May 28th 2015
. .લાયકાત કેટલી
તાઃ૨૮/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોની કેટલી છે લાયકાત,એતો સમય જ બતાવી જાય
ના માગણીની કોઇ જરૂર પડે,કે ના ભીખ મંગાવી જાય
…………..એજ સાચી લાયકાત છે,જે કલમથી પકડાઈ જાય.
શબ્દે શબ્દને પારખીને ચાલે,એજ કલમપ્રેમી કહેવાય
લાગણી મોહ ના અડે કદીયે,ત્યાંજ નિર્મળતા મેળવાય
કાગળ પકડી વાંચવુ,એ ના બુધ્ધિનો ઉપયોગ કહેવાય
દેખાવની દુનીયા પકડી ચાલે.એને જ કુબુધ્ધિ કહેવાય
………..મળે મા સરસ્વતીની કૃપા,જે સાચી કલમપ્રીત કહેવાય
કલમની નિર્મળ કેડીએ, નિખાલસ વાંચકો મળી જાય
મળે ઉજ્વળ પ્રેમ પ્રેમીઓનો,જેઆંગણીએ ચીધીજાય
નાઅપેક્ષા કે ના કોઇ માગણી,એજ સાચી કૃપા કહેવાય
અભિમાનના વાદળમળે,જ્યાં ઇર્શાએ આંગણી ચીંધાય
…………એજ અજ્ઞાનતા માનવીની,જેનાથી કલમ ના પકડાય.
++++++++++++++++++++++++++++++++++++++
May 23rd 2015
. . એ સનાતન સત્ય
તાઃ૨૩/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવનની રાહ લેવા,જીવનમાં સત્કર્મને સચવાય
પામી નિખાલસપ્રેમ રહેતા,મળેલ જીવન પવિત્ર જીવાય
……એજ સનાતન સત્ય છે,જે જીવનમાં પાવનકર્મ કરાવી જાય.
મળે આશિર્વાદ માબાપના,જે વડીલને વંદન કરાવી જાય
નિર્મળતાનો સંગ રાખતા,નાકોઇ ખોટીરાહ જીવનમાં દેખાય
પરમપ્રેમની પરખ થઈ જાય,જ્યાં સારા મિત્રો મળી જાય
આવી આંગણે ઉભા રહેએ,જે જીવને સાચીરાહ આપી જાય
……એજ સનાતન સત્ય છે,જે જીવનમાં પાવનકર્મ કરાવી જાય.
મોહમાયા તો કળીયુગી કાતર,મળતા સુખનેએ કાપી જાય
સુર્યદેવની સાચીભક્તિ કરતા,પ્રત્યક્ષ દર્શન પણ થઈ જાય
નામાળા નામંદીરની જરૂર પડે,કે નાકોઇ આફત અથડાય
ઉદયઅસ્ત એ પ્રભાતસાંજ છે,જે અબજો જીવોને સમજાય
……એજ સનાતન સત્ય છે,જે જીવનમાં પાવનકર્મ કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 18th 2015

. .ભારતનુ ગૌરવ
તાઃ૩૦/૩/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે અમેરીકામાં માન જેને,એજ છે ભારતનુ સન્માન
ચંન્દ્રની કેડી દે માનવીને,એ શ્રી કમલેશભાઈ કહેવાય
……એવા કમલેશભાઈ પર સંત જલાસાંઇની કૃપા થઈ જાય.
મળ્યો પત્નીમારીયાનોપ્રેમ,જીવઉજ્વળરાહે ચાલીજાય
પિતાના પ્રેમને પારખી ભણતા,એ વૈજ્ઞાનિક થઇ જાય
ના મોહમાયાની ચાદરઅડે,એમાતાના સંસ્કાર કહેવાય
સાહિત્ય સરીતાને વહેતી રાખતા,એ કલમ પકડી જાય
…..એવા વ્હાલા કમલેશભાઈનુ,ગાંધીનગરમાં સન્માન થાય.
