November 7th 2017

મોહ અને માયા

.           .મોહ અને માયા   

તાઃ૭/૧૧/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવની એજ કૃપા પરમાત્માની,જ્યાં જીવને દેહ મળતા સમજાય
દેહના બંધન એ જીવને સ્પર્શે,જે આવન જાવનથી દેખાઈ જાય
......પરમપ્રેમની ગંગા વહે અવનીએ,જીવને કરેલ કર્મથી સ્પર્શી જાય.
મળેલદેહને બંધન છે કર્મના,જે અનેક દેહ ના આગમનથી દેખાય
પાવનકર્મની કેડી મળે જીવને,જે પવિત્ર ભક્તિ રાહથીજ મેળવાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા પરમાત્માને,ના મોહ કે માયા અથડાય
નિર્મળજીવનનો સંબંધ દેહનેસ્પર્શે,જે મળેલ જન્મ સાર્થક કરી જાય
......પરમપ્રેમની ગંગા વહે અવનીએ,જીવને કરેલ કર્મથી સ્પર્શી જાય.
કુદરતની આઅજબલીલા કહેવાય,જે દેહને આફતલાફટ આપી જાય
જીવને મળેલ દેહને અવનીપરના આગમને,કર્મના બંધન મળી જાય
પવિત્રભાવથી પુંજા કરતા દેહને,સંત શ્રીજલાસાંઈની કૃપા મળી જાય
પાવનરાહે જીવન જીવતા મલેલદેહને,ના મોહ માયા કદીય અડીજાય
......પરમપ્રેમની ગંગા વહે અવનીએ,જીવને કરેલ કર્મથી સ્પર્શી જાય.
=====================================================

 

November 5th 2017

સરળ સમય

.           .સરળ સમય 

તાઃ૫/૧૧/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માનો પ્રેમ મળે અવનીએ,જ્યાં જીવથી સત્કર્મ સચવાય
મળેલ માનવદેહને સરળજીવન મળે,જે પાવનકર્મ કરાવી જાય
....અનેક કર્મના સંબંધ સ્પર્શે દેહને,કૃપાએ સરળ સમય મળી જાય.
કુદરતની કૃપાએ ધર્મભક્તિની નિર્મળકેડીએ,પવિત્રકર્મ થઈ જાય
ના મોહ કે માયા સ્પર્શે જીવને,ત્યાંજ સત્કર્મની રાહ મળી જાય
અંતરથી કરેલ વંદન અવિનાશીને,ઉજવળ જીવનએ આપી જાય
પવિત્રકર્મ એ સત્કર્મની કેડીએ મળે,જે જીવના કર્મબંધન કહેવાય
....અનેક કર્મના સંબંધ સ્પર્શે દેહને,કૃપાએ સરળ સમય મળી જાય.
આજકાલએ સંબંધ સમયનો અવનીએ,ના કોઇ જ દેહથી છટકાય
જીવને જકડે અવનીપર આવનજાવનથી,જે સમયની કેડી કહેવાય
માનવજીવનની મહેંકપ્રસરે અવનીએ,જ્યાં સત્કર્મથી જીવન જીવાય
કળીયુગ સતયુગ એ લીલા પ્રભુની,જે દેહને સ્પર્શથી સમજાઈ જાય
....અનેક કર્મના સંબંધ સ્પર્શે દેહને,કૃપાએ સરળ સમય મળી જાય.
===================================================

 

November 5th 2017

ચીં.દીપલનો જન્મદીવસ

+++++Image result for દીપલ પારેખ,હ્યુસ્ટન+++++

.         .ચી.દીપલનો જન્મદીવસ 

તાઃ૪/૧૧/૨૦૧૭                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રરાહને પકડી ચાલતી દીકરી,દીપલનો જન્મદીવસ ઉજવાય
પાવનપ્રેમની જ્યોત પ્રગટતા,ચીંં.નિશીતકુમારનોસાથ મળી જાય
.......એવી અમારી વ્હાલી દીકરી દીપલને અંતરથી આશિર્વાદ અપાઈ જાય.
આજકાલને સમજી ચાલતા જીવનમાં,વડીલોનો પ્રેમ મળી જાય
સંત જલાસાંઇને શ્રધ્ધાએ વંદન કરતા,પવિત્રકર્મ જીવનમાં થાય
પપ્પા મમ્મીએ આપેલ આશીર્વાદે,જીવનમાં પાવનરાહ મેળવાય
ઉજ્વળ જીવનનીરાહ જોતા,નિશીતકુમારના માતાપિતા હરખાય
.......એવી અમારી વ્હાલી દીકરી દીપલને અંતરથી આશિર્વાદ અપાઈ જાય.
વાણીવર્તન સાચવીજીવતા,જીવનમાં સંબંધીઓનોસાથ મળી જાય
નિર્મળ ભાવનાએ કરેલ કર્મથી,મળેલ જન્મનેએ સાર્થક કરી જાય
મળેલ પવિત્રપ્રેમની ગંગાએ દીપલ,સુખસાગરનો લાભ મેળવીજાય
જન્મ દીવસની જ્યોત પ્રગટે જીવનમાં,અનેક વર્ષોએ જીવી જાય
.......એવી અમારી વ્હાલી દીકરી દીપલને અંતરથી આશિર્વાદ અપાઈ જાય.
==========================================================
.      .અમારી લાડલી દીકરી ચી.દીપલનો આજે જન્મદીવસ છે તે નીમિત્તે આ કાવ્ય
સંત જલાસાંઈની કૃપા સહિત અંતરથી આશિર્વાદ સહિત સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ,રમાના આશિર્વાદ સહિત સપ્રેમ ભેંટ.
 
