June 24th 2015

દુર્ગાષ્ટમી

Ma Durgastami

 

 

 

 

 

 

 

 

 

.

.

.                    .દુર્ગાષ્ટમી

તાઃ૨૪/૬/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા દર્શન કરતાં,મને અનંત આનંદ મળી જાય
દુર્ગામાની કૃપા મળતી,જ્યાં માતાના દર્શન પ્રેમે થાય
………..એવો આજે પવિત્ર દીવસ છે,જે દુર્ગાષ્ટમી કહેવાય.
શ્રધ્ધા રાખી વંદન કરતા,માતાની અનંત પ્રેરણા થાય સુખશાંન્તિના દ્વાર ખુલે,પ્રદીપને પાવનરાહ મળી જાય ૐ રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા,સ્મરણ પ્રેમથી થઈજાય મળે જીવને શાંન્તિ અનેરી,જે માતાની કૃપા જ કહેવાય
………..એવો આજે પવિત્ર દીવસ છે,જે દુર્ગાષ્ટમી કહેવાય.
ભક્તિમાર્ગને પકડી ચાલતા,જીવોનુ મા રક્ષણ કરી જાય
ના અપેક્ષાની કોઇ આશા રહે,જ્યાં માતાના  દર્શન થાય
અનંત શાંન્તિ સ્પર્શે દેહને,જીવને મુક્તિ માર્ગે દોરી જાય
પવિત્ર ધર્મની સાચી રાહે,માતાનુ મંદીર પણ મળી જાય
………..એવો આજે પવિત્ર દીવસ છે,જે દુર્ગાષ્ટમી કહેવાય.

************************************************        આજે દુર્ગાષ્ટમીના પવિત્રદીવસે માતા દુર્ગાને લાખો વંદન સહિત
પ્રણામ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના પરિવાર સહિત માદુર્ગાને વંદન.

June 24th 2015

જીવનીકેડી

.              . જીવનીકેડી

તાઃ૨૪/૬/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળે અવનીએ જીવને,કર્મની કેડીએ બંધાય
આવન જાવન જકડે જીવને,ના કોઇથીય છટકાય
………એજ લીલા જગતપિતાની,ના માનવીને સમજાય.
દેહ મળતા જીવને ધરતીપર,સંબંધો જકડી જાય
કરેલ કર્મ એજ કેડી જીવની,જે અનુભવે સમજાય
આજકાલ ના અંબાય કોઇથી,કે ના કોઇથી છુટાય
મળે માયાને મોહ દેહને,જે કળીયુગમાં અડી જાય
………એજ લીલા જગતપિતાની,ના માનવીને સમજાય.
મળેલ માનવદેહ  જીવને,સાચીભક્તિએ સચજાય
નિર્મળ જીવન રાખી જીવતા,ના આફતો અથડાય
આવીઆંગણે પ્રભુકૃપામળે,જ્યાં જલાસાંઇ ભજાય
નાકોઇ કળીયુગની ચાદર અડે,નામાયા અડીજાય
………એજ લીલા જગતપિતાની,ના માનવીને સમજાય.

+++++++++++++++++++++++++++++++++++++++++

June 23rd 2015

સવાર મળી

.                     . સવાર મળી

તાઃ૨૩/૬/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિશાળી  સુર્યદેવનું, આગમન સવાર આપી જાય
પ્રત્યક્ષ દેવનું દર્શન કરતા,જગતના જીવોને સુખ મળી જાય
…………એજ સાચી શક્તિ છે,જે અવનીએ જીવોને રાહ સાચી દઈ જાય.
પ્રભાતપહોરે સુર્યદેવને અર્ચના કરતાં,જીવન ઉજ્વળ થાય
મળે પ્રેમ જીવોને પરમાત્માનો,જે  દેહને શાંન્તિ આપી જાય
ના અપેક્ષા ના માગણી રહેતાં,કળીયુગની  કાતર છુટી જાય
શાન્તિનાવાદળ વરસતા જીવનમાં,નાઆફત કોઈઅથડાય
…………એજ સાચી શક્તિ છે,જે અવનીએ જીવોને રાહ સાચી દઈ જાય.
જલાસાંઇની સાચી રાહે,સંસારી જીવને ભક્તિરાહ મળી જાય
નિર્મળતાનો સંગ રાખી જીવતા,પરમાત્માની કૃપા થઈ જાય
પ્રભાતપારખે ત્યાં સંધ્યામળે,ત્યાં જીવનમાં પ્રેમ પ્રસરી જાય
અજબ કૃપા છે અવીનાશીની,જે દેહ મળતા જીવને સમજાય
…………એજ સાચી શક્તિ છે,જે અવનીએ જીવોને રાહ સાચી દઈ જાય.

