November 4th 2014

દીકરીની બર્થડે

Nish Dipal

 

 

.

.

.

.

.

.

.

.

.

.

.                      દીકરીની બર્થડે

તાઃ૪/૧૧/૨૦૧૪    (૪/૧૧/૧૯૮૩)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાડલી વ્હાલી દીકરી દીપલનો,આજે  જન્મ દીવસ ઉજવાય
આજકાલની નિર્મળકેડીએ જીવતા,આજે એ ત્રીસવર્ષની થાય
…એવી વ્હાલી દીકરી નિશીતકુમાર સંગે ઉજ્વળ જીવન જીવી જાય.
પાપાપગલી કરતી નાની દીપલ,પપ્પાને જોઇને દોડી જાય
આવે દોડી હગ કરી વ્હાલ પામતી,એ જ  પ્રેમ સાચો કહેવાય
ભણતરની કેડી પકડીને જીવનમાં,ઉજ્વળમાર્ગ મેળવી જાય
હ્યુસ્ટનઆવી લાયકાતમેળવી,જીવનમાં સાચીરાહ મળી જાય
…એવી વ્હાલી દીકરી નિશીતકુમાર સંગે ઉજ્વળ જીવન જીવી જાય.
જલાસાંઇની અસીમકૃપાએ,નિશીતકુમારની સંગીનીએ થાય
પ્રેમ લાગણી અંતરથી મળતાં,પંકજભાઇને નીલાબેન હરખાય
કર્મના બંધનની છે નિર્મળ કેડી,એ લગ્નના બંધનથી મેળવાય
પરમકૃપા શ્રી સ્વામીનારાયણની,જે હ્યુસ્ટન આવતા મળી જાય
…એવી વ્હાલી દીકરી નિશીતકુમાર સંગે ઉજ્વળ જીવન જીવી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++
.                      .આજે મારી વ્હાલી દીકરી દીપલનો ત્રીસમો જન્મદીવસ છે.તે નિમિત્તે આ
લખાણ  તેને ભેંટ.સાથે જમાઇ નિશીતકુમારને તેમના પપ્પા પંકજભાઇ મમ્મી નીલાબેનને
પ્રદીપ અને રમાના  જલારામ જય સાંઇબાબા સહિત જય શ્રી સ્વામીનારાયણ.

November 4th 2014

સમયની પરખ

.                   સમયની પરખ

તાઃ૪/૧૧/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયની શીતળ કેડી મળે જીવનમાં,જ્યાં સમજીને ચલાય
માનવદેહને મતીમળીછે,જે જીવનની સરળરાહ બની જાય
…………….સમય પારખીને ચાલતા,ના આધી વ્યાધી મળી જાય.
મળે સમજ અને સંસ્કાર માબાપથી,જીવને રાહ આપી જાય
માનવતાની નિર્મળકેડી મળે,જ્યાં સાચી શ્રધ્ધા ભક્તિથાય
અવનીપરનુ આગમન એતો કર્મના બંધન,સમયે સમજાય
સરળ જીવનની કેડી મળે જીવને,જ્યાં સમયની પરખ થાય
………………સમય પારખીને ચાલતા,ના આધી વ્યાધી મળી જાય.
બાળપણમાં સંસ્કાર સાચવતા,જીવથી  નિર્મળ રાહ મેળવાય
જુવાનીના પગથીયે ચડતાં,સાચી મહેનતે ભણતરને લેવાય
મળે જીવનમાં રાહસાચી અવનીએ,જે ઉજ્વળતા આપી જાય
ના માગણી ના અપેક્ષા રહેતાં,માનવજીવન સાર્થક થઇ જાય
……………..સમય પારખીને ચાલતા,ના આધી વ્યાધી મળી જાય.

======================================

November 3rd 2014

કાયા એ માયા

.                  .કાયા એ માયા       

તાઃ૩/૧૧/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મરણના બંધન જીવને,અવનીએ આગમને સમજાય
પરમકૃપાળુ પરમાત્માની એલીલાએ,માનવદેહ મળી જાય
……………..શ્રધ્ધા ભક્તિની સાચી રાહે,જીવ મુક્તિમાર્ગે દોરાય.
કર્મની કેડી એ જીવના બંધન,અનેક દેહે અવનીએ અવાય
નિર્મળતાની સાચી રાહે જીવતા,અંતે માનવદેહ મળી જાય
કર્મના બંધનએતો સંબંધ દેહના,ના કોઇથીય કદી છટકાય
માનવજીવન એ કૃપા પ્રભુની,જે સાચી ભક્તિએ  સમજાય
…………….શ્રધ્ધા ભક્તિની સાચી રાહે,જીવ મુક્તિમાર્ગે દોરાય.
માગણીમોહ એજીવનેજકડે,કળીયુગમાં કોઇથી નાછટકાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં જીવથી નિર્મળ ભક્તિ થાય
જલાસાંઇની જ્યોતપ્રગટે,મળેલ માનવજીવન મહેંકીજાય
શ્રધ્ધા ભક્તિની સાચી રાહે,મળેલ જીવન સાર્થક થઈ જાય
……………..શ્રધ્ધા ભક્તિની સાચી રાહે,જીવ મુક્તિમાર્ગે દોરાય.

