યદેવ કહેવાય
અબજો સમયથી અવનીપર કૃપા કરી,દેહને રાહત આપી જાય
એજ કૃપાળુ છે જગતમાં,ના કોઇની તાકાત કે તેને રોકી જાય
....જીવને મળેલદેહ એ ગતજન્મના,થયેલ કર્મના સંબંધથી મેળવાય.
******************************************************

 

 

March 1st 2021

શ્રી ભોલેનાથ


###હર હર ભોલે, જય ભોલેનાથ - જય માં ખોડિયાર જય માં ચામુંડા જય અંબેમા જય આશાપુરામાં જય બહુચરમાં ભલું કરજો | Facebook###
            શ્રી ભોલેનાથ      
તાઃ૧/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

બમબમ ભોલે મહાદેવ છે ભક્તિનો ભંડાર,સંગે માતા પાર્વતીના ભરથાર
પરમ કૃપાળુ પરમાત્માએ ભારતમાં દેહ લીધો,જે ભોલેનાથ પણ હ્હેવાય 
..પવિત્ર ગંગાને વહાવી ધરતીપર,જે જીવના માનવદેહને સ્નાનથી મુક્તિ આપી જાય.
માતાપાર્વતીના પતિદેવ જે શંકર ભગવાન,જગતમાં દુધ અર્ચનાથી પુંજાય
મંદીરમાં શિવલીંગને દુધ અર્ચનાથી વંદન કરી,ૐ નમઃ થી દંડવત થાય
પવિત્રકૃપા મળે હરહર મહાદેવ સંગે,બમબમભોલેને પાર્વતીપતિથી પુંજાય
પવિત્રદેહથી પધાર્યા સંગે શ્રીગણેશ,કાર્તીક,અશોકસુંદરીનાપિતાય કહેવાય
..પવિત્ર ગંગાને વહાવી ધરતીપર,જે જીવના માનવદેહને સ્નાનથી મુક્તિ આપી જાય.
શ્રધ્ધારાખી પુંજનકરતા શંકર ભગવાનનીકૃપા,સંગે માતાપાર્વતી રાજી થાય 
મળે માનવદેહને પાવનરાહ જીવનમાં,નાકોઇ મોહમાયાઅપેક્ષા અડી જાય
જીવને પાવનકર્મ મળે દેહથી,એ પરમાત્માની પાવનકૃપાથી જીવન જીવાય
અદભુતલીલા ભોલેનાથની ભારતમાં,જે પવિત્ર ગંગા,જમનાને વહાવી જાય
..પવિત્ર ગંગાને વહાવી ધરતીપર,જે જીવના માનવદેહને સ્નાનથી મુક્તિ આપી જાય.
#################################################################
February 28th 2021

નિખાલસ પ્રેમી

***રાધાએ કઈ રીતે લીધી હતી આ દુનિયામાથી વિદાય? અને શામાટે કૃષ્ણએ તોડી નાખેલી  પોતાની બંસરી? - MojeMastram***
.            .નિખાલસ પ્રેમી                  

તાઃ૨૮/૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નામાયા નામોહ કે અપેક્ષા અડે,જ્યાં નિખાલસ પ્રેમ મળતો થાય
કુદરતની પવિત્રરાહ મળતા દેહથી,નિર્મળભાવનાથીજ ભક્તિ થાય
....મળેલદેહને નિખાલસ પ્રેમીઓનો પ્રેમ મળે,જે પ્રભુની કૃપાથી મળી જાય.
જીવને દેહમળે એથયેલકર્મનો સંબંધ,જીવને આવનજાવનથી દેખાય
અવનીપરના આગમનને પ્રેમનો સ્પર્શ,જે દેહને આનંદ આપી જાય
પશુપક્ષીને દુર રાખી માનવદેહ મળે,એ પવિત્ર કૃપાથી જ મેળવાય
પાવનકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભાવથીજ ભક્તિ કરાય
....મળેલદેહને નિખાલસ પ્રેમીઓનો પ્રેમ મળે,જે પ્રભુની કૃપાથી મળી જાય.
સમયની સાથે ચાલતા મળેલ દેહને,ના કળીયુગની કાતર અડી જાય
પરમાત્માએ અનેકદેહ લીધા ભારતમાં,જીવને પાવનરાહ બતાવી જાય
માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ પવિત્રપ્રભુની કૃપા કહેવાય
સુખશાંંતિના વાદળસ્પર્શે દેહને,જ્યાં નિર્મળ નિખાલસપ્રેમ મળી જાય
....મળેલદેહને નિખાલસ પ્રેમીઓનો પ્રેમ મળે,જે પ્રભુની કૃપાથી મળી જાય.
***********************************************************

         