========================================

June 19th 2015

લાગણીઓ

.                 .લાગણીઓ

તાઃ૧૯/૬/૨૦૧૫              પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી એ ના માગણી મારી,ના અપેક્ષા કોઇ રખાય
મળે જીવનમાં અનંતપ્રેમ,જે કલમની કેડીએ દેખાય
…………નાના હાહાની  ચટકી ચોંટે,એજ જીવને જકડી જાય.
પરમપ્રેમ પરમાત્માનો,સાચી ભક્તિ એજ મળી જાય
શરણ પ્રેમથી જલાસાંઇનુ લેતા,મોહમાયા છુટી જાય
કલમનીકેડી પેમથી પકડતા,કલમપ્રેમીઓ મળી જાય
અંતરમાં આનંદ અનેરો થતાં,ખોટી લાગણીભાગી જાય
…………નાના હાહાની  ચટકી ચોંટે,એજ જીવને જકડી જાય. મળ્યોપ્રેમ મને હ્યુસ્ટનમાં,માસરસ્વતીની કૃપા કહેવાય કલમનીકેડી જ્યાંજકડે જીવને,ત્યાંજ કલમ પકડાઇ જાય
નિર્મળતાના વાદળ વરસે.ત્યાં જ અભિમાન  ભાગી જાય
આવી પ્રેમ મને મળે છે,જે સાચા કલમપ્રેમીઓ દોરીજાય
…………નાના હાહાની  ચટકી ચોંટે,એજ જીવને જકડી જાય. ====================================

June 18th 2015

જલાસાંઇ જ્યોત

saijala

 

.

.

.

.

.

.

.

.                 .જલાસાંઇ જ્યોત

તાઃ૧૮/૬/૨૦૧૫                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં માનવતા સચવાય
જલાસાંઇની જ્યોત જીવને,અનંત આનંદ આપી જાય
………..શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય.
જલારામની નિર્મળ ભક્તિ,જીવને ભક્તિરાહ દઈ જાય
વિરબાઈ માતાની પ્રેમ જ્યોતે,પરમાત્મા  ભાગી  જાય
ઝોળી દંડો આપીને ભાગતા,સાચી માનવતા સમજાય
મુક્તિમાર્ગની આંગળી ચીંધતા,જીવોને રાહ મળી જાય
………..શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય.
અવનીપરનુ આગમન સાંઈનુ,નાકોઇ જીવથી બતાવાય
માનવતા મહેંકાવી જીવતા,જીવોને સાચીરાહ આપી જાય
જ્યોતપ્રેમની પ્રગટે જીવનમાં,અનંત શાંન્તિ  આપી જાય
વિદાયલીધી અવનીથી, દેહ જમીનમાં વિલીન થઈ જાય
………..શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય.

======================================

June 16th 2015

પિતાની રાહ ફાધર ડૅ

 .                          પિતાની રાહ         ફાધર ડૅ                           

તાઃ૧૬/૬/૨૦૧૫                                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

.           .ચંદુભાઈ આજે મંદીરથી પાછા આવતા હતા.ત્યારે તેમના હાથમાં લાકડી છતાંય અપંગતા લાગતી હતી. મગજમાં વિચાર ચાલતો હતો કે હવે પત્નિ સવિતાનો સંગાથ નથી એટલે તેના અવસાન બાદ તેમને ઘણી વખત તે યાદ આવતી.આજે તેમને એવુ સંભળાયુ કે હવે તમે એકલા શા માટે જીવી રહ્યા છો. પરમાત્માને પ્રાર્થના કરો કે જીવને હવે દેહથી મુક્તિ આપે.એવુ સવિતાબેન બોલી રહ્યા છે.આ વાક્ય સાંભળ્યા બાદ મનમાં ભુતકાળ યાદ આવ્યો.