November 1st 2017

પવિત્ર ગંગા

....
.           .પવિત્ર ગંગા  

તાઃ૧/૧૧/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ દેહ અવનીએ,જે પરમાત્માની કૃપાએજ મેળવાય
કર્મની શીતળરાહે જીવતા દેહપર,પવિત્રગંગાની વર્ષા થઇ જાય
.....મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જે દેહના વર્તનથીજ દેખાય.
કુદરતની એજ પવિત્ર કૃપા જીવ પર,જે પાવનકર્મથીજ સમજાય
વાણી વર્તનનો સંબંધછે દેહને,એ સમયસમયે દેહને સ્પર્શી જાય
માનવજીવનની મહેંકપ્રસરે,જ્યાં જીવનમાં સત્કર્મનો સંબંધ રખાય
નિખાલસ પ્રેમ એ પવિત્રપ્રેમની ગંગા છે,જે નિર્મળ વર્તને દેખાય
.....મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જે દેહના વર્તનથીજ દેખાય.
શ્રી ભોલેનાથની નિર્મળનિખાલસ ભક્તિએ,ગંગાની વર્ષા થઈ જાય
મહેંક પ્રસરે જીવનની અવનીપર,જે માનવજીવન પાવન કરી જાય
શીતળકર્મથી કૃપા મળે પ્રભુની,જે મળેલ દેહને મુક્તિએ લઈ જાય
જીવને આવન જાવનના બંધન ના સ્પર્શે,જ્યાં નિર્મળ ભક્તિ થાય
.....મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જે દેહના વર્તનથીજ દેખાય.
=====================================================

	
October 31st 2017

શીતળતાનો સહવાસ

.                 . શીતળતાનો સહવાસ

તાઃ૩૧/૧૦/૨૦૧૭                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ માનવદેહને અવનીપર,અનેક સંબંધ સ્પર્શી જાય
અદભુતલીલા અવિનાશીની,જે મળેલદેહને અનુભવથી સમજાય
......દેહને શીતળતાનો સહવાસ મળે,જે નિર્મળ ભક્તિએ મેળવાય.
મળેલદેહ એજીવથી થયેલ કર્મથી,અવનીપરના આગમને દેખાય
માનવદેહ મળે જીવને અવનીએ,જે દેહને સમજણ આપી જાય
નિર્મળ ભાવનાએ જીવન જીવતા,ના આશામોહ કદી અડી જાય
શ્રધ્ધા ભાવના એ દેહને સ્પર્શે,જે મળેલ દેહને પાવન કરી જાય
......દેહને શીતળતાનો સહવાસ મળે,જે નિર્મળ ભક્તિએ મેળવાય.
નિમિત બને છે માબાપ અવનીપર,જે સંતાનને દેહ આપી જાય
પાવનરાહને પામવા દેહથીજીવનમાં,કૃપાળુ પરમાત્માની પુંજા થાય 
મળેલ દેહની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં સન્માનનીરાહ મળી જાય
એજ કૃપા સંત જલાસાંઇની જીવનમાં,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
......દેહને શીતળતાનો સહવાસ મળે,જે નિર્મળ ભક્તિએ મેળવાય.
=====================================================
October 30th 2017

