July 17th 2013

કળીયુગી પુંજા

puja

 

 

 

 

 

 

 

 

.                  . કળીયુગી પુંજા  

તાઃ૧૭/૭/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક ડૉલરની નોટ હાથમાં રહેતા,લાઇનમાં ઉભા રહી જાવ
દસ ડૉલરની નોટે હાથપકડી,પથ્થરને પગે લગાડવા જાય
.                 …………………એક ડૉલરની નોટ હાથમાં રહેતા.
ના શ્રધ્ધાની કોઇ કેડી મળે,કે ના કોઇ માનવતા  જોવાય
લાંબી લાઇનમાં ઉભા રહી,કળીયુગમાં પ્રભુ કૃપા શોધાય
દમડીની માયા છે એવી,જે માનવીને અનેક રૂપે  દેખાય
શાંન્તિની શોધ જીવનમાં માગતાં,ના કોઇ રીતે મેળવાય
.                ………………….એક ડૉલરની નોટ હાથમાં રહેતા.
ભોળાનાથની કળીયુગી ભક્તિમાં,નાહવે કેદારનાથ ચઢાય
ગંગા માતાની કૃપા પામવા,ભક્તોથી ના હિમાલય જવાય
મળેપ્રેમ પરમાત્માનો જીવને,જ્યાંસાચીભક્તિ ઘરમાં થાય
આવી બારણે પ્રભુકૃપા રહે,જે જીવને અનુભુતી જ થઈ જાય
.                …………………..એક ડૉલરની નોટ હાથમાં રહેતા.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

July 16th 2013

જીવને મળે

.                   .જીવને મળે   

તાઃ૧૬/૭/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળશે માયા ને મળશે મોહ,કરશે આ માનવ જીવન ફોગ
નિર્મળતાનો નાસંગ રહેશે,ને માનવતાની કરવાની શોધ
.                      …………………..મળશે માયા ને મળશે મોહ.
દેહ મળે છે અવનીએ જીવને,જ્યાં કર્મની કેડી મળી જાય
કરેલ કર્મ સંકેત બને જીવના,ના કોઇ જીવથી કદી છટકાય
સરળતાનો સંગાથ મળે છે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
બંધન છુટતા જીવના દેહથી,જીવને મુક્તિમાર્ગ મળીજાય
.                     …………………….મળશે માયા ને મળશે મોહ.
આજકાલને આંબી લેવા,દેહના કર્મબંધન સમજીને પકડાય
સાચી રાહ જીવનમાં મળતા,ના કદી કોઇ અનીતિ અથડાય
મનનેશાંન્તિ ને તનને શાંન્તિ,એ સાચી જીવનરાહ કહેવાય
પ્રભુ કૃપા અને પ્રભુ પ્રેમ મળતાં,મોહમાયા પણ ભાગી જાય
.                       …………………..મળશે માયા ને મળશે મોહ.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

July 16th 2013

જય ખોડીયાર મા

mata

 

 

 

 

 

 

 

 

 

 

 

.                . જય ખોડીયાર મા

તાઃ૧૬/૭/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ચરણ સ્પર્શથી,જીવને અનંત શાંન્તિ થાય
ઉજ્વળ જીવન દેજો માડી,એ જ પ્રેમથી માગણી થાય
.                      …………………માડી તારા ચરણ સ્પર્શથી.
પુષ્પગુચ્છના ચરણ સ્પર્શથી,મા તારી કૃપા મળી જાય
અંતરમાં આનંદ અનેરો,ને મનને  અનંત શાંન્તિ થાય
ખોડીયાર ખોડીયાર સ્મરણ કરતાંજ,સવાર સુધરી જાય
નિર્મળતાનો સંગ મળતા જીવને,સાચી કેડી મળી જાય
.                    …………………..માડી તારા ચરણ સ્પર્શથી.
મળે માના આશિર્વાદ પ્રદીપને,જ્યાં પ્રભાતે પુંજા થાય
ભક્તિભાવને પારખી માડી,અખંડ કૃપા પ્રેમ આપી જાય
મોહમાયાને દુર રાખી માતા,જીવન ઉજ્વળ કરતી જાય
પ્રેમની વર્ષા કરતી માડી,કૃપાનીકેડી પાવન કરતીજાય
.                  …………………….માડી તારા ચરણ સ્પર્શથી.