.            .આજથી ચાલીશ વર્ષ પહેલા તેમના નાના ભાઈએ તેમના માટે એપ્લાય કરેલ એટલે તે તથા તેમના પત્નિ સવિતાબેન પુત્ર કિંજલ અને દીકરી દિશા સાથે અમેરીકા આવ્યા.અમેરીકા આવ્યા બાદ તેઓ હ્યુસ્ટન આવ્યા કારણ અહીંનુ વાતાવરણ ભારતના જેવું એટલે કે બહુ ગરમી કે ઠંડી પડે નહીં. ચંદુભાઈએ નોકરી માટે ઘણા પ્રયત્ન કર્યા પણ ભારતીય હોવાથી કોઇ સફળતા ના મળી કારણ તેમને ખબર પડી કે એક ભારતીય સાચી મહેનતથી કામ કરે તેને ટાય કે કોટની જરૂર નથી તે પાંચ અમેરીકનનુ કામ એકલો શ્રધ્ધાથી કરી શકે.અંતે  એક મોટા ગ્રોસરી સ્ટોરમાં કસ્ટમરને મદદ કરવાની નોકરી મળી.સમય તો કોઇથી પકડાયતો નથી. પાંચ વર્ષ થઈ ગયા બંન્ને બાળકો ભણતરને મહત્વ આપી મહેનત કરી ભણી રહ્યા હતા.દીકરો અને દીકરી સારા માર્ક્સે આગળ વધી રહ્યા હતા.સવિતાબેનને ખાવા કરવાની નોકરી એક ભારતીય હૉટલમાં મળી હતી તેઓ પણ મહેનત કરી પતિને સાથ આપતા હતા.

.            .સમયની સીડી તો સૌએ ધીમે ધીમે જ ચડવી પડે ઉતાવળ કરીએ તો પડી જવાય અને આફતના વાદળ વરસતા જીવને ભટકાવાનુ શરૂ થાય અમેરીકામાં તો સમય પ્રમાણે પ્રસંગો આવે અને તે પ્રમાણે સૌ સાથે ચાલે.મને તો અહીંના પ્રસંગોમાં બહુ સમજ ના પડે કારણ આપણા હિંન્દુ ધર્મમાં તો તહેવાર પ્રમાણે આપણે ઉજવણી કરીયે અને તે પણ કુટુંબમાં સાથે રહીને.એક વખત એવુ થયુ કે મેં એક નવુ મકાન રાખ્યુ તો તેની જાણ એક ઘરડા અમેરીકન માજી કે જેમના પતિનુ અવસાન થયેલ એટલે ઘરડાઘરમાં ત્રીજે માળે રહેતા હતા અને તે જ્યારે સ્ટોરમાં આવે ત્યારે તેમને હું ઘણી મદદ કરુ અને કોઇક વખત તેમના રહેઠાણે મુકી આવું.તેમને મારા નવા મકાનની જાણ થઈ.તો તે તેમની ચર્ચમાંથી મારા માટે પવિત્ર ફોટો લાવ્યા હતા તો તે મારે ઘેર આવી મને ભેંટ આપવાની ઇચ્છા હતી તો એક દિવસ સ્ટોરમાં આવી તેમને મદદકરી તેમનો માલ તેમની ગાડીમાં મુકવા ગયો ત્યારે કહે.આવતી કાલે ફાધર ડે છે તો તુ મને ઘરડા ઘરથી લઈ જઈ તારુ નવું ઘર બતાવીશ. મેં કહ્યુ હું કાલે સવારે આવી તમને ઘેર લાવીશ.

.            .બીજે દીવસે સવારે સાડા આઠ વાગે તેમને લેવા ગયો.તે ત્રીજા માળેથી નીચે આવી ગયા હતા. અને સામે બોકડા પર એક ઘરડા ભારતીય પતિ પત્નિ બેઠા હતા તેઓ કોઇકની રાહ જોતા હતા. હું જેને લેવા આવ્યો હતો તેમને લઈ મારા ઘેર આવ્યો.તેઓ મારા ઘરમાં પ્રવેશતા અંગ્રેજીમાં જીસસને પ્રાર્થના કરતા ઘરમાં પ્રવેશ્યા ને ત્યારબાદ ખુરશીમાં બેસતા પહેલા મને મારી પત્નિને તેઓ લાવેલ પવિત્ર ફોટો હાથમાં ભેંટ આપ્યો.ત્યાર બાદ ચા નાસ્તો લીધા બાદ.તેઓને પાછા મુકવા માટે અગીયાર વાગે હું ઘરડાઘરે ગયો તો પેલા માબાપ હજુ તેમના દીકરાની રાહ જોતા બેઠા હતા.મે તેમને પુછ્યુ તમે તો સાડા આઠથી રાહ જુઓ છો.તો પેલા પિતા કહે મારો દીકરો ડૉકટર છે એટલે તે થોડા કામમાં હશે આજે ફાધર ડે છે એટલે તેનો ફોન આવ્યો હતો કે હું તમને લેવા આવીશ અને આપણે કૅક કાપીશુ તો તમે તૈયાર રહેજો એટલે અમે રાહ જોઇએ છીએ.

