July 9th 2018

પરમ શક્તિ

  Image result for bholenath parivar
.            પરમ શક્તિ   
                      
તાઃ૯/૭/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની કૃપા આપનાર,અવનીપર શ્રીશંકર ભગવાનથી ઓળખાય
પાવનરાહ મળે શ્રધ્ધાએ ભજવા,જ્યાંૐ નમઃ શિવાયથી સ્મરણ થાય
......એવો પવિત્ર દેહ ધારણ કરી,ભારતની ભુમીને પાવન એ કરી જાય.
પરમકૃપાળુ એ દેહ હતો,જેમને અનેક નામો સંગે ભોલેનાથ કહેવાય
પવિત્ર નિર્મળજળ જગતને આપતા,માતા ગંગાનું આગમન કરી જાય
નિર્મળભાવે ગંગા નદીને અર્ચના કરતા,મળેલ દેહને પાવન કરી જાય
ત્રિશુળધારી એ દેહ હતો,જેને માતા પાર્વતીના પતિદેવ પણ કહેવાય
......એવો પવિત્ર દેહ ધારણ કરી,ભારતની ભુમીને પાવન એ કરી જાય.
ભારતદેશની ભુમીને પવિત્ર કરવા,અનેક દેહ શ્રી પ્રભુકૃપાએ લઈ જાય
શ્રધ્ધાવિશ્વાસના સંગે જીવનમાં,નિર્મળ પવિત્ર ભક્તિનો સંગ મળી જાય
અજબશક્તિશાળી હતાઅવનીએ,જે ગણપતિ ને કાર્તિકનાપિતા કહેવાય
ભાગ્યવિધાતા ગણપતિને પુંજતા,માતાપિતાના પ્રેમની કૃપાય મળી જાય
......એવો પવિત્ર દેહ ધારણ કરી,ભારતની ભુમીને પાવન એ કરી જાય.
=========================================================


	
July 9th 2018

કાયાને અડી

.           કાયાને અડી      

તાઃ૯/૭/૨૦૧૮            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ દેહને સંબંધ છે કર્મનો,જે અવનીપરના આગમને દેખાય
સરળજીવનની રાહને પકડી ચાલતા,કાયાને નામાયા અડી જાય
......એ નિર્મળ જીવની કેડીના સ્પર્શે,પાવનરાહે નિર્મળ જીવન જીવાય.
સમયનો સ્પર્શ થાય છે દેહને,જે મળતી ઉંમરનો સંગ આપી જાય
આજને પારખી ચાલતા ગઈ કાલને ભુલાય,જે શાંન્તિ આપી જાય
આવતી કાલને ઉજવળ કરવા,દેહને આજના વર્તનથી અનુભવાય
એવી લીલા પરમાત્માની જીવપર,જે સમય સંગે કાયાને અડી જાય
......એ નિર્મળ જીવની કેડીના સ્પર્શે,પાવનરાહે નિર્મળ જીવન જીવાય.
લાગણી કે મોહ એઅવનીના બંધન,ના કોઇથી અવનીપર છટકાય
દેહના બંધન એ કર્મને લાવે,જે દેહના વર્તનથી સૌને સમજાઈ જાય
આવીઆંગણે કૃપામળે પ્રભુની,જે કુટુંબને પવિત્રકર્મકેડી આપી જાય
મળેલ દેહની પરખ સચવાઇ જાય,જ્યાં નિર્મળ રાહે જીવન જીવાય
......એ નિર્મળ જીવની કેડીના સ્પર્શે,પાવનરાહે નિર્મળ જીવન જીવાય.
=======================================================
July 6th 2018

