May 10th 2017

ચી.દીપલનો લગ્નદીવસ

..Image result for ચી.દીપલ..
.       .ચી.દીપલનો લગ્નદીવસ    

તાઃ૧૦/૫/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માએ પકડી કેડી દીપલની,ત્યાં પાવનકર્મ જીવનમાં થાય
સાથ મળ્યો ચીંં નિશીતકુમારનો,ત્યાં કુટુંબનીકેડી પકડાઇ જાય
.....લગ્નદીવસની પવિત્ર યાદે,વડીલને વંદનકરે આશિર્વાદ મળી જાય.
સરળ જીવનની રાહે ચાલતા,જીવનમાં ના કોઇ અપેક્ષા રખાય
પરમાત્માના પ્રેમની રાહે જીવતા,સુખશાંંન્તિની કૃપા મળી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરે છે,માતાને અમારા પ્રેમથી વંદન થાય
માડી તારી કૃપાની કેડીની જ્યોત પ્રગટે,તો જીવને શાંંન્તિ થાય
.....લગ્નદીવસની પવિત્ર યાદે,વડીલને વંદનકરે આશિર્વાદ મળી જાય.
સંત જલાસાંઇને વંદન કરે પ્રેમથી,જીવનુ કળીયુગથી રક્ષણ થાય
કુળદેવી મા કાળકાની પુંજા કરતા,જીવને ઉજ્વળરાહ મળી જાય
અંતરથી આશિર્વાદ પ્રદીપરમાના,દીકરીદીપલનુ કુળ ઉજ્વળ થાય
મળેકૃપા પરમાત્માની જીવનમાં,જે સંતાનનુ સુખ પણ આપી જાય
.....લગ્નદીવસની પવિત્ર યાદે,વડીલને વંદનકરે આશિર્વાદ મળી જાય.
=========================================================
      વ્હાલી દીકરી ચીં દીપલનો આજે લગ્નદીવસ છે.તે નિમિત્તે જમાઈ
શ્રી નિશીતકુમારને દીપલ સહિત લગ્નદીવસની શુભેચ્છા સહિત મમ્મી,પપ્પા,
ભાઈ રવિના જય જલાસાંઇરામ.

	
May 8th 2017

વડીલની લાયકાત

.        .વડીલની લાયકાત 

તાઃ૮/૫/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જન્મ મળે જીવને અવનીએ.ત્યાં સંબંધનો સંગાથ મળી જાય
મળેલ સંસ્કારને પકડી ચાલતા,મળેલદેહની લાયકાત સમજાય
......વંદન કરતા વડીલને,મળેલ આશિર્વાદથી ઉજ્વળ જીવન થાય.
વડીલને બંધન ઉંમરના જીવનમાં,અનુભવનીઆંગળી પકડી જાય
માનવતાની મહેંક પ્રસરે સંસારમાં,જે જોતા ધણાને પ્રેરણા થાય
પગે લાગીને આશીર્વાદ મેળવતાજ,પરમાત્માની કૃપા અનુભવાય
માગણી મોહના બંધનને છોડી જીવતા,વડીલને પાવન કહેવાય
......વંદન કરતા વડીલને,મળેલ આશિર્વાદથી ઉજ્વળ જીવન થાય.
શબ્દની શીતળકેડી પકડી ચાલતા,અનેકનો નિર્મળપ્રેમ અડી જાય
શ્રધ્ધા રાખીને વડીલને મળતા,પ્રેમથી પાવન રાહ પણ મળી જાય
અંતરથી મળે આશીર્વાદ વડીલના,જીવને મુક્તિમાર્ગે જ દોરી જાય
ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,ના કોઇ ચિંતા કે મોહ અડી જાય
......વંદન કરતા વડીલને,મળેલ આશિર્વાદથી ઉજ્વળ જીવન થાય.
===================================================