.            .ત્યારે મને મનમાં ઘણોજ ઉંડો વિચાર આવ્યો કે આ દેશમાં માબાપ ને પ્રેમ આપવાનો એએકજ દીવસ છે જે ફાધર ડે અને મધર ડે કહેવાય બાકી માબાપ કેવી રીતે જીવી રહ્યા છે તેની સંતાનને કોઇ ચિંતા નથી.આજ અમેરીકન હવા અને માબાપને સલામ.

=========================================================

June 14th 2015

પ્રેમાળ ગંગા

.                    .પ્રેમાળ ગંગા

તાઃ૧૪/૬/૨૦૧૫                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમની ગંગા વહેતા,જીવનમાં સુખ શાંન્તિ મળી જાય
અનંતશાંન્તિ પ્રેમથી મળતા,કળીયુગી મોહમાયા ભાગી જાય
………..એ કૃપા જલાસાંઇની મળતા, આ જીવન પાવન થઈ જાય.
કુદરતની આ છે અસીમલીલા,ના માનવ જીવનમાં સમજાય
પ્રેમની ગંગા  જીવનમાં સ્પર્શે,જ્યાં નિખાલસ પ્રેમ મળી જાય કલમની ઉજ્વળકેડી મળતા,શ્રધ્ધાએ માતાનીકૃપા થઈજાય
ના સ્પર્શે અભિમાન જીવનમાં,એ જ સાચી રાહ મળી કહેવાય
………….એ કૃપા જલાસાંઇની મળતા, આ જીવન પાવન થઈ જાય. માન અપમાનને નેવે મુકતા,જીવથી  નિર્મળરાહને મેળવાય
ભક્તિ પ્રેમની નિર્મળ જ્યોતે,કલમની ઉજ્વળ કેડી મળી જાય
આવી નિર્મળ પ્રેમ મળે જીવનમાં,જે અનંત શાંન્તિ આપી જાય
પ્રેમની ગંગા જીવનમાં  સ્પર્શતા,નાકદી કોઇમાગણી અડી જાય
…………..એ કૃપા જલાસાંઇની મળતા, આ જીવન પાવન થઈ જાય. ++++++++++++++++++++++++++++++++++++++++++++

June 12th 2015

તમે એવા ને એવા રહ્યા

જય જલારામ                  તમે એવા ને એવા રહ્યા

    તાઃ૧૨/૬/૨૦૧૫                                            …પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના ના મનુભાઈ વાત એમ છે કે આજથી પચાસ વર્ષ પહેલા આપણે જ્યારે નિશાળમાં ભણતા હતા ત્યારે મને યાદ છે કે તમે મને ભણતર તરફ દોર્યો હતો જેથી આજે હું તન અને મનથી શાંન્તિ મેળવી આનંદ માણી રહ્યો છુ.તમે પણ સાચી રાહ લીધી હતી.તમારા પિતા ઘોડાગાડી ચલાવતા હતા તે રાહથી તમે ભણીને વકીલ થયા જેથી તમારા પિતાજીને ખુબ શાંન્તિ મળી .જીવનમાં સાચી રાહ એ પરમાત્માની કૃપા અને સારા મિત્રોનો પ્રેમ જ આગળ લઈ જાય છે.મારૂ તારૂની માગણીમાં એ સમાતુજ નથી. તમારા પત્નિ ગંગાબેને પણ જીવનમાં મહેનત કરી હતી એના ફળ રૂપે તમે જુઓ કે તમારા સંતાનો પણ મહેનત કરી પવિત્રરાહ જીવી રહ્યા છે. તમારો મોટો દીકરો ભાવેશ આજે અમેરીકામાં પણ સારી નોકરી કરી રહ્યો છે.તમારો આલોક તો અત્યારે પણ સવારે મને જુએ કે તરત જ  જય જલારામ જય સાંઈરામ બોલી હાથ જોડી નમન કરી જાય છે.આ બધુ જોઇ મને ઘણો આનંદ થાય છે.

