September 17th 2019

આશીર્વાદની ગંગા

.      .Image result for શ્રી નરેન્દ્રભાઈ
.              આશીર્વાદની ગંગા  
          (શ્રી નરેન્દ્રભાઈનો જન્મદીવસ) 
તાઃ૧૭/૯/૨૦૧૯                   પ્રદીપ બ્રહ્મભટ્
          
અનંતપ્રેમની ગંગા વહે જીવનમાં,જે ગુજરાતની શાન વધારી જાય
મુખ્યપ્રધાન હતા ગુજરાતના,હવે ભારતદેશના વડાપ્રધાનથઈ જાય
......એજ કૃપા માતા હિરાબાની મળી,આજે નરેન્દ્રભાઈનો જન્મદીન ઉજવાય.
પવિત્ર કર્મની રાહ મળી જીવનમાં,જે ગુજરાતની શાન વધારી જાય
પાવનરાહ પકડી ચાલતા નરેંદ્રભાઇને,અનંત પ્રેમની ગંગા મળી જાય
મળ્યો પ્રેમ માતાનો ગાધીનગરમાં,જે પવિત્ર રાહની કેડી આપી જાય
સુખશાંંતિનો સાગર વહેવડાવી ગુજરાતમાં,દુનીયામાં ઓળખાઈ જાય
......એજ કૃપા માતા હિરાબાની મળી,આજે નરેન્દ્રભાઈનો જન્મદીન ઉજવાય.
સમય સમજીને ચાલતા જીવનમાં,આજે અગ્નોસીત્તેર વર્ષના એ  થાય
ગુજરાતની એશાન કહેવાય જગતમાં,જેભારતના વડાપ્રધાન થઈ જાય 
જન્મદીવસની શુભકામના કલમપ્રેમીઓની,જે હ્યુસ્ટનથી પણ મળીજાય
પરમકૃપા મળે પરમાત્માની વડાપ્રધાનને,જે પાવનરાહને પકડાવી જાય
......એજ કૃપા માતા હિરાબાની મળી,આજે નરેન્દ્રભાઈનો જન્મદીન ઉજવાય.
============================================================
     ગુજરાતની એ શાન છે જે મુખ્યપ્રધાન થઈ ભારતદેશના વડાપ્રધાન થઈ જાય 
એવા અમારા વ્હાલા શ્રી નરેન્દ્રભાઈનો આજે જન્મ દીવસ છે તે નીમિત્તે હ્યુસ્ટનથી
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત કલમપ્રેમીઓ તરફથી હેપ્પી બર્થ ડે.
==============================================================

 

 

 

 

 

 

 

 

 

 

 

 

August 26th 2019

नरेन्द्रभाईको सलाम

.          .नरेन्द्रभाईको सलाम

ताः२६/८/२०१९               प्रदीप ब्रह्मभट्ट

मेरे देशकी धरती पावन है,जीसे दुनीयामे भारत कहेते है
मै भारतका रहेने वाला हु,भारतदेश को सलाम करता हु
.....ये ही कृपा है माताकी,जो गुजरातीयोही दुनीयामे महेंकाते है.
जहांजहां गुजराती जाते है,वहा जीवको पावनराह दीखाते है
गुजरातमे प्यारे मुख्यप्रधान थे,जो नरेन्द्रभाईमोदी कहेलाते है
पवित्रराह पर चल रहे है,मम्मीकेआशीर्वादसे पावनराह मीली
भारतदेशके वडाप्रधान होगये,जो गुजरातीयोके लीये सन्मानहै
.....ये ही कृपा है माताकी,जो गुजरातीयोही दुनीयामे महेंकाते है.
पवित्रभुमी है भारत जगतपर,जहां परमात्माने अनेकदेह लीया
पवित्र नदीया बहेती है इस देशमे,जो जन्मसफळ करदेती है
पवित्र संस्कारही जीवनकी केडी है,जो नरेन्द्रभाईसे मिलती है
सफळ जीवनमे नाकोइ अपेक्षा अडती,पावनराह पर चले रहो
.....ये ही कृपा है माताकी,जो गुजरातीयोही दुनीयामे महेंकाते है.
हिन्दु धर्मकी पावनराह मीली,जो परमात्माके अनेकदेहसेही पाई
पावनकर्मकी राह मीली जीवनमें,जहां नरेन्द्रभाईनेही चींधी राह
ऊज्वळ जीवनकी राह मीले,जहां पावनकर्मका संगाथ मीलजाय्
पवित्रराहका संग मीले,जहां जीवनमे परमात्माकी कृपा हो जाय
.....ये ही कृपा है माताकी,जो गुजरातीयोही दुनीयामे महेंकाते है.
===================================================
 ह्युस्टनके साहित्यप्रेमीयोकी औरसे भारतके वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीजी
ह्युस्टन आ रहे है तो उनको यादकी तौर पर ये काव्य सप्रेम दे रहा हु.
 ली.प्रदीप ब्रह्मभट्ट (आणंद) ह्युस्टन.
=======================================================
 

	
August 26th 2019

નવરાત્રીને નમન

.             નવરાત્રીને નમન   
તાઃ૨૫/૮/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ      