========================================

November 2nd 2014

સિધ્ધિની સાંકળ

yogi

kala

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                      .સિધ્ધિની સાંકળ

તાઃ૨/૧૧/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે સિધ્ધિના સોપાન જીવને,જ્યાં મા સરસ્વતીની કૃપા થાય
ઉજ્વળ જીવનનીરાહ પકડતા,યોગીનાબેનને હૈયે આનંદ થાય
…..કૃપાએ લાયકાત મેળવતા,હ્યુસ્ટનમાં સમાજના પ્રમુખ એ થઈ જાય.
ગુજરાતીની શાન નિરાળી જગતમાં,ના મોહમાયા કદીય અથડાય
નિર્મળતાનો સંગ રાખીને જીવતા,નરેન્દ્રભાઇ વડાપ્રધાન થઇ જાય
કલમની કેડી અને કલાને પકડતા,જગતમાં કૃપાએ માનમળી જાય
કલાકુંજની ઉજ્વળ રાહે હ્યુસ્ટનમાં  જ,પપ્પા પણ પાગલ થઈ જાય
……એવી સરળ જીવનની રાહ પકડતા,માતા સરસ્વતી રાજી થઈ જાય.
કુદરતની અપાર કૃપા યોગીનાબેન પર,જે લાયકાત મળતા દેખાય
કલાની ઉજ્વળ કેડીએ ચાલતા હ્યુસ્ટનમાં,સન્માન તેમનુ થઈ જાય
અનંત આનંદ પ્રદીપને આજે,સંગે  કલમપ્રેમીઓ પણ ખુબ હરખાય
કલાનીકેડી એલાયકાત રસેશભાઇની,જે સમાજમાં કલા વહેંચી જાય
…….એવી સરળ જીવનની રાહ પકડતા,માતા સરસ્વતી રાજી થઈ જાય.

*********************************************************
.                 .હ્યુસ્ટનના ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે શ્રીમતી યોગીનાબેનનુ સન્માન થયુ
એ હ્યુસ્ટનના સરસ્વતી સંતાનો માટે આનંદ અને અભિમાન જેવુ છે કારણ તેઓએ કલાની કેડી
પકડી હ્યુસ્ટનમાં કલાકુંજને પણ ખુબ જ સાચો સાથ આપેલ છે અને નાટકમાં ખુબજ સાથ આપેલ છે.
જે સરસ્વતી સંતાનો માટે ખુબ જ આનંદનો સમય છે.તે પવિત્રપ્રેમની યાદ રૂપે  આ કાવ્ય ભેંટ છે
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ અને હ્યુસ્ટનના સરસ્વતી સંતાનોના જય જલારામ.

November 1st 2014

સિધ્ધિવિનાયક દેવ

.                                સિધ્ધિવિનાયક દેવ             

Sidhdhi

.

.

.

.

.

.

.

.                       .સિધ્ધિવિનાયકદેવ

તાઃ૧/૧૧/૨૦૧૪                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચી શ્રધ્ધાએ ભક્તિ કરતા જ,શિવપુત્ર શ્રીગણપતિજી હરખાય
સિધ્ધિવિનાયક દેવ મુંબઈથી હ્યુસ્ટન આવ્યા,એજ કૃપા કહેવાય
…………………. એજ સાચી ભક્તિ મહારાજ શ્રી પ્રદીપ પંડ્યાની કહેવાય.
મોહમાયાને દુર રાખીને પુંજનકરતા,ભક્તોનો સાચોપ્રેમ આવી જાય
સુખશાંન્તિની પવિત્ર જ્યોતે જીવનમાં,પત્ની પુંજાનો પ્રેમ મળી જાય
અખંડપ્રેમની કેડી મળી માબાપથી,એ ભક્તિએજ હ્યુસ્ટન આવી જાય
અનંતલાયકાત અને કૃપાએ,સિધ્ધિવિનાયક મંદીર પણ એ કરીજાય
…………………… એજ સાચી ભક્તિ મહારાજ શ્રી પ્રદીપ પંડ્યાની કહેવાય.
ઉજ્વળ સોપાન લીધા ભણતરમાં,જે પવિત્રધર્મની લાયકાત કહેવાય
સાચો પ્રેમ મળ્યો છે સૌ ભક્તોનો,જે જીવનમાં ઉજ્વળરાહ આપી જાય
નાઅપેક્ષા નાકોઇ માગણી,પરમકૃપાએ સિદ્ધિવિનાયક મંદીર થઇ જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતા જીવનમાં,પરમાત્માની સાચીકૃપા મળી જાય
…………………… એજ સાચી ભક્તિ મહારાજ શ્રી પ્રદીપ પંડ્યાની કહેવાય.