નિર્મળપ્રેમની ગંગા

.           .નિર્મળપ્રેમની ગંગા

તાઃ૩૦/૧૦/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કર્મના સંબંધ એ દેહને સ્પર્શે,મળેલદેહના વર્તનથી એ દેખાઇ જાય
પાવનકર્મની કેડી સ્પર્શે દેહને,જે પવિત્રભક્તિએ પ્રભુકૃપા દઈ જાય.
.....જીવને મળેલ દેહપર પરમાત્માની કૃપાએ નિર્મળપ્રેમની ગંગા વર્ષી જાય.
અવનીપરનુ આવન જાવનએ સંબંધ જીવનો,મળેલ દેહથી સમજાય
કર્મનીકેડી એ દેહના વર્તનથી દેખાય,જે માનવજીવનને સ્પર્શી જાય
કુદરતની આ અજબલીલા અવનીએ,મળેલદેહથી જીવને અડી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં પવિત્રપ્રેમ મળતાજ સમજાય
.....જીવને મળેલ દેહપર પરમાત્માની કૃપાએ નિર્મળપ્રેમની ગંગા વર્ષી જાય.
અપેક્ષાને દુર રાખીને જીવન જીવતા,નાકદીય કોઈ મોહ સ્પર્શીજાય
ઉજવળ જીવનની રાહ મળતા દેહને,નિર્મળપ્રેમની ગંગા અડી જાય
ના અગણીતમાયા સ્પર્શે દેહને,કે ના માગણીની રાહ પણ મેળવાય
ઉજ્વળ જીવની રાહમળે જીવનમાં,જ્યાં સંતજલાસાંઇની કૃપા થાય
.....જીવને મળેલ દેહપર પરમાત્માની કૃપાએ નિર્મળપ્રેમની ગંગા વર્ષી જાય.
=======================================================

	
October 29th 2017

વ્હાલા જમાઈનો જન્મદીવસ

Image result for નિશીતકુમાર પારેખ .

.                      .વ્હાલા જમાઈનો જન્મદીવસ

તાઃ૩૦/૧૦/૨૦૧૭                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રેમની કેડી મળી નિશીતકુમારને,પિતા પંકજભાઈ ને માતા નીલાબેનથી
સંત જલાસાંઇની પરમકૃપાએ મારી દીકરી દીપલના એ જીવનસાથી થઈ જાય
………….એવા વ્હાલા જમાઈ નિશીતકુમારના જન્મદીવસને આજે પ્રેમથી ઉજવાય.
કર્મ ધર્મને સમજી ચાલતા પાવનરાહને પકડી,જીવનમાં નિર્મળરાહે જીવી જાય
દીપલને મળીગયો અનંતપ્રેમ જીવનમાં,જે સુખશાંન્તિના વાદળ વરસાવી જાય
જીવનમાં નાકોઇ અપેક્ષા સ્પર્શે તેમને,કે નાકોઇ મોહ માયા પણ સ્પર્શી જાય
એજ કૃપા માબાપની મળી નીશીતકુમારને,સંગે અમારા આશીર્વાદ મળી જાય
…………એવા વ્હાલા જમાઈ નિશીતકુમારના જન્મદીવસને આજે પ્રેમથી ઉજવાય.
અનંત આનંદ મળે ભાઈ રવિને સંગે ભાભી હિમાને પણ મળે દીપલનો પ્રેમ
પરમાત્માની પરમ કૃપાએ મળે પ્રેમ જમાઈનો,જે પ્રદીપરમાને ખુશ કરી જાય
સંસ્કારને સાચવીને જીવન જીવતા,હ્યુસ્ટનમાં એપાવનરાહને મેળવીને હરખાય
જન્મદીવસની પ્રાર્થના સંત જલાસાંઇને,જે મેળવી ઉજ્વળ જીવન પામી જીવે
………….એવા વ્હાલા જમાઈ નિશીતકુમારના જન્મદીવસને આજે પ્રેમથી ઉજવાય.

======================================================
.        .અમારી વ્હાલી દીકરી ચીં.દીપલના જીવનસંગી ચી.શ્રી નિશીતકુમારના જન્મ દીવસની
યાદ રૂપે આ લખાણ તેમને સપ્રેમ ભેંટ.

લી.પ્રદીપ,રમા પરિવારના આશીર્વાદ સહિત જય જલારામ,જય સ્વામીનારાયણ.