     જ્યોતિબેન તમને તો ઘણા સમય પછી જોયા અને તમે મને યાદ રહ્યા તે માતાજીની કૃપા કહેવાય.
એટલેજ તમે મને યાદ આવ્યા અને આમેય ભુતકાળ તો ભુલાય નહીં એટલે જ માતાએ મને યાદ રખાયા.
અને આમેય મારે તમને યાદ રાખવાપડે કારણ તમે તો મારા જુના પડોશી અને ખાસતો આપણે મેદીરમાં
સાથે જતા અને માતાનો પ્રેમ પણ મેળવી લેતાં.મને તો ધણો આનંદ થયો કે હિંદુ ધર્મની નવરાત્રીના 
પ્રથમ દીવસે અંબામાતાની કૃપા થઈ તો આપણે દુકાનમાં મળ્યા અને મને તરત યાદ આવી ગયા.તમારી
તબિયત કેમની છે બધુ બરાબર છે ને અને તમારા વર રમેશભાઈ અત્યારે શુ કરે છે? તેમની તબિયત
બરાબર છે ને.હા નિલાબેન તમારો પ્રેમ છે તો માતાની કૃપાએ પવિત્ર નવરાત્રીના દિવસે જ આપણે મળ્યા.
આવો આપણે અહીં ખુરશીમાં બેસી થોડી આપણી પર્સનલ વાતો કરીએ.
     બંન્ને બહેનો ખુરશીમાં બેઠા અને હાથ પકડીને આનંદ કર્યોંં.નિલાબેન કહે જ્યોતિબેન તમારે કેમનુ છે.
બધુ બરાબર છે ને તમારી તબિયત સારી દેખાય છે અને તમારા વરની દુકાનનુ કામકાજ બરાબર ચાલે છેને?
અને તમારા દીકરા અને દીકરીઓ અત્યારે શુ કરે છે.જ્યોતિબેન કહે તમને પહેલા વાત કરેલીને કે મારા વર
જ્યારે અમે અમેરીકા આવ્યા તે પહેલા આણંદમાં રહેતા હતા મારા વર વકીલ હતા અને છત્રીસ વર્ષ વકીલાત
કરી.અને મારી મોટી નણંદ ઉર્મીલાબેને અમારા માટે વિઝા માટે એપ્લાય કર્યુ અને અમને બોલાવ્યા એટલે
અમને એમ કે અમેરીકામાં આપણને સારી જીંદગી મળશે.એટલે અમે અમેરીકા આવ્યા પણ અમને ખબર 
પડી કે અમેરીકામાં હવામાનનો બહુ ભરોશો ના રખાય ન્યુયોર્ક,શીકાગો અને કેલીફોર્નિયામાં ઠંડી ખુબ પડે.
એટલે અમે હ્યુસ્ટનમાં આવ્યા કારણ મારા બાળકો નાના હતા તેથી તેમની તબીયતની ચીંતા ના કરવી પડે.
અહીં આવ્યા પછી મારા વરે પ્રયત્ન કર્યો કે વકીલાત ચાલુ રાખે પણ તેમને અનુભવ થયો કે ભારતથી આવેલ
વ્યક્તિઓને ત્યાંના ભણતરની કોઇ જ લાયકાત ના મળે અને બીજી વાત એ પણ છે અહીંના ભણતરથી કોઈ
તક ના મળે કારણ તે ઉંમરને અડીં જાય.જોકે તેમણે ત્રણમાસ ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો પણ તક ના મળી
એટલે અમેરીકન ગ્રોસરી સ્ટોરમાં ગ્રાહકને લારી પકડી મદદ કરવાની નોકરી શરૂ કરી.અને મારા બે દીકરા 
અને બે દીકરીઓ સ્કુલમાં ભણવા જતા હતા તેમને સ્કુલની બસ લઈ જતી અને મુકી જતી અને મારે પણ 
કામ કરવુ જોઇએ તો એક ગુજરાતી ભોજનની હોટલમાં મને નોકરી મળી મને સવારે નવ વાગે લઈ જાય અને 
સાંજે આઠ વાગે પાછી મુકી જાય મારા વરને ગુરૂવારે તેમના જુના મિત્ર મળ્યા અને કહ્યુ કે તમે મારો આ 
ફોન નંબર છે મને શનિવારે સવારે ફોન કરજો તો તમને સારો રસ્તો બતાવીશ.શનિવારે મારા પતિએ 
અંબાલાલભાઇને ફોન કર્યો અને રવિવારે મળવાની માહિતી મેળવી લીધી.તેઓ અમારા ઘરથી નજીકમાં જ 
રહેતા હતા મારા વરને આનંદ થયો.રવિવારે તેમને મળવા ગયા તેમના ઘરમાં પ્રવેશતા જ તેમને અનુભવ થયો 
કે તેમની ઉપર માતાની કૃપા થઈ એટલે તેમને મળવા આવવાનુ થયુ.ઘરમાં પેસતા જ પ્રથમ રૂમમાં માતાનુ 
મંદીર હતુ જ્યાં અંબાલાલ  માતાની પુંજા કરતા હતાં. તેમણે મારા વરને કહ્યુ રમેશભાઈ તમે નશીબદાર છો 
કારણ આજે હીંંદુ ધર્મ પ્રમાણે નવરાત્રીનો પ્રથમ દીવસ છે અને તે દીવસે માતાએ તમને બોલાવ્યા અને તેજ
દીવસે તમે આવ્યા તે તમારા પર માની કૃપા કહેવાય જે તમને તક આપી.બે મીનીટ તમે માતાજીને પગે અ
