January 4th 2018
. .પ્રેમનો સ્પર્શ
તાઃ૪/૧/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ દેહનો સંબંધ અનેરો,જીવને અનેક સ્પર્શથી સમજાઈ જાય
નાકળીયુગથી કોઈ જીવ છટકે,જે અવનીપરના આગમનથી દેખાય
....એ કુદરતની છે જ્યોતનિરાળી,જે નિર્મળશ્રધ્ધાએ પ્રેરણા આપી જાય.
પાવનકર્મથી રાહ મળે માનવતાની,જન્મમરણના બંધન આપીજાય
કરેલકર્મ એ દેહનાસંબંધ અવનીએ,જે માબાપાની કૃપાએ મેળવાય
નિર્મળરાહે જીવન જીવતા જીવપર,અનંત નિર્મળપ્રેમની વર્ષા થાય
મળેલપ્રેમનો સ્પર્શ થાય જીવનમાં,જે નિખાલસ જીવન આપી જાય
....એ કુદરતની છે જ્યોતનિરાળી,જે નિર્મળશ્રધ્ધાએ પ્રેરણા આપી જાય.
કર્મના બંધન એતો કુદરતની કેડી,નાકોઇ જીવથી જગતમાં છટકાય
દેહ મળે અવનીપર જીવને,એજ કુદરતની સરળ સમયલીલા કહેવાય
માનવજીવનની મહેંક પ્રસરે મળેલદેહની,જે ભક્તિપ્રેમથી જ મેળવાય
પ્રેમની પાવનરાહ મળે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની રાહે જીવાય
....એ કુદરતની છે જ્યોતનિરાળી,જે નિર્મળશ્રધ્ધાએ પ્રેરણા આપી જાય.
======================================================
December 23rd 2017
. .જન્મ અને મરણ
તાઃ૨૩/૧૨/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મમરણ નો સંબંધ છે જીવને,જગતમાં ના કોઇથીય છટકાય
કાયામાયાની તો સાંકળછે અદભુત,એ દેહના વર્તનથીજ દેખાય
.......એજ છે કુદરતની લીલા,અવનીપરના સંબંધથી સમજાઇ જાય.
મળે જીવને માવનવદેહ અવનીપર,એ પરમાત્માની કૃપા કહેવાય.
કર્મના બંધન એ સંબંધ જીવના,જગત પર દેહ મળતા જ દેખાય
પાવનરાહ એ પવિત્ર કર્મની કેડી,જે શ્રધ્ધાએ કરેલ ભક્તિથી થાય
ઉજવળ જીવન એ કૃપા પ્રભુની,સંત જલાસાંઇની કેડીએ મેળવાય
.......એજ છે કુદરતની લીલા,અવનીપરના સંબંધથી સમજાઇ જાય.
જીવને સ્પર્શે કરેલ કર્મ અવનીપર,જે જન્મમરણના બંધનેજ દેખાય
મળેલ દેહનો સંબંધ કરેલકર્મથી,એ પશુપક્ષી માનવદેહ આપી જાય
વાણીવર્તનને ભક્તિ મળે માનવદેહને,જે જીવને સદમાર્ગે દોરી જાય
જીવને સંબંધ છે દેહથી અવનીએ,જે સમય સમયેજ સમજાઈ જાય
.......એજ છે કુદરતની લીલા,અવનીપરના સંબંધથી સમજાઇ જાય.
====================================================
December 23rd 2017

. . કલમપ્રેમી દેવિકાબેન
તાઃ૧૬/૧૨/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા મળી ગઈ માતાની,જે દેવિકાબેનને હ્યુસ્ટનમાં લાવી જાય
પવિત્રપ્રેમથી કલમ પકડતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓને પ્રેરણા આપીજાય
....એવા કલમપ્રેમી દેવિકાબેન,જગતમાં ગુજરાતીઓની ઓળખાણ કરાવી જાય.
માન અને સન્માન મળે બેનને,જે કલમપ્રેમીઓને આનંદ આપી જાય
કલમની ઉજવળરાહને પ્રેરતા,અનેકની કલમને એ સદમાર્ગે લઈ જાય
શબ્દની પવિત્ર સમઝણ પડતા,માનવીના મનનેએ શાંંન્તિ આપીજાય
પાવનકર્મ ને પાવનજીવન એજ કૃપા માતાની,જ્યાં પ્રેમની વર્ષા થાય
....એવા કલમપ્રેમી દેવિકાબેન,જગતમાં ગુજરાતીઓની ઓળખાણ કરાવી જાય.
