November 7th 2013

શાંન્તિનો સંગ

.                 શાંન્તિનો સંગ

તાઃ૭/૧૧/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ પવનની એક લહેરથી,મનને શાંન્તિ મળી જાય
સરળ જીવનની સાચી કેડીએ જ,પાવન રાહ મળી જાય
.                …………………શીતળ પવનની એક લહેરથી.
માનવતાની મહેંક પ્રસરતા,જીવને શાંન્તિનો સંગ  થાય
ઉજ્વળરાહ મળતાજીવનમાં,સૌનો પ્રેમ સાચો મળી જાય
શ્રધ્ધાપ્રેમનો સાથ રહેતા,જીવની અપેક્ષાઓ ભાગી જાય
આંગણેઆવી સ્નેહવરસે,જગતની વ્યાધીઓ આઘી જાય
.               ………………….શીતળ પવનની એક લહેરથી.
ભક્તિપ્રેમનો સંગ રાખતા,મળેલ જીવન નિર્મળ થઈ જાય
શ્રધ્ધાની સાચી કેડી પકડતા,નાઆફત કોઇ આવતી જાય
પ્રેમ મળે જીવનમાં જ્યાં સાચો,ત્યાંસ્નેહગંગા વહેતી થાય
શાંન્તિનો સંગ મળતા જીવનમાં,નિર્મળ જીવન થઈ જાય
.            …………………….શીતળ પવનની એક લહેરથી.

===============================

 

November 6th 2013

અપેક્ષાના વાદળ

.                . અપેક્ષાના વાદળ

તાઃ૬/૧૧/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળે અવનીએ જીવને,કર્મની કેડીએથી બંધાય
નિર્મળજીવનને શીતળરાહ,સાચી ભક્તિએ મેળવાય
.               ………………….જન્મ મળે અવનીએ જીવને.
માનવદેહની ઉજ્વળતા,સમયને સમજીને મેળવાય
અપેક્ષાના વાદળ ને છોડતાજ,મન નિર્મળ થઈ જાય
સદવિચારની શીતળ કેડીએ,માનવતા મહેંકતી જાય
વણ કલ્પેલ સફળતા એજ,પરમાત્માની કૃપા કહેવાય
.                 …………………જન્મ મળે અવનીએ જીવને.
ભણતરની રાહે જીવનમાં,જ્ઞાનની જ્યોત પ્રગટી જાય
મહેનત સાચી મનથી કરતા,સફળતાઓ મળતી જાય
ભક્તિ ભાવના મનમાં રાખતા,નિખાલસતા મળીજાય
કૃપામળે જલાસાંઇની જીવને,મુક્તિમાર્ગેએ દોરી જાય
.                …………………..જન્મ મળે અવનીએ જીવને.

=================================

November 5th 2013

ઉમાસુત

ganesha

 

 

 

 

 

 

 

 

.                   .ઉમાસુત

તાઃ૫/૧૧/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉમાસુત ભોળા ગણનાયક છે,જે જીવને કર્મકેડી દઈ જાય
શુધ્ધ ભાવનાએ પુંજન કરતાં,જીવપર કૃપા તેમની થાય
.                   ……………………ઉમાસુત ભોળા ગણનાયક છે.
ૐ ગં ગણપતયે નમઃ ના સ્મરણ માત્રથી,શાંન્તિ મળી જાય
કૃપાનીકેડી જીવને મળતા,આ મળેલ જન્મ સફળ થઈ  જાય
માતાઉમા ને પિતા શીવજીના,લાકડવાયા ગણેશજી કહેવાય
સુખશાંન્તિને સાચીરાહ,જીવને ગજાનંદની કૃપાએ મળી જાય
.                    …………………..ઉમાસુત ભોળા ગણનાયક છે.
અવનીપરનાઆગમનને સ્પર્શે,જેકલમ ગણપતિની કહેવાય
દેહ મળતા  અવનીએ જીવને,ભાગ્ય રેખા ગણેશજીથી સંધાય
કર્મની સાચીકેડી ભક્તિએ મળતા,આધીવ્યાધીઓ ભાગી જાય
અંતે દેહછોડતા જીવનેમળે કેડીસ્વર્ગની,જે મુક્તિમાર્ગ કહેવાય
.                   ……………………ઉમાસુત ભોળા ગણનાયક છે.