લાગી લો પછી આપણે ઘરમાં બેસીએ વાત કરીએ.થોડી વાર પછી બંન્ને રૂમમા બેઠા અને અંબાલાલભાઈએ
મારા વરને કહ્યુ મારા એક મિત્ર જે બોરસદના છે અને અઢાર વર્ષથી અહીં અમેરીકામાં છે તમને વાત કરવી 
છે કે તેમનુ નામ કનુભાઈ છે ડાઉનટાઉનમાં દુકાન છે પણ તેમને આ એરીયામાં નવો સ્ટોર કરવો છે અને
તમને એ નવા સ્ટોરની બધી વ્યવસ્થા કરી આપશે.તમારે એ સ્ટોર ચલાવવાનો આ વાત ચાલતી હતી તે
વખતે જ અચાનક કનુભાઇ અંબાલાલને મળવા આવ્યા.અંબાલાલે કનુભાઈને આ રમેશભાઈ આણેંદના છે 
તેમને મે તમારી નવી દુકાન ચલાવવા માટે બોલાવ્યા હતા અને તે આવ્યા તો તમે પણ સમયસર માતાની
કૃપા થઈ અને આવી ગયા.મારા વરની જોડે તેમણે દુકાનની વાત કરીને તેમણે કહ્યુ કે દસ દીવસમાં જ
દુકાન ચાલુ કરી દઈશુ.આ ઘેરથી દુકાને જતા પાંચ મીનીટ થશે.
 મારા વર ઘેર પાછા આવ્યા અને સાંજે માતાની પુંજા કરી અને કુળદેવી માતા કાળકાને દીવો કર્યો.
તે વખતે માતાએ તેમની પર કૃપા કરી અને તેમને વિચાર આવ્યો એટલે સેવા કરી ઘરમાં ચાલતા મને કહે
આજથી આપણા ધર્મ પ્રમાણે નવરાત્રી શરૂ થાય છે એટલે માતાએ મારી પર કૃપા કરી અને પ્રેરણા આપી 
કે તુ દુકાન ચલાવજે તને શાંંતિ મળશે.સમયની સાથે જે વ્યક્તિ ચાલે તેની પર પરમાત્માની કૃપા થાય.
અંબાલાલ નિમીત બન્યા અને દુકાન ચલાવવાની વાત કરી.
 દસ દીવસમાં જ જ્યોતીબેનના ઘરથી નજીકમાં જ સંગીતા ઇંડીયન ગ્રોસરી સ્ટોર ખોલ્યો અને 
રમેશભાઈને ચલાવવા માટે આપવામાં આવ્યો.તેઓ સમયસર સવારમાં નવ વાગે દુકાન ખોલતા અને
સાંજે સાત વાગે બંધ કરી ઘેર આવી જતા અને ઘરના મંદીરમાં ભગવાનને આરતી અને માતાને દીવો
કરી દેતા.જ્યોતીબેન પણ માતાની આરતી પણ કરતા.તેમની પર માતાની કૃપાએ બે દીકરા અને બે
દીકરીઓ આપી.તેમનો મોટો દીકરો સુરેશ પછી દીકરી કામીની પછી દીકરો મનોજ અને પછી દીકરી
મોનિકા હતી.જ્યોતીબેન લગ્ન પહેલા પણ બાળપણથી માતાજીની પુંજા કરતા તેમની સાથે સ્કુલમાં 
ભણતી એક ભ્રાહ્મણ બેનપણી રાધિકાએ એક વખત નવરાત્રીની વાત ચાલતી હતી તે વ ખતેજ તેણે
કહ્યુકે ભારત એજ પવિત્ર ભુમી છે જ્યાં માતાએ બાવન સ્વરૂપ લીધા છે.અને હિંદુ ધર્મમાં ભક્તિ 
એજ પવિત્ર જીવનની રાહ આપે છે.જ્યોતીબેન તો માબાપની કૃપાએ બાળપણથીજ માતાની પુંજા
કરતા અને નવરાત્રીમાં માતા નિમીત્તે દીવસમાં એક જ વખત ભોજન કરતા અને સાંજે માતાને 
દીવો કરી આરતી કરી માતાનો ગરબો ગાઈ પછી માતાના મંદીર જતા.જ્યાં ગરબા ગાઈ અને
આરતી પણ કરતા આજ એમના જીવનમાં પવિત્રરાહ મળતી ગઈ અને જેને લીધે ચાર સંતાન થયા
જે માતાની કૃપાએ સ્કુલમાં જતા અને સમય પકડીને ચાલતા હવે કૉલેજમા જવાનુ શરૂ થયુંં મોટો
દીકરો સુરેશ વકીલનુ ભણ્યો.બીજી દીકરી કામિની મેડીકલનું ભણતી હતી ત્રીજી દીકરી નર્શનુ ભણી
હતી ચોથો દીકરો શિક્ષકનુ ભણતો હતો. ચારે સંતાન નવરાત્રીની માતાની કૃપા એ પવિત્રરાહે 
જીવતા હતા અને તેમના પિતા પણ પવિત્રરાહે માતાની કૃપા લઈ દુકાન ચલાવતા હતા.દુકાન
સવારે ખોલતા સમયસર ગ્રાહકો આવી જતા કારણ આ દુકાનમાં ગુજરાતી અનાજ,શાકભાજી અને
મંદીરની વસ્તુઓ યોગ્ય ભાવે મળતા ખુબ શાંંતિ મળતી જે તેમની શ્રધ્ધા અને તેમની પત્ની 
જ્યોતીબેનની ભક્તિ જે નવરાત્રીથી માતાની કૃપા મેળવી જીવી રહ્યા હતા એજ નવરાત્રીને નમન
કહેવાય.સૌને નવરાત્રી નીમીત્તે જય માતાજી.
========================================================================
August 21st 2019