આ સાંભળી મનુભાઈ હરીહરભાઈને કહે છે કે સાચી શ્રધ્ધાએ ભક્તિ કરીએ તો કૃપા થાય પણ કર્મના બંધન અને સમયની જ્યોત એતો સમજી વિચારી જીવીએ તોજ પકડી રખાય નહીં તો જગતમાં કોઈનેય ખબર નથી કે પોતાનુ કુળ કેવી રીતે આગળ વધી રહ્યું છે.તમે જુઓ કે તમારો દીકરો અલખ પરણ્યા પછી પણ તમારી સાથે રહે છે અને તેની વહુ જ્યોતિ પણ તમારી સેવા કરે છે. મારા દીકરાના નશીબમાં નહીં હોય તેથી તેને અમેરીકા જતા રહેવુ પડ્યુ અને પોતાની જીંદગી જીવી રહ્યો છે.આતો કર્મના સંબંધ છે. જુઓને તમારો બીજો દીકરો રાઘવ પણ પરણી ગયો અને તેની વહુ પ્રીતિને પણ સરકારી નોકરી મળતા વડોદરામાં રહેવા ચાલી ગયા આતો સમયની વાત છે. મારા જીવનમાં મેં કદી કોઇને દુઃખ નથી આપ્યું કે નથી કદી કોઇને ઉંધા માર્ગે જવાનુ બતાવ્યુ. કારણ મારા કરેલા કર્મજ મને સાથ આપશે તેનો મને ખ્યાલ છે.આપણે સાથે બેઠા છીએ કારણ આપણે ગયા જન્મનું બંધન છે જે વાતચીત કરાવી શાંન્તિ આપે છે. ચાલો તો આજની વાતને અહીં અટકાવીએ.કારણ હું મારા દીકરાને ત્યાં વડોદરા રહુ છુ. પણ આજે આપણા નસીબમાં હશે તો હું મારા ફોઇના નાના દીકરાને ત્યાં તેની બેબીનો ચાંલ્લાનો પ્રસંગ હતો એટલે આવ્યો હતો તો વળી મને જુની યાદ આવતા અહીં આવ્યો ને આપણે મળ્યા.આ મને લેવા આવે છે એ મારા ફોઇનો દીકરો રાજુ છે.રાજુ આ મારા જુના મિત્ર છે આજે તારે ત્યાં આવ્યો તો મને વર્ષો પછી મળ્યા.નમસ્તે કાકા એમ રાજુ બોલ્યો. હરિહરભાઈ કહે મનુભાઈ હું અહીંયાં ત્રણ દીવસ રહેવાનો છુ.તો કાલે આપણે સાંજે અહીં મળીશુ.ચાલો હુ જાઉ છુ.જય જલારામ. મનુભાઈ આમ તો સાંજે પાંચ વાગે આ બાગમાંથી ઘેર જવા નીકળે.પણ આજે તેમના જુના મિત્ર હરિહરભાઈ સાડા ચાર વાગે જતા રહ્યા ત્યારે તે એકલા પડી ગયા પણ તે વખતે તેમને ઘણા સમય બાદ મળેલ જુના મિત્રની ભુતકાળ યાદ આવતા વિચારવા લાગ્યા કે આ પરમાત્માની અજબ લીલા છે મને તો ખ્યાલ પણ ન હતો કે આજે હરિહરભાઈ આવીને મળશે. કર્મની લીલા તો કુદરતની કૃપાએજ મળી જાય.અને વિચારવા લાગ્યા કે સંતાનને સાચીરાહ એ માબાપના આશિર્વાદથી જ મળે.જ્યારે કળીયુગની કેડી મળે ત્યાં નાકોઇ વડીલની કે માબાપની કૃપા મળે. એ સંતાનના વર્તનથી દુર રહેવા માબાપ ભગવાનને પ્રાર્થના કરે.આમ વિચારના વાદળમાં સાંજના સાડા છ થઈ ગયા.ત્યાં સફાઈ કરનાર આવ્યા ત્યારે ત્યાંથી ઉઠી ઘેર જવા નીકળ્યા.મનના વિચારોમાં સમયનો ખ્યાલ પણ ના રહ્યો.ઘેર પહોચ્યા ત્યારે તેમના પત્નિ ગંગાબેન કહેવા લાગ્યા કે આજે તમે મોડા કેમ આવ્યા? તમે કોઇ કામમાં રોકાયા હતા કે કોઇને મળવા ગયા હતા.ત્યારે તેમણે કહ્યુ કે આજે મારા બહુ જુના મિત્ર આવ્યા હતા મને મળ્યા એટલે જુની યાદો આવી એટલે મોડુ થયુ. અમે સાથે ભણતા હતા ત્યારે જે રીતે મને પ્રેમ કરતા હતા તેજ નિખાલસ પ્રેમ અત્યારે પણ તેમની વાતો પરથી મને લાગ્યુ કે હરિહરભાઈ પહેલા નાના હતા તે વખતે જેવા હતા એવાને એવા આજે પણ રહ્યા છે. તું વિચારકર કે ભગવાનની કેટલી અસીમકૃપા છેકે તેમના સંતાનો પણ તેમને અનુસરે છે.એજ સાચી શ્રધ્ધા અને ભક્તિ છે જેનુ ફળ તેઓને પરમાત્મા આપે છે. અત્યારે મારા મગજમાં થોડી ચિંતા છે એટલે હું સુવા જાઉ છું.કાલે કદાચ મારા મિત્ર અહીં મળવા આવશે.ત્યારે થોડી વાતચીત કરી મગજ થોડુ હળવુ કરીશ જય જલારામ.

