January 3rd 2021
##
##
. .રાહ જીવનની
તાઃ૩/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ દેહ અવનીપર,અનેકરાહનો સંગાથ દેહને આપી જાય
એ લીલા કુદરતની કહેવાય,જે પરમાત્માની અજબકૃપાથીજ સમજાય
...જન્મમરણનો સંબંધ દેહને,જે અવનીપરના આગમને થયેલ કર્મથી મેળવાય.
થયેલ કર્મનો સંબંધ છે જીવને,જગત પર જીવને દેહજ મળતા જાય
મળેલદેહને પાવનકર્મની રાહ મળે,જયાં જીવનમાં પ્રભુની પુંજા થાય
અદભુતલીલા છે અવનીપર,એ આગમન વિદાયથીજ દેહને સમજાય
શ્રધ્ધાભાવથી પાવનરાહ પકડવા,પરમાત્માના દેહને પુંજનવંદન થાય
...જન્મમરણનો સંબંધ દેહને,જે અવનીપરના આગમને થયેલ કર્મથી મેળવાય.
નિર્મળભાવનાથી પ્રેમ થાય જીવનમાં,જે જીવનમાં સંતાન આપી જાય
કર્મની પવિત્રરાહ પકડવા મળેલ દેહના,સગા સંબંધીઓને પ્રેમ કરાય
અવનીપરના દેહને અનેક સ્પર્શઅડે,જે જીવનાદેહને કર્મ કરાવી જાય
સુખશાંંતિનો સહવાસ મળેદેહને,એ મળેલદેહને પાવનકર્મ કરાવી જાય
...જન્મમરણનો સંબંધ દેહને,જે અવનીપરના આગમને થયેલ કર્મથી મેળવાય.
===========================================================
January 3rd 2021

. .દોડતા આવજો
તાઃ૩/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમનો પવિત્રપ્રેમ પકડવા,સમય પકડીને દોડતા આવજો અહીં
ના કોઇનીય તાકાત જગતમાં,મળેલદેહથી સમયથી કદી છટકાય
....એ પાવનકૃપા પરમાત્માની કલમપ્રેમીઓ પર,જે સમયે સંગાથ આપી જાય.
પવિત્રકેડી કલમની જગતમાં,જે અનેક દેહોને વાંચનથી મળી જાય
નિર્મળરાહને પકડી મગજને પ્રેરતા,માતા સરસ્વતીનીજ કૃપા થાય
પ્રેમથી પ્રેમનો હાથ પકડતાજ,કલમપ્રેમીઓથી સમય પકડાઈ જાય
એજ કૃપા કલમની હ્યુસ્ટનમાં કહેવાય,જેનું સન્માન જગતમાં થાય
....એ પાવનકૃપા પરમાત્માની કલમપ્રેમીઓ પર,જે સમયે સંગાથ આપી જાય.
આજકાલ સમજીને ચાલતા પ્રેમીઓ,જગતમાં કલમની જ ઓળખાય
માનવતાની મહેંકપ્રસરે મળેલદેહની,જે જીવને મોહમાયાથી છોડીજાય
દોડીઆવે માતા સરસ્વતીનો પ્રેમ,જે નિખાલસતાથી કલમને પ્રેરીજાય
એ મળેલ માનવદેહ પર કૃપાજ કહેવાય,જે અવનીપર યાદ મુકી જાય
....એ પાવનકૃપા પરમાત્માની કલમપ્રેમીઓ પર,જે સમયે સંગાથ આપી જાય.
##############################################################
January 2nd 2021

. .સંગાથ સમયનો
તાઃ૨/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના આગમનનો સંગાથ,ગતજન્મના થયેલ કર્મથી મેળવાય
માનવદેહને સંબંધ માબાપથી,જે જીવને જન્મથીજ દેહ આપી જાય
.....એ પવિત્રલીલા પરમાત્માની,મળેલ દેહને સમયનો સંગાથ આપી જાય.
જીવને જન્મ મળતા બાળપણ મળે,સમયસંગે ચાલતા જુવાન થવાય
કર્મનોસંબંધ દેહને જીવનમાં,જે કુટુંબના સંબંધે સમયસમયે થતોજાય
પરમાત્માની પવિત્રકર્મની પ્રેરણાએ,શ્રધ્ધાભક્તિએ દેહથી પુંજન થાય
મળેલદેહને પવિત્રરાહ મળે કૃપાએ,જેને જીવનમાં પાવનરાહ કહેવાય
.....એ પવિત્રલીલા પરમાત્માની,મળેલ દેહને સમયનો સંગાથ આપી જાય.