પવિત્રભુમી ભારત

.                             .પવિત્રભુમી ભારત       

તાઃ૨૧/૮/૨૦૧૯                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપર પવિત્ર ધરતી ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
મળેલદેહને રાહમળે જ્યાં માળાજપતા,અદભુત શાંંતિ જીવને મળીજાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય.
ભારતદેશ એજ ભવસાગર છે,જેમાં ગુજરાત પાવનનાવથી તારી જાય
ગુજરાતમાં જન્મલીધો અજબશક્તિશાળી જીવોએ,દેશમાં વર્તંથીદેખાય
મળેલમાનવદેહની કર્મથી ઓળખાણ થાય,એજ સિધ્ધીસાગર કહેવાય
ગુજરાતીઓની શાન નિરાળી,જે દેહથી અદભુતશક્તિશાળી કર્મ થાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય.
માનવદેહ મળે ગુજરાતમાં,સરળ સમયે તે દેહ દુનીયામાં પ્રસરી જાય
ગુજરાતની શાન સંગે હ્યુસ્ટનમાં આવ્યા,જે અનેક પવિત્રકર્મ કરીજાય
ધર્મકર્મને સાચવીને ચાલતા,હિંદુ ધર્મને એ અમેરીકામાં પ્રસરાવી જાય
અનેક પવિત્ર મંદીરો કર્યા આધરતીપર,જ્યાં હજારો ભક્તો આવીજાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય
આઝાદીની પાવનરાહ ગુજરાતીઓ પ્રસરાવી,દેશને આઝાદ કરી જાય
ગુજરાતના મુખ્યપ્રધાન થયા શ્રી નરેંદ્રભાઇ,પવિત્ર જીવનએ જીવી જાય
માતાનો પવિત્રપ્રેમમળ્યો આશીર્વાદથી,એ ભારતના વડાપ્રધાન થઈજાય
નિર્મળભાવના સંગે પવિત્રકર્મે,ગુજરાતીઓને મળવા હ્યુસ્ટન આવી જાય
......એજ કૃપા પરમાત્માની ભારતપર,જે સદમાર્ગી જીવોને મુક્તિ આપી જાય.
=============================================================
      ગુજરાતના મુખ્યપ્રધાન અને હવે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
ગુજરાતીઓના પ્રેમને પારખી હ્યુસ્ટન આવી જાય તે પ્રેમની યાદ રૂપે આ કાવ્ય 
લખેલ છે.      લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.
August 16th 2019

મળે માતાનો પ્રેમ

.             . મળે માતાનો પ્રેમ 

તાઃ૧૬/૮/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
મળે માતાનો પ્રેમ ભક્તોને,જ્યાં પવિત્ર નવરાત્રીએ ગરબા ગવાય
શ્રધ્ધાભાવથી માતાને પગે લાગવા,પ્રેમથી ડાંડીયાસંગે રાસ રમાય
.....જય માતાજી જય માતાજીના પવિત્ર ગરબાથી માતાને રાજી કરાય.
શ્રાવણમાસ એ પવિત્રમાસ છે,જ્યાં માતાને શ્રધ્ધાપ્રેમથી વંદનથાય
ભક્તિભાવથી ગરબે ધુમતા,આરાસુરથી માતા અંબાજી આવી જાય
પવિત્રપ્રેમથી તાલીપાડતા,કાળકામાતાની પાવાગઢથીકૃપા મળી જાય 
એજ નવરાત્રીની પાવનરાહ છે,જે કુળદેવીની ક્ર્પા મળે અનુભવાય
.....જય માતાજી જય માતાજીના પવિત્ર ગરબાથી માતાને રાજી કરાય.
ડાંડીયારમતા ભક્તજનો માને રાજી કરે,સંગેબહેનો તાલી પાડી જાય
ઉજવળ જીવનની રાહ મળે ભક્તોને,જે જીવનમાં સુખ આપી જાય
સમયસંગે ચાલતા મળેલદેહ પર,તાલીઓના તાલે માતાની કૃપા થાય
અદભુત જીવનની રાહ મળે માનવદેહને,જે રાસ ગરબાથી મેળવાય 
.....જય માતાજી જય માતાજીના પવિત્ર ગરબાથી માતાને રાજી કરાય.
========================================================