February 28th 2021

દુર્ગા મા

######
.              .દુર્ગા મા

તાઃ ૨૮/૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને પુંજન કરતા મળેલદેહ પર,મા દુર્ગાની ક્રુપા થઈ જાય
પવિત્રકૃપાથી જીવને સદમાર્ગ મળી જાય,જે પાવનકર્મ કરાવી જાય
....ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના,સ્મરણથી દેહના જીવ પર કૃપા થાય.
એ માતાનો પવિત્રપ્રેમ ભારતથી,જે દુનીયામાં ભક્તિથી મળી જાય
અજબ શક્તિશાળી માતા હતા,એજ રાજા મહિસાસુરને મારી જાય
પાવનકૃપા મળે ભક્તને ભક્તિથી,જે નિખાલસ ભાવનાથી વંદનથાય
જીવને મળેલદેહ એ થયેલ કર્મનો સંબંધ,જે જન્મમરણથીજ સમજાય
....ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના,સ્મરણથી દેહના જીવ પર કૃપા થાય.
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે ભારતનીભુમી પવિત્રથાય
મળેલ માનવદેહને સંગાથ સમયનો,જે પરમાત્માની કૃપાએ સમજાય
પવિત્રકૃપા માતાની હિંદુ ધર્મમાં,એ મળેલ દેહના જીવને મળી જાય
પવિત્રમાતા દુર્ગાને ધુપદીપ સહિત વંદનકરતા,પ્રદીપ પર કૃપા થાય
....ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના,સ્મરણથી દેહના જીવ પર કૃપા થાય.
************************************************************

 

February 27th 2021

શ્રી મહાવીર

આ પાઠ કરશો તો તમારી ગમે તેવી મુશ્કેલી દૂર કરશે હનુમાન દાદા - We Gujjus

.           .શ્રી મહાવીર

તાઃ૨૭/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જગતમાં,જે અજબશક્તિશાળી થઈ જાય
પવનદેવનો પ્રેમ મળ્યો માતાઅંજનીને,જે અવનીપન પવનપુત્ર કહેવાય
....હિંદુ ધર્મમાં શ્રીરામ ભક્ત કહેવાય,એ પવનપુત્ર સંગે અંજનીસુતથી ઓળખાય.
અનેક પવિત્રનામથી ઓળખાય,જે બાહુબલી મહાવીર હનુમાન કહેવાય
જીવનમાં અજબશક્તિનો ઉપયોગ કરી,શ્રી રામના ભાઈને બચાવી જાય
ભાઇ શ્રીલક્ષ્મણ બેભાન થયા,તો સંજીવનીમાટે પર્વત ઉચકી લાવી જાય
પવિત્રભક્તિ કરતા પરમાત્મા શ્રીરામને,વંદનસહિત સત્કર્મથી મદદ કરાય 
....હિંદુ ધર્મમાં શ્રીરામ ભક્ત કહેવાય,એ પવનપુત્ર સંગે અંજનીસુતથી ઓળખાય.
અજબ શક્તિથી ઓળખાય જે ઉડીનેજઈ,રામપત્નિ સીતાને શોધી જાય
મળીકૃપા પરમાત્માની દેહને,જે શક્તિશાળી લંકાના રાવણને હરાવી જાય
સીતાજીને શોધીને શ્રીરામને મદદ કરી,અંતે રાજારાવણનુ દહન કરી જાય
એપવનપુત્ર હનુમાન કહેવાય,જે સુર્યદેવની પુત્રી સુવર્ચલાના પતિ કહેવાય
....હિંદુ ધર્મમાં શ્રીરામ ભક્ત કહેવાય,એ પવનપુત્ર સંગે અંજનીસુતથી ઓળખાય.
################################################################
February 27th 2021

ંમુક્તિનો માર્ગ

ધર્મ વ્યક્તિગત અનુભવ, દેખાડો નથી

.            મુક્તિનો માર્ગ    

તાઃ૨૭/૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
પરમકૃપાળૂ પરમાત્મા છે અવનીપર,જે અનેકસ્વરૂપે દેહ લઈ જાય
મળેલ માનવદેહના જીવને પાવનરાહ મળે,જે પવિત્રભક્તિ દઈ જાય 
....શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહ પર,પાવનકૃપા દેહને સમયે મળી જાય.
પરમાત્માની કૃપાએ પ્રભુના દેહ,સંગે માતાજીના દેહથી આવી જાય
પાવનરાહ મળે જીવને નિર્મળભક્તિએ,નાઆશા અપેક્ષા અડી જાય
મળે માનવદેહ જીવને એ પ્રભુનીકૃપા,જે ગતજન્મના કર્મથી મેળવાય
અવનીપરના આગમનને સંબંધકર્મનો,એ પવિત્રકૃપાએ પાવન થઈજાય
....શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહ પર,પાવનકૃપા દેહને સમયે મળી જાય.
સમયને સમજી ચાલતા દેહને કર્મમળે,ના કળીયુગની ચાદરથી છટકાય
પવિત્રભક્તિની રાહ મળે દેહને,જ્યાં પાવનકર્મી માનવીથી જ મેળવાય
મળેલદેહથી જીવનમાં પવિત્રકર્મ થાય,નાકોઇજ આફત દેહને મળીજાય
એકૃપા પરમાત્માની જે મળેલ દેહના જીવને,મુક્તિનો માર્ગ આપી જાય
....શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહ પર,પાવનકૃપા દેહને સમયે મળી જાય.
***********************************************************

 

« Previous PageNext Page »