	
May 7th 2017

મા કૃપા

.          .મા કૃપા
તાઃ૭/૫/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માડી તારી પરમકૃપા થઈ,ત્યાં જીવને અનંત શાંંન્તિ મળી ગઈ
પાવનરાહની કેડી મળતા,મળેલ દેહ પર પવિત્રપ્રેમની વર્ષા થઈ
......શ્રધ્ધા રાખી પ્રેમથી કાળકામાની પુંજા કરતા મા કૃપા થઈ જાય.
અજબશક્તિ શાળી માતા છે,જેને મારી કુળદેવી પણ કહેવાય
સતત સ્મરણ ૐ ક્રીં કાલિયે નમઃકરતા,ભક્તિજ્યોત પ્રગટી ગઈ
મનને મળે શાંંન્તિ ને નારહે કોઇ અપેક્ષા,જીવનસરળ થઈ જાય
ચરણે સ્પર્શી માતાને વંદનકરતા,ઉજ્વળ કુળનો સાથ મળી જાય
......શ્રધ્ધા રાખી પ્રેમથી કાળકામાની પુંજા કરતા મા કૃપા થઈ જાય.
કર્મના બંધન એ જીવને જકડે,અવનીના આગમનથી અનુભવાય
પવિત્રપ્રેમથી ભક્તિ પુંજા કરતા,માડીના દર્શન જીવને થઈ જાય
આંગણે આવી માડી દર્શન દઇ જાય,જે પવિત્રરાહ આપી જાય
આરતી દીવો શ્રધ્ધાએ કરતા,મા કૃપાએ જીવન સરળ થઈ જાય
......શ્રધ્ધા રાખી પ્રેમથી કાળકામાની પુંજા કરતા મા કૃપા થઈ જાય.
=====================================================
May 6th 2017

મળે શાંંતિ

.           .મળે શાંન્તિ 

તાઃ૬/૫/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળે શાંંન્તિ જીવનમાં,એ દેહની પાવન રાહ કહેવાય
અપેક્ષાને દુર રાખીને જીવતા,પરમાત્માનો પ્રેમ પણ મેળવાય
...અજબકેડી પરમાત્માની જગતપર,જીવને દેહ મળતાજ સંબંધે મળી જાય.
સુખ શાંન્તિ એ જીવને દેહ મળતા,કર્મના બંધનથી સમજાય
મળેલ દેહ અવનીએ જીવને,જે દેહ મળતા જ જોઇ  લેવાય
કુદરતની સાંકળથી જગતમાં,અનુભવનો ભંડારપણ મળી જાય
મળે નિખાલસ પ્રેમ દેહને,એ જીવનાજ પ્રેમના બંધન કહેવાય
...અજબકેડી પરમાત્માની જગતપર,જીવને દેહ મળતાજ સંબંધે મળી જાય.
પ્રસરે માનવતાની મહેંક અવનીએ,જ્યાં પવિત્ર રાહથી જીવાય
મળેમનને શાંંન્તિ જીવનમાં,જેપરમાત્માની પાવન કૃપા કહેવાય
કરેલ કર્મના બંધનજ સ્પર્શે જીવને,જે મળેલ દેહથી અનુભવાય
ના માગણી કે ના અપેક્ષા રહે જીવની,જે નિર્મળતાએજ દેખાય
...અજબકેડી પરમાત્માની જગતપર,જીવને દેહ મળતાજ સંબંધે મળી જાય.
=======================================================
May 5th 2017

ગેરલાભ

.           .ગેરલાભ
તાઃ૫/૫/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર જીવનની કેડી પકડી ચાલતા,જલાસાંઈની કૃપા થાય
મળેલ દેહની માનવતા પ્રસરે,જ્યાં પાવનકર્મનો સંબંધ થાય
.....નિર્મળ જીવનમાં સંગાથ મળે પ્રેમથી,ના કોઇ ગેરલાભ લઈ જાય.
શીતળતાનો સંગ મળે જીવનમાં,જે અનંત પ્રેમ આપી જાય
મળેલ દેહની પાવનરાહ જોઇ,પરમાત્માનીય કૃપા થઈ જાય
સફળતાનો સહવાસમળતા,અનેક કાર્યોમાં સફળતામળી જાય
જીવને મળે દેહને અવનીએ,સુખસાગરની વર્ષા મળતી જાય
.....નિર્મળ જીવનમાં સંગાથ મળે પ્રેમથી,ના કોઇ ગેરલાભ લઈ જાય.
કર્મના બંધન એ સ્પર્શે જીવને,જે જન્મ મળતા દેખાઈ જાય
અવનીના બંધનછે દેહના,એજ અવિનાશીની લીલા કહેવાય
નિર્મળ ભક્તિ મનથી કરતા,દેહને નાકોઇ ગેરલાભ દઈ જાય
સત્કર્મની પાવનરાહે ચાલતા,પરમાત્મા આફતથી દુર લઈજાય
.....નિર્મળ જીવનમાં સંગાથ મળે પ્રેમથી,ના કોઇ ગેરલાભ લઈ જાય.
====================================================
May 4th 2017