ભણતરની રાહ મળે બાળપણથી,જે મળેલદેહથી સમયે પકડીને ચલાય
આજને સમજીને ચાલતા દેહને રાહ મળે,જે જીવને સમજણ આપીજાય
મારુતારુ એ કળીયુગની કેડી,જે દેહને ક્યારેક ખોટીરાહે પણ લઈજાય
અપેક્ષાનીકેડીથી દુર રહીને ચાલતા,પવિત્ર સમયની પાવનરાહ મેળવાય
.....એ પવિત્રલીલા પરમાત્માની,મળેલ દેહને સમયનો સંગાથ આપી જાય.
***********************************************************
January 1st 2021
###
.###
.સરળ પ્રેમ
તાઃ૧/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળપ્રેમ મળે માનવદેહને અવનીપર,જ્યાં ના કોઇજ અપેક્ષા રખાય
પાવનરાહનો સંગાથ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની ભક્તિથાય
.....સરળપ્રેમની રાહ મળે જીવનમાં,ના કોઇ તકલીફ કે નામોહમાયા અડી જાય.
કર્મનો સંબંધ જીવને અવનીપર મળે,જે આગમન વિદાયથી અનુભવાય
નામાયા અડે કે નાકોઇ અપેક્ષા રહે,જ્યાં નિર્મળભાવથી જીવન જીવાય
નિખાલસતાથી પ્રેમ પકડીને ચાલતા,દરેક પળે દેહને શાંંતિજ મળી જાય
ના અપેક્ષાના વાદળઅડે જીવનમાં,કે નાકોઇની કાતર જીવન કાપી જાય
.....સરળપ્રેમની રાહ મળે જીવનમાં,ના કોઇ તકલીફ કે નામોહમાયા અડી જાય.
અનેક પ્રકારના પ્રેમછે અવનીપર,જે સમયસમયે વિચારતા સમજાઇ જાય
જીવનુ આગમન જગતમાં દેહથી,ગતજન્મના દેહથી થયેલકર્મથી મેળવાય
પાવનપ્રેમ પરમાત્માનો મળે જીવને,જયાં શ્રધ્ધાભક્તિ મળેલ દેહથી કરાય
નિર્મળ જીવનમાં સરળપ્રેમ મળે માનવીને,એજ પરમાત્માની કૃપા કહેવાય
.....સરળપ્રેમની રાહ મળે જીવનમાં,ના કોઇ તકલીફ કે નામોહમાયા અડી જાય.
################################################################
December 31st 2020
. .કુદરતલીલા
તાઃ૩૧/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનરાહ મળે માનવીને જીવનમાં,જે દેહને મળેલ સંબંધથી દેખાય
કર્મધર્મને સમજી ચાલતા કૃપા મળે,એ જીવનમાં શાંંતિ આપી જાય
....અજબ કૃપાળુ પરમાત્મા અવનીપર,જે દેહને મળેલ પવિત્રરાહથી સમજાય.
આવી આંગણે નિખાલસ પ્રેમ આપી જાય,એ પાવનકૃપાએ મેળવાય
મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,જે જીવના થયેલ કર્મ કહેવાય
આજકાલનો સંબંધ એ સમયની કેડી,એ મળેલદેહને જીવનમાંજ મળે
એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને મળેલ પાવનરાહે મળી જાય
....અજબ કૃપાળુ પરમાત્મા અવનીપર,જે દેહને મળેલ પવિત્રરાહથી સમજાય.
થયેલકર્મનો સંબંધ જીવને,એ અનેકદેહથી જીવને સમજણ આપી જાય
પવિત્ર કૃપા મળે પરમાત્માની જીવને,જે મળેલદેહથી ભક્તિપુંજન થાય
ના અપેક્ષા જીવનમાં કદીય રખાય,કે ના મોહમાયાનો સંબંધઅડીજાય
અનેક દેહ મળે જગતમાં,જેમાં પશુ પક્ષી પ્રાણીને માનવથીજ મેળવાય
....અજબ કૃપાળુ પરમાત્મા અવનીપર,જે દેહને મળેલ પવિત્રરાહથી સમજાય.
*************************************************************
December 31st 2020
.