માનવતાનો સહવાસ

.          માનવતાનો સહવાસ         

તાઃ૬/૭/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતલીલા પરમાત્માની અવનીપર,મળેલદેહથી એ અનુભવાય
પાવનરાહને પકડીચાલતા જીવનમાં,માનવતાની મહેંકપ્રસરી જાય
......એજ કૃપા પ્રભુની જે મળેલદેહને,માનવતાનો સહવાસ આપી જાય.
નિર્મળ ભાવથી જીવન જીવતા,મળેલદેહને કર્મનાબંધન અનુભવાય
કળીયુગ સતયુગનો સ્પર્શ નારહે જીવને,જે શ્રધ્ધાભક્તિએ સમજાય
પવિત્રકર્મ એ નિખાલસ સેવા આપી જાય,જે સત્કર્મને સ્પર્શી જાય
કુદરતની અનેક કૃપા થાય જીવોપર,જે નિર્મળભક્તિમાર્ગ દઈ જાય
......એજ કૃપા પ્રભુની જે મળેલદેહને,માનવતાનો સહવાસ આપી જાય.
અનેક સ્વરૂપ લઈ આવ્યા પરમાત્મા,જે ભારતદેશમાં દેહથી દેખાય
મળેલ દેહને સદમાર્ગ આપી જીવનમાં,પવિત્ર કર્મનો સંગ મળી જાય
ઉજવળતાની કેડીના સંગે રહી જીવતા,પ્રભુકૃપાની વર્ષાપણ થઈ જાય
નિર્મળજીવન સંગે નિર્મળરાહ પકડતા,મળેલદેહની માનવતામહેંકી જાય
......એજ કૃપા પ્રભુની જે મળેલદેહને,માનવતાનો સહવાસ આપી જાય.
=====================================================

	
July 1st 2018

મહાકાળી

   Image result for maa kali photo
.            .મહાકાળી  

તાઃ૧/૭/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનરાહે જીવન જીવતા,મા મહાકાળીની અનંતકૃપા મળી જાય
માનવદેહે સહવાસ મળે,જ્યાં મા પાવાગઢથી કાસોર આવી જાય
......એજ નિર્મળ ભક્તિનો સંકેત છે,જે પરિવારને આંગળી ચીંધી જાય.
વ્હાલી માવડી છે અમારી કુળદેવી,જે જગતમાં મહાકાળી કહેવાય
અજબશક્તિની કૃપા મળે માતાની,અમને પવિત્રજીવન આપી જાય
સરળ જીવનમાં નામોહ રહે,કે નાકોઇ માગણી જીવને સ્પર્શી જાય
મળેલ માનવદેહને સંબંધછે પરિવારથી,જે કુળને આગળ લઈ જાય
......એજ નિર્મળ ભક્તિનો સંકેત છે,જે પરિવારને આંગળી ચીંધી જાય.
પવિત્રપર્વત પાવાગઢ ગુજરાતમાં,જ્યાં મહાકાળીના દર્શનકરી શકાય
ઉંમરને ના આંબે માનવી જીવનમાં,જે પર્વતના પગથીયા છોડી જાય
માતાજીનો પવિત્રપ્રેમ સંતાનપર,એ કાસોરમાં માતાજીનાદર્શને દેખાય
પ્રદીપને નિર્મળરાહમળી જીવનમાં,જે કુળદેવી માકાળીનીકૃપા કહેવાય
......એજ નિર્મળ ભક્તિનો સંકેત છે,જે પરિવારને આંગળી ચીંધી જાય.
=======================================================
June 27th 2018

પરખ જીવની

.            .પરખ જીવની  

તાઃ૨૭/૬/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માગણી મનની આંગળી ચીંધે,જીવનના સંબંધને એ સ્પર્શી જાય
કુદરતની આ પાવન ક્રીયા કર્મની,નિર્મળકેડી જીવને આપી જાય
......માનવદેહની પાવનકેડી જીવનમાં,નિર્મળ ભક્તિએ જ મળી જાય.
સરળજીવન એ સુખશાંંન્તિથી સ્પર્શે,નાકોઇ ખોટીરાહ અડી જાય 
શ્રધ્ધાએ કરેલ ભક્તિ જીવનમાં,કર્મ અને વર્તનથી શાંન્તિ દઈજાય
મળેલ દેહને જીવ સાચવી લે,જે થઈ રહેલ પવિત્રકર્મથી જ દેખાય
પાવનકર્મ એ કૃપા સુર્યદેવની જીવપર,સવારસાંજના વર્તને સમજાય
......માનવદેહની પાવનકેડી જીવનમાં,નિર્મળ ભક્તિએ જ મળી જાય
અનેકદેહ અવનીપર મળે જીવને,જે જગતમાં પાવનકર્મ કરાવી જાય
પરમાત્માનીકૃપા પવિત્ર ભારત દેશપર,જ્યાં પ્રભુ અનેકદેહ લઈ જાય
શ્રધ્ધા રાખી જીવનમાં એરાહ પકડો,જે જીવને મુક્તિમાર્ગે દોરી જાય
દેહ લીધોછે અવનીપર પ્રભુએ,જે અનેક પવિત્ર નામે મંદીરમાં પુંજાય
......માનવદેહની પાવનકેડી જીવનમાં,નિર્મળ ભક્તિએ જ મળી જાય.
======================================================