******************************************

July 15th 2013

સાચી રાહ

.                   . સાચી રાહ

તાઃ૧૫/૭/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માનવતા જીવનમાં,સદમાર્ગને બતાવી જાય
સાચી રાહ પકડતા જીવને,જન્મથી મુક્તિ મળી જાય
.               ………………..મળેલ માનવતા જીવનમાં.
અવનીપરનુ આગમન જીવના,કર્મ બંધન કહેવાય
મળતા કૃપા પરમાત્માની,આધીવ્યાધી ભાગી જાય
મોહમાયાને છોડી ચાલતા,માનવતા મહેંકતી જાય
સુખદુઃખ ના સ્પર્શે દેહને,જ્યાં સાચી રાહ મળી જાય
.             ………………….મળેલ માનવતા જીવનમાં.
જલાસાંઇના ચરણ સ્પર્શે,જીવથી મુક્તિમાર્ગ મેળવાય
સાચા સંતના ચરણે રહેતા,સંસારી  જીવન મહેંકી જાય
સંસ્કાર સાચવી ચાલતા જીવને,ના અશાંન્તિ અથડાય
આવી પ્રેમ મળતા પ્રભુનો,મળેલ જન્મસફળ થઈ જાય
.              ………………….મળેલ માનવતા જીવનમાં.

=================================

July 13th 2013

આંખમાં આંસુ

.                 . આંખમાં આંસુ        

તાઃ૧૩/૭/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળતાનો સંગાથ મળતા,જીવને અનંત આનંદ થાય
પ્રેમની જ્યોત પામી લેતા,જગતમાં માનવતા મહેંકાય
.                        …………………શીતળતાનો સંગાથ મળતા.
મળેલ દેહને પારખી લેતા,જીવપર જલાસાંઇની કૃપા થાય
સ્નેહની સાંકળ પકડી લેતા,દેહની આંખોય ભીની થઈ જાય
નિર્મળતાના વાદળ વરસતા,જીવનમાં આનંદ મળી જાય
સરળતાનો સાથ રહેતા જીવને,ના આધી વ્યાધી અથડાય
.                      …………………. શીતળતાનો સંગાથ મળતા.
પ્રેમ મળે છે જીવનમાં સૌનો.જ્યાં નિખાલસતાને સમજાય
પરમાત્માની કૃપા છે અનેરી,સાચી સમજણથી મળી જાય
અંતરમાં થયેલ આનંદનીઓળખ,આંખમાં આંસુથી દેખાય
શબ્દની નાસમજ જોઇએજગે,એતો સાચી સમજેમળીજાય
.                     …………………..શીતળતાનો સંગાથ મળતા.

===================================

July 12th 2013

અતુટ બંધન

.                  . અતુટ બંધન               

તાઃ૧૨/૭/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીને આકાશના બંધન,જગતમાં અતુટ છે કહેવાય
કોટી કોટી અનેક સદીયોથીએ,ના કોઇનાથીયએ તોડાય
.                      …………………અવની ને આકાશના બંધન.
જન્મ મરણ એ વર્ષોના બંધન,ના સદીયોમાંએ જોવાય
જીવને મળેલ જન્મ અવનીએ,એકથી સો માં પુરા થાય
કુદરતની આ અતુટલીલા,જીવના બંધનથીજ સચવાય
કર્મની કેડી એ જીવના બંધન,ના કોઇથીય જગે છટકાય
.                    ………………….અવની ને આકાશના બંધન.
માતાપિતા ને સંતાનના સંબંધ,જેને કુટુંબ પ્રેમ કહેવાય
લાગણી પ્રેમની જ્યોત જલે, ત્યાં જ જીવને સંબંધ થાય
ભાઇ બહેનના અતુટ બંધન,સાચા પ્રેમની રાહે સચવાય
મોહમાયા એ કર્મના બંધન,ના જગતમાં કોઇથી છટકાય
.                    …………………. અવની ને આકાશના બંધન.

++++++++++++++++++++++++++++++++++

July 11th 2013

અમેરીકામાં શું મળે?

.                    . અમેરીકામાં શું મળે?        

તાઃ૧૧/૭/૨૦૧૩                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

*    અમેરીકામાં આવતાં સૌ પ્રથમ તમને દેખાવ મળે.દેખાવમાં કપડાં અને
સૌદર્યને વધુ મહત્વ અપાય છે એટલે તમને ખર્ચો મળે.

*     આપણે મેળવેલ ભણતરની અહીં આવતા કોઇ જ કદર નથી એટલે અહીં
આવતા બેકારી મળે અને મજુરીની નોકરી સ્વીકારવી જ પડે.