 

August 14th 2019

માતાનીકૃપા

         Image result for માતાજીના ગરબા,રાસ
.                 ંમાતાનીકૃપા                     
તાઃ૧૪/૮/૨૦૧૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્ર શ્રાવણ માસની પાવનરાહ મળતા,પ્રેમથી ગરબાએ ભક્તિ કરાય
માડી તારા આંગણે આવી તાલીઓના તાલે,દાંડીયા સંગેજ રાસ રમાય
.....એજ કૃપા માતાની થઈ પવિત્ર માસે,ભક્તોને ભક્તિની પ્રેરણા આપી જાય.
મળે પ્રેમ માતાનો જીવને પાવનરાહે,જીવનમાં અનંત શાંંતિ આપી જાય
તાલીઓના તાલે માતાને પગે લાગતા,માનવદેહને સદમાર્ગ એ લઈ જાય
પવિત્ર માસની મહેંક પ્રસરે અવનીપર,જે હિંદુ ધર્મનેજ પાવન કરી જાય 
સરળ જીવનની રાહ મળે દેહને જીવનમાં,એજ પરમકૃપા માની કહેવાય
.....એજ કૃપા માતાની થઈ પવિત્ર માસે,ભક્તોને ભક્તિની પ્રેરણા આપી જાય.
પગલે પગલે ગરબા રમતા માતાનુ સ્મરણ થાય,જે પાવનકર્મ આપી જાય
તાલી તાલીના સંગે દાંડીયા રમતા,માતાનો અનંત પ્રેમ જીવને મળી જાય
પવિત્ર નિખાલસભાવથી માતાને વંદનકરે,કૃપાએ જીવને સદમાર્ગ મળીજાય
કૃપા મળે માતાની પરિવારને જીવનમાં,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય   
.....એજ કૃપા માતાની થઈ પવિત્ર માસે,ભક્તોને ભક્તિની પ્રેરણા આપી જાય.
=============================================================