. વિદાય સમયને
તાઃ૩૧/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળે એજ આગમન છે જીવનુ,જે ગતજન્મના કર્મથી મેળવાય
મળેલ માનવદેહને પાવનરાહ મળે,એ શ્રધ્ધાભક્તિથીજ મળી જાય
.....એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહને સમયની સમજણ આપી જાય.
મળેલ દેહને જન્મથી આગમન મળે,જેને ઉંમરથી સમય મળતો જાય
માનવદેહનેય સમય મળે,જે બાળપણ,જુવાની,ઘડપણથીજ મેળવાય
સમયની સાથે ચાલતા જીવનમાં,તકલીફથી ભગવાનજ બચાવી જાય
મળેલ શ્રધ્ધાપર ભરોસો રાખીને જીવતા,માનવદેહને કૃપા મળી જાય
.....એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહને સમયની સમજણ આપી જાય.
આવતીકાલને ના કોઇજ રોકી શકે,કે ના કોઇ વિદાયને પકડી જાય
સવારસાંજ એ કૃપા સુર્યદેવની જગતમાં,જે દેહને સમયે મળતી જાય
પાવનરાહે જીવન જીવવા માનવીને,નિર્મળરાહની કેડી પકડીને જીવાય
સમય એલીલા પ્રભુની,જે આવતીકાલ મળતાજ આજ ગઈકાલ કહેવાય
.....એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહને સમયની સમજણ આપી જાય.
#########################################################
December 31st 2020
@@@
@@@
. નિર્મળતાનો સાથ
તાઃ૩૧/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળતાનો સાથ લઈને ગુજરાતીઓ,પવિત્રપ્રેમનો સંગાથ આપે છે અહીં
મળેલ માનવદેહની માનવતા પ્રસરે,જે નિર્મળતાનો સાથ મળતા સમજાય
.....કર્મનીકેડી પકડીને ચાલતા જીવનમાં,નાકદી આફત અભિમાનની રાહ અડી જાય.
પરમાત્મા પર શ્રધ્ધારાખીને દુનીયામાં,મળેલ સમયને પકડી કર્મ કરી જાય
ગુજરાતીઓની પવિત્રગાથા અવનીપર,જે નિખાલસ ભાવનાથી મળી જાય
હોટલમોટેલ ડેલીસંગે ગેસ સ્ટેશન ચલાઈ જાય,એ માનવદેહનુ કર્મ કહેવાય
નાઆશા ના મોહની રાહ અડે દેહને,ત્યાં ગુજરાતીઓનું સન્માન થઈ જાય
.....કર્મનીકેડી પકડીને ચાલતા જીવનમાં,નાકદી આફત અભિમાનની રાહ અડી જાય.
ભારતની પવિત્ર ધરતીપર દેહ મળે,જ્યાં પરમાત્મા અનેકદેહે જન્મ લઈ જાય
મળેલદેહના જીવપર શ્રધ્ધાભક્તિની કૃપા મળી,જે પવિત્રભુમી પર લાવી જાય
આગમનવિદાય એ જન્મમરણથી દેખાય,અવનીપરના કર્મથી જીવને સમજાય
નિખાલસ ભાવનાથી કર્મકરતા માનવીપર,જગતમાં પરમાત્માની કૃપાપણ થાય
.....કર્મનીકેડી પકડીને ચાલતા જીવનમાં,નાકદી આફત અભિમાનની રાહ અડી જાય.
==================================================================
December 30th 2020
. .શ્રધ્ધા વિશ્વાસ
તાઃ૩૦/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવનમાં પ્રેમાળ સાથ મળ્યો,મને અનંતઆનંદ થઈ જાય
ના કોઇ આશા કે અપેક્ષા રહે જીવનમાં,કલમથી પ્રેમ મેળવાય
....એ કૃપા માતા સરસ્વતીની હ્યુસ્ટનમાં,એ કલમપ્રેમીઓથી આનંદ અપાય.
પાવનરાહે કલમ પકડતા,અનેક પ્રેમીઓનો સાથ પણ મળીજાય
કુદરતની આ કૃપા નિરાળી,જીવનમાં સમયને સમજીનેજ ચલાય
કલમપ્રેમીઓનો પ્રેમ નિખાલસ,જે વાણી વર્તનથીજ મળી જાય
આજકાલનો ના કોઇ સંબંધ કલમનો,એ નિખાલસ પ્રેમે દેખાય
....એ કૃપા માતા સરસ્વતીની હ્યુસ્ટનમાં,એ કલમપ્રેમીઓથી આનંદ અપાય.