બીજા દિવસે સવારમાં મનુભાઈ સાત વાગે પણ ઉંઘતા હતા તેથી તેમના પત્નિ તેમને ઉઠાડવા ગયા તેમને ઉંઘતા જોઇ કહે,આજે તમે કેમ હજુ ઉઠ્યા નથી? સાત તો વાગી ગયા તમે તો સવારે છ વાગે ઉઠી જાવ છો. અચાનક અવાજ સાંભળ્યો એટલે જાગી ગયા અને બોલ્યા મને રાત્રે બરાબર ઉંઘ નથી આવી વિચારોના વમળમાં રાત પસાર થઈ. જીવનમાં જ્યારે અટકળોનો ભાર હોય ત્યારે કેવી રીતે બચવુ મને કાંઇ સમજ પડતી નથી. અત્યારે કશોય વિચાર કર્યા વગર નાહી ધોઈ સેવા પુંજા કરો નહીં તો મોડુ થશે.

સમય તો કોઇથી રોકાતો નથી.પણ કદાચ સમયને સમજીને જો ચાલો તો જીવનમાં રાહત  રહે અને ભુતકાળને યાદ ન કરતા ભુલી જવાથી શાંન્તિ મળે.મનુભાઈની પણ એજ હાલત થઈ છે. સંતાનોને જીવનમાં શાંન્તિ મળે અને પરમાત્માની કૃપા થાય તે ભાવના રાખી સંત જલાબાપા અને સંત સાંઈબાબાની ભક્તિ ઘરમાં પણ શ્રધ્ધાથી કરી રહ્યા છે. જીવનમાં શાંન્તિના વાદળ હાલ ફરી રહ્યા છે તેમ લાગે છે અત્યારે અમુક પ્રસંગો જે ભુલવાની ઈચ્છા રાખે છે તે બહુ ઓછા યાદ આવે છે.પણ જ્યારે હરિહરભાઈને મળ્યા ત્યાર બાદ તેમને થોડો ભુતકાળ યાદ આવ્યો.

મનુભાઈ અને ગંગાબેનને આજથી થોડા વર્ષ પહેલા તેમના દીકરા ભાવેશને ત્યાં અમેરીકા જવાનું થયુ.ભાવેશનો દીકરો નિરજ ભણવામાં ઘણા માર્ક્સ સાથે કૉલેજમાં બીજા વર્ષે પ્રથમ આવ્યો તેથી તેને કૉલેજ તરફથી બેસ્ટ સ્ટુડન્ટ તરીકે સન્માન જાહેરમાં આપવાનુ હતું.તો ભાવેશે માતાપિતાને પ્રસંગમાં પધારવા ટિકીટ મોકલી એટલે ત્યાં ગયા.પહેલી વખત ભાવેશને ત્યાં જવાનુ થયુ એટલે જે સગવડ હતી તે પ્રમાણે વસ્તુઓ લઈને ગયા હતા.ભાવેશ અને તેની પત્નિ લીલાએ જ્યારે એ બધુ જોયુ ત્યારે કહે તમારે આ કાંઈ લાવવાની કોઈજ જરૂર ન હતી,અહીં કોઇ તેનુ ધ્યાન આપતુ નથી.આ સાંભળતા મનુભાઈ અને ગંગાબેન વિચારવા લાગ્યા કે આ છોકરાની વહુ આવુ કેમ બોલે છે.આમ વિચારી રૂમમાં બેઠા હતા.મનુભાઈને તરસ લાગી તો તેમની પત્નિને કહે રસોડામાં જઈને જરા પાણી લઈ આવને. ગંગાબેન પાણી લેવા રસોડામાં ગયા તો ભાવેશ અને તેની વહુ રસોડામાં ખાવા બેઠા હતા.ગંગાબેનને કંઈક સુગંધ આવી એટલે ટેબલ નજીક ગયા.તો તેમનો દીકરો અને વહુ  ચીકન અને શરાબ પીતા ખાતા હતા.ગંગાબેને રૂમમાં જઈ બારણુ બંધ કરી મોં પર આંગળી મુકીને પતિને કહે તમે રસોડામાં નાજશો કારણ આપણો છોકરો ને વહુ રસોડામાં દારૂ અને માંસ ખાય છે.હવે આપણાથી અહીં ફરી ના અવાય. અને આમ મગજના ભારથી બંન્ને સુઈ ગયા.