 

June 25th 2018

સંસારની સાંકળ

.           .સંસારની સાંકળ
તાઃ૨૫/૬/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ દેહ અવનીપર,અનેક જન્મોના સંબંધને સ્પર્શી જાય
કુદરતની આ અજબલીલા,જન્મમરણથી આવનજાવન આપી જાય
....જે મળેલકૃપા પરમાત્માની જીવને,સદમાર્ગની પાવનરાહે જીવાડી જાય.
માનવદેહને સંબંધ માબાપનો જીવનમાં,અવનીપર દેહ મળી જાય
સંતાનને સ્પર્શે સમય જીવનમાં,જે મળતી ઉંમરથી અનુભવ થાય
સંસારની સાંકળએ દેહનાબંધન,એ દેહને આગળપાછળ લઈ જાય
સરળતાનો સંગાથ મળે જીવને,જે મળેલદેહને સરળતા આપી જાય
....જે મળેલકૃપા પરમાત્માની જીવને,સદમાર્ગની પાવનરાહે જીવાડી જાય.
દેહ એ કર્મના બંધન છે જીવના,જે અનેકદેહથી સમયે દેખાઈ જાય
પશુપક્ષી પ્રાણી એતો નિરાધાર દેહ,અવનીપર જીવ ભટકાતો જાય
નાકોઈ પરિવારનો સંબંધ રહે,કે નાકોઇનો નિખાલસ પ્રેમ મેળવાય
માનવજીવનને સરળતાનો સંગાથ મળે,જ્યાં સંસારી સ્નેહ મળીજાય
....જે મળેલકૃપા પરમાત્માની જીવને,સદમાર્ગની પાવનરાહે જીવાડી જાય.
=======================================================
June 20th 2018

ગુજરાતી સરીતા

         
.          .ગુજરાતી સરીતા     

તાઃ૨૦/૬/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમની ગંગા લઈને,કલમપ્રેમીઓ હ્યુસ્ટન આવી જાય
ઉજવળકેડી પકડી ચાલતા,નિર્મળપ્રેમની વર્ષાય કરી જાય
.....એજ પ્રેમને સાચવી રાખતા,જગતમાં સાહિત્ય સરીતાથી ઓળખાય.
પાવનપ્રેમના સંગે શ્રીસતીષભાઈ,કલમપ્રેમીઓને દોરી જાય
મનસુખભાઈનો પ્રેમ નિખાલસ,જે મળેલપ્રેમથી અનુભવાય
સમયસંગે સહવાસ રાખી,નિખીલભાઈના પ્રેમની વર્ષાથાય
ઉજવળ સમયની કેડીને ચીંધે,જે સૌને આનંદ આપી જાય
.....એજ પ્રેમને સાચવી રાખતા,જગતમાં સાહિત્ય સરીતાથી ઓળખાય.
માતા સરસ્વતીની અસીમકૃપા થઈ,જે કલમથી સ્પર્શીજાય
ના કળીયુગની કોઇમાયા અડે,કે ના દેખાવનો મોહ થાય
સરળજીવન સંગે રહી કલમપ્રેમીઓ,ઉજવળતા આપી જાય
મળેલ માનવદેહની મહેંક પ્રસરે,જે પવિત્રજીવનથી સમજાય
.....એજ પ્રેમને સાચવી રાખતા,જગતમાં સાહિત્ય સરીતાથી ઓળખાય.
શ્રધ્ધાપ્રેમથી કલમ પકડતાજ,માતા સરસ્વતીની કૃપા થઈ
કલમપકડી હ્યુસ્ટન આવ્યા,જ્યાં અનેકકૃતિઓ રચાઈ જાય
સરળતાનો સંગાથ મળે,જ્યાં કલમ પ્રેમીઓ જ મળી જાય
પાવનકૃપા કલમપ્રેમીઓ પર,જે લખેલ કૃતિઓથી સમજાય
.....એજ પ્રેમને સાચવી રાખતા,જગતમાં સાહિત્ય સરીતાથી ઓળખાય.
======================================================
June 20th 2018