====================================

November 4th 2013

શ્રધ્ધા ભક્તિ

 

hanukaka

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                     . શ્રધ્ધા ભક્તિ

તાઃ૪/૧૧/૨૦૧૩                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે કૃપા પરમાત્માની જીવને,ને મળેલ જન્મ સફળ થઈ જાય
અવનીપરનુ આગમનસમજતાં,પાવનરાહ જીવને મળી જાય
.                      ………………….મળે કૃપા પરમાત્માની જીવને.
શ્રધ્ધા રાખી ભક્તિ કેડી પકડતાં,જીવ કળીયુગથી છટકી જાય
મળે સાચોપ્રેમ જીવને જગતમાં,પાવનકર્મની રાહ મળી જાય
ભક્તિની છે અજબ શક્તિ અવનીએ,ના કોઇથી એને અંબાય
શ્રધ્ધા સાચી મનથી  રાખતાં,પરમાત્માની કૃપાય મળી જાય
.                    ……………………મળે કૃપા પરમાત્માની જીવને.
ઉજ્વળ જીવન ને પાવનકર્મ,એજ જલાસાંઇની કૃપા કહેવાય
નિર્મળતાનો  સંગ રાખીને જીવતા,દેખાવની દુનીયા દુર જાય
મનથી કરેલ માળા કે ભક્તિ,જીવને સદમાર્ગની રાહે દોરી જાય
આવી પ્રેમ મળે પરમાત્માનો જીવપર,સાતો જન્મ સુધરી જાય
.                   …………………… મળે કૃપા પરમાત્માની જીવને.

++++++++++++++++++++++++++++++++++++++

November 4th 2013

માનવ મન

.                . માનવ મન     

તાઃ૪/૧૧/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુ પ્રેમને પારખી ચાલતા,ઉજ્વળ રાહ મળી જાય
નિરાધારનો આધાર બનતા જ,માનવમન હરખાય
.                 ……………….પ્રભુ પ્રેમને પારખી ચાલતા.
શીતળ રાહ જીવનમાં મળતા,સુખ શાંન્તિને સ્પર્શાય
આવતી વ્યાધીઓ દુર રહેતા,નિર્મળતાનો સંગ થાય
પવિત્રજીવન ભક્તિસંગે જીવતા,ઉજ્વળતા સહેવાય
અવનીના આગમનને સમજતા,માનવમન મલકાય
.               …………………પ્રભુ પ્રેમને પારખી ચાલતા.
નિર્મળ જીવન જગે જીવતા,મળેલ આજન્મ સાર્થક થાય
અભિમાનઆદરની કેડીને મુકતા,સંત જલાસાંઇ હરખાય
આવી આંગણે કૃપા મળતા જીવને,રાહ સાચી મળી જાય
માનવજીવન ઉજ્વળ થતાં,મળેલ જન્મસફળ થઈ જાય
.               ………………….પ્રભુ પ્રેમને પારખી ચાલતા.

==============================

 

November 3rd 2013

ભક્તિ પથ

 .                                 .ભક્તિ પથ

 તાઃ૩/૧૧/૨૦૧૩                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળે જ્યાં પ્રેમ સાચો,ઉજ્વળતાના વાદળ વરસતા જાય
આવી આંગણે સફળતા મળે,જ્યાં નિર્મળ ભક્તિ પથને મેળવાય
.                     ……………………જીવને મળે જ્યાં પ્રેમ સાચો.
પ્રભાતના પહેલા કીરણને વંદી,પ્રેમથી સુર્યદેવની અર્ચના થાય
મળે કૃપા જ્યાં સુર્યદેવની,જીવનમાં પાવનરાહ જ મળતી જાય
કુદરતની અનેરી કૃપા મળે જીવને,જ્યાં ભક્તિ પ્રેમથી થઈ જાય
કર્મનીકેડી નિર્મળ બને જીવની,ભક્તિએ કર્મના બંધનો છુટીજાય
.                      …………………..જીવને મળે જ્યાં પ્રેમ સાચો.
મોહમાયા જ્યાં વળગે જીવને,જન્મ મરણનો સંબંધ જીવને થાય
અવનીપરના આગમનથી ભટકતા,નામુક્તિમાર્ગ કદી મેળવાય
ભક્તિસાચી સંત જલાસાંઇનીકરતાં,જીવને સાચીરાહ મળી જાય
નિર્મળતાનો સંગ રહેતા જીવનમાં,નાકદી આધીવ્યાધી અથડાય
.                    …………………….જીવને મળે જ્યાં પ્રેમ સાચો.

+++++++++++++++++++++++++++++++++++++

November 1st 2013

આસો વદ તેરસ

saraswatimatalaxmimatagapadada2

 

 

 

 

 

 

 

 

 

 

 

.                                     .                 આસો વદ તેરસ

 તાઃ૧/૧૧/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર તહેવારની સાંકળ,દીવાળી લઇને આવે આજ
ધનની વર્ષા માતા કરે,જ્યાં આસો વદ તેરસે પુંજાય
.                   ………………….પવિત્ર તહેવારની સાંકળ.
હિન્દુ ધર્મની શીતળ કેડી,ભાવનાથી પરમાત્મા પુંજાય
મળીજાય કૃપા પ્રભુનીજીવને,જે ઉજ્વળ જીવને દેખાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,જીવથીપાવન રાહ મેળવાય
સુખશાંન્તિના વાદળ ફરતાં,ના વ્યાધીઓ કોઇ અથડાય
.                 ……………………પવિત્ર તહેવારની સાંકળ.
સાગર જેવી માયા કળીયુગની,ના કોઇ જીવથી છટકાય
જલાસાંઇની જ્યોત પ્રગટતા,પાવનકર્મ જીવનમાંથાય
મળેલ દેહને કૃપા સમજી ચાલતા,ભક્તિ રાહ મળી જાય
નિર્મળ ભાવે પ્રેમે ભક્તિ કરતાં,પ્રભુ આંગણે આવી જાય
.                  ………………….. પવિત્ર તહેવારની સાંકળ.