પ્રેમનિખાલસ નેલાગણીસાચી,તેમની પત્નિથીય દેખાય
આપી પ્રેમનીગંગા મનથી,સન્માનના વાદળથીછલકાય
ગુજરાતનુ એ ગૌરવ છે,હ્યુસ્ટનમાં પ્રદીપને આનંદ થાય
પરમાત્માની પરમકૃપાએ,માનવીને ચંદ્રપરએ લઈજાય
……..એવા નિખાલસ કમલેશભાઈ,પ્રેમે નાશામાં આવી જાય.
========================================
. અમેરીકાના અવકાશયાત્રા કરાવતા નાસાના મુખ્ય વૈજ્ઞાનિક વડોદરાના
શ્રી કમલેશભાઈ લુલાનુ ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય દીનની ઉજવણીમાં સન્માન
કરવામાં આવ્યુ જે ભારત અને ગુજરાત માટે ખુબજ આનંદ અને ગુજરાતીઓ માટે
અભિમાન છે.સાથે તેઓ એક સારા લેખક પણ જે હ્યુસ્ટનનાકલમપ્રેમીઓ માટે પણ
ગૌરવ છે. તે પ્રેમની યાદ રૂપે હ્યુસ્ટનના કલમપ્રેમીઓ તરફથી જય જલારામ
સહિત સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા કલમપ્રેમીઓ.
May 18th 2015
. .પ્રેમ મળે
તાઃ૧૮/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ સ્નેહની સાંકળ સંગે,પાવનકર્મ જીવનમાં થાય
ઉજ્વળતાની સરળકેડીએ,જીવથીનામોહમાયા મેળવાય
……….એજ સાચો મળતો પ્રેમ,જીવને સદમાર્ગે જ દોરી જાય.
નિર્મળજીવનમાં સંગ મળે ભક્તિનો એજ કૃપા કહેવાય
પવિત્રરાહને પકડી ચાલતા,મળેલ જીવન સાર્થક થાય
અવનીપરના આગમને,પ્રત્યક્ષ સુર્યદેવના દર્શન થાય
અનંત જન્મોને પ્રભાતઆપે,નેસંધ્યાએ જીવો સુઈજાય
………..એજ સાચો મળતો પ્રેમ,જીવને સદમાર્ગે જ દોરી જાય.
જીવને કર્મબંધન સ્પર્શે,એઅવનીએ જન્મમરણ કહેવાય
ભક્તિ સાચીશ્રધ્ધાએ કરતા,અનેક મુશ્કેલીઓ ભાગીજાય
મળે પ્રેમ જલાસાંઇનો જીવનમાં,સદમાર્ગે એ દોરી જાય
અનંતશાંન્તિ મળે કૃપાએ,એજ સાચો મળેલપ્રેમ કહેવાય
………..એજ સાચો મળતો પ્રેમ,જીવને સદમાર્ગે જ દોરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++
May 16th 2015
. .આંગળી ચીંધી
તાઃ૧૬/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળતા જીવને અવનીએ,કર્મબંધન જકડી જાય
પ્રેમની નિર્મળ રાહ મળે,ત્યાં સુખ શાંન્તિ મળી જાય
………..પવિત્રપ્રેમથી ચીંધેલ આંગળીએ સાચીરાહ મળી જાય.
માનવ જીવનએજ કૃપા પ્રભુની,દેહ મળતા સમજાય
સરળરાહ મળે જીવને,જ્યાં માબાપનો પ્રેમમળી જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,સંત જલાસાંઇની કૃપા થાય
વડીલને પ્રેમેવંદન કરતા,સત્માર્ગે આંગળી ચીધી જાય
………..મળે સાચીરાહ જીવને,જે જીવને શાંન્તિ જ આપી જાય કરેલ કર્મ જકડે જીવને,જે માનવીને થતા કર્મથી દેખાય મળે શાંન્તિ જીવને,જ્યાં પ્રભાતે સુર્યદેવના દર્શન થાય કૃપા જીવ પર થાય સુર્યદેવની,જે અનુભવથીજ દેખાય ના માગણીમોહની આશારહે,કે નાકોઇ અપેક્ષાએજકડાય ………..એજ સાચી જ્યોતકૃપાની,જીવને મુક્તિમાર્ગે લઈજાય. ====================================
May 16th 2015
…………….देविकाबेन ध्रुव……………..