July 24th 2019

કુદરતનો સંગાથ

.              .કુદરતનો સંગાથ   

તાઃ૨૩/૭/૨૦૧૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ    

    શ્રાવણ માસના પ્રથમ દીવસે રમેશભાઈ અમેરીકા આવ્યા તેમને લેવા માટે તેમના જમાઈ
મહેશકુમાર એરપોર્ટ પર આવી ગયા હતા.તેમની બે બેગ લેવાની હતી એટલે જ્યાં બેગો આવે
ત્યાં જમાઈની સાથે તે પણ ઉભા હતા.થોડીવારમાં બેગો આવવાની શરૂ થઈ તેમની બેગ  
આવતા જમાઈને બતાવી જમાઈએ બંન્ને બેગો લઈ લારીમાં મુકી દીધી અને પછી સસરાને કહ્યુ
પપ્પા તમારી હાથની બેગ પણ મને આપી દો તેને પણ આ લારીમાં મુકી દઇએ એટલે આપણે
બહાર નીકળી જઈએ.એરપોર્ટથી બહાર આવ્યા.તો તેમની દીકરી માલીની કાર ચલાવીને આવી
ગઈ.પપ્પા કારમાં બેસવા આવ્યા તો દીકરી કારમાંથી બહાર આવી પપ્પાને પગે લાગી પપ્પાએ
તેને બાથમાં લીધી દીકરીની આંખમાં પાણી આવી ગયુ.આશીર્વાદ આપી પપ્પા બોલ્યા બેટા
ભગવાનનો કૃપા તેં સંસ્કાર સાચવી રાખ્યા છે.એમ કહી કારમાં પાછળની સીટ પર દીકરી જોડે
બેસી ગયા.દીકરી એટલા માટે પાછળ બેઠી કારણ કેટલા વર્ષો પછી તેના પિતાજી પહેલી વખત
અમેરીકા આવ્યા.તે આણંદમાં સ્કુલમાં શિક્ષક તરીકે કામ કરતા હતા. સવારે નવ વાગે સ્કુલમાં
આવતા કારણ કે સ્કુલ દસ વાગે શરૂ થતી એટલે વિધ્યાર્થીઓને ભણાવવાનુ કામ તે કરતા હતા.
અને સાંજે પાંચ વાગે સ્કુલ બંધ થાય એટલે છ વાગે ધેર પહોચી જતા.શનીવારે સાડા આઠ વાગે
સ્કુલમાં આવતા કારણ કે સ્કુલ નવ વાગે શરૂ થાય અને બે વાગે બંધ થાય એટલે ત્રણ વાગે 
ધેર આવી જાય.રવિવારે સ્કુલ બંધ હોય એટલે તેમના પત્નિ સાધનાબેનને લઈ સાંજે ચાર વાગે સાંઇ
બાબાના મંદીરે જતા અને સાત વાગે આરતી દર્શન કરી ધેર પાછા આવતા હતા.આ તેમના 
સંસ્કાર હતા જે સમયની સાથે તેઓ ચાલતા હતા.
    મળેલ માનવજીવન એ તો કર્મના બંધનથી પરમાત્મા જીવને અવનીપર લાવી જાય.જન્મ મળે
પણ તેને ઉંમર મળતા સદમાર્ગે જીવન જીવાતુ હોય તો શાંંતિ મળતી જાય જે જીવને સદમાર્ગે દોરી 
જાય.રમેશભાઈને પણ ભક્તિની પાવનરાહ માબાપના આશિર્વાદ અને  સંત જલાસાંઇની કૃપાએ
મળી ગઈ.જેને લીધે તેઓ શિક્ષક તરીકે ભણતરથી બાળકોને જીવનમાં યોગ્યરાહ લઈ લાયકાત 
આપતા હતા.તેમના પત્નિ સાધનાબેન પણ ભણતર કરી અને તેમના જીવનસંગીની થઈ આવ્યા 
હતા.તેઓ પણ સવારમાં સુર્ય અર્ચના કરી અને ધરમાં ધુપદીપ કરી પુંજા કરતા હતા. કુળદેવીની 
કૃપા થતા સમયસર સંતાનનુ આગમન થયુ.તેમને ત્રણ દીકરા અને બે દીકરીઓ હતી.ત્રણેય દીકરા 
કેતન,સુરજ અને દીપક અને દીકરીઓ માલીની અને સંગીતા હતી.કેતન શિક્ષક થયો સુરજ ડૉક્ટર 
થયો અને દીપક એન્જીનીયર થયો દીકરીઓમાં માલીની નર્શનુ ભણી અને સંગીતા વકીલ થઈ આમ 
રમેશભાઈ અને સાધનાબેનનુ કુળ માતાની કૃપાએ યોગ્ય રસ્તે ચાલતા થયા.
    જગતમાં સમય કોઈથી પકડાય નહીં પણ પરમાત્માની કૃપાએ કુળને યોગ્ય માર્ગે લઈ લીધા.
સંતાનો પાવનરાહથી નોકરી કરતા હતા તેથી માબાપને નિવૃત કર્યા હતા.જીવનમાં સમય આવ્યો
એટલે સદમાર્ગનો સંગાથ લઈ પિતા રમેશભાઈને દીકરી માલીનીને ત્યાં બીજુ સંતાન આવ્યુ અને 
તે છ વર્ષનુ થયુ તો જમાઈનો ફોન આવ્યો અને કહે પપ્પા તમે અને મમ્મી અમેરીકા આવો તો 
અમને આશિર્વાદ અને પ્રેમ મળે.રમેશભાઈએ તેમની પત્નિને વાત કરી પણ તે કહે અત્યારે મારાથી
અમેરીકા ન અવાય કારણ આપણા સુરજની પત્નિને સંતાન આવવાનુ છે તો મારે અહીં રહેવુ પડે.
તો તમે એકલા થોડા સમય માટે માલીનીને ત્યાં જઈ આવો તો તેને આનંદ થાય.અને આપણને 
સંતાનોની પાવનરાહ જોઇ જીવનમાં શાંંન્તિ થાય.પરમાત્માની કૃપાએ કુટુંબમાં સૌને સાચી રાહ મળી
જેને લીધે પિતા રમેશભાઈ અને માતા સાધનાબેનને સંપુર્ણ શાંંતિ માતાની કૃપા એ મળી જે અનુભવે