*     અહીંયા કોઇપણ નોકરી માટે અરજી કરતાં બીજો પ્રશ્ન તમારી ઉંમરનો હોય
છે એટલે અમેરીકામાં રીટાયર્ડની જવાબદારી કંપની લેવા તૈયાર નથી અને
સાતમો પ્રશ્ન એ હોય છે કે તમે મુળ ક્યાંથી આવ્યા છો કારણ અમેરીકનને ખબર
છે કે  એક ભારતીય છ અમેરીકનનું કામ એકલો મહેનતથી કરી શકે છે જે તેને
ગળથુથીમાં મહેનત મળી છે એટલે નોકરી ના આપે.

*      અમેરીકાના નાગરીક થવાના હક્કથી આવો એટલે તમને કોઇપણ મોટી
કંપનીમાં રાત્રે કે દીવસે માલ ગોઠવવાની કે ગ્રાહકોને મદદ કરવાની કે લારીયો
ખેંચવાની નોકરી તરત મળે કારણ આપણા જ લોકો તેમાં કામ કરતા હોય છે અને
અમેરીકામાં તેમને આ કામ માટે જરૂર હોય છે જ.

*         અમેરીકામાં ડૉકટરના થોડા ભણતરથી તમને તક મળે. આ દેશમાં સૌથી
વધારે શાંન્તિ તેમને છે કારણ અહીંયા ગેસ અને ઇલેક્ટ્રીસીટીના હવામાનમાં સૌથી
વધારે પ્રદુષણ થાય છે કાર સેટેલાઇટ અને ફોન એ સૌથી વધારે દુષણ પેદા કરે છે
જેથી હાડકા ચામડી અને શરીર ના સ્વાસ્થ્યની ખુબજ તકલીફો થાય છે અને તેથી
ડૉકટર પૈસા કમાય છે અને તેનુ મુળ એ વિમાની જરૂરીયાત જે દર્દીના પૈસા વિમા
કંપની તમારા ઇન્સ્યોરન્સમાંથી આપે છે. એટલે દેશમાં ડૉકટર અને વિમા કંપની
સધ્ધર છે.

*           આ દેશમાં કોઇને આપણે સાચા દીલથી પોતે નુકશાન ભોગવીને પણ મદદ
કરીએ તો ફક્ત  થેંક્યુ  કહી નીકળી જાય અને આપણે જરૂર પડે તો દેખાય પણ નહીં
એટલે આપણને નિરાશા મળે અને દુઃખ પણ થાય.આ દેશમાં શબ્દ સિવાય કશું જ
નથી મળતું.

*            અમેરીકામાં લાકડાના જ ઘર હોય છે કારણ ઝાડ તો કુદરતની દેન છે એટલે
કે તે મફત મળે અને બીજી વાત એ કે અહીં હવામાનનો કોઇ ભરોસો નહીં એટલે ઘરમાં
ઠંડી અને ગરમી માટે ઇલેક્ટ્રીક વપરાય એટલે ખોટા ખર્ચા મળે.

*            અમેરીકાના દેખાવથી રંગાયેલ સંતાન માબાપને અહીંયા બોલાવે થોડો સમય
પોતાની સાથે રાખે અને પછી જીભનો ઉપયોગ કરી તેમને ઘરડા ઘરમાં મુકી તેમના
સરકારથી મળતા પૈસાથી લહેર કરે અને ફાધર ડે અને મધર ડેના દીવસે દેખાવથી
બોલાવી માબાપની લાગણી મેળવવા પ્રયત્ન કરે છે પણ તેમને હાય લાગે છે. છતાં
માબાપ ભારત જાય તો સંતાન માટે કદી ખરાબ બોલતા નથી જે તેમના સંસ્કાર છે.

*        અમેરીકામાં આવતાં ઉપરની વાતો ઘણી વિચારી અને સહન કરવાની તૈયારી
સહિત પગ મુકવો. આ દેશમાં એક જ વાત અગત્યની છે કે આ દેશમાં ભણતરમાં અનીતિ
નથી એટલે આદેશમાં સાચા દિલથી મહેનત કરીને સંતાન લાયકાત મેળવે તો દુનીયામાં
તે સારૂ કમાઇ શકે. જ્યારે બીજા દેશોમાં ભણતરમાં અનીતિ જોવા મળે છે.