.
.
.
.
.
.
.
.
. .ह्युस्टनकी शान
ताः२४/५/२०१५ प्रदीप ब्रह्मभट्ट
हिन्दुस्तानकी पवित्र भाषा,हिन्दी ही कहेलाती है
ह्युस्टन आकर देवीकाबेनने,दुनीयाको समझाई है
….येही शान है कलमप्रेमीयोकी,लंडनमे बहेनका सन्मान हुआ.
निर्मळ जीवनके संग कलमप्रेम,ये माताकीक्रुपा है
मात्रु भाषाका प्रेम अनंत,ये कलमही उनकी देती है
मान अभिमानको दुर रखके,श्रध्धा संगही रखती है
येही निखालसता देवीकाबेनकी,सन्मानसे दिखती है
…..ये मा सरस्वतीका प्रेम है,जहां आशिर्वादकी गंगा बहेती है.
कलमप्रेमीओका हो सन्मान,येही ह्युस्टनकी शान है
पवित्रराह जीवनमे पाके,उज्वळताकी केडी चलते है
मात्रुभुमीकी क्रुपा मीलती,जहां परमात्माकी देन है
उज्वळ जीवन चलतेरहे,ये कलमप्रेमीओकी प्रीत है
…..सन्मानकी निर्मळगंगा वहेती रहे,येही हम सबकी आश है.
——————————————————–
. .श्रीमती देविकाबेन ह्युस्टनके कलमप्रेमीओका अभिमान है.हिन्दुस्तानकी
भाषा हिन्दीमें भी ज्योत जगाके उन्होने लंडनमें सन्मान पाया ये हम सबके
लीये गौरव है,ये ही यादके रूपमे ये काव्य देविकाबेनको सप्रेम भेंट.
ली.प्रदीप ब्रह्मभट्ट के साथ ह्युस्टनके कलमप्रेमीओकी याद.
May 14th 2015

. અજબ શક્તિશાળી
તાઃ૧૪/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી દેવ જગતમાં,સુર્યનારાયણ કહેવાય
ફોટા મુર્તીને દુરા રાખતા,જીવને પાવનરાહ મળી જાય
……….એજ જગતપિતા છે,કે જેના દર્શન સૌ જીવોને થાય.
ઉગમણી ઊષાને જોતા,જગે જીવોને પ્રભાત મળી જાય
અર્ચના કરીપગે લાગતા,જીવને સુર્યદેવના દર્શન થાય
ના ફોટાની જરૂર પડે,કે ના મુર્તિની કોઇ અપેક્ષા.રખાય
આવી આંગણે દર્શન થાય,નામંદીરના બારણા ખોલાય
………..એજ જગતપિતા છે,કે જેના દર્શન સૌ જીવોને થાય.
ઑમ હ્રીમ સુર્યાય નમઃના સ્મરણે,શાંન્તિ મળી જાય
પ્રેમ મળે સુર્યદેવનો જીવને,જે અનુભવથી જ દેખાય
વર્ષેકૃપાના વાદળ જીવપર અનંતશાંન્તિ આપીજાય
ના મોહ માયા કે મંદીર અડે,કેના તકલીફ અડી જાય
………..એજ જગતપિતા છે,કે જેના દર્શન સૌ જીવોને થાય.
===========================================
May 6th 2015
. .
.
. કલમની ઉજ્વળકેડી
તાઃ૨/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમનીકેડી પકડી ચાલતાં,મનને શાંતિ મળી જાય
પાવન રાહ જીવનમાં પકડી,એ હ્યુસ્ટન આવી જાય
….એવા ઉજ્વળ જીવનધારી,વિજયભાઈ કલમપ્રેમી કહેવાય.
માગણીમોહને દુર રાખીને,પ્રેમ સૌને એ આપી જાય
નાઅભિલાષા નામાયા સ્પર્શતા,સન્માનને પામી જાય
માસરસ્વતીની અસીમકૃપા,એ તેમની રચનાએ દેખાય
મળે સાચીરાહ વાંચકને,એકલમની ઉજ્વળકેડી કહેવાય
….એવા ઉજ્વળ જીવનધારી,વિજયભાઈ કલમપ્રેમી કહેવાય.