સમજાય છે.તેમના પાંચેય સંતાનને પિતાએ ભણતરની રાહ બતાવી જેને પકડી ભણતરથી ઉજવળ
કેડીએ મળેલદેહને સુખ અને શાંંતિ મળી રહી છે.જીવને જન્મ મળે ત્યાર પછી ઉંમરની સાથે ચાલો
તો ભગવાનની કૃપા થાય એ સમેશભાઈના કુટુંબથી દેખાય છે. 
     મોટા દીકરો કેતનને તો અત્યારે કૉલેજમાં પ્રોફૅશરની નોકરી મળતા સમય માટે તેણે નવુ મકાન
લીધુ જે કૉલેજની નજીકમાં છે જેથી તે સમય પ્રમાણે નોકરી કરતો અને રવિવારે તે અને તેની પત્ની 
દિવ્યાબેન પપ્પા મમ્મીને ઘેર આવી મદદ કરી પોતાની ફરજ બજાવતા હતા.બીજો દીકરો સુરજ ભણીને
ડૉક્ટર થયો અને ચાર વર્ષ હોસ્પિટલમાં કામ કર્યુ અને હવે પોતાનુ દવાખાનુ શરૂ કર્યુ જેમાં સામાન્ય 
રીતે દર્દીઓની સેવા કરતો થયો.દવાખાનાની નજીક નવુ મકાન લીધુ તેની પત્ની જ્યોતિબેન દવાખાનાની
ઓફીસમાં કામ કરી મદદ કરતી હતી. તેમનો ત્રીજો દીકરો દીપક એંન્જીનીયર થયો એટલે તે તેની લાયકાત
પ્રમાણે એંન્જીનીયરીગ કંપનીમાં ઘણી સારી નોકરી મળી ગઈ સાથે તેની પત્ની કામિનીને પણ ત્યાં નોકરી
મળતા ઘણી સારી આવક થઈ અને સારૂ કામ પણ મળી ગયુ.સમય તો કોઈથી છુટે નહી તેની સાથે
ચાલવાથી વડીલોના આશિર્વાદ અને ભગવાનની કૃપા થતા જીવનમાં શાંંતિ અને યોગ્ય માણસોનો સંગાથ મળે.
    તમે જુઓ કે રમેશભાઇએ તેમના જીવનમાં સાચી અને નિર્મળરાહ લીધી તો પત્ની સાધનાબેનનો સાથ
મળતા જીવનમાં પવિત્રરાહ સહિત પરમાત્માનો પ્રેમ પણ મળ્યો જે પવિત્ર જીવોને સંતાન તરીકે આપ્યા.
પાંચે સંતાનોને ભણતરની પાવન રાહ મળતા યોગ્ય લાયકાત મળતા માબાપને ઘણો જ આનંદ થયો.
આજે તમે જુઓ કે તેમની દીકરી માલિની લગ્ન પછી તેના પતિની સાથે અમેરીકામાં ગઈ ને તેના વરને
લાયકાતને કારણે ઇન્ડીયન કોન્સોલેટની ઓફીસમાં નોકરી મળી ગઈ જેને કારણે કોઇ જ જવાબદારી નહીં
અને કોઇપણ વ્યક્તિને તે કાયદેસર મદદ કરતાં માલિનીના પપ્પાને પણ અમેરીકા આવવામાં પણ કાયદેસર
હકક આપી અહીં બોલાવ્યા એટલે રમેશભાઈને અમેરીકા આવવામાં કોઇ જ તકલીફ પડી નહીં.તેઓ 
અમેરીકા તેમની દીકરી માલીનીને ત્યાં આવ્યા તેમને ખુબજ આનંદ થયો.કારણ માલીની પહેલી દીકરી
તોરલતો સ્કુલમાં ભણવા જતી હતી ને બીજુ સંતાન દીકરો આવ્યો એનુ નામ વિર રાખ્યુ.બંન્ને બાળકો
દરરોજ સવારમાં મમ્મી પપ્પા ધરમાં મંદીરમા જલાસાંઇની પુંજા કરતા ત્યારે બંન્ને બાળ્કો સમ યસર આવીને 
પગે લાગતાઽઅ જોઇને રમેશભાઈને ધણો આનંદ થયો અઠવાડિયામાં એક વાર માલિની પપ્પાને ભારત 
ફોન કરી મમ્મી જોડે વાત કરાવતી.
      સમય તો કોઇથી પકડાય નહીં અમેરીકા આવ્યે ચાર મહીના થયા એટલે હવે એક અઠવાડિયા
પછી રમેશભાઈ ભારત પાછા જવાના હતા એટલે તેમણી દીકરી માલિનીએ અને જમાઇ મહેશકુમારે
ઘણી બધી વસ્તુઓ લાવી આપી જે તેમને ભારત લાવવાની હતીં.માલિનીના ઘરની સામે એક અમેરીકન
પરિવાર રહેતો હતો તેઓને આ ભારતીય પરિવાર ગમતો હતો.એટલે જ્યારે રમેશભાઈ ભારત આવવા
માટે તૈયાર થયા તે વખતે તે અમેરીકન પુષ્પગુછ લઈને તેમને ભેટીને આપી ગયા.રમેશભાઇને ખુબ 
આનંદ થયો તેમના ગયા પછી દીકરી માલિની અને જમાઈ મહેશકુમારને ભેંટીને આંખો ભીની થઈ ગઈ.
તેમને ખબર પડી કે આજ કુદરતની કૃપા અને કુદરતનો સંગાથ જે પરમાત્માની કૃપાએ જ મળી ગયો. 
     જ્યારે ભારત પાછા આવ્યા ત્યારે તેમનો દિકરો કેતન અને તેની મમ્મી સાધના પણ સાથે લેવા 
આવી હતી.એરપોર્ટથી બહાર નીકળી કારમાં બેસતા પહેલા પત્ની સાધનાને બાથમાં લઈ બોલ્યા 
તારો પ્રેમ અને સાચી રાહથી સંતાનોને પવિત્રરાહ મળી તે માટે તારો આભાર.પછી તેમને લેવા આવેલ 
દીકરા કેતનને પણ બાથમાં લઈ પ્રેમ આપી વ્હાલ કર્યુ.
==============================================================================