જીવનની મહેંક

.           .જીવનની મહેંક  

તાઃ૪/૫/૨૦૧૭                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની આ પવિત્રકેડી જગતમાં,જીવને મળેલ દેહને એસ્પર્શી જાય
અજબશક્તિશાળી પરમાત્મા છે,જીવને કર્મનાબંધનથી સમજાઈ જાય
......તન મનને સમયજ સ્પર્શે,જે અનેક યુગોથી અવનીએ અનુભવ થાય.
અવની એજ સ્થળછે જગતમાં,જ્યાં સમય સમયે જીવનેદેહ મળી જાય
કર્મની સાંકળ છે ઉત્તમ જગતમાં,જે જીવને મળેલ દેહથી દેખાઇ જાય
પાવનકર્મએ જીવનો સંગ છે,દેહથી થયેલ શ્રધ્ધાભક્તિ પુંજનથી દેખાય
જ્યાં મોહમાયાના બંધન છુટે દેહથી,જીવ પ્રભુકૃપાએ મુક્તિમાર્ગે દોરાય
......તન મનને સમયજ સ્પર્શે,જે અનેક યુગોથી અવનીએ અનુભવ થાય.
મોહમાયા તો સૌનેસ્પર્શે જીવનમાં,પણ સંત જલાસાંઇની પુંજાયે બચાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા,પાવનરાહ પવિત્રસંતની કૃપાએજ મેળવાય
કુટુંબની કેડી એતો સૌને સ્પર્શે,જે માબાપના પ્રેમથી આવન થઈ જાય
માનવજીવનની મહેંક પ્રસરે જગતમાં,જ્યાં પવિત્રકર્મનોસંગ રાખી જીવાય
......તન મનને સમયજ સ્પર્શે,જે અનેક યુગોથી અવનીએ અનુભવ થાય.
=======================================================
May 3rd 2017

સમયનો સંગ

.        .સમયનો સંગ 

તાઃ૩/૫/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનેક સંગનો સાથ મળે છે જીવને,જે દેહને સ્પર્શી જાય
અગમનિગમ લીલા છે અવીનાશીની,અનુભવથી સમજાય
......જીવનમાં સમયને સમજી ચાલતો માનવી,પાવનકર્મ કરી જાય.
મળે દેહ અવનીએ જીવને,ત્યાંજ સમયનો સંગ મળી જાય
ઉંમર એજ પ્રથમ સંગ છે સમયનો,ના કોઇથી દુર જવાય
સમયને પકડી ચાલવા જીવનમાં,નિખાલસતાએ જ જીવાય
મળે માનવતાનોસંગ સાથીઓનો,જે જીવને પ્રેમ દઈ જાય
......જીવનમાં સમયને સમજી ચાલતો માનવી,પાવનકર્મ કરી જાય.
જુવાનીમાં નાજકડે કોઇદેહને,જ્યાં મનમક્કમ રાખી જીવાય
સફળતાનો સંગાથ મળે જીવનમાં,ના કોઇ આફત અથડાય
ભક્તિભાવથી માળાકરતા,જલાસાંઇના આશીર્વાદ મળી જાય
કલમની નિર્મળકેડી પકડતા,માતાનીકૃપાયે લેખો લખાઈ જાય
......જીવનમાં સમયને સમજી ચાલતો માનવી,પાવનકર્મ કરી જાય.
===================================================
May 1st 2017