October 26th 2017

વિરપુરવાસી

…….Image result for જલારામ બાપા

. ………………વિરપુરવાસી

તાઃ૨૭/૧/૨૦૧૭ (કારતક સુદ ૭) પ્ર્દીપ બ્રહ્મભટ્ટ

વિરપુરવાસી નિર્મળ ભક્તિના સંગાથી,જગતમાં જલારામની નામના થાય
એવા રાજબાઈમાતાના સંતાન,પિતા પ્રધાનના એલાડલા સંતાન કહેવાય
….રામનામની માળાનો સંગ,એવા સંત જલારામનો આજે જન્મ દીવસ ઉજવાય.
અવનીપરના આગમનને ઉજ્વળ કરતાં,જગતમાં વિરપુરના સંત થઈજાય
અનેક જીવોને ભોજન આપતા પ્રેમથી,પરમાત્માનો અનંતપ્રેમ મળી જાય
પત્ની વિરબાઈની પવિત્રકેડી,મળેલ માબાપના સંસ્કારથી જીવન જીવાય
પરમાત્માની પરિક્ષાને સન્માનતા,ઝંડોઝોળી આપી પરમાત્મા ભાગી જાય
….એવા વિરબાઈ માતાના પતિદેવ શ્રી જલારામનો આજે જન્મ દીવસ ઉજવાય.
મનથી કરેલકર્મ જીવનમાં સાચીભક્તિએ,અન્નદાનની આંગળી ચીંધી જાય
અનેક જીવોને ભોજન આપતા જીવનમાં,પરમાત્માનો અનંતપ્રેમ મેળવા ય
નાકદી કોઇઅપેક્ષા જીવનમાં રાખી,કે નાકોઇજ મોહ જીવનમાં અડી જાય
એવા વ્હાલા નિખાલસ જીવન જીવેલ સંત જલારામનો આજે જન્મ દીવસ ઉજવાય.
===============================================================
…. પરમપુજ્ય સંત શ્રી જલારામનો આજે જન્મદીસ છે તે નિમીત્તે તેમના પરિવારને
પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ ભેંટ.

October 25th 2017

પ્રેમની પ્રીત

.             .પ્રેમની પ્રીત   

તાઃ૨૫/૧૦/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળપ્રેમની વર્ષાએ અનંત આનંદ મળતા મારૂ મન મહેંકી જાય
કુદરતની અજબકૃપા મળે,જ્યાં હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ મળી જાય
….એજ કૃપા મા સરસ્વતીની મળે,જે કલમ પકડતા કાગળને સ્પર્શી જાય.
વ્હાલા નિખાલસ પ્રેમીઓ મળીગયા,પવિત્રરાહે આંગળી ચીંધીજાય
એક બેને સમજી પકડતા જીવનમાં,ઉજ્વળપ્રેમની વર્ષા થઈ જાય
દીલ દીમાગને ના સ્પર્શે કોઇ માયા,નિર્મળપ્રેમની પ્રીત મળી જાય
અજબદેખાવની આદુનીયાને,પ્રેમની પાવનકેડીએ દુર ભગાડી જાય
….એજ કૃપા મા સરસ્વતીની મળે,જે કલમ પકડતા કાગળને સ્પર્શી જાય.
માન અભિમાન ના સ્પર્શે જીવનમાં,જ્યાં નિર્મળપ્રેમની વર્ષા થાય
કલમની પવિત્રકેડીએ ચાલતા,જીવને પવિત્ર ભક્તિમાર્ગ મળી જાય
આવી આંગણે મિત્રોનોપ્રેમ મળે,જે જીવને અનંતશાંંતિ આપીજાય
પ્રગટે પ્રેમની જ્યોત જીવનમાં,સુખ સાગરના વાદળ વર્ષાવી જાય
….એજ કૃપા મા સરસ્વતીની મળે,જે કલમ પકડતા કાગળને સ્પર્શી જાય.
=========================================================

October 24th 2017

ભાઈબીજ

. …………….ભાઈબીજ

તાઃ૨૪/૧૦/૨૦૧૭ …………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુંટુંબની કેડી એ સંબંધ દેહનો,જે માબાપની કૃપા એ મેળવાય
મળે દેહ સંતાનનો જીવને,જે જગતપરના આગમનથી સમજાય
…..પતિપત્નીનો સંગાથ સાચવતા જીવનમા,કુટુબનીકેડી ચાલતી થાય.
મળેલ દેહ સંતાનનો અવનીએ,જેને પુત્ર પુત્રીનો સંબંધ કહેવાય
પવિત્રરાહનો સંગમળે માબાપનીકૃપાએ,નિર્મળભાવનાઆપી જાય
પ્રેમથી વંદન કરતા સંતાનને,આશીર્વાદની વર્ષાએ રાહ મળીજાય
મનથી કરેલ સત્કર્મ જીવનમાં,ઉજ્વળ રાહની કેડીએ લઈ જાય
…..પતિપત્નીનો સંગાથ સાચવતા જીવનમા,કુટુંબનીકેડી ચાલતી થાય.
પુત્રીનો દેહ મળે જીવને કૃપાએ,જે કુટુંબને સત્માર્ગ આપી જાય
ભક્તિરાહને પવિત્રરાખીને જીવતા,મળેલદેહને સુખશાંન્તિદઈજાય
મળેલદેહને સત્માર્ગે રાખતા,ઉજ્વળ કુળનીરાહ કૃપાએ મળીજાય
મળેલમાબાપના આશિર્વાદેદીકરી,પાવનરાહે કુટુંબઆગળ લઈજાય
…..પતિપત્નીનો સંગાથ સાચવતા જીવનમા,કુટુબનીકેડી ચાલતી થાય.

=======================================================

« Previous PageNext Page »