**********************************************************
.            હ્યુસ્ટનમાં શ્રી સિધ્ધિવિનાયકદેવનુ સર્વ પ્રથમ મંદીર પંડીત શ્રી પ્રદીપભાઇ પંડ્યાએ
કર્યું જે એક પવિત્ર કામ કહેવાય તે નિમીત્તે આ કાવ્ય સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.

October 29th 2014

જન્મદીન શુભેચ્છા

Bapa jalaram

 

 

.

.

.

.

.

.

.

.

.

.

.               .જન્મદીન શુભેચ્છા

તાઃ૨૭/૧૦/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિરપુર ગામ થયુ પાવનધામ,જ્યાં જન્મ્યા શ્રી જલારામ
ભક્તિ જ્યોત જીવનમાં પ્રગટાવી,મુખથી બોલે સીતારામ
………..એવા પવિત્ર દેહ ધારીને,જન્મદીને પ્રેમથી વંદન થાય.
કારતકસુદ સાતમે દેહદીધો,માતા રાજબાઇએ વિરપુરમાં
ને પિતા પ્રધાન ઠક્કરે,ઉજ્વળ રાહ દીધી ભક્તિની અપાર
શ્રધ્ધાએ લીધી રાહ જીવનમાં,જ્યાં સૌને અન્નદાન દેવાય
મળીકૃપા પરમાત્માની,જ્યાં વિરબાઇમાતા સંગેમળી જાય
………..એવા પવિત્ર દેહ ધારીને,જન્મદીને પ્રેમથી વંદન થાય.
વિરપુરના કહેવાય છે એ વૈરાગી,એવા જલારામ પણ જોગી
વિરબાઇ માના અજબ સંસ્કારે,બની ગયા અન્નદાનનાભોગી
ઉજ્વલરાહ મળી ભોજલરામથી,ઉજ્વળતા ત્યાં પામી લીધી
મળેલ જન્મને સાર્થક કરતા,પ્રેમની  જ્યોત પ્રગટાવી દીધી
………..એવા પવિત્ર દેહ ધારીને,જન્મદીને પ્રેમથી વંદન થાય.

****************************************************************

.                     .સંત પુજય શ્રી જલારામબાપાના જન્મદીને હ્યુસ્ટનમાં હીલ્ક્રોફટ પર આવેલ
જલારામ મંદીરમાં શ્રીમતી લક્ષ્મીબેન ઠક્કર તરફથી જન્મજયંતી ઉજવવાનો કાર્યક્રમ
રાખવામાં આવેલ છે.તો આ પ્રસંગમાં હાજરી આપી સંત જલારામ બાપાની કૃપા મેળવશો.
તાઃ૩૦/૧૦/૨૦૧૪   ગુરૂવાર   કાર્તકસુદ સાતમ  દર્શનનો લાભ લેવા અચુક પધારશોજી.
5645 Hillcroft St, Houston, TX 77036    (713) 782-1211

October 23rd 2014

સમય એ સમય

imgres

 

 

 

 

 

.                    .સમય સમય

તાઃ૨૩/૧૦/૨૦૧૪     (દીવાળી)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય ના પકડાયો શ્યામથી,કે ના પકડાયો શ્રી રામથી
સમય સમજીને  ચાલતા ,મળે જીવને કૃપા ભગવાનની
…………..એજ સમયની શાન છે,ને એજ છે કુદરતનો પડકાર.
જન્મ જીવનો સંબંધ છે,જે કર્મ થકીજ જીવને મળી જાય
ઉજ્વળતાની રાહ મળે જીવને,ના આધીવ્યાધી અથડાય
પરમકૃપાળુની કૃપામળે,જ્યાં સાચીશ્રધ્ધાએ ભક્તિથાય
સમય સાથે સમજી જીવતા,સંત જલાસાંઇની કૃપા થાય
…………….એજ સમયની શાન છે,ને એજ છે કુદરતનો પડકાર.
જન્મમળતા જીવને અવનીએ,માબાપનોપ્રેમ મળી જાય
સંસ્કાર સાચવી મહેનત કરતા,ભણતરની કેડીને પકડાય
મનનેમળેલ સાચીસમજણે,ઉજ્વળરાહ જીવને મળીજાય
આવતી કાલને ના આંબે કોઇ,એજ સમયની કેડી કહેવાય
……………..એજ સમયની શાન છે,ને એજ છે કુદરતનો પડકાર.