જીંદગીની જ્યોત

.          .જીંદગીની જ્યોત          

તાઃ૨૦/૬/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કળીયુગને કુદરતની સાંકળથી,જીવને જન્મમરણથી અનુભવ થાય
અવનીપરના બંધન એજ કર્મનીકેડી,જીવને આવનજાવનથી દેખાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જે પરમકૃપાળુ પરમાત્માની કૃપા કહેવાય.
જન્મ મળેલ જીવને અવનીપર,એજ દેહને કર્મનાબંધન આપી જાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જ્યાં જીવથી શ્રધ્ધાએજ ભક્તિ કરાય
નિર્મળભાવથી કરેલ ભક્તિ,એ સવારસાંજના સંગાથથી અનુભવાય
મળેલ માનવદેહની નિર્મળતા પ્રસરતા,પવિત્રજીવોની કૃપા મેળવાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જે પરમકૃપાળુ પરમાત્માની કૃપા કહેવાય.
જીવનમાં સ્પર્શતી અપેક્ષાની કેડી,એ નિર્મળભક્તિએ દુર રહી જાય
પ્રેમ પ્રભુનો મળે દેહને જીવનમાં,ના અભિલાષા કોઇજ દેહની થાય
સરળતાનો સંગાથ મળે દેહને,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય
અવનીપરના આગમન વિદાયનો સંબંધ છુટતા,મુક્તિમાર્ગ મળી જાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જે પરમકૃપાળુ પરમાત્માની કૃપા કહેવાય.
============================================================

	
June 13th 2018

સર્જનહારની લીલા

.          .સર્જનહારની લીલા 
તાઃ૧૩/૬/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબલીલા જીવને મળે અવનીપર,જે દેહને અનુભવ આપી જાય
થયેલકર્મ જ આંગળી ચીંધે જીવને,એ મળેલ દેહથી સમજાઈ જાય
......આજ અજબલીલા છે સર્જનહારની,ના કોઇજ જીવતી કદી છટકાય.
પાવનરાહની ચીંધે આંગળી દેહને,એજ જીવનમાં વર્તન આપી જાય
મળેલદેહ એ સ્પર્શે કર્મથી,જે અવનીપર આગમનથીજ દેખાઈ જાય
સરળજીવનની રાહ મળે દેહને,જ્યાં સંત જલાસાંઇની રાહ સચવાય
નામાયા કે નાકોઈ અપેક્ષા જીવની રહે,નિર્મળ જીવનથીએ સમજાય
......આજ અજબલીલા છે સર્જનહારની,ના કોઇજ જીવતી કદી છટકાય.
કુદરતની અદભુતલીલા જગતપર,ફક્ત માનવદેહને સમજ આપી જાય
પકડેલ કેડી જીવનમાં માનવ દેહથી,જે આવનજાવનના બંધને દેખાય
મનથી કરેલ નિર્મળ ભક્તિ પરમાત્માની,જે અનેકનામથીજ ઓળખાય
મળેલ દેહને પાવનરાહ આપીને જીવતા,નિર્મળજીવનનીકેડી આપીજાય
......આજ અજબલીલા છે સર્જનહારની,ના કોઇજ જીવતી કદી છટકાય.
========================================================
June 9th 2018

પ્રેમની ઓળખ

.           .પ્રેમની ઓળખ      

તાઃ૯/૬/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને સંબંધ છે અવનીપર,જે મળેલ દેહથી સમજાઈ જાય
પાવનકર્મની કેડી એસ્પર્શ જીવનો,દેહના બંધનથી સમજાય
......કુદરતની આ લીલા જગતપર,જીવને આવનજાવનથી દેખાય.
પ્રેમ નીખાલસ પતિપત્નીનો કુટુંબમાં,માનવતા મહેંકી જાય
નિર્મળપ્રેમનો સંબંધ દેહને,જે જીવનમાં સંતાનો આપી જાય 
માનવજીવન એ જીવની કેડી,દેહને નિર્મળજીવન મળી જાય
આશીર્વાદની રાહ મળે દેહને,જે સરળજીવનનોસાથ આપીજાય
......કુદરતની આ લીલા જગતપર,જીવને આવનજાવનથી દેખાય.
કર્મનીકેડી એજ જીવનાસંબંધ,જે અવનીએ દેહથી દેખાઈ જાય
પવિત્રપ્રેમ એ માનવદેહની સમજ,જે દેહને પાવનરાહે દોરીજાય
મનુષ્યદેહ એછે કૃપા પ્રભુની,જીવનમાં શ્રધ્ધાભક્તિ આપી જાય
સમયને સમજી ચાલતા જીવનમાં,નાઉંમર કે દેખાવ અડી જાય
......કુદરતની આ લીલા જગતપર,જીવને આવનજાવનથી દેખાય.
===================================================
« Previous PageNext Page »