અપેક્ષાના વાદળ ના સ્પર્શે,કે ના કદીય મોહમાયા બેનને અડી જાય
નિર્મળ ભાવનાએ કલમને પકડતા,કલમપ્રેમીઓને પ્રેરણા આપી જાય
સફળતાના વાદળનો સંબંધ રહેતા,જીવનમાં ઉજવળતા મળતી જાય
એજ પાવનરાહ કલમની મળી,જ્યાં માતા સરસ્વતીની કૃપા થઇજાય
....એવા કલમપ્રેમી દેવિકાબેન,જગતમાં ગુજરાતીઓની ઓળખાણ કરાવી જાય.
=================================================================
હ્યુસ્ટનના કલમપ્રેમીઓને માતા સરસ્વતીની કૃપાથી પ્રેરણા આપતા અમારા માનનીય
બેન શ્રીમતી દેવિકાબેન ધ્રુવને ઉત્તમ લેખક તરીકે સન્માનીત કરવામાં આવી રહ્યા છે જે
હ્યુસ્ટન અને દુનીયામાં રહેતા ગુજરાતી કલમપ્રેમીઓ માટે ગૌરવ છે એ યાદરૂપે આકાવ્ય
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓ તરફથી સપ્રેમ ભેંટ.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
December 5th 2017
. .જાગતો રહેજે
તાઃ૫/૧૨/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જાગતો રહેજે માનવી જગતપર,જ્યાં જીવને માનવદેહ મળી જાય
અદભુતલીલા અવિનાશીની અવનીએ,અનુભવથીજ સમજાઈ જાય
.......પરમકૃપા છે પરમાત્માની જીવપર,જે નિર્મળ ભક્તિએજ મળી જાય.
માગણી મોહ એજ બંધન છે દેહના,જીવને એ જન્મમરણ દઈ જાય
કુદરતની આ સાંકળ છે એવી,જે કળીયુગ સતયુગથી જ અનુભવાય
માનવદેહ એજ કૃપા પ્રભુની જીવપર,જે સમજણે સત્કર્મ આપી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવને,સંતજલાસાંઇની પ્રેરણા મળી જાય
.......પરમકૃપા છે પરમાત્માની જીવપર,જે નિર્મળ ભક્તિએજ મળી જાય.
શાંંન્તિનો સંગાથ મળે જીવનમાં,જ્યાં નિર્મળભાવે મળેલજીવન જીવાય
થયેલ કર્મના સંબંધ સ્પર્શે જીવને,જે જીવને આવનજાવન આપી જાય
મળેલ માનવદેહને સુખદુઃખનાસ્પર્શે,જ્યાંજીવનમાં જાગતારહીને જીવાય
પવિત્રકર્મના વર્તનથી જીવનમાં,માનવદેહને નાકદી કોઇઆફત અથડાય
.......પરમકૃપા છે પરમાત્માની જીવપર,જે નિર્મળ ભક્તિએજ મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
November 25th 2017
. निर्मळ प्रेम
ताः२५/११/२०१७ प्रदीप ब्रह्मभट्ट
निर्मळ प्रेमकी ज्योत जीवनमें,मानवता महेंकाती है
सुखदुःखकी नाकेडी स्पर्शे,उज्वळ जीवन दे जाती है
........येही प्रेमकी गाथा है,जो जीवनमे पावनकर्म कराती है.
कर्मबंधन ये जीवको स्पर्शे,जो अनुभवसे समजाती है
अजबलीला ये कुदरतकी है,जो जन्ममरण दे जाती है
पावनकर्म मानवता महेंकाये,जीवनमें निर्मळप्रेम मिलजाये
मीले कृपा परमात्माकी,जीवनकी ज्योतको प्रगटाती है
........येही प्रेमकी गाथा है,जो जीवनमे पावनकर्म कराती है.
मनमें श्रध्धा और प्रेम निखालस,कलमकीकेडी देजाती है
ज्योत प्रेमकी प्रगटनेसे,अनंत प्रेमकी वर्षा होजाती है
मोहमाया ना स्पर्शे जीवनमें,उज्वळ जीवन वो कर जाती है
निर्मळ जीवन येही कृपा है,जन्म सफल हो जाता है
........येही प्रेमकी गाथा है,जो जीवनमे पावनकर्म कराती है.