બીજે દીવસે સવારે તેઓ ઉઠ્યા ન હતા એટલે ભાવેશે બારણુ ખખડાવી કહ્યુ પપ્પા હું અને  લીલા નોકરી પર જઈએ છીએ.સાંજે આવીશું.એમ કહી બંન્ને પોતપોતાની ગાડી લઈને નીકળી ગયા. મનુભાઈ અને ગંગા બહેન જાગીને પોતાનુ કામ કરી રૂમમાં બેસી અને ભગવાનની ચોપડી વાંચતા હતા.નોકરીએથી ભાવેશ પહેલો આવી ગયો.લીલા સાંજે મોડી આવે.

એક દીવસ ભાવેશને મનુભાઈ કહે બેટા તું ક્યાં નોકરી કરે છે? ભાવેશ કહે મારા મિત્રની બીયરની દુકાન છે તેમાં હું રજીસ્ટર પર કામ કરુ છું.ગંગાબેન કહે અને તારી વહુ ક્યાં નોકરી કરે છે?મમ્મી એ મોટા ગ્રોસરી સ્ટોરમાં કીચનમાં કામ કરે છે.આ સાંભળી મનુભાઈ અને ગંગાબેન સ્તબ્ધ થઈ ગયા.બંન્ને ચુપ થઈ ગયા. સમય થતા બંન્ને પોતાની સુવાની રૂમમાં આવી ગયા. બીજે દીવસે શનિવારે સવારમાં સાથે બેસી નાસ્તો કરતા હતા તે વખતે ગંગાબા પૌત્ર નિરજને કહે બેટા દાદાને એક વખત તારા પપ્પાની નોકરીની જગ્યા તો બતાવ અને પછી એક દીવસ તારી મમ્મીની નોકરી પણ બતાવજે. આમ કહી પછી રૂમમાં જઈને બેઠા તો થોડી વાર પછી તેમની રૂમમાં જઈ નિરજ કહે બા આ શનીવારે હું તમને લઈ જઈશ.તમે પપ્પા મમ્મીને ને કહેશો નહીં.

આમ સમય પસાર કરતા કરતા બીજો શનિવાર આવી ગયો બપોરે બે વાગે નિરજ તેમની રૂમમાં  આવી કહે,દાદા બા તમે તૈયાર થઈ જાવ હું તમને પપ્પાની દુકાને લઈ જાઉ.બંન્ને તૈયાર થઈ ગયા નિરજ તેમને ગાડીમાં લઈ દુકાને પહોંચ્યો દુકાનનું નામ ‘ગોલ્ડન બીયર’ હતુ.બહારથી જોઇનેજ માબાપ સ્તબ્ધ થઈ ગયા અંદર પેસતા બધા ટેબલો પર કસ્ટમરો  દારૂ પિતા હતા અને માંસ ખાતા હતા. દાદા નિરજને કહે બેટા ચાલ આપણે તારા મમ્મીને મળવા જઈએ. ત્યાંથી બા દાદાને લઈ નિરજ મોટા ગ્રોસરી સ્ટોરમાં આવ્યો.સ્ટોરમાં છેક અંદર આવ્યા ત્યાં લીલા મોઢુ બાંધી ગ્રાહકને માંસ કાપીને આપતી હતી.મનુભાઈ કે ગંગાબેનને ઓળખણ ના પડી ત્યારે નીરજે આંગળી ચીંધી મમ્મી પેલી રહી.ત્યાંજ બંન્નેને આશ્ચર્ય થયુ આ કઈ જાતની જીંદગી ભાવેશ અને લીલા જીવી રહ્યા છે.ઘણા દુઃખ સાથે તેઓ નિરજ સાથે ઘેર આવ્યા. બીજે દીવસે ભાવેશને રજા હતી.તેથી તે થોડો મોડો ઉઠી ચા નાસ્તો કરવા બેઠો હતો તે વખતે મનુભાઈ અને ગંગાબેન ત્યાં આવીને બેઠા.મનુભાઈ કહે બેટા તુ તો ભારતમાં એન્જીનીયરનુ ભણેલ અને નોકરી પણ કરતો હતો. તો અહીં આવી નોકરી ક્યાંથી કરે છે. ત્યારે ભાવેશ કહે પપ્પા આપણા ભણતરની અહીં કોઇ જ કીંમત નથી.અહીં તમને કોઇ પણ સારી નોકરી નામળે કારણ આ દેશમાં લોકોને ખબર છેકે એક ભારતીય છ અમેરીકનનુ કામ કરી શકે છે. ઇમાનદારીથી મહેનત કરે તેથી સફળતા મળે જ.એટલે અહીં નોકરની નોકરી કરવી પડે.