ભારતની શાન

 
.           .ભારતની શાન        
             (ગુજરાત દીન)
તાઃ૧/૫/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રભુમી ભારત છે જગતમાં,જે અજબ શક્તિશાળી સંતાન દઈ જાય
ગુજરાત રાજ્ય એ શાન છે દેશની,દુનીયામાં ગુજરાતીઓને માન દેવાય
......જ્યાં જ્યાં વસે ગુજરાતી,ત્યાં ત્યાં ગુજરાત દીને દેશને પ્રેમથી વંદન થાય.
અનેક ગુણનો સાથ લઈ ગુજરાતીઓ,જગતમાં પ્રેમથી મહેનત કરી જાય
શ્રધ્ધા રાખી જીવનનીકેડી પકડી ચાલતા,માન અને સન્માનની વર્ષા થાય
મોહ અને માયાનાવાદળ સ્પર્શે જગતમાં,ના ગુજરાતી કોઇ તેમાં અથડાય
મનથી કરતાકામ જીવનમાં,એજ દુનીયામાં ગુજરાતનુ ગૌરવ પણ કહેવાય
......જ્યાં જ્યાં વસે ગુજરાતી,ત્યાં ત્યાં ગુજરાત દીને દેશને પ્રેમથી વંદન થાય.
જન્મ મળે જીવને અવનીએ કર્મબંધન કહેવાય,એ સમજણથી જ સમજાય
ગુજરાત રાજ્ય એ શાન છે ભારતની,અનેક શક્તિશાળી દેશપ્રેમી દઈજાય
જન્મ લીધો ગુજરાતમાં એ શુરવીરોએ,જે ભારતને ઉજ્વળરાહ આપી જાય
સંતજલાસાંઇની કૃપા થઈ પ્રદીપપર,જે ગુજરાતી પાવનકર્મ અહીં કરી જાય
......જ્યાં જ્યાં વસે ગુજરાતી,ત્યાં ત્યાં ગુજરાત દીને દેશને પ્રેમથી વંદન થાય.
===========================================================

	
April 30th 2017

માગણીની માયા

.          .માગણીની માયા

તાઃ૩૦/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની કેડી છે નિરાળી,જીવનમાં અનેક રીતે એ સ્પર્શી જાય
અનુભવની અદભુત છે કેડી,જે માનવજીવનમાં અનેકરીતે દેખાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
ભણતર એ નિર્મળકેડી છે,જે શ્રધ્ધાએ સમજીને જીવનમાં ચલાય
મળે કૃપા માસરસ્વતીની,અનેક સંબંધીઓનો પ્રેમ પણમળી જાય
ના અપેક્ષા કોઇ જીવનને સ્પર્શે,એજ પવિત્રરાહની કૃપા કહેવાય
નિર્મળ રાહનો સંગ મળેલ જીવનમાં,જે પાવનકર્મ જ કરાઈ જાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
મળે પ્રેમ માબાપનો સંતાનને,જ્યાં નિર્મળભાવે વંદન કરી જવાય
આશીર્વાદની એક જ કૃપાએ,મળેલ જન્મને પાવન એ કરી જાય
અંતરથી કરેલ સેવા જગતમાં,જીવપર જલાસાંઇની કૃપા થઈ જાય
ભક્તિમાર્ગ એ શ્રધ્ધાએ કરેલ કર્મ છે,જે જીવને અનુભવે સમજાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
======================================================

	
April 30th 2017

કીર્તન

Image result for ભક્તિગીત
             .કીર્તન   

તાઃ૩૦/૪/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ

કીર્તન એ રતન છે જીવનુ,જીવનમાં સુખસાગર દઈ જાય
કૃપાળુ પ્રેમની થાય વર્ષા,મળેલ માનવજીવન મહેંકી જાય.
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
નિર્મળ જીવનનો સંગ થઇ જાય,ના મોહમાયા સ્પર્શી જાય
એજ પાવનરાહ છે જીવનમાં,ભક્તિભાવ કીર્તનથી મેળવાય
મનથી કરેલ નિર્મળભક્તિ,જીવને મળેલદેહ સાર્થક કરીજાય
નામાગણી કળીયુગમાં કોઇ,કે ના અપેક્ષાના વાદળ ઘેરાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
જલારામની જ્યોત પ્રગટી,જ્યાં અનેક જીવોને ભોજન દેવાય
વિરબાઈમાની પવિત્ર રાહ હતી,જ્યાં પરમાત્માય ભાગી જાય
સંત સાંઈબાબાની જ્યોતપ્રગટી,જ્યાં માનવજીવન સ્પર્શીજાય
ભેદભાવને છોડીને જીવતા અવનીએ,જન્મ સાર્થક થઈ જાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
==================================================

« Previous PageNext Page »