================================================
November 17th 2017
. .જીવનમાં સંગાથ
તાઃ૧૭/૧૧/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની એ અજબ શક્તિ છે,જે અવનીપર જીવોને સ્પર્શથી સમજાય
મળેલ દેહને સમયનો સ્પર્શ થાય,જ્યાં જન્મની સંગેજ ઉંમર અડી જાય
......એજ દેહનો સંબંધ છે અવનીએ,જે બાળપણ ને ઘૈડપણ આપી જાય.
કર્મના બંધન એજ છે જીવના સંબંધ,જે અવનીપર દેહ મળતા દેખાય
પશુ,પક્ષી ને માનવદેહ એ બંધન જગતપર,જે દેહથી કર્મ કરાવી જાય
જન્મ મરણ એ જીવને મળે અવનીપર,અદભુત લીલા કુદરતની કહેવાય
મહેંક પ્રસરે માનવતાની જીવનમાં,જ્યાં નિર્મળ ભાવે પ્રભુની ભક્તિ થાય
......એજ દેહનો સંબંધ છે અવનીએ,જે બાળપણ ને ઘૈડપણ આપી જાય.
લાગણી મોહને દુર રાખીને જીવન જીવતા,પરમાત્માના પ્રેમની કૃપા થાય
અદભુત લીલા નો સંગાથ મળે દેહને,ત્યાં મળેલ દેહની માનવતા મહેંકાય
સદબુધ્ધીનો સંગાથ મળે જીવનમાં,પવિત્રરાહની કેડીએ જીવનપાવન થાય
અપેક્ષાના નાકોઇ વાદળ સ્પર્શે દેહને,ત્યાં સંત જલાસાંઇની કૃપા થઈ જાય
......એજ દેહનો સંબંધ છે અવનીએ,જે બાળપણ ને ઘૈડપણ આપી જાય.
=========================================================
November 16th 2017
. .આગમનનો સંબંધ
તાઃ૧૬/૧૧/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આગમન અને વિદાયનો સંબંધ,જગત પર જીવને મળેલ દેહને સમજાય
સમયના પકડાય જગતપર કોઇથી,એજ અજબકૃપા પરમાત્માની કહેવાય
.......જીવને મળેલ દેહ એ છે કર્મના સંબંધ,જે અવનીપર આગમન આપી જાય.
અનેક પ્રસંગનો સંબંધ છે અવનીએ,જે દેહને આગમન પ્રસંગે આપી જાય
જન્મ મળે જ્યાં જીવને માબાપથી,ત્યાં આવેલસંતાનને વ્હાલ કરવા જવાય
એ આગમન પ્રસંગને માણવાને જવાય,જે મળેલ દેહના સંબધથી મેળવાય
મળેલ દેહથી સામાજીક કર્મને સચવાય,ત્યાં માનવતા મહેંકાવવા આવીજાય
.......જીવને મળેલ દેહ એ છે કર્મના સંબંધ,જે અવનીપર આગમન આપી જાય.
આગળ પાછળને કે માન અને સન્માન મેળવતા,જીવનમાં સત્કર્મ થઈ જાય
કુદરતની આ અજબલીલા જગતપર,દેહને આગમન વિદાયના સંબધે દેખાય
ભણતર ચણતર એ નિખાલસભાવે સમજતા,માન અને સન્માન આપી જાય
માનવ જીવનની મહેંક પ્રસરે જીવનમાં,ના અપેક્ષાના વાદળ કોઇ અડી જાય
.......જીવને મળેલ દેહ એ છે કર્મના સંબંધ,જે અવનીપર આગમન આપી જાય.
===============================================================
November 14th 2017
...
...
. .પરમકૃપાળુ શ્રી ગણેશ
તાઃ૧૪/૧૧/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીનો પરમ પ્રેમ,ને પિતા ભોલેનાથની પવિત્રકૃપા મળી જાય
જગતપર અજબ શક્તિશાળી બન્યાએ,જે પરમકૃપાળુ ગણપતિ કહેવાય
.......એવા વ્હાલા ગજાનંદ જગતમાં,જીવોના ભાગ્યવિધાતાથીય ઓળખાય.
માયામોહને દુર રાખતા માતાનો પરમપ્રેમ મળે જીવનપાવન થઈ જાય
માતા પાર્વતીને અંતરથી વંદનકરતા,મળેલ દેહને ઉજવળતા મળી જાય
માતાનાપ્રેમ સંગે પુત્ર ગજાનંદની કૃપા મળે,માનવતાનો સ્પર્શ થઈ જાય
ઉજવળ જીવન એજ મળેલ દેહના જીવને,અંતે મુક્તિ માર્ગે દોરી જાય
......એવા વ્હાલા ગજાનંદ જગતમાં,જીવોના ભાગ્યવિધાતાથીય ઓળખાય.