સમય તો જતો રહ્યો આજે અમેરીકાથી પાછા આવ્યાને પાંચ વર્ષ થયા પણ મન યાદ તો કરે કારણ પોતાના સંતાનનુ વર્તન અને જીવન તેમને દુ”ખ આપી રહ્યુ છે .આ બધુ અત્યારે તો યાદગીરી જ છે જે યાદ કરતા ખુબ દુ”ખ થાય પણ છતાં જ્યારે યાદ આવે ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની કે મોહમાયાથી મુક્તિ આપી આપણને મળેલ સંસ્કાર સાચવી માબાપે આપેલ ભક્તિને પકડી આપણે એવાને એવા રહી જીવન જીવીએ એજ પ્રાર્થના.

==========================================================

June 8th 2015

મનની માગણી

.               . મનથી માગણી

તાઃ૮/૬/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી માગણી માનવીની ,જીવનમાં અનેક રીતે ઓળખાય
પામર પ્રેમને પારખી જીવતા,સાચી શ્રધ્ધાએ જ મળી  જાય
……….કળીયુગની છે એ કાતર,જે જીવને આવન જાવન કરાવી જાય. જીવને મળતી જ્યોત જીવનમાં,અનેક માર્ગ બતાવી જાય સમજી વિચારી કેડી પકડતા,પ્રભુની અસીમકૃપા થઈ જાય મનથી કરેલ માગણી જીવને,શ્રધ્ધાએ જીવનમાં મળીજાય
ના અડે જ્યાં મોહમાયા જીવને,ત્યાં જલાસાંઈની કૃપા થાય
……….કળીયુગની છે એ કાતર,જે જીવને આવન જાવન કરાવી જાય. મળેલ અવનીએ માયા જીવને,કર્મનાબંધનથી જકડી જાય
નિર્મળ ભાવનાએ જીવતા,નામાગણી કોઇ જીવને રહી જાય
અનંતપ્રેમ મળે અનેક જીવનો,ના કદી કોઇ કલ્પના રખાય
ના માગણી કોઇ મનથી રહે,કે ના કોઇ અપેક્ષાય થઈ જાય
………કળીયુગની છે એ કાતર,જે જીવને આવન જાવન કરાવી જાય. ===========================================

June 7th 2015

અદભુત લાગણી

.                  .અદભુત લાગણી

તાઃ૭/૬/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની મહેંક ઉડે,ને અંતરમાં અનંત આનંદ થાય
પ્રેમનીપાવનરાહ મળેજીવનમાં,જીવને સદમાર્ગે દોરીજાય ………..એજ સાચી કર્મનીકેડી,જે જીવને અદભુત લાગણીએ મળી જાય. પરમાત્માની એ શીતળકેડી,જીવને નિર્મળરાહ આપી જાય કર્મબંધન એ માનવતા સંગે,અનેક માર્ગે જીવને દોરી જાય
સમજી વિચારીને કર્મ કરતા,માનવ જીવન સરળ થઈ જાય જીવને સાચોપ્રેમ મળે જીવનમાં,જીવને પવિત્રરાહ દઈ જાય ………..એજ સાચી કર્મનીકેડી,જે જીવને અદભુત લાગણીએ મળી જાય. જીવે કરેલ કર્મ યુગોમાં જકડે,ના કોઇ જીવથી દેહને છોડાય અવનીપરનુ આવન જાવન,દેહના કર્મ બંધનથી જકડાય
સાચો પ્રેમ નિખાલસતાનો,જીવને અનંત શાંન્તિ દઈ જાય અદભુત લાગણી આવીમળતા,ના મોહમાયા કોઇ અથડાય ………..એજ સાચી કર્મનીકેડી,જે જીવને અદભુત લાગણીએ મળી જાય. =============================================

« Previous PageNext Page »