================================

October 30th 2013

સમયની કેડી

.                          .સમયની કેડી

 તાઃ૩૦/૧૦/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની લીલા છે ન્યારી,સમયની કેડીએજ સમજાય
માનવ થઈને જીવન જીવતા,સૌ કામ સરળ થઈ જાય
.                   ………………….કુદરતની લીલા છે ન્યારી.
કર્મ બંધન છે કેડી અવનીની,ના કોઇ જીવથી છટકાય
અવનીપરનુ આગમનપારખતા,જીવન ઉજ્વળ થાય
મળેલ કાયાના બંધન જગતમાં,કર્મની કેડી બની જાય
લખેલ લેખ જીવના આગમને,સાચી ભક્તિએ છુટીજાય
.                 ……………………કુદરતની લીલા છે ન્યારી.
તારૂ મારૂ એ લાકડી કુદરતની,દેહને અવનીએ જકડી જાય
જન્મમૃત્યુના બંધન મળીજતા,સમયની કેડીને નાપકડાય
સમજણ સાચી જીવને મળતા,મોહમાયાથી દુર જતો જાય
મૃત્યુ દ્વારે  જીવ આવતા જગતમાં,મુક્તિની રાહ મળી જાય
.                 ……………………કુદરતની લીલા છે ન્યારી.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

October 29th 2013

પ્રીતની પરખ

.                   .પ્રીતની પરખ

તાઃ૨૯/૧૦/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ પ્રેમની જ્યોત જીવનમાં,સુખ શાંન્તિને આપી જાય
સાચીપ્રીતની પરખ થાય,જ્યાં નિર્મળ જીવન મળી જાય
.               ………………….સરળ પ્રેમની જ્યોત જીવનમાં.
કેડી મળે છે જીવને અવનીએ,જે કર્મ બંધનથીજ પકડાય
અવનીપરનુ આગમન બને,જ્યાં કર્મનીકેડી ના સમજાય
દેહનોસંબંધ જીવને વળગે,કળીયુગમાં નાકોઇથી છટકાય
અવનીપરના દેહથી,માનવતાની મહેંક વર્તનથી દેખાય.
.               ………………….સરળ પ્રેમની જ્યોત જીવનમાં.
લાગણી પ્રેમની સરળ કેડી મળે,જ્યાં સમજણથી જીવાય
મળે પ્રીત જ્યાં નિખાલસતાએ,ત્યાં જીવન ઉજ્વળ થાય
કળીયુગની કાતર તોછે વાંકી,જીવને દુર્માર્ગેજ દોરી જાય
અંતઆવતા દેહનો અવનીથી,જીવ કર્મનીકેડીએ બંધાય
.              …………………..સરળ પ્રેમની જ્યોત જીવનમાં.

==================================

October 27th 2013

જય શ્રીરામ

Jay Ram

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                    .જય શ્રીરામ

 તાઃ૨૭/૧૦/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામના સતત સ્મરણથી,જીવને શાંન્તિ મળતી જાય
ઉજ્વળ રાહ મળે જીવનમાં,ને પાવનકર્મ જીવનમાં થાય
.                ………………….રામનામના સતત સ્મરણથી.
મોહમાયા ને લાગણી છુટે,ને સંગે નિર્મળતા મળતી જાય
ભક્તિ માર્ગની સાચી કેડી,જીવને પાવન કર્મ આપી જાય
સંસ્કારસાચવી વંદનકરતાં,પિતા દશરથ પણ રાજી થાય
સીતાજીનો સંગપામીને,ભવસાગરનો માર્ગ બતાવી જાય
.                 …………………રામનામના સતત સ્મરણથી.
રાવણને આંગળી ચીંધી કર્મની,કળીયુગમાં એભટકી જાય
અભિમાનને એ આદર કરતાં,શ્રીરામથી એનુ દહન થાય
કુદરતની આ રીત નિખાલસ,સાચી ભક્તિરાહે  સમજાય
શ્રીરામ શ્રીરામની માળાકરતાં,જીવને શાંન્તિ મળી જાય
.                ………………….રામનામના સતત સ્મરણથી.

*************************************

 

« Previous PageNext Page »