પિતાનો પવિત્રપ્રેમ મળે પુત્ર ગજાનંદને,જે ઉજ્વળતાનો માર્ગ દઈ જાય
ભાગ્ય વિધાતા છે અવનીપરના જીવોના,એમને શ્રી ગણપતિજી કહેવાય
મળે કૃપા પિતા શ્રી શંકર ભગવાનની,જ્યાં પુત્રને પ્રેમથીજ વંદન કરાય
આધીવ્યાધીને આંબે અવનીપર.જે મળેલદેહના જીવને શાંંન્તિએ દેખાય
.......એવા વ્હાલા ગજાનંદ જગતમાં,જીવોના ભાગ્યવિધાતાથીય ઓળખાય.
==========================================================
November 13th 2017
. .પકડ એજ જકડ
તાઃ૧૩/૧૧/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવન એ દેહનોસંબંધ અવનીએ,જીવને જન્મ મળતા અનુભવ થાય
માનવદેહ એ કૃપા પરમાત્માની જીવ પર,જે આગમન થતા સમજાય
.....અદભુતલીલા અવીનાશીની જગતપર,દેહના વાણી વર્તનથી દેખાય.
મળેલ દેહ એજ સંબંધ છે જીવનો,જે અવની પર દેહ આપી જાય
પકડેલ રાહ દેહની જગતપર,જન્મ મરણથી જીવને એ સ્પર્શી જાય
અપેક્ષાના વાદળ વર્ષે દેહપર,એ કર્મનીપકડ જે જીવને જકડી જાય
મળેલ દેહને પકડે છે વર્તન,જે જીવનમાં અનેક તકલીફોથી સમજાય
.....અદભુતલીલા અવીનાશીની જગતપર,દેહના વાણી વર્તનથી દેખાય.
થાય કૃપા પરમાત્માની દેહ પર,જ્યાં શ્રધ્ધાભાવથી ભક્તિ પુંજન થાય
જીવનો સંબંધ એજ છે કર્મના બંધન,ધરતી પરના આગમનથી દેખાય
દેહને જકડે માયા અને મોહ અવની પર,નાકોઇ માનવદેહથી છટકાય
સંસ્કાર સાચવી જીવન જીવતા,દેહને પાવન કર્મ પરમાત્મા આપી જાય
.....અદભુતલીલા અવીનાશીની જગતપર,દેહના વાણી વર્તનથી દેખાય.
=====================================================
November 8th 2017
+++++
+++++
. .ભગવાન શંકર
તાઃ૮/૧૧/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિમાર્ગની પવિત્રરાહ મળેજીવને,જ્યાં પરમાત્મા ભોલેનાથની કૃપા થાય
અજબ શક્તિશાળી એદેવની કૃપાએ,જીવનમાં અનંત શાંન્તિય મળી જાય
............ૐ નમઃ શિવાયના સ્મરણથી,પરમકૃપાળુ શંકર ભગવાનની કૃપા થાય.
માતા પાર્વતીના એ જીવનસાથી,ને ગજાનંદ ગણપતિના એ પિતા કહેવાય
પાવન કૃપાળુની કેડી દીધી અવનીપર,જે પવિત્રગંગાનુ આગમન કરી જાય
પરમ શ્રધ્ધાએ પુંજન કરી દુધની અર્ચના કરતા,નાગદેવની પણ કૃપા થાય
ભક્તિપ્રેમ એજ નિર્મળભાવના જીવની,મળેલદેહને સુખશાંન્તિ આપી જાય
........... ૐ નમઃ શિવાયના સ્મરણથી,પરમકૃપાળુ શંકર ભગવાનની કૃપા થાય.
અવનીપર પવિત્રભુમી ભારત છે,જ્યાં હિમાલયપર ભોલેનાથની ક્ર્પા થાય
પરમકૃપાળુ ભોલેનાથને વંદન કરી પ્રાર્થનાએ જીવને પવિત્રરાહ મળી જાય
શ્રધ્ધા ભાવથી શંકર ભગવાનને વંદન કરતા,જીવને મુક્તિમાર્ગ મળી જાય
આવનજાવનનો સંબંધછુટતા અવનીથી,જીવ પરમાત્માને શરણે આવીજાય
.......... ૐ નમઃ શિવાયના સ્મરણથી,પરમકૃપાળુ શંકર ભગવાનની કૃપા થાય.
===============================================================