====ઉપરોક્ત લખાણ એ અમારો અનુભવ છે અને તેમાં શંકાને કોઇજ સ્થાન નથી.====

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

July 10th 2013

સાચી લાગણી

.                   . સાચી લાગણી

તાઃ૧૦/૭/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળતાનો સંગ રાખીને જીવતા,માનવતા મહેંકી જાય
સાચી લાગણી અંતરથી નીકળતા,સુખશાંન્તિ મળી જાય
.                   ………………….નિર્મળતાનો સંગ રાખીને જીવતા.
ઉજ્વળ રાહ મળે જીવનમાં,ના મોહ માયા કોઇ અથડાય
સુખશાંન્તિના વાદળ ધેરાતા,પાવન કર્મ જીવનમાંથાય
નારીને  નારાયણી સમજતાં,અનેક જીવો મળી હરખાય
કર્મની કેડી સાચી રાહે મળતા,જીવ  મુક્તિ માર્ગે દોરાય
.                   ………………….નિર્મળતાનો સંગ રાખીને જીવતા.
માનવદેહ મળે અવનીએ જીવને.એજ પ્રભુ કૃપા કહેવાય
કર્મની સાચી કેડી મળતા દેહથી,જીવ સત્કર્મોથી સહેવાય
સાચી લાગણી નીકળે જીવથી,જ્યાં જલાસાંઇની કૃપાથાય
આવી આંગણે પ્રેમ મળે સર્વનો,જીવની લાયકાત કહેવાય
.                 ……………………નિર્મળતાનો સંગ રાખીને જીવતા.

=====================================

July 9th 2013

આરાસુરી મા અંબા

Ambe Mataji

.              . આરાસુરી મા અંબા

તાઃ૯/૭/૨૦૧૩                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

આરાસુરી મા અંબાની કૃપાએ,આ જીવન ઉજ્વળ થઇ જાય
મળેલજન્મને સાર્થક જોતા,માતાનીઅસીમકૃપા મળી જાય
.                       ………………..આરાસુરી મા અંબાની કૃપાએ.
પ્રભાત પહોરે શ્રી અંબે શરણં મમનું,સ્મરણ મનથી થઇ જાય
અંતરમાં આનંદ અનેરો લેતાં,માતાની અપારકૃપામળીજાય
આવી આંગણે મા હેત વર્ષાવે,અનુભવ અંતરમાં તેનો થાય
લાગણીમોહની માયાછુટતાં,જીવપર કૃપામાતાની થઇ જાય
.                       ………………..આરાસુરી મા અંબાની કૃપાએ.
આરાસુરથી મા અંબા આવે,ને માતા કાળકા કાસોર ગામથી
પ્રેમ ભક્તિ પારખી પ્રદીપ રમાની,માતા તકલીફો દુર કરતી
કૃપાનીવર્ષા પ્રેમે કરતી માતા,જે જીવને રાહ સાચીદઈ દેતી
બંધ આંખે સ્મરણ કરતાં માતાના,કૃપા આંગણે આવીમળતી
.                     ………………….આરાસુરી મા અંબાની કૃપાએ.

=======================================

July 8th 2013

આરાધના

.                  . આરાધના

તાઃ૮/૭/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળે છે શાંન્તિ ત્યાંથી,જ્યાં ભક્તિભાવને સમજાય
આરાધના જલાસાંઇની કરતાં,સંસારી જીવન મહેંકી જાય
.                       …………………જીવને મળે છે શાંન્તિ ત્યાંથી.
અવની પરના આગમનની કેડી,જન્મ મરણથી જ સંધાય
ઉજ્વળતાની કેડીને પામવા,સંસારના સંબંધને સચવાય
માયામોહની રાહ છોડવાને કાજે,ભગવા રંગને તરછોડાય
સંસારી જીવન ઉજ્વળ રાહ બને,આંગણે પ્રભુ આવી જાય
.                     ………………….જીવને મળે છે શાંન્તિ ત્યાંથી.
શાંન્તિનો સહવાસ મળતા,મળેલ આ જીવન મહેંકી જાય
કર્મની સાચી કેડીને પકડતા જગે,મોહમાયા  ભાગી જાય
અંતરમાં આનંદ ઉભરે કૃપાએ,સંત જલાસાંઇ રાજી થાય
જન્મ બંધન છુટે જીવના અવનીથી,મુક્તિ માર્ગ મેળવાય
.                       …………………જીવને મળે છે શાંન્તિ ત્યાંથી.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

« Previous PageNext Page »