++++++++++++++++++++++++++++++++++++++

October 22nd 2014

કુળદેવી મા કાળકા

 

Ma Kali

 

 

 

 

 

 

 

 

 

.                . કુળદેવી મા કાળકા

તાઃ૨૨/૧૦/૨૦૧૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુળદેવી મા કાલકા માતાની ચૌદશ આજ ઉજવાય
પ્રેમથી માતાને વંદન કરતા,આશીર્વાદ મળી જાય
………એવા માતા કાલકાને ૐ ક્રીમ કાલિયે નમઃ કહેવાય.
પવિત્ર આતહેવાર દીવાળીનો,અનંતપ્રેમે મળીજાય
ધુપદીપને અર્ચના કરતા,જીવથી પાવનકર્મજ થાય
મળે પ્રેમ માબાપનો સંતાનને,જ્યાં પ્રેમે વંદન થાય
કાળીચૌદશ ઉત્તમદીવસ,જીવને મુક્તિમાર્ગેલઈ જાય
………એવા માતા કાલકાને ૐ ક્રીમ કાલિયે નમઃ કહેવાય.
પાવાગઢથી આવે દોડી માતા,કાસોરમાં દર્શન થાય
મળે માતાની સાચી કૃપા,જીવને અખંડ આનંદ થાય
મળે માતાનીકૃપા કુળને,પાવનરાહ જીવને મળીજાય
જન્મસફળ થાય જીવનો,જ્યાં સાચીશ્રધ્ધાભક્તિથાય
………એવા માતા કાલકાને ૐ ક્રીમ કાલિયે નમઃ કહેવાય.

@@@@@@@@ૐ ક્રીમ કાલિયે નમઃ@@@@@@@@@@

October 21st 2014

મહાલક્ષ્મી માતા

th

th

 

 

 

 

 

 

 

 

 

 

 

..      .                                 .મહાલક્ષ્મી  માતા

તાઃ૨૧/૧૦/૨૦૧૪  (ધનતેરસ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મમ્મી મારી વ્હાલી લક્ષ્મીમા,ને પિતા છે મારા વિષ્ણુદેવ
ઉજ્વળરાહ દેતી મા જીવને, પ્રેમની પરખ  પિતાની દેણ
……….એવા વ્હાલા માબાપને,તેરસે વંદનથી જીવન છે અર્પણ.
ભક્તિનીકેડી મળી પિતાથી,ને માતાથી મળ્યા છે સંસ્કાર
ઉજ્વળ જીવનની રાહ મળી પ્રદીપને,પામી કૃપા અપાર
પળેપળે વંદન કરતાં માતાને,કૃપાનો થઈ જાય  વરસાદ
બાદાદાના અપારપ્રેમથી,દીપલ,રવિ,વિર પણ રાજીથાય
……….એવા વ્હાલા માબાપને,તેરસે વંદનથી જીવન છે અર્પણ.
લક્ષ્મીમાતાની અપાર કૃપાએ,જીવનની ગાડી ચાલી જાય
કળીયુગની નાકેડી સ્પર્શે,જ્યાંપિતાની અખંડકૃપા થઈ જાય
આવી આશિર્વાદ મળે વડીલના,નામોહમાયા કોઇ અથડાય
સરળજીવનની સાચી રાહે,જીવને અંતે મુક્તિમાર્ગ મળીજાય
………..એવા વ્હાલા માબાપને,તેરસે વંદનથી જીવન અર્પણ.

.***********************************************.

October 20th 2014

ક્યારે

kyaare

 

.

 

 

 

 

 

 

 

 

.                           .ક્યારે

તાઃ૨૦/૧૦/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમના સંગે રહેતા,માબાપને સંતાન મળી જાય
સંસ્કાર સાચવી જીવન જીવતા,આજન્મસફળ થઈ જાય
……………. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.
અવની પરનુ આગમન જીવનું,કર્મબંધનથી મળી જાય
ગતજન્મના બંધન જીવને,કર્મની સાચીકેડી આપી જાય
અપેક્ષાની અજબશક્તિ છે,જે જીવને કળીયુગે મળીજાય
ના માગણીની કોઇ અપેક્ષા,તોય તકલીફો આવતી જાય
…………….. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.
મળે જીવને કાયા અવનીએ,શ્રધ્ધાએ જન્મમરણે બંધાય
સંત જલાસાંઇની નિર્મળ ભક્તિએ,જીવને રાહ મળી જાય
મળે પ્રેમે આશીર્વાદ જીવને,જીવનમાં શાંન્તિ આપી જાય
અનોખી શક્તિ મળે જીવને,ત્યાં મુક્તિનો માર્ગ મળી જાય
……………. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.

###################################

 

 

« Previous PageNext Page »