કલમપકડતા સમયમળે જીવનમાં,જે નાકોઇ તકલીફ આપી જાય
અદભુતપ્રેમ મળે કલમથી,એજ સમય સંગે જીવનમાં મળતો જાય
પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જે મળેલ દેહના વર્તનથી દેખાય
પવિત્રપ્રેમ માતાની કૃપાથીજ મળે માનવીને,જે કલમથીજ સમજાય
....એ કૃપા માતા સરસ્વતીની હ્યુસ્ટનમાં, એ કલમપ્રેમીઓથી આનંદ અપાય.
#############################################################
December 29th 2020
###
###
. .કીર્તન ભક્તિ
તાઃ૨૯/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રધર્મ હિંદુ કહેવાય જગતમાં,જ્યાં શ્રધ્ધા રાખીને પુંજન કરાય
પરમાત્માએ અનેક્દેહ ભારતમાં લીધા,એજ પવિત્રકૃપા પણકહેવાય
.....પવિત્રરાહે જીવન જીવવા મંદીર થયા,જ્યાં શ્રધ્ધાએ કીર્તન ભક્તિ કરાય.
મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પવિત્રભક્તિથીજ સમજાવાય
અનેક સ્વરૂપે ભારતમાં જન્મ્યા,જે હિંદુધર્મમાં આંગળી ચીંધી જાય
પાવનરાહે જીવવા મળેલ દેહથી વંદન કરી,જીવનમાં રાહ મેળવાય
આંગણે આવી કૃપા મળે પરમાત્માની,જ્યાં ધુપદીપથી પુંજન કરાય
.....પવિત્રરાહે જીવન જીવવા મંદીર થયા,જ્યાં શ્રધ્ધાએ કીર્તન ભક્તિ કરાય.
હિંદુ ધર્મમાં મળેલ માનવદેહને અનેક સ્વરૂપે દેહથી દર્શન કરાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે અનેક ધર્મમાંય આનંદ થાય
પરમાત્માના અનેકદેહથી પધારી,સમાજને પણ કુટુંબથી સમજાવાય
પ્રેમથીપધારી કીર્તનભક્તિ કરો,મળેલદેહના જીવને મુક્તિ મળીજાય
.....પવિત્રરાહે જીવન જીવવા મંદીર થયા,જ્યાં શ્રધ્ધાએ કીર્તન ભક્તિ કરાય.
*************************************************************
December 29th 2020
. .સમય સંગે
તાઃ૨૯/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા અવનીપર પ્રભુની,જે મળેલદેહને સમયથીજ સમજાય
ભુતકાળ એજીવને મળેલદેહના કર્મથી,ના આવતીકાલથી છટકાય
.....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય.
જીવનુ આગમન અવનીપર દેહથી,જે ગતજન્મના કર્મથી મેળવાય
મળેલ માનવદેહ સમય સમજીને ચાલે,તો શાંંતિથી જીવન જીવાય
અપેક્ષાના વાદળ અવનીપર ફરે,એ માનવીને સુખદુઃખથી સમજાય
સમય સમજીને ચાલતા દેહો,હવે ૨૦૨૦ના વર્ષને વિદાય આપીજાય
.....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય.
સમયની પરમકૃપા છે જગતમાં,જે દેહ મળતા જીવને સમજાઈ જાય
કર્મએ સંબંધ છે મળેલ દેહને,એ જન્મોજન્મથી આગમનવિદાય થાય
અનેકદેહ લઈ કૃપા કરી ભારતદેશથી,જે પરમાત્માનીજ કૃપા કહેવાય
આવી અવનીપર પ્રેરણા કરી,જે હરિભક્તોથીજ મંદીરમાં પુંજન કરાય
.....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય.
ઉંમરનો સંબંધ સમયથી મળે,જે મળેલદેહને બાળપણથી જુવાની આપે
જુવાનીમાં ભણતરનો સંગાથ લેતા,લાયકાતમળે સમયે ઘડપણ મેળવાય
મળેલદેહમાં પ્રાણી,પશુ,પક્ષી નિરાધાર,નોકોઇ જાતની સમજ પડી જાય
મન,કર્મ,વચનનો સંબંધદેહને,પ્રભુને પ્રાર્થનાકે ૨૦૨૧માં સદમાર્ગે લઈજાય
.....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય.
#########################################################