July 7th 2019

સમયનો સાથ

 .           .સમયનો સાથ 

તાઃ૭/૭/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની આ પાવનકેડી અવનીપર,જે જીવને સમયથી સમજાય
અજબશક્તિશાળી પરમાત્મા છે,એ સમયનો સાથ આપી જાય
......મળેલ માનવદેહને એ સ્પર્શ કરે,જીવનમાં અનેક અનુભવે દેખાય.
જીવને અવનીપરનો સંબંધ છે,જે ગતજન્મે કરેલ કર્મથી મેળવાય
દેહમળે જીવને ત્યાં ઉંમરમાં,બાળપણ જુવાની ધૈડપણ મળીજાય 
સમયને સમજીચાલતા માનવદેહને,અનેક પાવનરાહની પકડ થાય
પરમાત્માની કૃપા મળે દેહને,જે પવિત્રભાવથી પુંજન કરાવી જાય
......મળેલ માનવદેહને એ સ્પર્શ કરે,જીવનમાં અનેક અનુભવે દેખાય.
મળે પ્રેમ સંતાનને માબાપનો,જે મળેલદેહને પાવનરાહે દોરી જાય
ભણતર સંગે ભક્તિનો સંગાથ મળતા,પાવનરાહની સમજણ થાય
જગતપર ના કોઇ જીવની તાકાત છે,કે જે સમયને તરછોડી જાય
સમયનો સાથમળે મળેલ દેહને,જે અનેક પવિત્રકર્મે મુક્તિ દઈજાય
......મળેલ માનવદેહને એ સ્પર્શ કરે,જીવનમાં અનેક અનુભવે દેખાય.
========================================================

July 5th 2019

સતત સ્મરણ

.               .સતત સ્મરણ       

તાઃ૫/૭/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરના જીવોને સવાર મળે,જ્યાં સુર્યદેવનુ પ્રત્યક્ષ આગમન થાય
સુર્યદેવને વંદન કરી અર્ચના કરતા,મળેલ દેહને પાવન કૃપા મળી જાય
......એ અજબ શક્તિશાળી દેવની કૃપા,જે જીવોને સવારસાંજ આપી જાય.
મનને મળેલ સમજને પારખી જીવતા,જીવનમાં પાવનરાહ  મળી જાય
આગમન જીવનુ અવનીપર છે,જે ગતજન્મે થયેલકર્મનો સંબંધ કહેવાય
અનેકદેહથી આગમનથાય જીવનુ,મળેલમાનવદેહ સમજણથી જીવીજાય
પવિત્રભુમી ભારતજ છે જ્યાં અનેક પવિત્રદેહ,ભગવાનથીજ ઓળખાય
......એ અજબ શક્તિશાળી દેવની કૃપા,જે જીવોને સવારસાંજ આપી જાય.
નાકોઇ ધાર્મિક સ્થળની જરૂરપડે માનવદેહને,એ સુર્યદેવનીકૃપા કહેવાય
અનંત શાંંતિનો સંગાથ મળે જીવને,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
માગણી મોહનો ના સ્પર્શ મળે જીવનમાં,એ અંતે જીવને મુક્તિદઈ જાય
સુર્યદેવની પાવનકૃપાએ જીવને,અવનીથી જન્મમરણનો સંબંધ છુટી જાય
......એ અજબ શક્તિશાળી દેવની કૃપા,જે જીવોને સવારસાંજ આપી જાય.
==============================================================

 

June 30th 2019

મળેલ શ્રધ્ધા

.              મળેલ શ્રધ્ધા  
તાઃ૨૮/૬/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરનુ આગમન છે જીવનુ,જે થયેલ કર્મના બંધનથીજ મળી જાય
પાવનકૃપા મળી પરમાત્માની જીવને,ત્યાં નિર્મળસંસ્કાર સમજીને જીવાય
.....એ મળેલ માનવદેહને પવિત્ર પાવનરાહે,જીવનમાં અનંત શ્રધ્ધા આપી જાય.
સમજણનો સંગાથ મળે જીવનમાં,જે દેહની ઉંમરને પાવનરાહે લઈ જાય
કુદરતની પાવનકેડી અવનીપરના આગમનને સ્પર્શે,જે કર્મ થકી સમજાય
અદભુતલીલાની અનેક રાહ મળે દેહને,જ્યાં નિર્મળશ્રધ્ધાએ ભક્તિ કરાય 
પાવનરાહ અને પાવનપ્રેમ જીવને મળે,એ પવિત્ર ભક્તિએજ મળી જાય
.....એ મળેલ માનવદેહને પવિત્ર પાવનરાહે,જીવનમાં અનંત શ્રધ્ધા આપી જાય.
શ્રધ્ધાભાવનથી સુર્યદેવના દર્શન કરી,ૐ હ્રીં સુર્યાય નમઃનુ સ્મરણ કરાય
મળે જીવનમાં અનંત શાંંતિ દેહને,જે મળેલ દેહને પાવનકર્મ આપી જાય
અનંતકૃપાળુ સુર્યદેવ અવનીપર,જે અનંત વર્ષોથી પ્રત્યક્ષ દર્શન દઈ જાય
નાસંબંધ રહે દેહને જીવનમાં,એજ કૃપા દેવની જે કર્મનાબંધન તોડી જાય
.....એ મળેલ માનવદેહને પવિત્ર પાવનરાહે,જીવનમાં અનંત શ્રધ્ધા આપી જાય.
==============================================================
« Previous PageNext Page »