સાહિત્યની એક સાચીકેડી,એતેમની નિર્મળતા કહેવાય
મળે માનસન્માન તેમને,જેથી પ્રદીપને આનંદ થાય
કૃપા મળે માતાની તેમને,જે અખંડઆનંદ આપીજાય
કલમપ્રેમીઓનુ ગૌરવછે,જે તેમની સિધ્ધીએમળીજાય
….એવા ઉજ્વળ જીવનધારી,વિજયભાઈ કલમપ્રેમી કહેવાય. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ . .હ્યુસ્ટનમાં વસતા ગુજરાતીઓ માટે શ્રી વિજયભાઈ શાહ કે જે કલમની
ઉજ્વળરાહ પકડી માતા સરસ્વતીની અસીમકૃપા મેળવી અહીના કલમ પ્રેમીઓને
કલમની કેડીએ દોરી રહ્યા છે અને જગતમાં વસતા ગુજરાતીઓને કલમ દ્વારા આનંદ
આપી રહ્યાછે તે અહીંના કલમપ્રેમીઓ માટે અભિમાન છે.તેની યાદરૂપે આ લખાણ
સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ,નવીનભાઈ બેંકર સહિત હ્યુસ્ટનના સૌ કલમ પ્રેમીઓના
જય શ્રીકૃષ્ણ અને જય જલારામ.
May 6th 2015
. .પાવન કેડી
તાઃ૬/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમની ગંગા વહે,જ્યાં નિર્મળતાએ જીવાય
પાવન કર્મની રાહ મળે,જ્યાં કુદરતની કૃપા થાય
…..પ્રેમ મળે માસરસ્વતીનો,જ્યાં કલમનીકેડીને પકડાય.
કુદરતની આ અસીમલીલા,ના માનવીને સમજાય
શબ્દની શીતળકેડી મળતાં,કલમ ઉજ્વળ થઈજાય
મનની મુંઝવણ દુરરહે,જ્યાં કલમપ્રેમીઓમળીજાય
આવી આંગણે પ્રેમ રહે,જ્યાં કલમપ્રેમીઓ હરખાય
…..એજ કૃપા છે માતાજીની,ના અભિમાન કોઇ અથડાય.
કુદરતની આ પરમકૃપા,જે લાયકાતે જ મળી જાય
અભિમાનનીરાહને દુર રાખતા,સૌનો પ્રેમ મળીજાય
મળેલ ઉજ્વળરાહને સંગે,સન્માનનીગંગા વહી જાય
પ્રેમપારખી સંગે રહેતા,માતાની પરમકૃપાથઈ જાય
…..એજ લાયકાતછે કલમપ્રેમીની,જે પાવનકેડીએ દેખાય.
+++++++++++++++++++++++++++++++++++++
April 28th 2015
. . પવિત્ર જીવન
તાઃ૨૮/૪/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવન સંગે શાંન્તિ મળે,જ્યાં નિર્મળતાને સચવાય
પરમાત્માની એકજ કૃપાએ,માનવ જન્મ સફળ થઈ જાય
……….એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.
તનને મળતી માયા માનવીને,અવની પર ભટકાવી જાય
અપેક્ષાના વાદળઘેરાતા,આફતો ડગલેપગલે મળતીજાય
કર્મબંધન ના છુટે માનવીના,જે બંધને જીવ જકડાઈ જાય
શાંન્તિ અશાંન્તિ આવે ને જાય,જ્યાં જીવ કળીયુગે ભટકાય
………..એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.
શ્રધ્ધા અને વિશ્વાસથી,જીવને અવનીએ સંબંધ મળી જાય
માનવજીવનમાં નિર્મળતા મળે,જ્યાં ભક્તિ નિખાલસ થાય
અતિદયાળુ પરમાત્મા છે,જે સાચીભક્તિએજીવને સમજાય
મળે જીવનમાં શાંન્તિસઘળી,જે મળેલજન્મ પાવન કરીજાય
………..એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.
======================================